રાહુલ ગાંધીના આકરા પ્રહાર "ચીને આપણી હજારો કિમી જમીન છીનવી, PM મોદી જુઠ્ઠું બોલ્યા હતા"


  • Published By :
  • Published Date : 2023-08-25 21:15:13

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ શુક્રવારે લદ્દાખના કારગીલમાં રેલીને સંબોધિત કરી હતી. રાહુલ ગાંધીએ ભાજપ અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. પોતાના લદ્દાખ પ્રવાસના છેલ્લા તબક્કામાં રાહુલ ગાંધીએ કારગીલમાં ભાજપ પર પ્રહાર કરતા સવાલ કર્યો હતો કે તે લદ્દાખની જમીન છીનવીને અદાણી ગ્રુપને આપવા માગે છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે આ જ કારણ છે કે ભાજપ લદ્દાખી લોકોને યોગ્ય પ્રતિનિધિત્વ નથી આપતી. કેમ કે ત્યાર બાદ તેઓ સ્થાનિક લોકોની જમીન નહીં લઈ શકે. પરંતુ કોંગ્રેસ આવું ક્યારેય થવા નહીં દે.


લદ્દાખ એક રણનૈતિક સ્થાન


રાહુલ ગાધીએ કહ્યું કે લદ્દાખ રણનિતીની દ્રષ્ટીઓ ખુબ જ મહત્વનું સ્થાન છે. એક વાત તો સ્પષ્ટ છે કે ચીને ભારતની હજારો કિલોમીટર જમીન છીનવી છે, દુ:ખની વાત એ છે કે વિપક્ષની બેઠકમાં PM મોદીએ કહ્યું હતું કે લદ્દાખની એક ઈંચ જમીન પણ ચીને લીધી નથી. આ એક જુઠ્ઠાણું છે. પૂર્વ કોંગ્રેસ પ્રમુખે દાવો કર્યો હતો કે ચીન લદ્દાખમાં ભારતીય વિસ્તાર હડપ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે ખરાબ હવામાનના કારણે ભારત જોડો યાત્રા દરમિયાન તે લદ્દાખનો પ્રવાસ કરી શક્યા નહોંતા.  



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .