Loksabhaમાં PM Modiએ કરી હતી મિમિક્રી! Congressના નેતા Jairam Rameshએ વીડિયો શેર કર્યો જેમાં PM Modi... જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-12-20 15:54:50

સંસદની કાર્યવાહી દરમિયાન સુરક્ષા ચૂક મામલે વિપક્ષી સાંસદોએ સંસદમાં થયેલા સુરક્ષા ચૂક મામલે હંગામો કર્યો હતો. અનેક વિપક્ષી સાંસદોને એક સાથે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતી. હજી સુધી 141 સાંસદોને રાજ્યસભા તેમજ વિધાનસભામાંથી આખા શિયાળા સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિપક્ષી સાંસદો આ વાતને લઈ વિરોધ કરી રહ્યા છે. સંસદની બહાર બેસી સાંસદો સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. આ મુદ્દો તો ચર્ચામાં હતો પરંતુ ગઈકાલે તૃણુમુલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જીએ રાજ્યસભા અધ્યક્ષ તેમજ ઉપરાષ્ટ્રપતિની સંસદની બહાર મિમિક્રી કરી હતી જેનો વીડિયો રાહુલ ગાંધીએ ઉતાર્યો હતો. આ બાદ દરેક જગ્યા પર આને લઈ ચર્ચાઓ થઈ રહી છે. 

રાષ્ટ્રપતિએ તેમજ પીએમ મોદીએ ઘટનાને વખોડી    

મિમિક્રીનો વીડિયો વાયરલ થયા બાદ જગદીપ ધનખડે આ મામલે દુખ વ્યક્ત કર્યું હતું. તેમનું દર્દ છલકાઈ આવ્યું હતું. ઉપરાષ્ટ્રપતિની મિમિક્રીને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સાથે ફોન પર વાત કરી હતી. આ અંગેની જાણકારી જગદીપ ધનખડે આપી હતી. રાષ્ટ્રપતિએ પણ આ ઘટનાને વખોડી હતી. આ બધા વચ્ચે સાંસદ કલ્યાણ બેનર્જીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે  કહ્યું કે તેમનો ઈરાદો તેમની મજાક કરવાનો ન હતો. 

પીએમ મોદીનો વીડિયો જયરામ રમેશે શેર કર્યો અને લખ્યું કે... 

આટલા બધા સાંસદોને સસ્પેન્ડ કરાતા કોંગ્રેસ તેમજ વિપક્ષી સાંસદોઆને લઈ આક્રામક દેખાઈ રહ્યા છે. કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયા પર અનેક વખત આને લઈ પોસ્ટ મૂકવામાં આવી છે. ત્યારે કોંગ્રેસના નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પર પીએમ મોદીનો એક વીડિયો પોસ્ટ કર્યો છે અને મિમિક્રીનો મુદ્દો ઉઠાવીને 142 સાંસદોના સસ્પેન્શન પરથી ધ્યાન હટાવવાના આડેધડ પ્રયાસો થઈ રહ્યા છે. સંસદના ઈતિહાસમાં ક્યારેય આટલા મોટા પાયા પર સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી. પણ જેઓ મિમિક્રીની વાત કરે છે તેઓને જરા યાદ રહે કે કોણે કોની નકલ કરી અને તે પણ લોકસભામાં?



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.