Loksabhaમાં PM Modiએ કરી હતી મિમિક્રી! Congressના નેતા Jairam Rameshએ વીડિયો શેર કર્યો જેમાં PM Modi... જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-12-20 15:54:50

સંસદની કાર્યવાહી દરમિયાન સુરક્ષા ચૂક મામલે વિપક્ષી સાંસદોએ સંસદમાં થયેલા સુરક્ષા ચૂક મામલે હંગામો કર્યો હતો. અનેક વિપક્ષી સાંસદોને એક સાથે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતી. હજી સુધી 141 સાંસદોને રાજ્યસભા તેમજ વિધાનસભામાંથી આખા શિયાળા સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિપક્ષી સાંસદો આ વાતને લઈ વિરોધ કરી રહ્યા છે. સંસદની બહાર બેસી સાંસદો સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. આ મુદ્દો તો ચર્ચામાં હતો પરંતુ ગઈકાલે તૃણુમુલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જીએ રાજ્યસભા અધ્યક્ષ તેમજ ઉપરાષ્ટ્રપતિની સંસદની બહાર મિમિક્રી કરી હતી જેનો વીડિયો રાહુલ ગાંધીએ ઉતાર્યો હતો. આ બાદ દરેક જગ્યા પર આને લઈ ચર્ચાઓ થઈ રહી છે. 

રાષ્ટ્રપતિએ તેમજ પીએમ મોદીએ ઘટનાને વખોડી    

મિમિક્રીનો વીડિયો વાયરલ થયા બાદ જગદીપ ધનખડે આ મામલે દુખ વ્યક્ત કર્યું હતું. તેમનું દર્દ છલકાઈ આવ્યું હતું. ઉપરાષ્ટ્રપતિની મિમિક્રીને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સાથે ફોન પર વાત કરી હતી. આ અંગેની જાણકારી જગદીપ ધનખડે આપી હતી. રાષ્ટ્રપતિએ પણ આ ઘટનાને વખોડી હતી. આ બધા વચ્ચે સાંસદ કલ્યાણ બેનર્જીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે  કહ્યું કે તેમનો ઈરાદો તેમની મજાક કરવાનો ન હતો. 

પીએમ મોદીનો વીડિયો જયરામ રમેશે શેર કર્યો અને લખ્યું કે... 

આટલા બધા સાંસદોને સસ્પેન્ડ કરાતા કોંગ્રેસ તેમજ વિપક્ષી સાંસદોઆને લઈ આક્રામક દેખાઈ રહ્યા છે. કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયા પર અનેક વખત આને લઈ પોસ્ટ મૂકવામાં આવી છે. ત્યારે કોંગ્રેસના નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પર પીએમ મોદીનો એક વીડિયો પોસ્ટ કર્યો છે અને મિમિક્રીનો મુદ્દો ઉઠાવીને 142 સાંસદોના સસ્પેન્શન પરથી ધ્યાન હટાવવાના આડેધડ પ્રયાસો થઈ રહ્યા છે. સંસદના ઈતિહાસમાં ક્યારેય આટલા મોટા પાયા પર સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી. પણ જેઓ મિમિક્રીની વાત કરે છે તેઓને જરા યાદ રહે કે કોણે કોની નકલ કરી અને તે પણ લોકસભામાં?



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે