PM Modiએ AI અને Deepfakeને લઈ ચિંતા વ્યક્ત કરી, કહ્યું ડીપફેક વીડિયોથી ભારતમાં અરાજક્તા સર્જાવાનું મોટું જોખમ


  • Published By :
  • Published Date : 2023-11-18 11:25:29

ટેક્નોલોજીનો જેટલો ઉપયોગ થાય છે તેટલો જ દુરૂપયોગ થાય છે. ટેક્નોલોજી એક શસ્ત્ર છે જેનો ઉપયોગ સારી રીતે કરીએ તો સમાજ માટે ફાયદાકારક છે પરંતુ જો તેનો દુરુપયોગ કરવામાં આવે તો તે સમાજ માટે હાનિકારક સાબિત થઈ શકે છે. જેમ જેમ ટેક્નોલોજી આગળ વધે છે તેમ તેમ તેનો ફાયદો લોકો ખરાબ રીતે કરી રહ્યા છે. એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટલિજન્સનો ફાયદો લોકો ખરાબ રીતે ઉઠાવી રહ્યા છે. રશ્મિકા મંદાનાથી લઈને કેટરિના કૈફ, કાજોલના ડીપફેક વીડિયો વાયરલ થયા હતા. મોટી સંખ્યામાં લોકોએ તે વીડિયોને જોયા છે. ત્યારે પીએમ મોદીએ પણ ડીપફેકના વધતા સમાચારોને લઈ ચિંતા વ્યક્ત કરી હતી

પીએમ મોદીએ ડીપફેક પર ચિંતા વ્યક્ત કરી  

ગઈકાલે ભાજપના કાર્યાલય ખાતે દિવાળી સમારંભના એક કાર્યક્રમમાં પીએમ મોદીએ એઆઈને લઈ ચિંતા વ્યક્ત કરી છે. પીએમએ મીડિયાને આગ્રહ પણ કર્યો હતો. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે કાર્યક્રમો મારફત લોકોને એકત્ર કરીને ડીપફેક શું છે, તેનાથી કેટલું મોટું સંકટ પેદા થઈ શકે છે અને તેની અસર શું થઈ શકે છે તે અંગે ઉદાહરણો સાથે લોકોને જણાવવું જોઈએ. પીએમ મોદીએ જ્યારે તેમનો ગરબા કરતો વીડિયો (એઆઈની મદદથી બનાવેલો) જ્યારે તેમણે જોયો ત્યારે તે અચંબિત થઈ ગયા હતા. આ અંગે વાત કરતા કહ્યું કે તેમણે એક વીડિયો જોયો હતો, જેમાં તેમને ગરબા ગાતા દર્શાવાયા હતા. મને પોતાને લાગ્યું કે આ શું બનાવી દેવાયું. 



વીડિયો સાચો છે કે ખોટો છે તે જાણી શકતા નથી!

સંબોધન કરતા તેમણે કહ્યું કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ મારફત બનાવાતા ડીપફેક વીડિયોના કારણે એક નવી કટોકટી સર્જાઈ શકે છે અને સમાજમાં અશાંતિ ફેલાઈ શકે છે. સમાજના એક મોટાભાગ પાસે જે-તે વીડિયોની ખરાઈ ચકાસવા માટે કોઈ વ્યવસ્થા નથી. તેથી તેઓ કોઈપણ બનાવટી વીડિયોને સત્ય માની શકે છે. ગમે તે આ ડીપફેકનો શિકાર બની શકે છે. ઈન્ટરનેટ પર આપણે અનેક એપ્લીકેશન વાપરતા હોઈએ છીએ જેમાં આપણે અનેક એક્સેસ આપી દેતા હોઈએ છીએ. 


અજાણ્યામાં એપ્લિકેશનમાં આપેલી પરમિશન ઘાતક સાબિત થઈ શકે છે!

મોબાઈલમાં આપણે જે વસ્તુ આપણે સર્ચ કરતા હોઈએ છીએ, ઈન્સ્ટાગ્રામમાં જે રીલ્સ જોતા હોઈએ છીએ તે પ્રમાણે આપણને રિલ્સ જોવા મળતી હોય છે!. ઘણી વખત અજાણ્યામાં આપવામાં આવેલી પરમિશન આપણા માટે ઘાતકી સાબિત થઈ શકે છે. ફોટાને, અવાજને, આપણા હાવભાવને ધ્યાનમાં રાખી ડીપફેક બનાવવામાં આવતો હોય છે. આપણી સામે એવા અનેક ઉદાહરણો છે જેમાં નકલી કોણ છે તે જાણવું મુશ્કેલ બની જતું હોય છે. ત્યારે વધતા ડીપફેકના કિસ્સાઓને ધ્યાનમાં રાખી પીએમ મોદીએ લોકોને અપીલ કરી છે.  



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .