PM Modiએ AI અને Deepfakeને લઈ ચિંતા વ્યક્ત કરી, કહ્યું ડીપફેક વીડિયોથી ભારતમાં અરાજક્તા સર્જાવાનું મોટું જોખમ


  • Published By :
  • Published Date : 2023-11-18 11:25:29

ટેક્નોલોજીનો જેટલો ઉપયોગ થાય છે તેટલો જ દુરૂપયોગ થાય છે. ટેક્નોલોજી એક શસ્ત્ર છે જેનો ઉપયોગ સારી રીતે કરીએ તો સમાજ માટે ફાયદાકારક છે પરંતુ જો તેનો દુરુપયોગ કરવામાં આવે તો તે સમાજ માટે હાનિકારક સાબિત થઈ શકે છે. જેમ જેમ ટેક્નોલોજી આગળ વધે છે તેમ તેમ તેનો ફાયદો લોકો ખરાબ રીતે કરી રહ્યા છે. એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટલિજન્સનો ફાયદો લોકો ખરાબ રીતે ઉઠાવી રહ્યા છે. રશ્મિકા મંદાનાથી લઈને કેટરિના કૈફ, કાજોલના ડીપફેક વીડિયો વાયરલ થયા હતા. મોટી સંખ્યામાં લોકોએ તે વીડિયોને જોયા છે. ત્યારે પીએમ મોદીએ પણ ડીપફેકના વધતા સમાચારોને લઈ ચિંતા વ્યક્ત કરી હતી

પીએમ મોદીએ ડીપફેક પર ચિંતા વ્યક્ત કરી  

ગઈકાલે ભાજપના કાર્યાલય ખાતે દિવાળી સમારંભના એક કાર્યક્રમમાં પીએમ મોદીએ એઆઈને લઈ ચિંતા વ્યક્ત કરી છે. પીએમએ મીડિયાને આગ્રહ પણ કર્યો હતો. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે કાર્યક્રમો મારફત લોકોને એકત્ર કરીને ડીપફેક શું છે, તેનાથી કેટલું મોટું સંકટ પેદા થઈ શકે છે અને તેની અસર શું થઈ શકે છે તે અંગે ઉદાહરણો સાથે લોકોને જણાવવું જોઈએ. પીએમ મોદીએ જ્યારે તેમનો ગરબા કરતો વીડિયો (એઆઈની મદદથી બનાવેલો) જ્યારે તેમણે જોયો ત્યારે તે અચંબિત થઈ ગયા હતા. આ અંગે વાત કરતા કહ્યું કે તેમણે એક વીડિયો જોયો હતો, જેમાં તેમને ગરબા ગાતા દર્શાવાયા હતા. મને પોતાને લાગ્યું કે આ શું બનાવી દેવાયું. 



વીડિયો સાચો છે કે ખોટો છે તે જાણી શકતા નથી!

સંબોધન કરતા તેમણે કહ્યું કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ મારફત બનાવાતા ડીપફેક વીડિયોના કારણે એક નવી કટોકટી સર્જાઈ શકે છે અને સમાજમાં અશાંતિ ફેલાઈ શકે છે. સમાજના એક મોટાભાગ પાસે જે-તે વીડિયોની ખરાઈ ચકાસવા માટે કોઈ વ્યવસ્થા નથી. તેથી તેઓ કોઈપણ બનાવટી વીડિયોને સત્ય માની શકે છે. ગમે તે આ ડીપફેકનો શિકાર બની શકે છે. ઈન્ટરનેટ પર આપણે અનેક એપ્લીકેશન વાપરતા હોઈએ છીએ જેમાં આપણે અનેક એક્સેસ આપી દેતા હોઈએ છીએ. 


અજાણ્યામાં એપ્લિકેશનમાં આપેલી પરમિશન ઘાતક સાબિત થઈ શકે છે!

મોબાઈલમાં આપણે જે વસ્તુ આપણે સર્ચ કરતા હોઈએ છીએ, ઈન્સ્ટાગ્રામમાં જે રીલ્સ જોતા હોઈએ છીએ તે પ્રમાણે આપણને રિલ્સ જોવા મળતી હોય છે!. ઘણી વખત અજાણ્યામાં આપવામાં આવેલી પરમિશન આપણા માટે ઘાતકી સાબિત થઈ શકે છે. ફોટાને, અવાજને, આપણા હાવભાવને ધ્યાનમાં રાખી ડીપફેક બનાવવામાં આવતો હોય છે. આપણી સામે એવા અનેક ઉદાહરણો છે જેમાં નકલી કોણ છે તે જાણવું મુશ્કેલ બની જતું હોય છે. ત્યારે વધતા ડીપફેકના કિસ્સાઓને ધ્યાનમાં રાખી પીએમ મોદીએ લોકોને અપીલ કરી છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.