PM Modiએ AI અને Deepfakeને લઈ ચિંતા વ્યક્ત કરી, કહ્યું ડીપફેક વીડિયોથી ભારતમાં અરાજક્તા સર્જાવાનું મોટું જોખમ


  • Published By :
  • Published Date : 2023-11-18 11:25:29

ટેક્નોલોજીનો જેટલો ઉપયોગ થાય છે તેટલો જ દુરૂપયોગ થાય છે. ટેક્નોલોજી એક શસ્ત્ર છે જેનો ઉપયોગ સારી રીતે કરીએ તો સમાજ માટે ફાયદાકારક છે પરંતુ જો તેનો દુરુપયોગ કરવામાં આવે તો તે સમાજ માટે હાનિકારક સાબિત થઈ શકે છે. જેમ જેમ ટેક્નોલોજી આગળ વધે છે તેમ તેમ તેનો ફાયદો લોકો ખરાબ રીતે કરી રહ્યા છે. એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટલિજન્સનો ફાયદો લોકો ખરાબ રીતે ઉઠાવી રહ્યા છે. રશ્મિકા મંદાનાથી લઈને કેટરિના કૈફ, કાજોલના ડીપફેક વીડિયો વાયરલ થયા હતા. મોટી સંખ્યામાં લોકોએ તે વીડિયોને જોયા છે. ત્યારે પીએમ મોદીએ પણ ડીપફેકના વધતા સમાચારોને લઈ ચિંતા વ્યક્ત કરી હતી

પીએમ મોદીએ ડીપફેક પર ચિંતા વ્યક્ત કરી  

ગઈકાલે ભાજપના કાર્યાલય ખાતે દિવાળી સમારંભના એક કાર્યક્રમમાં પીએમ મોદીએ એઆઈને લઈ ચિંતા વ્યક્ત કરી છે. પીએમએ મીડિયાને આગ્રહ પણ કર્યો હતો. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે કાર્યક્રમો મારફત લોકોને એકત્ર કરીને ડીપફેક શું છે, તેનાથી કેટલું મોટું સંકટ પેદા થઈ શકે છે અને તેની અસર શું થઈ શકે છે તે અંગે ઉદાહરણો સાથે લોકોને જણાવવું જોઈએ. પીએમ મોદીએ જ્યારે તેમનો ગરબા કરતો વીડિયો (એઆઈની મદદથી બનાવેલો) જ્યારે તેમણે જોયો ત્યારે તે અચંબિત થઈ ગયા હતા. આ અંગે વાત કરતા કહ્યું કે તેમણે એક વીડિયો જોયો હતો, જેમાં તેમને ગરબા ગાતા દર્શાવાયા હતા. મને પોતાને લાગ્યું કે આ શું બનાવી દેવાયું. 



વીડિયો સાચો છે કે ખોટો છે તે જાણી શકતા નથી!

સંબોધન કરતા તેમણે કહ્યું કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ મારફત બનાવાતા ડીપફેક વીડિયોના કારણે એક નવી કટોકટી સર્જાઈ શકે છે અને સમાજમાં અશાંતિ ફેલાઈ શકે છે. સમાજના એક મોટાભાગ પાસે જે-તે વીડિયોની ખરાઈ ચકાસવા માટે કોઈ વ્યવસ્થા નથી. તેથી તેઓ કોઈપણ બનાવટી વીડિયોને સત્ય માની શકે છે. ગમે તે આ ડીપફેકનો શિકાર બની શકે છે. ઈન્ટરનેટ પર આપણે અનેક એપ્લીકેશન વાપરતા હોઈએ છીએ જેમાં આપણે અનેક એક્સેસ આપી દેતા હોઈએ છીએ. 


અજાણ્યામાં એપ્લિકેશનમાં આપેલી પરમિશન ઘાતક સાબિત થઈ શકે છે!

મોબાઈલમાં આપણે જે વસ્તુ આપણે સર્ચ કરતા હોઈએ છીએ, ઈન્સ્ટાગ્રામમાં જે રીલ્સ જોતા હોઈએ છીએ તે પ્રમાણે આપણને રિલ્સ જોવા મળતી હોય છે!. ઘણી વખત અજાણ્યામાં આપવામાં આવેલી પરમિશન આપણા માટે ઘાતકી સાબિત થઈ શકે છે. ફોટાને, અવાજને, આપણા હાવભાવને ધ્યાનમાં રાખી ડીપફેક બનાવવામાં આવતો હોય છે. આપણી સામે એવા અનેક ઉદાહરણો છે જેમાં નકલી કોણ છે તે જાણવું મુશ્કેલ બની જતું હોય છે. ત્યારે વધતા ડીપફેકના કિસ્સાઓને ધ્યાનમાં રાખી પીએમ મોદીએ લોકોને અપીલ કરી છે.  



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.