PM Modiએ વારાણસી લોકસભા બેઠક પરથી ત્રીજી વખત ભર્યુ ઉમેદવારી ફોર્મ, નામાંકન પહેલા કરી ગંગા પૂજા.. આ દિગ્ગજ નેતાઓ રહ્યા હાજર, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-05-14 13:03:59

દેશમાં લોકસભા ચૂંટણી ચાલી રહી છે.. ચાર તબક્કા અંતર્ગત મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરી દાવેદારી નોંધાવી રહ્યા છે ત્યારે વારાણસી બેઠક માટે પીએમ નરેન્દ્ર મોદીએ આજે દાવેદારી નોંધાવી છે.. વારાણસી લોકસભા સીટ પરથી તેમણે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. સતત ત્રીજી વખત પીએમ મોદીએ વારાણસીથી દાવેદારી નોંધાવી છે.. પીએમ મોદી જ્યારે ફોર્મ ભરવા ગયા ત્યારે અનેક કેન્દ્રીય મંત્રીઓ હાજર હતા.. મહત્વનું છે કે ગઈકાલે પીએમ મોદીએ ભવ્ય રોડ શો કર્યો હતો અને તેમને જોવા માટે મોટી જન મેદની ઉમટી હતી..  


ગઈકાલે પીએમ મોદીએ કર્યો હતો ભવ્ય રોડ શો

વારાણસી લોકસભા બેઠક પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાવેદારી નોંધાવી છે.. શુભ મુહુર્તમાં તેમણે દાવેદારી નોંધાવી છે... 2014,2019માં તેમણે વારાણસી લોકસભા બેઠક પરથી દાવેદારી નોંધાવી હતી, જીત હાંસલ કરી હતી.. અને આ વખતે પણ આ બેઠક પરથી તે દાવેદારી નોંધાવી રહ્યા છે.. દાવેદારી નોંધાવા જાય તેની પહેલા ગઈકાલે પીએમ મોદીએ ભવ્ય રોડ શો કર્યો હતો અને શક્તિ પ્રદર્શન કર્યું હતું.. પીએમ મોદીની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતા...

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખી ભાવુક પોસ્ટ

ઉમેદવારી ફોર્મ ભરવા જતી પહેલા પીએમ મોદીએ ગંગા પૂજા કરી હતી.. ઉપરાંત કાલ ભૈરવના દર્શન પણ કર્યા હતા.  ઉમેદવારી ફોર્મ ભરવા જાય તેની પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પીએમ મોદીએ ભાવુક પોસ્ટ મૂકી હતી.. પોસ્ટમાં તેમણે લખ્યું કે अपनी काशी से मेरा रिश्ता अद्भुत है, अभिन्न है और अप्रतिम है… बस यही कह सकता हूं कि इसे शब्दों में व्यक्त नहीं किया जा सकता! તે ઉપરાંત બીજી એક પોસ્ટમાં તેમણે લખ્યું કે काशी के मेरे परिवारजनों ने रोड शो में जो स्नेह और आशीर्वाद बरसाया, वह मेरे जीवन का अविस्मरणीय क्षण बन गया है। મહત્વનું છે કે વારાણસીમાં સાતમા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.. પહેલી જૂનના રોજ જે બેઠક પર મતદાન થવાનું છે જ્યાંથી ઉમેદવાર હશે પીએમ મોદી..  



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.