PM Modiએ વારાણસી લોકસભા બેઠક પરથી ત્રીજી વખત ભર્યુ ઉમેદવારી ફોર્મ, નામાંકન પહેલા કરી ગંગા પૂજા.. આ દિગ્ગજ નેતાઓ રહ્યા હાજર, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-14 13:03:59

દેશમાં લોકસભા ચૂંટણી ચાલી રહી છે.. ચાર તબક્કા અંતર્ગત મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરી દાવેદારી નોંધાવી રહ્યા છે ત્યારે વારાણસી બેઠક માટે પીએમ નરેન્દ્ર મોદીએ આજે દાવેદારી નોંધાવી છે.. વારાણસી લોકસભા સીટ પરથી તેમણે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. સતત ત્રીજી વખત પીએમ મોદીએ વારાણસીથી દાવેદારી નોંધાવી છે.. પીએમ મોદી જ્યારે ફોર્મ ભરવા ગયા ત્યારે અનેક કેન્દ્રીય મંત્રીઓ હાજર હતા.. મહત્વનું છે કે ગઈકાલે પીએમ મોદીએ ભવ્ય રોડ શો કર્યો હતો અને તેમને જોવા માટે મોટી જન મેદની ઉમટી હતી..  


ગઈકાલે પીએમ મોદીએ કર્યો હતો ભવ્ય રોડ શો

વારાણસી લોકસભા બેઠક પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાવેદારી નોંધાવી છે.. શુભ મુહુર્તમાં તેમણે દાવેદારી નોંધાવી છે... 2014,2019માં તેમણે વારાણસી લોકસભા બેઠક પરથી દાવેદારી નોંધાવી હતી, જીત હાંસલ કરી હતી.. અને આ વખતે પણ આ બેઠક પરથી તે દાવેદારી નોંધાવી રહ્યા છે.. દાવેદારી નોંધાવા જાય તેની પહેલા ગઈકાલે પીએમ મોદીએ ભવ્ય રોડ શો કર્યો હતો અને શક્તિ પ્રદર્શન કર્યું હતું.. પીએમ મોદીની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતા...

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખી ભાવુક પોસ્ટ

ઉમેદવારી ફોર્મ ભરવા જતી પહેલા પીએમ મોદીએ ગંગા પૂજા કરી હતી.. ઉપરાંત કાલ ભૈરવના દર્શન પણ કર્યા હતા.  ઉમેદવારી ફોર્મ ભરવા જાય તેની પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પીએમ મોદીએ ભાવુક પોસ્ટ મૂકી હતી.. પોસ્ટમાં તેમણે લખ્યું કે अपनी काशी से मेरा रिश्ता अद्भुत है, अभिन्न है और अप्रतिम है… बस यही कह सकता हूं कि इसे शब्दों में व्यक्त नहीं किया जा सकता! તે ઉપરાંત બીજી એક પોસ્ટમાં તેમણે લખ્યું કે काशी के मेरे परिवारजनों ने रोड शो में जो स्नेह और आशीर्वाद बरसाया, वह मेरे जीवन का अविस्मरणीय क्षण बन गया है। મહત્વનું છે કે વારાણસીમાં સાતમા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.. પહેલી જૂનના રોજ જે બેઠક પર મતદાન થવાનું છે જ્યાંથી ઉમેદવાર હશે પીએમ મોદી..  



આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

જ્ઞાન સહાયક જે માટે વિદ્યાર્થીઓ આટલું લડ્યા ગાંધીનગરના રસ્તાઓ પર ઢસડાયા અને અંતે સરકારે ભરતી તો બહાર પડી પણ હવે એ લટકતી તલવાર જેવી સ્થિતી છે કારણ કે હવે સરકારે જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત કરી છે એટલે હવે કાયમી શિક્ષકોની ભરતીનું શું? કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું....