PM Modiએ વારાણસી લોકસભા બેઠક પરથી ત્રીજી વખત ભર્યુ ઉમેદવારી ફોર્મ, નામાંકન પહેલા કરી ગંગા પૂજા.. આ દિગ્ગજ નેતાઓ રહ્યા હાજર, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-05-14 13:03:59

દેશમાં લોકસભા ચૂંટણી ચાલી રહી છે.. ચાર તબક્કા અંતર્ગત મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરી દાવેદારી નોંધાવી રહ્યા છે ત્યારે વારાણસી બેઠક માટે પીએમ નરેન્દ્ર મોદીએ આજે દાવેદારી નોંધાવી છે.. વારાણસી લોકસભા સીટ પરથી તેમણે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. સતત ત્રીજી વખત પીએમ મોદીએ વારાણસીથી દાવેદારી નોંધાવી છે.. પીએમ મોદી જ્યારે ફોર્મ ભરવા ગયા ત્યારે અનેક કેન્દ્રીય મંત્રીઓ હાજર હતા.. મહત્વનું છે કે ગઈકાલે પીએમ મોદીએ ભવ્ય રોડ શો કર્યો હતો અને તેમને જોવા માટે મોટી જન મેદની ઉમટી હતી..  


ગઈકાલે પીએમ મોદીએ કર્યો હતો ભવ્ય રોડ શો

વારાણસી લોકસભા બેઠક પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાવેદારી નોંધાવી છે.. શુભ મુહુર્તમાં તેમણે દાવેદારી નોંધાવી છે... 2014,2019માં તેમણે વારાણસી લોકસભા બેઠક પરથી દાવેદારી નોંધાવી હતી, જીત હાંસલ કરી હતી.. અને આ વખતે પણ આ બેઠક પરથી તે દાવેદારી નોંધાવી રહ્યા છે.. દાવેદારી નોંધાવા જાય તેની પહેલા ગઈકાલે પીએમ મોદીએ ભવ્ય રોડ શો કર્યો હતો અને શક્તિ પ્રદર્શન કર્યું હતું.. પીએમ મોદીની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતા...

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખી ભાવુક પોસ્ટ

ઉમેદવારી ફોર્મ ભરવા જતી પહેલા પીએમ મોદીએ ગંગા પૂજા કરી હતી.. ઉપરાંત કાલ ભૈરવના દર્શન પણ કર્યા હતા.  ઉમેદવારી ફોર્મ ભરવા જાય તેની પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પીએમ મોદીએ ભાવુક પોસ્ટ મૂકી હતી.. પોસ્ટમાં તેમણે લખ્યું કે अपनी काशी से मेरा रिश्ता अद्भुत है, अभिन्न है और अप्रतिम है… बस यही कह सकता हूं कि इसे शब्दों में व्यक्त नहीं किया जा सकता! તે ઉપરાંત બીજી એક પોસ્ટમાં તેમણે લખ્યું કે काशी के मेरे परिवारजनों ने रोड शो में जो स्नेह और आशीर्वाद बरसाया, वह मेरे जीवन का अविस्मरणीय क्षण बन गया है। મહત્વનું છે કે વારાણસીમાં સાતમા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.. પહેલી જૂનના રોજ જે બેઠક પર મતદાન થવાનું છે જ્યાંથી ઉમેદવાર હશે પીએમ મોદી..  



ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.

સૌરાષ્ટ્રમાં મંત્રીમંડળના વિસ્તરણ પહેલા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા નવા જાતિગત સમીકરણોનું નિર્માણ થવાની સંભાવના દેખાઈ રહી છે.આજે રાજકોટમાં ચુંવાળિયા કોળી સમાજનું શક્તિપ્રદર્શન યોજાયું છે. આ સમીકરણો બનાવવા માટે કોંગ્રેસ ફરીથી સક્રિય થઇ છે. કોંગ્રેસ નેતા ભરત સિંહ સોલંકીએ થોડાક સમય અગાઉ D P મકવાણા જોડે બેઠક યોજી હતી. હવે આજે રાજકોટના મોરબી રોડ પર વેલનાથ બરામાં ચુંવાળિયા કોળી સમાજની બેઠક મળવા જઈ રહી છે.