'કાશ્મીર હોય કે અરુણાચલ, અમે દેશમાં ગમે ત્યાં કરી શકીએ છીએ G20 મીટિંગ' : PM મોદી


  • Published By :
  • Published Date : 2023-09-03 19:34:22

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશના દરેક ભાગમાં જી-20ની બેઠકોનું આયોજન કરી શકીએ છીએ. PM મોદીએ અરુણાચલ પ્રદેશ અને કાશ્મીરમાં G20 બેઠકોના આયોજન પર ચીનના વાંધાઓને ફગાવી દીધા હતા. ઉલ્લેખનિય છે કે ભારતને પ્રથમ વખત G20 જેવા મોટા દેશોના સંગઠનનું પ્રમુખપદ મળ્યું છે. G20 સમિટ માટે વિદેશી નેતાઓ 9-10 સપ્ટેમ્બરે ભારત આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર દિલ્હીના પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમમાં વિદેશી નેતાઓનું સ્વાગત કરવાની તૈયારી કરી રહી છે. ભારતની અધ્યક્ષતામાં જમ્મુ-કાશ્મીર અને અરુણાચલ પ્રદેશ સહિત ઘણી જગ્યાએ જી-20 બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. 


PM મોદીએ કહી આ મોટી વાત


PM મોદીએ કહ્યું કે ભારતની સંસ્કૃતિ અને વિવિધતા બતાવવા માટે સરકારે દેશના અલગ-અલગ ભાગોમાં જી-20 બેઠકોનું આયોજન કર્યું હતું. આ બેઠકો અરુણાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં પણ યોજાઈ હતી. ચીન અને પાકિસ્તાને આનો વિરોધ કર્યો હતો કારણ કે ચીન અરુણાચલ પ્રદેશને માને છે અને પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરને 'વિવાદિત' માને છે. મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં વડા પ્રધાને ચીન, પાકિસ્તાનના વાંધાઓને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે 'આ પ્રશ્ન તે સમયે માન્ય હોત જો અમે તે સ્થળોએ બેઠકો યોજવાનું ટાળ્યું હોત'. આપણો દેશ વિશાળ અને વિવિધતાઓથી ભરેલો છે. દેશમાં G20ની બેઠકો યોજાઈ રહી છે ત્યારે તે દેશના દરેક ભાગમાં યોજાય તે સ્વાભાવિક છે."


આફ્રિકન યુનિયનને G20નો હિસ્સો બનાવવાની હિમાયત


પીએમ મોદીએ ફરી એકવાર આફ્રિકન યુનિયનને G20નો હિસ્સો બનાવવાની હિમાયત કરી. પ્રધાનમંત્રીએ કહ્યું કે જી-20માં આફ્રિકા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. દરેકની વાત સાંભળ્યા વિના સારા ભવિષ્યની યોજના બનાવી શકાતી નથી. તેમણે કહ્યું કે ભારતે જી-20ના પ્રમુખપદ માટે વસુધૈવ કુટુમ્બકમની થીમ પસંદ કરી છે. આ માત્ર એક સ્લોગન નથી પણ આપણી સંસ્કૃતિ છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .