જો નેહરુ આટલા મહાન છે તો તેમની અટક શા માટે નથી રાખતાઃ PM મોદીનો ગાંધી પરીવાર પર કટાક્ષ


  • Published By :
  • Published Date : 2023-02-09 18:28:20

PM નરેન્દ્ર મોદીએ આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણનો જવાબ આપ્યો હતો. મોદીનું ભાષણ શરૂ થાય એ પહેલાં જ વિપક્ષના સાંસદોએ હોબાળો શરૂ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ આજે ફરી નહેરૂ-ગાંધી પરિવાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા અને તેમના ભાષણમાં ઈન્દીરા ગાંધીથી લઈને નહેરૂ પરિવાર સુધીનો ઉલ્લેખ કર્યો હતો. મોદીએ કહ્યું કે, દેશની આર્થિક સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવામાં ન આવે. કેટલાક લોકોના શબ્દો માત્ર ગૃહને જ નહીં પરંતુ દેશને પણ નિરાશ કરનારા છે.


નહેરૂનું નામ રાખવામાં વાંધો શું છે?


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષના હોબાળા પર કહ્યું કે, આ દેશ જોઈ રહ્યો છે કે એકલો કેટલા પર ભારે છે. આ રાજકીય રમત રમતા લોકોથી બચવાનો માર્ગ શોધી રહ્યાં છે. મોદીએ કહ્યું કે, આ દેશ કોઈ પરિવારની જાગીર નથી. તેમણે તેમ પણ કહ્યું કે,મને સમજાતું નથી કે તેમની પેઢીની કોઈ વ્યક્તિ નહેરુ સરનેમ રાખવાથી કેમ ડરે છે. નહેરુ અટક રાખવાની શરમજનક વાત છે. આવી મહાન વ્યક્તિ તમને અને તમારા પરિવારને સ્વીકાર્ય નથી અને તમે અમારો હિસાબ માગો છો.?.


કમળને ખીલવવામાં કોંગ્રેસનું યોગદાન


PMએ કહ્યું કે, વિપક્ષના હોબાળા વચ્ચે વડાપ્રધાન મોદીએ વળતોપ્રહાર કર્યો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કેટલાક લોકોનો વ્યવહાર નિરાશાજનક છે. હું આ પ્રકારની પ્રવૃ્ત્તિના સભ્યોને કહીશ કે તેમની પાસે કાદવ હતો, મારી પાસે ગુલાબ હતું. જેની પાસે જે પણ હતું, તેમણે તેને ઉછાળ્યું. તમે જેટલો કાદવ ફેંકશો તેટલું જ વધુ ને વધુ કમળ ખીલશે. કમળને ખીલવવામાં પ્રત્યક્ષ કે પરોક્ષ તમારું જે પણ યોગદાન છે, તેમા માટે હું તમારો આભાર માનું છું. અમારી સફળતામાં તમારા યોગદાનને ભૂલાવી શકાશે નહી.


કોંગ્રેસે વિકાસના 6-6 દાયકા વેડફી નાખ્યા


પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે ગઈકાલે વિપક્ષના ખડગેજીએ કહ્યું કે 60 વર્ષમાં તેમણે મજબૂત પાયો નાખ્યો. તેમની ફરિયાદ હતી કે અમે પાયો નાખ્યો છે અને તેનો શ્રેય મોદી લઈ રહ્યા છે. 2014માં જ્યારે મેં વસ્તુઓને નજીકથી જોવાની કોશિશ કરી તો જણાયું કે 60 વર્ષથી કોંગ્રેસ પરિવારે ખાડા જ ખાડા કર્યા છે. તેમનો ઈરાદો સારો નહોતો, પણ ખાડા કર્યા હતા. વિકાસના 6-6 દાયકા વેડફી દીધા હતા, તે સમયે વિશ્વના નાના દેશો પણ સફળતાના શિખરોને સ્પર્શી રહ્યા હતા.


કોંગ્રેસ જુઠાણું ફેલાવી રહી છે


રોજગાર પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જેઓ નોકરી અને રોજગાર વચ્ચેનો તફાવત નથી જાણતા, તેઓ અમને ઉપદેશ આપી રહ્યા છે. અધૂરી બાબતો અને નેરેટિવ બનાવીને જૂઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે. નવી રોજગારીની નવી સંભાવનાઓ ઊભી થઈ છે. ગ્રીન જોબની નવી શક્યતાઓ ઉભરતી દેખાઈ છે.


ઈન્દીરા ગાંધીએ રાજ્ય સરકારો તોડી


તેમણે કહ્યું કે, ઈન્દીરા ગાંધીના સમયમાં આર્ટિકલ 356નો 50 વખત ઉપયોગ કર્યો અને વિપક્ષી અને પ્રાદેશિક દળોની સરકારોને તોડી. કેરળમાં ડાબેરી સરકાર ચૂંટાઈ જેને નહેરૂ પસંદ કરતા નહોતા, તેને તોડી દેવાઈ. કરૂણાનિધી જેવા દિગ્ગજોની સરકાર તોડી દેવામાં આવી.  


દેશના વૈજ્ઞાનિકોને બદનામ કર્યા


વડાપ્રધાન મોદીએ વિપક્ષો પર વેક્સિન બનાવનાર વૈજ્ઞાનિકોનું અપમાન કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું તેમને બદનામ કરવા આર્ટિકલ લખવામાં આવ્યા, ટીવી પર બોલવામાં આવ્યું. આ વિજ્ઞાન વિરોધી લોકો, આ ટેકનોલોજીના વિરોધી લોકો છે. આપણા વૈજ્ઞાનિકોને બદનામ કરવાની એક પણ તક છોડશે નહીં. આપણા યુવાનો અવનવા સંશોધનો કરી રહ્યા છે, તેઓ તેમને બદનામ કરી રહ્યા છે. તેમને દેશની ચિંતા નથી, તેઓને તેમના રાજકારણની ચિંતા છે. અમે ખુશ છીએ કે આજે 100 કરોડથી વધુ મોબાઈલ મારા દેશના હાથમાં છે. એક સમયે આપણે આયાત કરતા હતા, પરંતુ આજે આપણે નિકાસ કરવામાં ગર્વ અનુભવીએ છીએ.


દેશ આત્મનિર્ભર થવાના માર્ગે


PMએ કહ્યું કે, ડિજિટલ ઈન્ડિયા નવી ઊંચાઈ પર છે. 5 લાખ કોમન સર્વિસ સેન્ટર છે. એક સેન્ટરમાં 2 થી 5 લોકો રોજગાર મેળવે છે. ગામડાના લોકોને એક બટન ક્લિક કરતાં જ સુવિધા મળી રહી છે. 90 હજાર રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ ખોલવામાં આવ્યા છે. EPFOમાં 1 કરોડથી વધુ લોકો જોડાયા છે. આત્મનિર્ભર રોજગાર ભારત યોજનામાં, અમે અમારા ઉદ્યોગ સાહસિકો માટે ડિફ્રેન્સ, ડ્રોન ખોલ્યા છે, જેના કારણે રોજગારની સંભાવનામાં નવી ગતિ આવી છે. સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા તરફનું કામ આગળ ધપાવવામાં આવ્યું છે. સંરક્ષણ ક્ષેત્રે 350 થી વધુ નવી કંપનીઓ આવી છે. આમાં લગભગ 1 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવી રહ્યું છે. અમારી સરકારમાં ખાદી અને ગ્રામોદ્યોગમાં રેકોર્ડબ્રેક કામ થયું છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.