PM મોદીએ જાતિ આધારિત ગણતરીની રાજનીતિ પર આપ્યો જવાબ! કહ્યું મને આ ચાર જાતિ...


  • Published By :
  • Published Date : 2023-12-01 16:44:25

દેશમાં પાંચ રાજ્યોમાં સ્ટેટ ઇલેકશન પૂર્ણ થઇ ગયા છે અને આ ઈલેક્શનમાં સૌથી મોટો કોઈ મુદ્દો હોય તો એ હતો જાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો.વિપક્ષ છેલ્લા કેટલાય સમયથી જાતી આધારિત વસ્તી ગણતરીની માગ કરી રહ્યું છે. જો જાતી આધારિતવસ્તી ગણતરી થાય તો ઓબીસીએ ખુબ મોટી વોટબેંન્ક છે. પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે ખુલાસો કર્યો છે કે એમને કઈ 4 જાતિઓથી વિશેષ પ્રેમ છે?

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કરી આ વાત!

ગઈકાલે પીએમ મોદી વિકાસ ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓને વર્ચ્યુઅલ રીતે સંબોઘી રહ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ એક એવું સ્ટેટમેન્ટ આપ્યું કે તેની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. સંબોધન વખતે તેમણે કહ્યું કે પહેલાની સરકારો પોતાને માઈ-બાપ માનતી હતી. એનાથી વિશેષ અને જેની પર બધાની નજર હતી એ વાક્ય પીએમ મોદી બોલ્યા. વડાપ્રધાને કહ્યું કે    મારા માટે સૌથી મોટી જાતિ ગરીબ, મહિલાઓ, યુવાનો અને ખેડૂતોની છે. તેમને મજબૂત કરીને અમે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવીશું. આપણા અમૃત સ્તંભો આપણી નારી શક્તિ, આપણી યુવા શક્તિ, આપણા ખેડૂતો અને આપણા ગરીબ પરિવારો છે. 


ભાજપની આ ટ્રીક કેટલી કામ લાગશે?

હવે વિપક્ષના જાતિઆધારિત વસ્તીગણતરી અને ઓબીસીવાળી રાજનીતિ પર પીએમ મોદીએ પાણી ફેરવી અને હિન્દુત્વની છત્રીના બદલે આ વખતે ગરીબ અને યુવાનો મહિલાઓ વાળી છત્રી ખોલી છે તો હેવ આ ટ્રીક કેટલી કામ કરે છે એ જોવાનું રહ્યું!



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.