PM મોદીએ જાતિ આધારિત ગણતરીની રાજનીતિ પર આપ્યો જવાબ! કહ્યું મને આ ચાર જાતિ...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-01 16:44:25

દેશમાં પાંચ રાજ્યોમાં સ્ટેટ ઇલેકશન પૂર્ણ થઇ ગયા છે અને આ ઈલેક્શનમાં સૌથી મોટો કોઈ મુદ્દો હોય તો એ હતો જાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો.વિપક્ષ છેલ્લા કેટલાય સમયથી જાતી આધારિત વસ્તી ગણતરીની માગ કરી રહ્યું છે. જો જાતી આધારિતવસ્તી ગણતરી થાય તો ઓબીસીએ ખુબ મોટી વોટબેંન્ક છે. પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે ખુલાસો કર્યો છે કે એમને કઈ 4 જાતિઓથી વિશેષ પ્રેમ છે?

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કરી આ વાત!

ગઈકાલે પીએમ મોદી વિકાસ ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓને વર્ચ્યુઅલ રીતે સંબોઘી રહ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ એક એવું સ્ટેટમેન્ટ આપ્યું કે તેની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. સંબોધન વખતે તેમણે કહ્યું કે પહેલાની સરકારો પોતાને માઈ-બાપ માનતી હતી. એનાથી વિશેષ અને જેની પર બધાની નજર હતી એ વાક્ય પીએમ મોદી બોલ્યા. વડાપ્રધાને કહ્યું કે    મારા માટે સૌથી મોટી જાતિ ગરીબ, મહિલાઓ, યુવાનો અને ખેડૂતોની છે. તેમને મજબૂત કરીને અમે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવીશું. આપણા અમૃત સ્તંભો આપણી નારી શક્તિ, આપણી યુવા શક્તિ, આપણા ખેડૂતો અને આપણા ગરીબ પરિવારો છે. 


ભાજપની આ ટ્રીક કેટલી કામ લાગશે?

હવે વિપક્ષના જાતિઆધારિત વસ્તીગણતરી અને ઓબીસીવાળી રાજનીતિ પર પીએમ મોદીએ પાણી ફેરવી અને હિન્દુત્વની છત્રીના બદલે આ વખતે ગરીબ અને યુવાનો મહિલાઓ વાળી છત્રી ખોલી છે તો હેવ આ ટ્રીક કેટલી કામ કરે છે એ જોવાનું રહ્યું!



ગુજરાતમાં આજે લોકસભા બેઠક ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.. સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકો માટે પણ મતદાન યોજાઈ રહ્યું છે... ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું જેને કારણે પાંચ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે...

ત્રીજા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે.. મતદાનને માત્ર હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. એક વાગ્યા સુધી મતદાતાઓમાં નિરસતા દેખાઈ રહી હતી.. પરંતુ ધીરે ધીરે મતદાનનો આંકડો વધી રહ્યો છે. રાજ્યમાં સરેરાશ મતદાન 47.03 થયું છે.. સૌથી વધારે મતદાન બનાસકાંઠામાં થયું છે..

લોકશાહીના પર્વની ઉજવણી આપણે કરી રહ્યા છીએ.. ગુજરાતમાં મતદાનમાં નિરસતા દેખાઈ રહી છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મતદાનને સમર્પિત રચના..

ઈન્ડિયા ગઠબંધન અને ભાજપના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળવાનો છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કર્યા છે.. શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યો છે કે ગાંધીનગરના વાસણ ગામમાં ભાજપના નેતા દ્વારા મતદાન બંધ કરાવામાં આવ્યું છે.