PM મોદીએ જાતિ આધારિત ગણતરીની રાજનીતિ પર આપ્યો જવાબ! કહ્યું મને આ ચાર જાતિ...


  • Published By :
  • Published Date : 2023-12-01 16:44:25

દેશમાં પાંચ રાજ્યોમાં સ્ટેટ ઇલેકશન પૂર્ણ થઇ ગયા છે અને આ ઈલેક્શનમાં સૌથી મોટો કોઈ મુદ્દો હોય તો એ હતો જાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો.વિપક્ષ છેલ્લા કેટલાય સમયથી જાતી આધારિત વસ્તી ગણતરીની માગ કરી રહ્યું છે. જો જાતી આધારિતવસ્તી ગણતરી થાય તો ઓબીસીએ ખુબ મોટી વોટબેંન્ક છે. પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે ખુલાસો કર્યો છે કે એમને કઈ 4 જાતિઓથી વિશેષ પ્રેમ છે?

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કરી આ વાત!

ગઈકાલે પીએમ મોદી વિકાસ ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓને વર્ચ્યુઅલ રીતે સંબોઘી રહ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ એક એવું સ્ટેટમેન્ટ આપ્યું કે તેની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. સંબોધન વખતે તેમણે કહ્યું કે પહેલાની સરકારો પોતાને માઈ-બાપ માનતી હતી. એનાથી વિશેષ અને જેની પર બધાની નજર હતી એ વાક્ય પીએમ મોદી બોલ્યા. વડાપ્રધાને કહ્યું કે    મારા માટે સૌથી મોટી જાતિ ગરીબ, મહિલાઓ, યુવાનો અને ખેડૂતોની છે. તેમને મજબૂત કરીને અમે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવીશું. આપણા અમૃત સ્તંભો આપણી નારી શક્તિ, આપણી યુવા શક્તિ, આપણા ખેડૂતો અને આપણા ગરીબ પરિવારો છે. 


ભાજપની આ ટ્રીક કેટલી કામ લાગશે?

હવે વિપક્ષના જાતિઆધારિત વસ્તીગણતરી અને ઓબીસીવાળી રાજનીતિ પર પીએમ મોદીએ પાણી ફેરવી અને હિન્દુત્વની છત્રીના બદલે આ વખતે ગરીબ અને યુવાનો મહિલાઓ વાળી છત્રી ખોલી છે તો હેવ આ ટ્રીક કેટલી કામ કરે છે એ જોવાનું રહ્યું!



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે