PM Modiએ દેશને આપી પ્રથમ રેપિડ ટ્રેનની ભેટ, બાળકો સાથે કરી મુસાફરી, Namo Bharat ટ્રેનના નામને કારણે શરૂ થઈ રાજનીતિ!


  • Published By :
  • Published Date : 2023-10-20 16:35:23

થોડા સમય પહેલા ભારતને વંદે ભારત ટ્રેનોની ભેટ મળી હતી. અનેક વંદે ભારત ટ્રેનનો ભારતના વિવિધ રાજ્યોમાં દોડે છે. ત્યારે દેશને પહેલી નમો ભારત ટ્રેનની સોગાદ પીએમ મોદીએ આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે સાહિબાબાદમાં પહેલી રેપીડ ટ્રેન કોલિડોરનું ઉદ્ધાટન કર્યું છે. નમો ભારત ટ્રેનને પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી છે. આ ટ્રેન દિલ્હી-ગાઝિયાબાદ મેરઠ આરઆરટીએસ કોરિડોર વચ્ચે દોડશે.  આરઆરટીએસ એટલે રીઝનલ રૈપિડ ટ્રાંજિટ સિસ્ટમ થાય છે. વંદે ભારત ટ્રેન નામની ક્ષેણીમાં આ ટ્રેનને નમો ભારત નામ આપવામાં આવ્યું છે. 

નમો ટ્રેનમાં પીએમ મોદીએ બાળકો સાથે કરી મુસાફરી 

20 ઓક્ટોબરના રોજ પીએમ મોદીએ દેશને નવી ટ્રેન ભેટમાં આપી છે. 160 કિલોમીટરની ઝડપે આ ટ્રેન દોડવાની છે 17 કિલોમીટરનું અંતર કાપશે. આ કોરિડોરની લંબાઈ 82 કિમી છે, જેમાંથી 14 કિમી દિલ્હીમાં છે જ્યારે 68 કિલોમીટર ઉત્તરપ્રદેશમાં છે. આ ટ્રેનને લીલીઝંડી બતાવ્યા બાદ પીએમ મોદીએ ટ્રેનમાં મુસાફરી કરી હતી. નવી ટ્રેનમાં પીએમ મોદીએ અંદાજીત 34 કિલોમીટરની યાત્રા કરી હતી. સામાન્ય માણસો માટે આ ટ્રેન આવતી કાલથી ખોલવામાં આવશે, મતલબ આવતી કાલથી સામાન્ય માણસ આ ટ્રેનમાં મુસાફરી કરી શકશે. પીએમ મોદીએ બાળકો અને ક્રૂ મેમ્બર્સ સાથે ટ્રેનમાં મુસાફરી દરમિયાન વાતચીત કરી હતી.  


પીએમ મોદીએ અનેક વાતોનો કર્યો ઉલ્લેખ 

પોતાના સંબોધનમાં પીએમ મોદીએ અનેક વાતોનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે "આજે સમગ્ર દેશ માટે ઐતિહાસિક ક્ષણ છે. આજે ભારતની પ્રથમ ઝડપી રેલ સેવા "નમો ભારત" ટ્રેન શરૂ થઈ છે. લગભગ 4 વર્ષ પહેલા મેં દિલ્હી, ગાઝિયાબાદ, મેરઠ પ્રાદેશિક કોરિડોર પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આજે, સાહિબાબાદથી દુહાઈ ડેપો સુધીના તે પટ પર નમો ભારતનું સંચાલન શરૂ થઈ ગયું છે.' તે ઉપરાંત એવું પણ કહ્યું હતું કે  "દિલ્હી-મેરઠનો આ ટ્રેક એક શરૂઆત છે. પ્રથમ તબક્કામાં, દિલ્હી, યુપી, હરિયાણા, રાજસ્થાનના ઘણા વિસ્તારોને નમો ભારત ટ્રેન દ્વારા જોડવામાં આવનાર છે.


મને નાના સપના જોવાની આદત નથી - પીએમ મોદી 

જો હું રાજસ્થાનનો ઉલ્લેખ કરું તો અશોક ગેહલોત જીની ઉંઘ બગડશે. ભવિષ્યમાં દેશના બાકીના ભાગમાં નમો ભારત જેવી સિસ્ટમ બનાવવામાં આવશે. આગામી 10 વર્ષમાં સમગ્ર રેલવે બદલાતી જોવા મળશે. મને નાના સપના જોવાની આદત નથી. કે મને મરતાં મરતાં ચાલવાની આદત પણ નથી. આ દાયકાના અંત સુધીમાં તમને ભારતની ટ્રેનો વિશ્વમાં કોઈનાથી પણ પાછળ રહેલી જોવા મળશે નહીં."


કોંગ્રેસના નેતાઓએ ટ્રેનના નામ પર કર્યો કટાક્ષ  

નમો ભારત ટ્રેનનું નામ રાખવાથી રાજનીતિ શરૂ થઈ ગઈ છે. નામ પર કોંગ્રેસના નેતાઓએ કટાક્ષ કર્યો છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે નમો સ્ટેડિયમ પછી હવે નમો ટ્રેન. તે ઉપરાંત પવન ખેરાએ કહ્યું કે માત્ર ભારત જ શા માટે? ચલો દેશનું નામ બદલીને નમો ભારત કરી દો. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.