PM Modiએ દેશને આપી પ્રથમ રેપિડ ટ્રેનની ભેટ, બાળકો સાથે કરી મુસાફરી, Namo Bharat ટ્રેનના નામને કારણે શરૂ થઈ રાજનીતિ!


  • Published By :
  • Published Date : 2023-10-20 16:35:23

થોડા સમય પહેલા ભારતને વંદે ભારત ટ્રેનોની ભેટ મળી હતી. અનેક વંદે ભારત ટ્રેનનો ભારતના વિવિધ રાજ્યોમાં દોડે છે. ત્યારે દેશને પહેલી નમો ભારત ટ્રેનની સોગાદ પીએમ મોદીએ આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે સાહિબાબાદમાં પહેલી રેપીડ ટ્રેન કોલિડોરનું ઉદ્ધાટન કર્યું છે. નમો ભારત ટ્રેનને પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી છે. આ ટ્રેન દિલ્હી-ગાઝિયાબાદ મેરઠ આરઆરટીએસ કોરિડોર વચ્ચે દોડશે.  આરઆરટીએસ એટલે રીઝનલ રૈપિડ ટ્રાંજિટ સિસ્ટમ થાય છે. વંદે ભારત ટ્રેન નામની ક્ષેણીમાં આ ટ્રેનને નમો ભારત નામ આપવામાં આવ્યું છે. 

નમો ટ્રેનમાં પીએમ મોદીએ બાળકો સાથે કરી મુસાફરી 

20 ઓક્ટોબરના રોજ પીએમ મોદીએ દેશને નવી ટ્રેન ભેટમાં આપી છે. 160 કિલોમીટરની ઝડપે આ ટ્રેન દોડવાની છે 17 કિલોમીટરનું અંતર કાપશે. આ કોરિડોરની લંબાઈ 82 કિમી છે, જેમાંથી 14 કિમી દિલ્હીમાં છે જ્યારે 68 કિલોમીટર ઉત્તરપ્રદેશમાં છે. આ ટ્રેનને લીલીઝંડી બતાવ્યા બાદ પીએમ મોદીએ ટ્રેનમાં મુસાફરી કરી હતી. નવી ટ્રેનમાં પીએમ મોદીએ અંદાજીત 34 કિલોમીટરની યાત્રા કરી હતી. સામાન્ય માણસો માટે આ ટ્રેન આવતી કાલથી ખોલવામાં આવશે, મતલબ આવતી કાલથી સામાન્ય માણસ આ ટ્રેનમાં મુસાફરી કરી શકશે. પીએમ મોદીએ બાળકો અને ક્રૂ મેમ્બર્સ સાથે ટ્રેનમાં મુસાફરી દરમિયાન વાતચીત કરી હતી.  


પીએમ મોદીએ અનેક વાતોનો કર્યો ઉલ્લેખ 

પોતાના સંબોધનમાં પીએમ મોદીએ અનેક વાતોનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે "આજે સમગ્ર દેશ માટે ઐતિહાસિક ક્ષણ છે. આજે ભારતની પ્રથમ ઝડપી રેલ સેવા "નમો ભારત" ટ્રેન શરૂ થઈ છે. લગભગ 4 વર્ષ પહેલા મેં દિલ્હી, ગાઝિયાબાદ, મેરઠ પ્રાદેશિક કોરિડોર પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આજે, સાહિબાબાદથી દુહાઈ ડેપો સુધીના તે પટ પર નમો ભારતનું સંચાલન શરૂ થઈ ગયું છે.' તે ઉપરાંત એવું પણ કહ્યું હતું કે  "દિલ્હી-મેરઠનો આ ટ્રેક એક શરૂઆત છે. પ્રથમ તબક્કામાં, દિલ્હી, યુપી, હરિયાણા, રાજસ્થાનના ઘણા વિસ્તારોને નમો ભારત ટ્રેન દ્વારા જોડવામાં આવનાર છે.


મને નાના સપના જોવાની આદત નથી - પીએમ મોદી 

જો હું રાજસ્થાનનો ઉલ્લેખ કરું તો અશોક ગેહલોત જીની ઉંઘ બગડશે. ભવિષ્યમાં દેશના બાકીના ભાગમાં નમો ભારત જેવી સિસ્ટમ બનાવવામાં આવશે. આગામી 10 વર્ષમાં સમગ્ર રેલવે બદલાતી જોવા મળશે. મને નાના સપના જોવાની આદત નથી. કે મને મરતાં મરતાં ચાલવાની આદત પણ નથી. આ દાયકાના અંત સુધીમાં તમને ભારતની ટ્રેનો વિશ્વમાં કોઈનાથી પણ પાછળ રહેલી જોવા મળશે નહીં."


કોંગ્રેસના નેતાઓએ ટ્રેનના નામ પર કર્યો કટાક્ષ  

નમો ભારત ટ્રેનનું નામ રાખવાથી રાજનીતિ શરૂ થઈ ગઈ છે. નામ પર કોંગ્રેસના નેતાઓએ કટાક્ષ કર્યો છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે નમો સ્ટેડિયમ પછી હવે નમો ટ્રેન. તે ઉપરાંત પવન ખેરાએ કહ્યું કે માત્ર ભારત જ શા માટે? ચલો દેશનું નામ બદલીને નમો ભારત કરી દો. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .