PM Modiએ દેશને આપી પ્રથમ રેપિડ ટ્રેનની ભેટ, બાળકો સાથે કરી મુસાફરી, Namo Bharat ટ્રેનના નામને કારણે શરૂ થઈ રાજનીતિ!


  • Published By :
  • Published Date : 2023-10-20 16:35:23

થોડા સમય પહેલા ભારતને વંદે ભારત ટ્રેનોની ભેટ મળી હતી. અનેક વંદે ભારત ટ્રેનનો ભારતના વિવિધ રાજ્યોમાં દોડે છે. ત્યારે દેશને પહેલી નમો ભારત ટ્રેનની સોગાદ પીએમ મોદીએ આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે સાહિબાબાદમાં પહેલી રેપીડ ટ્રેન કોલિડોરનું ઉદ્ધાટન કર્યું છે. નમો ભારત ટ્રેનને પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી છે. આ ટ્રેન દિલ્હી-ગાઝિયાબાદ મેરઠ આરઆરટીએસ કોરિડોર વચ્ચે દોડશે.  આરઆરટીએસ એટલે રીઝનલ રૈપિડ ટ્રાંજિટ સિસ્ટમ થાય છે. વંદે ભારત ટ્રેન નામની ક્ષેણીમાં આ ટ્રેનને નમો ભારત નામ આપવામાં આવ્યું છે. 

નમો ટ્રેનમાં પીએમ મોદીએ બાળકો સાથે કરી મુસાફરી 

20 ઓક્ટોબરના રોજ પીએમ મોદીએ દેશને નવી ટ્રેન ભેટમાં આપી છે. 160 કિલોમીટરની ઝડપે આ ટ્રેન દોડવાની છે 17 કિલોમીટરનું અંતર કાપશે. આ કોરિડોરની લંબાઈ 82 કિમી છે, જેમાંથી 14 કિમી દિલ્હીમાં છે જ્યારે 68 કિલોમીટર ઉત્તરપ્રદેશમાં છે. આ ટ્રેનને લીલીઝંડી બતાવ્યા બાદ પીએમ મોદીએ ટ્રેનમાં મુસાફરી કરી હતી. નવી ટ્રેનમાં પીએમ મોદીએ અંદાજીત 34 કિલોમીટરની યાત્રા કરી હતી. સામાન્ય માણસો માટે આ ટ્રેન આવતી કાલથી ખોલવામાં આવશે, મતલબ આવતી કાલથી સામાન્ય માણસ આ ટ્રેનમાં મુસાફરી કરી શકશે. પીએમ મોદીએ બાળકો અને ક્રૂ મેમ્બર્સ સાથે ટ્રેનમાં મુસાફરી દરમિયાન વાતચીત કરી હતી.  


પીએમ મોદીએ અનેક વાતોનો કર્યો ઉલ્લેખ 

પોતાના સંબોધનમાં પીએમ મોદીએ અનેક વાતોનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે "આજે સમગ્ર દેશ માટે ઐતિહાસિક ક્ષણ છે. આજે ભારતની પ્રથમ ઝડપી રેલ સેવા "નમો ભારત" ટ્રેન શરૂ થઈ છે. લગભગ 4 વર્ષ પહેલા મેં દિલ્હી, ગાઝિયાબાદ, મેરઠ પ્રાદેશિક કોરિડોર પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આજે, સાહિબાબાદથી દુહાઈ ડેપો સુધીના તે પટ પર નમો ભારતનું સંચાલન શરૂ થઈ ગયું છે.' તે ઉપરાંત એવું પણ કહ્યું હતું કે  "દિલ્હી-મેરઠનો આ ટ્રેક એક શરૂઆત છે. પ્રથમ તબક્કામાં, દિલ્હી, યુપી, હરિયાણા, રાજસ્થાનના ઘણા વિસ્તારોને નમો ભારત ટ્રેન દ્વારા જોડવામાં આવનાર છે.


મને નાના સપના જોવાની આદત નથી - પીએમ મોદી 

જો હું રાજસ્થાનનો ઉલ્લેખ કરું તો અશોક ગેહલોત જીની ઉંઘ બગડશે. ભવિષ્યમાં દેશના બાકીના ભાગમાં નમો ભારત જેવી સિસ્ટમ બનાવવામાં આવશે. આગામી 10 વર્ષમાં સમગ્ર રેલવે બદલાતી જોવા મળશે. મને નાના સપના જોવાની આદત નથી. કે મને મરતાં મરતાં ચાલવાની આદત પણ નથી. આ દાયકાના અંત સુધીમાં તમને ભારતની ટ્રેનો વિશ્વમાં કોઈનાથી પણ પાછળ રહેલી જોવા મળશે નહીં."


કોંગ્રેસના નેતાઓએ ટ્રેનના નામ પર કર્યો કટાક્ષ  

નમો ભારત ટ્રેનનું નામ રાખવાથી રાજનીતિ શરૂ થઈ ગઈ છે. નામ પર કોંગ્રેસના નેતાઓએ કટાક્ષ કર્યો છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે નમો સ્ટેડિયમ પછી હવે નમો ટ્રેન. તે ઉપરાંત પવન ખેરાએ કહ્યું કે માત્ર ભારત જ શા માટે? ચલો દેશનું નામ બદલીને નમો ભારત કરી દો. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.