PM Modiએ દેશને આપી પ્રથમ રેપિડ ટ્રેનની ભેટ, બાળકો સાથે કરી મુસાફરી, Namo Bharat ટ્રેનના નામને કારણે શરૂ થઈ રાજનીતિ!


  • Published By :
  • Published Date : 2023-10-20 16:35:23

થોડા સમય પહેલા ભારતને વંદે ભારત ટ્રેનોની ભેટ મળી હતી. અનેક વંદે ભારત ટ્રેનનો ભારતના વિવિધ રાજ્યોમાં દોડે છે. ત્યારે દેશને પહેલી નમો ભારત ટ્રેનની સોગાદ પીએમ મોદીએ આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે સાહિબાબાદમાં પહેલી રેપીડ ટ્રેન કોલિડોરનું ઉદ્ધાટન કર્યું છે. નમો ભારત ટ્રેનને પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી છે. આ ટ્રેન દિલ્હી-ગાઝિયાબાદ મેરઠ આરઆરટીએસ કોરિડોર વચ્ચે દોડશે.  આરઆરટીએસ એટલે રીઝનલ રૈપિડ ટ્રાંજિટ સિસ્ટમ થાય છે. વંદે ભારત ટ્રેન નામની ક્ષેણીમાં આ ટ્રેનને નમો ભારત નામ આપવામાં આવ્યું છે. 

નમો ટ્રેનમાં પીએમ મોદીએ બાળકો સાથે કરી મુસાફરી 

20 ઓક્ટોબરના રોજ પીએમ મોદીએ દેશને નવી ટ્રેન ભેટમાં આપી છે. 160 કિલોમીટરની ઝડપે આ ટ્રેન દોડવાની છે 17 કિલોમીટરનું અંતર કાપશે. આ કોરિડોરની લંબાઈ 82 કિમી છે, જેમાંથી 14 કિમી દિલ્હીમાં છે જ્યારે 68 કિલોમીટર ઉત્તરપ્રદેશમાં છે. આ ટ્રેનને લીલીઝંડી બતાવ્યા બાદ પીએમ મોદીએ ટ્રેનમાં મુસાફરી કરી હતી. નવી ટ્રેનમાં પીએમ મોદીએ અંદાજીત 34 કિલોમીટરની યાત્રા કરી હતી. સામાન્ય માણસો માટે આ ટ્રેન આવતી કાલથી ખોલવામાં આવશે, મતલબ આવતી કાલથી સામાન્ય માણસ આ ટ્રેનમાં મુસાફરી કરી શકશે. પીએમ મોદીએ બાળકો અને ક્રૂ મેમ્બર્સ સાથે ટ્રેનમાં મુસાફરી દરમિયાન વાતચીત કરી હતી.  


પીએમ મોદીએ અનેક વાતોનો કર્યો ઉલ્લેખ 

પોતાના સંબોધનમાં પીએમ મોદીએ અનેક વાતોનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે "આજે સમગ્ર દેશ માટે ઐતિહાસિક ક્ષણ છે. આજે ભારતની પ્રથમ ઝડપી રેલ સેવા "નમો ભારત" ટ્રેન શરૂ થઈ છે. લગભગ 4 વર્ષ પહેલા મેં દિલ્હી, ગાઝિયાબાદ, મેરઠ પ્રાદેશિક કોરિડોર પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આજે, સાહિબાબાદથી દુહાઈ ડેપો સુધીના તે પટ પર નમો ભારતનું સંચાલન શરૂ થઈ ગયું છે.' તે ઉપરાંત એવું પણ કહ્યું હતું કે  "દિલ્હી-મેરઠનો આ ટ્રેક એક શરૂઆત છે. પ્રથમ તબક્કામાં, દિલ્હી, યુપી, હરિયાણા, રાજસ્થાનના ઘણા વિસ્તારોને નમો ભારત ટ્રેન દ્વારા જોડવામાં આવનાર છે.


મને નાના સપના જોવાની આદત નથી - પીએમ મોદી 

જો હું રાજસ્થાનનો ઉલ્લેખ કરું તો અશોક ગેહલોત જીની ઉંઘ બગડશે. ભવિષ્યમાં દેશના બાકીના ભાગમાં નમો ભારત જેવી સિસ્ટમ બનાવવામાં આવશે. આગામી 10 વર્ષમાં સમગ્ર રેલવે બદલાતી જોવા મળશે. મને નાના સપના જોવાની આદત નથી. કે મને મરતાં મરતાં ચાલવાની આદત પણ નથી. આ દાયકાના અંત સુધીમાં તમને ભારતની ટ્રેનો વિશ્વમાં કોઈનાથી પણ પાછળ રહેલી જોવા મળશે નહીં."


કોંગ્રેસના નેતાઓએ ટ્રેનના નામ પર કર્યો કટાક્ષ  

નમો ભારત ટ્રેનનું નામ રાખવાથી રાજનીતિ શરૂ થઈ ગઈ છે. નામ પર કોંગ્રેસના નેતાઓએ કટાક્ષ કર્યો છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે નમો સ્ટેડિયમ પછી હવે નમો ટ્રેન. તે ઉપરાંત પવન ખેરાએ કહ્યું કે માત્ર ભારત જ શા માટે? ચલો દેશનું નામ બદલીને નમો ભારત કરી દો. 



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.