કોવિડ અને ઈન્ફ્લ્યુએન્ઝાના વધતા કેસને લઈને સરકાર એક્શનમાં, PM મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠકમાં આપ્યા આ નિર્દેશ


  • Published By :
  • Published Date : 2023-03-22 20:58:13

દેશમાં કોવિડ-19 અને ઈન્ફલ્યુએન્ઝાના વધતા સંક્રમણના વધતા જતા કેસો વચ્ચે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્તમાન સ્થિતિ અને જાહેર આરોગ્યની તૈયારીઓની સમીક્ષા કરવા બુધવારે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં કોવિડ-19 અને ઈન્ફલ્યુએન્ઝાની સ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં આરોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સની સજ્જતા, રસીકરણ અભિયાનની સ્થિતિ, કોવિડ-19ના નવા વેરિયેન્ટ અને ઈન્ફલ્યુએન્ઝાના વેરિયેન્ટના ઉદભવ અંગે ચર્ચા થઈ હતી.  


PM મોદીએ આપી આ સુચના


આ દરમિયાન  PM મોદીએ કોરોના વાયરસને લઈને સાવચેતી અને તકેદારી રાખવાની સલાહ આપી હતી. PMએ તમામ ગંભીર તીવ્ર શ્વાસોચ્છવાસની બીમારી (SARI) કેસોનું લેબોરેટરી સર્વેલન્સ અને ટેસ્ટીંગ વધારવાની અને જીનોમ સિક્વન્સિંગને ઝડપી બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ સાથે, કોવિડ સામે સજ્જતા સુનિશ્ચિત કરવા, હોસ્પિટલોમાં ફરીથી મોક ડ્રીલનું આયોજન કરવાનો, નિર્દેશ આપ્યો અને લોકોને કોવિડનું યોગ્ય વર્તન અનુસરવાની સલાહ આપી.


PM મોદીને અપાઈ જાણકારી


કેન્દ્ર સરકારના આરોગ્ય સચિવ દ્વારા ભારતમાં વધી રહેલા કેસ સહિત વૈશ્વિક કોવિડ-19 અને ઈન્ફલ્યુએન્ઝાની સ્થિતિ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. PM મોદીએ છેલ્લા કેટલાક મહિનામાં નોંધાયેલા H1N1 અને H3N2ના વધુ કેસોના સંદર્ભમાં અધિકારીઓને સુચના આપી હતી. તે ઉપરાંત પ્રધાનમંત્રીએ અધિકારીઓને INSACOG જીનોમ સિક્વન્સિંગ લેબોરેટરીઝ સાથે પોઝિટિવ ટેસ્ટ સંપૂર્ણ જીનોમ સિક્વન્સિંગ વધારવાનો નિર્દેશ આપ્યો હતો.  


દવાઓનો જથ્થો વધારવા પર ભાર


PM મોદીએ ઈન્ફલ્યુએન્ઝા અને કોવિડ-19 માટે જરૂરી દવાઓ અને લોજિસ્ટિક્સની ઉપલબ્ધતાને સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું, કોવિડ -19 રોગચાળો હજી દૂર છે અને દેશભરની સ્થિતિ પર નિયમિતપણે દેખરેખ રાખવાની જરૂર છે. તેમણે ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ-રસીકરણ અને કોવિડ યોગ્ય વર્તણૂકની 5-ગણી વ્યૂહરચના પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખવા, તમામ ગંભીર તીવ્ર શ્વસન બિમારી (SARI) કેસોની લેબ સર્વેલન્સ અને પરીક્ષણ વધારવાની સલાહ આપી.  


ઉચ્ચ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત


PM મોદીએ લોકોને સ્વચ્છતાનું પાલન કરવા અને ભીડવાળા સાર્વજનિક સ્થળોએ કોવિડ યોગ્ય વર્તનનું પાલન કરવા વિનંતી કરી હતી. આ બેઠકમાં પીએમના અગ્ર સચિવ પીકે મિશ્રા, નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડૉ. વી કે પોલ સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.