કોવિડ અને ઈન્ફ્લ્યુએન્ઝાના વધતા કેસને લઈને સરકાર એક્શનમાં, PM મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠકમાં આપ્યા આ નિર્દેશ


  • Published By :
  • Published Date : 2023-03-22 20:58:13

દેશમાં કોવિડ-19 અને ઈન્ફલ્યુએન્ઝાના વધતા સંક્રમણના વધતા જતા કેસો વચ્ચે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્તમાન સ્થિતિ અને જાહેર આરોગ્યની તૈયારીઓની સમીક્ષા કરવા બુધવારે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં કોવિડ-19 અને ઈન્ફલ્યુએન્ઝાની સ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં આરોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સની સજ્જતા, રસીકરણ અભિયાનની સ્થિતિ, કોવિડ-19ના નવા વેરિયેન્ટ અને ઈન્ફલ્યુએન્ઝાના વેરિયેન્ટના ઉદભવ અંગે ચર્ચા થઈ હતી.  


PM મોદીએ આપી આ સુચના


આ દરમિયાન  PM મોદીએ કોરોના વાયરસને લઈને સાવચેતી અને તકેદારી રાખવાની સલાહ આપી હતી. PMએ તમામ ગંભીર તીવ્ર શ્વાસોચ્છવાસની બીમારી (SARI) કેસોનું લેબોરેટરી સર્વેલન્સ અને ટેસ્ટીંગ વધારવાની અને જીનોમ સિક્વન્સિંગને ઝડપી બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ સાથે, કોવિડ સામે સજ્જતા સુનિશ્ચિત કરવા, હોસ્પિટલોમાં ફરીથી મોક ડ્રીલનું આયોજન કરવાનો, નિર્દેશ આપ્યો અને લોકોને કોવિડનું યોગ્ય વર્તન અનુસરવાની સલાહ આપી.


PM મોદીને અપાઈ જાણકારી


કેન્દ્ર સરકારના આરોગ્ય સચિવ દ્વારા ભારતમાં વધી રહેલા કેસ સહિત વૈશ્વિક કોવિડ-19 અને ઈન્ફલ્યુએન્ઝાની સ્થિતિ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. PM મોદીએ છેલ્લા કેટલાક મહિનામાં નોંધાયેલા H1N1 અને H3N2ના વધુ કેસોના સંદર્ભમાં અધિકારીઓને સુચના આપી હતી. તે ઉપરાંત પ્રધાનમંત્રીએ અધિકારીઓને INSACOG જીનોમ સિક્વન્સિંગ લેબોરેટરીઝ સાથે પોઝિટિવ ટેસ્ટ સંપૂર્ણ જીનોમ સિક્વન્સિંગ વધારવાનો નિર્દેશ આપ્યો હતો.  


દવાઓનો જથ્થો વધારવા પર ભાર


PM મોદીએ ઈન્ફલ્યુએન્ઝા અને કોવિડ-19 માટે જરૂરી દવાઓ અને લોજિસ્ટિક્સની ઉપલબ્ધતાને સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું, કોવિડ -19 રોગચાળો હજી દૂર છે અને દેશભરની સ્થિતિ પર નિયમિતપણે દેખરેખ રાખવાની જરૂર છે. તેમણે ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ-રસીકરણ અને કોવિડ યોગ્ય વર્તણૂકની 5-ગણી વ્યૂહરચના પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખવા, તમામ ગંભીર તીવ્ર શ્વસન બિમારી (SARI) કેસોની લેબ સર્વેલન્સ અને પરીક્ષણ વધારવાની સલાહ આપી.  


ઉચ્ચ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત


PM મોદીએ લોકોને સ્વચ્છતાનું પાલન કરવા અને ભીડવાળા સાર્વજનિક સ્થળોએ કોવિડ યોગ્ય વર્તનનું પાલન કરવા વિનંતી કરી હતી. આ બેઠકમાં પીએમના અગ્ર સચિવ પીકે મિશ્રા, નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડૉ. વી કે પોલ સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.