કોવિડ અને ઈન્ફ્લ્યુએન્ઝાના વધતા કેસને લઈને સરકાર એક્શનમાં, PM મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠકમાં આપ્યા આ નિર્દેશ


  • Published By :
  • Published Date : 2023-03-22 20:58:13

દેશમાં કોવિડ-19 અને ઈન્ફલ્યુએન્ઝાના વધતા સંક્રમણના વધતા જતા કેસો વચ્ચે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્તમાન સ્થિતિ અને જાહેર આરોગ્યની તૈયારીઓની સમીક્ષા કરવા બુધવારે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં કોવિડ-19 અને ઈન્ફલ્યુએન્ઝાની સ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં આરોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સની સજ્જતા, રસીકરણ અભિયાનની સ્થિતિ, કોવિડ-19ના નવા વેરિયેન્ટ અને ઈન્ફલ્યુએન્ઝાના વેરિયેન્ટના ઉદભવ અંગે ચર્ચા થઈ હતી.  


PM મોદીએ આપી આ સુચના


આ દરમિયાન  PM મોદીએ કોરોના વાયરસને લઈને સાવચેતી અને તકેદારી રાખવાની સલાહ આપી હતી. PMએ તમામ ગંભીર તીવ્ર શ્વાસોચ્છવાસની બીમારી (SARI) કેસોનું લેબોરેટરી સર્વેલન્સ અને ટેસ્ટીંગ વધારવાની અને જીનોમ સિક્વન્સિંગને ઝડપી બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ સાથે, કોવિડ સામે સજ્જતા સુનિશ્ચિત કરવા, હોસ્પિટલોમાં ફરીથી મોક ડ્રીલનું આયોજન કરવાનો, નિર્દેશ આપ્યો અને લોકોને કોવિડનું યોગ્ય વર્તન અનુસરવાની સલાહ આપી.


PM મોદીને અપાઈ જાણકારી


કેન્દ્ર સરકારના આરોગ્ય સચિવ દ્વારા ભારતમાં વધી રહેલા કેસ સહિત વૈશ્વિક કોવિડ-19 અને ઈન્ફલ્યુએન્ઝાની સ્થિતિ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. PM મોદીએ છેલ્લા કેટલાક મહિનામાં નોંધાયેલા H1N1 અને H3N2ના વધુ કેસોના સંદર્ભમાં અધિકારીઓને સુચના આપી હતી. તે ઉપરાંત પ્રધાનમંત્રીએ અધિકારીઓને INSACOG જીનોમ સિક્વન્સિંગ લેબોરેટરીઝ સાથે પોઝિટિવ ટેસ્ટ સંપૂર્ણ જીનોમ સિક્વન્સિંગ વધારવાનો નિર્દેશ આપ્યો હતો.  


દવાઓનો જથ્થો વધારવા પર ભાર


PM મોદીએ ઈન્ફલ્યુએન્ઝા અને કોવિડ-19 માટે જરૂરી દવાઓ અને લોજિસ્ટિક્સની ઉપલબ્ધતાને સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું, કોવિડ -19 રોગચાળો હજી દૂર છે અને દેશભરની સ્થિતિ પર નિયમિતપણે દેખરેખ રાખવાની જરૂર છે. તેમણે ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ-રસીકરણ અને કોવિડ યોગ્ય વર્તણૂકની 5-ગણી વ્યૂહરચના પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખવા, તમામ ગંભીર તીવ્ર શ્વસન બિમારી (SARI) કેસોની લેબ સર્વેલન્સ અને પરીક્ષણ વધારવાની સલાહ આપી.  


ઉચ્ચ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત


PM મોદીએ લોકોને સ્વચ્છતાનું પાલન કરવા અને ભીડવાળા સાર્વજનિક સ્થળોએ કોવિડ યોગ્ય વર્તનનું પાલન કરવા વિનંતી કરી હતી. આ બેઠકમાં પીએમના અગ્ર સચિવ પીકે મિશ્રા, નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડૉ. વી કે પોલ સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.