ચાઈનાના વધતા પ્રભાવ વચ્ચે , પીએમ મોદી મોરિશિયસના પ્રવાસે!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-11 14:00:12

આજે એક એવા દેશની વાત કરવી છે , જ્યાં આપણા બૉલીવુડની ઘણી મોટા બજેટની ફિલ્મો શૂટ થઇ છે  . જેમ કે , મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની અગ્નિપથ ,શાહરુખ ખાનની બાજીગર વગેરે . આ દેશની કુલ વસ્તીના ૭૦ ટકા  લોકો ભારતીય મૂળના છે . હિન્દ મહાસાગરના આ નાનકડા દેશને કુદરતે ખુબ સુંદરતા બક્ષી છે . આ નાનકડો ટાપુ દેશ  એટલે , મોરિશિયસ . વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરિશિયસના બે દિવસના પ્રવાસે છે . તો આવો જાણીએ આ અનોખા દેશ મોરિશિયસ વિશે . 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી  ૨૦૧૫ પછી આ બીજી વખત મોરિશિયસના પ્રવાસે છે . આ વખતે પીએમ મોદી મોરિશિયસના નેશનલ દિવસના મુખ્ય મેહમાન છે . 


મોરિશિયસ સાથે મહાત્મા ગાંધીનો પણ એક મહત્વનો સબંધ છે . ૧૯૦૧માં જયારે મહાત્મા ગાંધી સાઉથ આફ્રિકાથી ભારત પાછા ફરી રહ્યા હતા ત્યારે , તેઓ ખુબ ઓછા સમય માટે મોરિશિયસમાં રોકાયા હતા . તે સમયે મહાત્મા ગાંધીએ ત્યાં ૩ ખુબ મહત્વના સંદેશા આપ્યા હતા . 

૧) શિક્ષણનું મહત્વ 

૨) રાજકીય રીતે સશક્તિકરણ

૩) ભારત સાથે જોડાયેલા રહો 

મહાત્મા ગાંધીને સલામ આપવાના ભાગ રૂપે , દર વર્ષે ૧૨ માર્ચના રોજ મોરિશિયસનો નેશનલ દિવસ ઉજવાય છે કેમ કે તે દિવસના રોજ ગાંધીજીએ ૧૯૩૦ના વર્ષમાં દાંડી યાત્રા શરુ કરી હતી . 

હવે આ દેશની થોડી માહિતી જોઈએ .

Mahatma Gandhi - Wikipedia

હિન્દ મહાસાગરમાં આ દેશ આફ્રિકા ખંડના મડાગાસ્કરની નજીકમા છે . પોર્ટ લુઈસ તેની રાજધાની છે . ૧૯૬૮માં તેને આઝાદી મળી . મોરિશિયસ ૨,૦૪૦ સ્કવેર કિલોમીટરમાં ફેલાયેલો દેશ છે . વાત કરીએ તેની ભૂગોળની તો મુખ્ય ટાપુ સહીત તેની પાસે બીજા ત્રણ ટાપુ છે ,જેમના નામ છે રોડ્રિગ્સ, અગાલેગા અને સેન્ટ બ્રાન્ડન.  

Mauritius country profile - BBC News

અગાઉ જેમ વાત કરી તેમ , આ દેશની કુલ વસ્તીના ૭૦ ટકા લોકો ભારતીય મૂળના છે .    

મોરિશિયસ પર બ્રિટિશરોનો કબ્જો આવ્યો તે પેહલા તેની પર ફ્રેન્ચ લોકોનું રાજ હતું . જેવું જ બ્રિટિશરોનું રાજ આવ્યું ત્યારબાદ  ૧૮૩૪ થી લઇને ૧૯૦૦ ના વર્ષ સુધી મોટા પાયે ભારતીય મૂળના "વેઠિયા મજૂરો"  મોરિશિયસમાં સ્થાયી થયા . માટે આજે પણ મોરિશિયસની વસ્તીમાં ભારતીય લોકો ખુબ વધારે છે . 

વાત કરીએ મોરિશિયસના અર્થતંત્રની તો , તે મુખ્યત્વે ખેતી અને પ્રવાસન ઉદ્યોગ પર આધારિત છે . ખેતીમાં મોરિશિયસ ખાંડનું ખુબ મોટા પ્રમાણમાં ઉત્પાદન કરે છે . ભારતમાં જે પણ FDI એટલેકે (સીધું વિદેશી મૂડીરોકાણ ) આવે છે તેમાં મોરિશિયસ પ્રથમ સ્થાને છે . ભારતનું રૂપે કાર્ડ અને UPI એટલેકે (યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ) મોરિશિયસમાં બધા જ ATM અને POS (પોઇન્ટ ઓફ સેલ ) મશીન પર કાર્યરત છે.    

૨૦૨૫ના વર્ષ મુજબ મોરિશિયસની કુલ વસ્તી ૧૨ લાખ છે . 

વાત કરીએ મોરિશિયસની રાજનીતિની તો , ૧૯૪૭ પછી ભારતે તેની આઝાદીની લડાઈને સમર્થન કરેલું છે . 

મોરિશિયસ ભારતની જેમ જ સંસદીય લોકશાહીનું પાલન કરે છે . 

મોરેશિયસ પર મુખ્યત્વે બે રાજકીય પરિવારો, રામગુલામ  અને જુગ્નૌથ પરિવારનો દબદબો રહ્યો છે. ગયા વર્ષે ચૂંટણી જીતનાર નવીન રામગુલામ અગાઉ બે વાર (૧૯૯૫ થી ૨૦૦૦ અને ૨૦૦૫ થી ૨૦૧૪ સુધી) મોરેશિયસના વડા પ્રધાન  પદે રહી ચૂક્યા છે.

ભારત માટે મુખ્ય ચિંતા એ ચાઈનાનો મોરિશિયસમાં વધી રહેલો પ્રભાવ છે . કેમ કે ચાઈનાએ મોરિશિયસની સુપ્રીમ કોર્ટના નિર્માણ પાછળ પૈસા આપેલ છે ઉપરાંત ત્યાં આંતરમાળખાના વિકાસ પાછળ પણ ઘણું મૂડીરોકાણ ચાઈના દ્વારા કરવામાં આવેલ છે . 

તો આ દ્રષ્ટિએ પીએમ મોદીની આ મોરિશિયસ મુલાકાત ભારત માટે ખુબ મહત્વની રેહવાની છે . 

તમારું મોરિશિયસને લઇને શું મંતવ્ય છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો . 

જો તમે અમને યૂટ્યૂબ પર જોઇ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો ફોલો કરો નમસ્કાર.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.