વિવિધ પાર્ટીઓના 8 સાંસદોને PM મોદીએ લંચ માટે બોલાવ્યા, કહ્યું 'તમને પનિશમેન્ટ આપવી છે'


  • Published By :
  • Published Date : 2024-02-09 19:25:21

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સંસદની કેન્ટીનમાં વિવિધ પક્ષોના સાંસદો સાથે લંચ લીધું હતું. સમાચાર એજન્સી ANI દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ સાંસદોની સંખ્યા 8 હતી. PM નરેન્દ્ર મોદીએ પોતે જ આ સાંસદોને લંચ માટે આમંત્રણ આપ્યું હતું. પીએમ નરેન્દ્ર મોદી સાથે લંચ લેનારા સાંસદોમાં BJPના હીના ગાવિત, એસ. ફાંગનોન કોન્યાક, જામયાંગ ત્સેરિંગ નામગ્યાલ, એલ. મુરુગન, TDPના સાંસદ રામમોહન નાયડુ, BSPના સાંસદ રિતેશ પાંડે અને BJD સાંસદ સસ્મિત પાત્રાનો સમાવેશ થાય છે.


PM મોદીએ શું ભોજન લીધું?


મળતી જાણકારી મુજબ, PM મોદીએ 8 સાંસદોને અનૌપચારિક લંચ માટે બપોરે 2.30 વાગ્યા ફોન કર્યો હતો. સૂત્રોએ જણાવ્યું છે કે, પીએમ મોદી અને સાંસદોએ કેન્ટીનમાં શાકાહારી ભોજન અને રાગીના લાડવા ખાધા હતા. ભોજન દરમ્યાન પાસ્તા, ખિચડી, દાળ, ભાત, શાક, રાયતા, પાપડ અને સલાડ હતા. તમામના ખાવાનું બિલ પીએમ મોદીએ આપ્યું હતું. પીએમ આ બધા સાથે લગભગ 45 મિનિટમાં કેન્ટીનમાં રહ્યા હતા.


PM મોદી સાથે શું ચર્ચા થઈ? 


PM મોદીએ સાંસદો હળવા અંદાજમાં કહ્યું કે, આજે આપ સૌને સજા આપવા જઈ રહ્યો છું. મારી સાથે આવો, બાદમાં પીએમ મોદી બધાને કેન્ટીનમાં લઈ ગયા, જ્યાં પીએમના અનુભવો વિશે હળવી વાતો થઈ. સાંસદોએ પીએમ મોદીને સવાલ પૂછ્યા. રાજનીતિ પર કેટલીય નવી વાતો થઈ. પીએમ મોદીની લાઈફસ્ટાઈલ, ક્યારે ઉઠે છે, ક્યારે સુવે છે વગેરે સવાલો સાંસદોએ પૂછ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે, તેઓ રાતમાં ફક્ત સાડા ત્રણ કલાક જ સુવે છે અને સૂર્યાસ્ત બાદ કંઈ ખાતા નથી. PM મોદીએ ભોજન દરમ્યાન વ્હાઈટ પેપરના મુદ્દા પર પણ વાત કરી. પીએમ મોદીએ કહ્યું કે, વ્હાઈટ પેપર લાવવા પાછળનું કારણ જ્યારે મને લાગ્યું કે, આ રીતનું કરપ્શન થયું છે. યૂપીએ સરકારમાં તો હું પહેલા કેટલાય વર્ષોથી સુધી ચૂપ રહ્યો. બાદમાં મને લાગ્યું કે દેશનું આટલું નુકસાન થયું. લોકોના પૈસાની લૂંટ અને બરબાદી થઈ છે. ત્યારે અમે વિચાર્યું કે, દેશના લોકોની સામે આવવું જોઈએ. બાદમાં અમે નક્કી કર્યું કે, એક વ્હાઈટ પેપર લાવવું જોઈએ.



ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનસીડીસી દ્વારા લોન તેમજ ગ્રાન્ટના સ્વરૂપમાં નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. 2021-22માં નાણાકીય સહાયનો આંક રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે.

ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોનો પાણીમાં ઘરકાવ થઈ ગયો છે.. ભારે વરસાદને કારણે લોકોનું જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. પાણી ભરાઈ ગયા છે જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.