વિવિધ પાર્ટીઓના 8 સાંસદોને PM મોદીએ લંચ માટે બોલાવ્યા, કહ્યું 'તમને પનિશમેન્ટ આપવી છે'


  • Published By :
  • Published Date : 2024-02-09 19:25:21

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સંસદની કેન્ટીનમાં વિવિધ પક્ષોના સાંસદો સાથે લંચ લીધું હતું. સમાચાર એજન્સી ANI દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ સાંસદોની સંખ્યા 8 હતી. PM નરેન્દ્ર મોદીએ પોતે જ આ સાંસદોને લંચ માટે આમંત્રણ આપ્યું હતું. પીએમ નરેન્દ્ર મોદી સાથે લંચ લેનારા સાંસદોમાં BJPના હીના ગાવિત, એસ. ફાંગનોન કોન્યાક, જામયાંગ ત્સેરિંગ નામગ્યાલ, એલ. મુરુગન, TDPના સાંસદ રામમોહન નાયડુ, BSPના સાંસદ રિતેશ પાંડે અને BJD સાંસદ સસ્મિત પાત્રાનો સમાવેશ થાય છે.


PM મોદીએ શું ભોજન લીધું?


મળતી જાણકારી મુજબ, PM મોદીએ 8 સાંસદોને અનૌપચારિક લંચ માટે બપોરે 2.30 વાગ્યા ફોન કર્યો હતો. સૂત્રોએ જણાવ્યું છે કે, પીએમ મોદી અને સાંસદોએ કેન્ટીનમાં શાકાહારી ભોજન અને રાગીના લાડવા ખાધા હતા. ભોજન દરમ્યાન પાસ્તા, ખિચડી, દાળ, ભાત, શાક, રાયતા, પાપડ અને સલાડ હતા. તમામના ખાવાનું બિલ પીએમ મોદીએ આપ્યું હતું. પીએમ આ બધા સાથે લગભગ 45 મિનિટમાં કેન્ટીનમાં રહ્યા હતા.


PM મોદી સાથે શું ચર્ચા થઈ? 


PM મોદીએ સાંસદો હળવા અંદાજમાં કહ્યું કે, આજે આપ સૌને સજા આપવા જઈ રહ્યો છું. મારી સાથે આવો, બાદમાં પીએમ મોદી બધાને કેન્ટીનમાં લઈ ગયા, જ્યાં પીએમના અનુભવો વિશે હળવી વાતો થઈ. સાંસદોએ પીએમ મોદીને સવાલ પૂછ્યા. રાજનીતિ પર કેટલીય નવી વાતો થઈ. પીએમ મોદીની લાઈફસ્ટાઈલ, ક્યારે ઉઠે છે, ક્યારે સુવે છે વગેરે સવાલો સાંસદોએ પૂછ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે, તેઓ રાતમાં ફક્ત સાડા ત્રણ કલાક જ સુવે છે અને સૂર્યાસ્ત બાદ કંઈ ખાતા નથી. PM મોદીએ ભોજન દરમ્યાન વ્હાઈટ પેપરના મુદ્દા પર પણ વાત કરી. પીએમ મોદીએ કહ્યું કે, વ્હાઈટ પેપર લાવવા પાછળનું કારણ જ્યારે મને લાગ્યું કે, આ રીતનું કરપ્શન થયું છે. યૂપીએ સરકારમાં તો હું પહેલા કેટલાય વર્ષોથી સુધી ચૂપ રહ્યો. બાદમાં મને લાગ્યું કે દેશનું આટલું નુકસાન થયું. લોકોના પૈસાની લૂંટ અને બરબાદી થઈ છે. ત્યારે અમે વિચાર્યું કે, દેશના લોકોની સામે આવવું જોઈએ. બાદમાં અમે નક્કી કર્યું કે, એક વ્હાઈટ પેપર લાવવું જોઈએ.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.