PM મોદીએ સૌરાષ્ટ્રના પ્રખ્યાત સંત કરસનદાસ બાપુ સાથે કરી મુલાકાત, તસવીરો વાયરલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 15:47:57

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપના સ્ટાર પ્રચારક પીએમ નરેન્દ્ર મોદી જોરશોરથી પાર્ટી માટે પ્રચાર કરી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ આજે સૌરાષ્ટ્રના મતદારોને રીઝવવા માટે જામકંડોરણામાં ચૂંટણી રેલીને સંબોધી હતી. જો કે તે પહેલા તેમણે જાણીતા સંત કરસનદાસ બાપુ સાથે મુલાકાત કરી હતી.


PM મોદીની કરસનદાસ બાપુ સાથે મુલાકાત


આજે મંગળવારે PM મોદીએ કરસનદાસ બાપુ સાથે પણ મુલાકાત કરી હતી. પીએમએ પરબધામના પૂજ્ય કરસનદાસ બાપુ સાથે લાગણીસભર મુલાકાત કરી હતી. કરસનદાસ બાપુ ભેંસાણમાં પરબ ધામના સંત છે. PMની કરસનદાસ બાપુ સાથે ભાવુક મુલાકાતની તસવીરો સામે આવી છે. ગુજરાત ભાજપ દ્વારા પીએમ મોદી અને કરસનદાસ બાપુની મુલાકાતની તસવીરો શેર કરવામાં આવી છે. પીએમ મોદીએ જનમેદની સંબોધતા કહ્યુ હતુ કે, મે આજે કરસનદાસ બાપુના આશીર્વાદ લીધા છે.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે