PM Modiએ Chhattisgarhમાં Congress પર જોરદાર પ્રહારો કર્યા, કહ્યું કે Congress સરકારની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ...


  • Published By :
  • Published Date : 2023-11-13 14:18:57

આ વર્ષે દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. એક રાજ્યમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે જ્યારે બીજા રાજ્યમાં એટલે કે છત્તીસગઢમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. બીજા તબક્કાને ધ્યાનમાં રાખી ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. પાર્ટીના દિગ્ગજ નેતાઓ રેલી કાઢી રહ્યા છે ઉપરાંત જનસભાને સંબોધી રહ્યા છે. ત્યારે છત્તીસગઢમાં પીએમ મોદીએ આજે જનસભાને સંબોધી હતી જે દરમિયાન તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે ભાજપનો ટ્રેક રેકોર્ડ અને ભાજપ દ્વારા બનાવવામાં આવેલ ગેરંટી, ભાજપ જ તેમાં સુધારો કરશે. છત્તીસગઢમાં કોંગ્રેસ સરકારની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. કોંગ્રેસના એ નેતાઓની વિદાયનો સમય આવી ગયો છે જેમણે તમને 5 વર્ષ સુધી લૂંટ્યા છે.

 

ભૂપેશ બાઘેલ પર પીએમ મોદીએ કર્યા પ્રહાર  

2024માં લોકસભા ચૂંટણી યોજાવાની છે. દરેક રાજકીય પાર્ટી દ્વારા ચૂંટણીને લઈ પ્રચારનો ધમધમાટ કરવામાં આવી રહ્યો છે. પાર્ટીના સ્ટાર પ્રચારક ચૂંટણી વાળા રાજ્યમાં જનસભાને સંબોધી રહ્યા છે. પીએમ મોદી પોતે આજે ભાજપનો પ્રચાર કરવા માટે છત્તીસગઢ પહોંચ્યા હતા. જનસભાને સંબોધતી વખતે તેમણે રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બાઘેલ પર પીએમ મોદીએ નિશાન સાધ્યું હતું. જનસભાને સંબોધતા તેમણે ડબલ એન્જીન સરકારની પણ વાત કરી હતી.   


કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે... 

કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસની માનસિકતાને ઓખળવી પડશે. આ એ જ કોંગ્રેસ છે જેણે પંચાયતમાંથી સંસદની સરકારો ચલાવી, પરંતુ ઓબીસી સમુદાયને અનામત ન આપી. ઓબીસી કમિશનને દાયકાઓ સુધી બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો ન હતો. મેડિકલ કોલેજોમાં ઓબીસી અનામત લાગુ કરવામાં આવી નથી. પણ મોદીએ તમને આ બધા કામો કરવાની ગેરંટી આપી હતી અને કરી બતાવી પણ છે.  



મોદીની જાતિને પણ કોંગ્રેસ નફરત કરવા લાગી છે - પીએમ મોદી 

મહાદેવ સટ્ટાબાજીનો પણ ઉલ્લેખ પીએમ મોદીએ પોતાના ભાષણમાં કર્યો હતો. વધુમાં તેમણે કહ્યું કે તમે અહીંયા કોંગ્રેસની હાર પાક્કી કરી દીધી છે. આ સાથે છત્તીસગઢના 30% કક્કાની કારમી હાર પણ નિશ્ચિત છે. એટલે કે કક્કાની વિદાય પણ નિશ્ચિત છે. આજે ચારે બાજુથી સમાચાર આવી રહ્યા છે કે છત્તીસગઢના મુખ્યમંત્રી માટે ધારાસભ્ય બનવું પણ મુશ્કેલ બની ગયું છે. પોતાના ભાષણમાં પીએમ મોદીએ કહ્યું કે મોદી તમને દરેક સંકટમાંથી મુક્ત કરાવવા માંગે છે. તેથી જ કોંગ્રેસ મોદીને પણ નફરત કરે છે. કોંગ્રેસની આ નફરત એટલી વધી ગઈ છે કે તે મોદીની જાતિને પણ નફરત કરવા લાગી છે. છેલ્લા કેટલાય મહિનાઓથી કોંગ્રેસ મોદીના નામે સમગ્ર ઓબીસી સમુદાયને અપમાનિત કરી રહી છે. કોંગ્રેસ દુર્વ્યવહાર અને સ્ટિંગ માટે ઓબીસી સમુદાયની માફી માંગવાનો પણ ઇનકાર કરી રહી છે. 



સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના વાલેવડા ગામે પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું છે. આ મામલે , દસાડા પોલીસ મથકે એક વ્યક્તિ સામે ફરજમાં રુકાવટ અંગેની ફરિયાદ પોતે પોલીસ કર્મચારી દ્વારા નોંધાવવામાં આવી છે. બીજી બાજુ કોંગ્રેસના પૂર્વ MLA અને ગ્રામજનો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે , સ્થાનિક PI દ્વારા રિવોલ્વર મૂકીને ધમકી આપીને માર મારવામાં આવ્યો છે.

There is a lot of discussion on the relations between India and America, whether it is Donald Trump's tariff hike or calling PM Modi a special friend, everyone's eyes are on these relations between India and America. Amidst all this, US Ambassador to India Sergio Gore reached Mumbai and this visit is considered a very important one.

ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.