PM Modiએ Chhattisgarhમાં Congress પર જોરદાર પ્રહારો કર્યા, કહ્યું કે Congress સરકારની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-13 14:18:57

આ વર્ષે દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. એક રાજ્યમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે જ્યારે બીજા રાજ્યમાં એટલે કે છત્તીસગઢમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. બીજા તબક્કાને ધ્યાનમાં રાખી ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. પાર્ટીના દિગ્ગજ નેતાઓ રેલી કાઢી રહ્યા છે ઉપરાંત જનસભાને સંબોધી રહ્યા છે. ત્યારે છત્તીસગઢમાં પીએમ મોદીએ આજે જનસભાને સંબોધી હતી જે દરમિયાન તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે ભાજપનો ટ્રેક રેકોર્ડ અને ભાજપ દ્વારા બનાવવામાં આવેલ ગેરંટી, ભાજપ જ તેમાં સુધારો કરશે. છત્તીસગઢમાં કોંગ્રેસ સરકારની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. કોંગ્રેસના એ નેતાઓની વિદાયનો સમય આવી ગયો છે જેમણે તમને 5 વર્ષ સુધી લૂંટ્યા છે.

 

ભૂપેશ બાઘેલ પર પીએમ મોદીએ કર્યા પ્રહાર  

2024માં લોકસભા ચૂંટણી યોજાવાની છે. દરેક રાજકીય પાર્ટી દ્વારા ચૂંટણીને લઈ પ્રચારનો ધમધમાટ કરવામાં આવી રહ્યો છે. પાર્ટીના સ્ટાર પ્રચારક ચૂંટણી વાળા રાજ્યમાં જનસભાને સંબોધી રહ્યા છે. પીએમ મોદી પોતે આજે ભાજપનો પ્રચાર કરવા માટે છત્તીસગઢ પહોંચ્યા હતા. જનસભાને સંબોધતી વખતે તેમણે રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બાઘેલ પર પીએમ મોદીએ નિશાન સાધ્યું હતું. જનસભાને સંબોધતા તેમણે ડબલ એન્જીન સરકારની પણ વાત કરી હતી.   


કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે... 

કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસની માનસિકતાને ઓખળવી પડશે. આ એ જ કોંગ્રેસ છે જેણે પંચાયતમાંથી સંસદની સરકારો ચલાવી, પરંતુ ઓબીસી સમુદાયને અનામત ન આપી. ઓબીસી કમિશનને દાયકાઓ સુધી બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો ન હતો. મેડિકલ કોલેજોમાં ઓબીસી અનામત લાગુ કરવામાં આવી નથી. પણ મોદીએ તમને આ બધા કામો કરવાની ગેરંટી આપી હતી અને કરી બતાવી પણ છે.  



મોદીની જાતિને પણ કોંગ્રેસ નફરત કરવા લાગી છે - પીએમ મોદી 

મહાદેવ સટ્ટાબાજીનો પણ ઉલ્લેખ પીએમ મોદીએ પોતાના ભાષણમાં કર્યો હતો. વધુમાં તેમણે કહ્યું કે તમે અહીંયા કોંગ્રેસની હાર પાક્કી કરી દીધી છે. આ સાથે છત્તીસગઢના 30% કક્કાની કારમી હાર પણ નિશ્ચિત છે. એટલે કે કક્કાની વિદાય પણ નિશ્ચિત છે. આજે ચારે બાજુથી સમાચાર આવી રહ્યા છે કે છત્તીસગઢના મુખ્યમંત્રી માટે ધારાસભ્ય બનવું પણ મુશ્કેલ બની ગયું છે. પોતાના ભાષણમાં પીએમ મોદીએ કહ્યું કે મોદી તમને દરેક સંકટમાંથી મુક્ત કરાવવા માંગે છે. તેથી જ કોંગ્રેસ મોદીને પણ નફરત કરે છે. કોંગ્રેસની આ નફરત એટલી વધી ગઈ છે કે તે મોદીની જાતિને પણ નફરત કરવા લાગી છે. છેલ્લા કેટલાય મહિનાઓથી કોંગ્રેસ મોદીના નામે સમગ્ર ઓબીસી સમુદાયને અપમાનિત કરી રહી છે. કોંગ્રેસ દુર્વ્યવહાર અને સ્ટિંગ માટે ઓબીસી સમુદાયની માફી માંગવાનો પણ ઇનકાર કરી રહી છે. 



પીએમ મોદી ગઈકાલથી ગુજરાતમાં છે. ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે. અનેક લોકસભા બેઠકો પર પીએમ મોદીએ પ્રચાર કર્યો છે. ત્યારે જામનગરમાં તેમણે પ્રચાર કર્યો હતો. સભા પહેલા તે જામસાહેબને મળવા પહોંચ્યા હતા.

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા મનસુખ વસાવાને ટિકીટ આપવામાં આવી છે તો ઈન્ડિયા ગઠબંધન દ્વારા ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે. ત્યારે જમાવટની ટીમે બંને ઉમેદવારને ફોન કરવામાં આવ્યો અને તેમનું વિઝન જાણવાની કોશિશ કરી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સમય આપણે એટલો બધો વિતાવીએ છીએ કે આપણને ખબર નથી હોતી. મોબાઈલમાં આપણે એટલા બધા વ્યસ્ત હોઈએ છીએ કે આપણને આસપાસ શું થાય છે તેની ખબર નથી હોતી. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સોશિયલ મીડિયાની દુનિયાને સમર્પિત રચના..

ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે.. ત્યારે રાજ્યના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.. પોરબંદર, ભાવનગર, દીવ, કચ્છ, વલસાડ, કચ્છ, મોરબી, જામનગર સહિતના ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.