કેવડિયા કોલોનીમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવની ઉપસ્થિતિમાં PM મોદીએ મિશન લાઈફ કર્યું લોન્ચ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 14:09:55

ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપનો પ્રચાર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. હાલ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. પોતાના પ્રવાસ દરમિયાન અનેક વિકાસલક્ષી કાર્યોની ભેટ તેઓ આપી રહ્યા છે . પ્રવાસના બીજા દિવસ દરમિયાન વડાપ્રધાન મોદી કેવડિયા ખાતે મિશન લાઈફનું લોન્ચિંગ કર્યું છે. લાઈફસ્ટાઈલ ફોર એન્વાયર્નમેન્ટ અને હેડ ઓફ મિશનની કોન્ફરન્સમાં યુનોના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ પણ ઉપસ્થિત રહ્યા હતા.

  

મિશન લાઈફનો મંત્ર લાઈફસ્ટાઈલ ફોર એન્વાયર્નમેન્ટ - પીએમ  

પોતાના સંબોધનમાં વડાપ્રધાને કહ્યું કે પર્યાવરણ અનુકુળ જીવન એ જ મિશન લાઈફનો મંત્ર છે. જીવન શૈલી બદલીને પર્યાવરણનું રક્ષણ કરી શકાય છે. ધરતીની સુરક્ષા કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારતમાં હજારો વર્ષોથી પ્રકૃતિની પૂજા કરવાની પરંપરા છે. ક્લાયમેટ ચેનજ જેવી વૈશ્વિક આપદા સામે લડવામાં ભારત સૌથી આગળ છે.


જિંદગીમાં થોડો ફેરફાર લાવી પર્યાવરણની રક્ષા કરી શકાય - પીએમ  

વધુમાં તેમણે કહ્યું કે એક ધારણા બનાવામાં આવી હતી કે આબોહવા પરિવર્તનએ માત્ર નીતિ સંબંધિત મુદ્દો છે અને તે અંગે સરકારો અથવા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પગલાં લેશે. પરંતુ હવે લોકો આબોહવા પરિવર્તનની અસર અનુભવી રહ્યા છે. કેટલાક લોકો ACનું તાપમાન 17 ડિગ્રી કરી દેતા હોય છે, જેનાથી પર્યાવરણને ખરાબ અસર થઈ રહી છે. જીમ જતી વખતે સાયકલનો ઉપયોગ કરવા પણ તેમણે પહેલ કરી છે. આપણી જીવનશૈલીમાં થોડો બદલાવ લાવવાથી ઘણો ફરક પડી શકે છે. આપણું થોકુક પર્યાવરણ માટે ઘણું અસરકારક સાબિત થઈ શકે છે.

 

શું છે LiFE?

ગયા વર્ષે એટલે કે 2021માં જ્યારે 26મી યુનાઈટેડ નેશન્સ ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ મળી હતી તે દરમિયાન વડાપ્રધાન મોદીએ આનો પ્રસ્તાવ મુક્યો હતો. તેમણે LIFEનો વિચાર રજૂ કર્યો હતો. પીએમએ પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અપનાવીને પર્યાવરણને બચાવવા માટે આંદોલનમાં જોડાવા વૈશ્વિક સ્તરે આહ્વાન કર્યું હતું. જે બાદ કેવડિયા ખાતેથી આ  મિશનની શરૂઆત થઈ છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.