કેવડિયા કોલોનીમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવની ઉપસ્થિતિમાં PM મોદીએ મિશન લાઈફ કર્યું લોન્ચ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 14:09:55

ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપનો પ્રચાર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. હાલ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. પોતાના પ્રવાસ દરમિયાન અનેક વિકાસલક્ષી કાર્યોની ભેટ તેઓ આપી રહ્યા છે . પ્રવાસના બીજા દિવસ દરમિયાન વડાપ્રધાન મોદી કેવડિયા ખાતે મિશન લાઈફનું લોન્ચિંગ કર્યું છે. લાઈફસ્ટાઈલ ફોર એન્વાયર્નમેન્ટ અને હેડ ઓફ મિશનની કોન્ફરન્સમાં યુનોના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ પણ ઉપસ્થિત રહ્યા હતા.

  

મિશન લાઈફનો મંત્ર લાઈફસ્ટાઈલ ફોર એન્વાયર્નમેન્ટ - પીએમ  

પોતાના સંબોધનમાં વડાપ્રધાને કહ્યું કે પર્યાવરણ અનુકુળ જીવન એ જ મિશન લાઈફનો મંત્ર છે. જીવન શૈલી બદલીને પર્યાવરણનું રક્ષણ કરી શકાય છે. ધરતીની સુરક્ષા કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારતમાં હજારો વર્ષોથી પ્રકૃતિની પૂજા કરવાની પરંપરા છે. ક્લાયમેટ ચેનજ જેવી વૈશ્વિક આપદા સામે લડવામાં ભારત સૌથી આગળ છે.


જિંદગીમાં થોડો ફેરફાર લાવી પર્યાવરણની રક્ષા કરી શકાય - પીએમ  

વધુમાં તેમણે કહ્યું કે એક ધારણા બનાવામાં આવી હતી કે આબોહવા પરિવર્તનએ માત્ર નીતિ સંબંધિત મુદ્દો છે અને તે અંગે સરકારો અથવા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પગલાં લેશે. પરંતુ હવે લોકો આબોહવા પરિવર્તનની અસર અનુભવી રહ્યા છે. કેટલાક લોકો ACનું તાપમાન 17 ડિગ્રી કરી દેતા હોય છે, જેનાથી પર્યાવરણને ખરાબ અસર થઈ રહી છે. જીમ જતી વખતે સાયકલનો ઉપયોગ કરવા પણ તેમણે પહેલ કરી છે. આપણી જીવનશૈલીમાં થોડો બદલાવ લાવવાથી ઘણો ફરક પડી શકે છે. આપણું થોકુક પર્યાવરણ માટે ઘણું અસરકારક સાબિત થઈ શકે છે.

 

શું છે LiFE?

ગયા વર્ષે એટલે કે 2021માં જ્યારે 26મી યુનાઈટેડ નેશન્સ ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ મળી હતી તે દરમિયાન વડાપ્રધાન મોદીએ આનો પ્રસ્તાવ મુક્યો હતો. તેમણે LIFEનો વિચાર રજૂ કર્યો હતો. પીએમએ પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અપનાવીને પર્યાવરણને બચાવવા માટે આંદોલનમાં જોડાવા વૈશ્વિક સ્તરે આહ્વાન કર્યું હતું. જે બાદ કેવડિયા ખાતેથી આ  મિશનની શરૂઆત થઈ છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.