ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે 19 નવેમ્બરે થશે મહામુકાબલો, ફાઈનલ મેચ જોવા PM મોદી પહોંચશે અમદાવાદ


  • Published By :
  • Published Date : 2023-11-16 22:35:11

ભારતીય ટીમ 19 નવેમ્બરે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રમવા માટે અમદાવાદ પહોંચી ગઈ છે. ભારતીય ટીમ આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમશે. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે થશે મહા મુકાબલો યોજાશે. ઉલ્લેખનિય છે બીજી સેમિફાઇનલ ગુરુવારે (16 નવેમ્બર) કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ હતી. ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી, જેમાં ફરી એકવાર આફ્રિકન ટીમ ચોકર સાબિત થઈ હતી અને સેમિફાઈનલ મેચ 3 વિકેટથી હારી ગઈ હતી. હવે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચને લઈને ચાહકોમાં પહેલેથી જ જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે  વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્લ્ડ કપની ફાઇનલ મેચ જોવા માટે અમદાવાદ સ્ટેડિયમ પહોંચી શકે છે. મળતી જાણકારી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે આ મેચ જોવા માટે અમદાવાદમાં હાજર રહેશે. પીએમ મોદી સ્ટેડિયમમાં ઉપસ્થિત રહીને ખેલાડીઓનો ઉત્સાહ વધારશે. આ પહેલા ટીમ સેમી ફાઇનલમાં જીત્યા બાદ નરેન્દ્ર મોદીએ ખેલાડીઓને ફાઇનલમાં પહોંચવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.


ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે થશે મહા મુકાબલો 


ICC વર્લ્ડ કપ 2023 ની બીજી સેમિફાઇનલ ગુરુવારે (16 નવેમ્બર) કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ હતી. ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી, જેમાં ફરી એકવાર આફ્રિકન ટીમ ચોકર સાબિત થઈ હતી અને સેમિફાઈનલ મેચ 3 વિકેટથી હારી ગઈ હતી.આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 213 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં કાંગારૂ ટીમે 47.2 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. જોકે, જો કે આ મેચ જીતવા માટે ઓસ્ટ્રેલિયાની ટીમે પરસેવો પાડવો પડ્યો હતો, કારણ કે આફ્રિકાએ માત્ર 174 રનમાં 6 વિકેટ ઝડપી હતી. હવે આ મેચ જીતીને ઓસ્ટ્રેલિયન ટીમે ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. હવે ફાઈનલ મેચ 19મી નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ ફાઇનલમાં કાંગારૂનો મુકાબલો ભારતીય ટીમ સાથે થશે. ઓસ્ટ્રેલિયા 8મી વખત ફાઈનલ રમશે. જ્યારે વર્લ્ડ કપમાં ભારતીય ટીમની આ ચોથી ટાઈટલ મેચ હશે.


ભારતીય ટીમ ચોથી વખત ફાઇનલમાં પહોંચી


ભારતીય ટીમ ચોથી વખત ફાઇનલમાં પહોંચી છે. આ પહેલા વનડે વર્લ્ડ કપમાં ભારતીય ટીમ ત્રણ વખત ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી હતી. વર્ષ 1983માં ભારતે કપિલ દેવની કપ્તાનીમાં પ્રથમ વખત વર્લ્ડ કપ જીત્યો હતો. વર્ષ 2003માં સૌરવ ગાંગુલીની કપ્તાનીમાં ભારતીય ટીમ જીત નોંધાવવામાં નિષ્ફળ રહી હતી. પરંતુ વર્ષ 2011માં મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ભારતે ફરી એકવાર ટ્રોફી પર કબજો કર્યો હતો. 


ટીમ ઈન્ડિયા પહોંચી અમદાવાદ


વર્લ્ડકપની ફાઇનલ મેચ 19 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, તેથી ભારતીય ક્રિકેટ ટીમ આજે અમદાવાદ પહોંચી હતી. ટીમ ઇન્ડિયા ITC નર્મદા હોટલમાં રોકાઇ છે. એરપોર્ટથી હોટલ સુધી કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."