ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે 19 નવેમ્બરે થશે મહામુકાબલો, ફાઈનલ મેચ જોવા PM મોદી પહોંચશે અમદાવાદ


  • Published By :
  • Published Date : 2023-11-16 22:35:11

ભારતીય ટીમ 19 નવેમ્બરે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રમવા માટે અમદાવાદ પહોંચી ગઈ છે. ભારતીય ટીમ આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમશે. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે થશે મહા મુકાબલો યોજાશે. ઉલ્લેખનિય છે બીજી સેમિફાઇનલ ગુરુવારે (16 નવેમ્બર) કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ હતી. ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી, જેમાં ફરી એકવાર આફ્રિકન ટીમ ચોકર સાબિત થઈ હતી અને સેમિફાઈનલ મેચ 3 વિકેટથી હારી ગઈ હતી. હવે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચને લઈને ચાહકોમાં પહેલેથી જ જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે  વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્લ્ડ કપની ફાઇનલ મેચ જોવા માટે અમદાવાદ સ્ટેડિયમ પહોંચી શકે છે. મળતી જાણકારી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે આ મેચ જોવા માટે અમદાવાદમાં હાજર રહેશે. પીએમ મોદી સ્ટેડિયમમાં ઉપસ્થિત રહીને ખેલાડીઓનો ઉત્સાહ વધારશે. આ પહેલા ટીમ સેમી ફાઇનલમાં જીત્યા બાદ નરેન્દ્ર મોદીએ ખેલાડીઓને ફાઇનલમાં પહોંચવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.


ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે થશે મહા મુકાબલો 


ICC વર્લ્ડ કપ 2023 ની બીજી સેમિફાઇનલ ગુરુવારે (16 નવેમ્બર) કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ હતી. ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી, જેમાં ફરી એકવાર આફ્રિકન ટીમ ચોકર સાબિત થઈ હતી અને સેમિફાઈનલ મેચ 3 વિકેટથી હારી ગઈ હતી.આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 213 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં કાંગારૂ ટીમે 47.2 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. જોકે, જો કે આ મેચ જીતવા માટે ઓસ્ટ્રેલિયાની ટીમે પરસેવો પાડવો પડ્યો હતો, કારણ કે આફ્રિકાએ માત્ર 174 રનમાં 6 વિકેટ ઝડપી હતી. હવે આ મેચ જીતીને ઓસ્ટ્રેલિયન ટીમે ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. હવે ફાઈનલ મેચ 19મી નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ ફાઇનલમાં કાંગારૂનો મુકાબલો ભારતીય ટીમ સાથે થશે. ઓસ્ટ્રેલિયા 8મી વખત ફાઈનલ રમશે. જ્યારે વર્લ્ડ કપમાં ભારતીય ટીમની આ ચોથી ટાઈટલ મેચ હશે.


ભારતીય ટીમ ચોથી વખત ફાઇનલમાં પહોંચી


ભારતીય ટીમ ચોથી વખત ફાઇનલમાં પહોંચી છે. આ પહેલા વનડે વર્લ્ડ કપમાં ભારતીય ટીમ ત્રણ વખત ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી હતી. વર્ષ 1983માં ભારતે કપિલ દેવની કપ્તાનીમાં પ્રથમ વખત વર્લ્ડ કપ જીત્યો હતો. વર્ષ 2003માં સૌરવ ગાંગુલીની કપ્તાનીમાં ભારતીય ટીમ જીત નોંધાવવામાં નિષ્ફળ રહી હતી. પરંતુ વર્ષ 2011માં મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ભારતે ફરી એકવાર ટ્રોફી પર કબજો કર્યો હતો. 


ટીમ ઈન્ડિયા પહોંચી અમદાવાદ


વર્લ્ડકપની ફાઇનલ મેચ 19 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, તેથી ભારતીય ક્રિકેટ ટીમ આજે અમદાવાદ પહોંચી હતી. ટીમ ઇન્ડિયા ITC નર્મદા હોટલમાં રોકાઇ છે. એરપોર્ટથી હોટલ સુધી કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.