ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે 19 નવેમ્બરે થશે મહામુકાબલો, ફાઈનલ મેચ જોવા PM મોદી પહોંચશે અમદાવાદ


  • Published By :
  • Published Date : 2023-11-16 22:35:11

ભારતીય ટીમ 19 નવેમ્બરે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રમવા માટે અમદાવાદ પહોંચી ગઈ છે. ભારતીય ટીમ આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમશે. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે થશે મહા મુકાબલો યોજાશે. ઉલ્લેખનિય છે બીજી સેમિફાઇનલ ગુરુવારે (16 નવેમ્બર) કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ હતી. ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી, જેમાં ફરી એકવાર આફ્રિકન ટીમ ચોકર સાબિત થઈ હતી અને સેમિફાઈનલ મેચ 3 વિકેટથી હારી ગઈ હતી. હવે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચને લઈને ચાહકોમાં પહેલેથી જ જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે  વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્લ્ડ કપની ફાઇનલ મેચ જોવા માટે અમદાવાદ સ્ટેડિયમ પહોંચી શકે છે. મળતી જાણકારી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે આ મેચ જોવા માટે અમદાવાદમાં હાજર રહેશે. પીએમ મોદી સ્ટેડિયમમાં ઉપસ્થિત રહીને ખેલાડીઓનો ઉત્સાહ વધારશે. આ પહેલા ટીમ સેમી ફાઇનલમાં જીત્યા બાદ નરેન્દ્ર મોદીએ ખેલાડીઓને ફાઇનલમાં પહોંચવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.


ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે થશે મહા મુકાબલો 


ICC વર્લ્ડ કપ 2023 ની બીજી સેમિફાઇનલ ગુરુવારે (16 નવેમ્બર) કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ હતી. ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી, જેમાં ફરી એકવાર આફ્રિકન ટીમ ચોકર સાબિત થઈ હતી અને સેમિફાઈનલ મેચ 3 વિકેટથી હારી ગઈ હતી.આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 213 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં કાંગારૂ ટીમે 47.2 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. જોકે, જો કે આ મેચ જીતવા માટે ઓસ્ટ્રેલિયાની ટીમે પરસેવો પાડવો પડ્યો હતો, કારણ કે આફ્રિકાએ માત્ર 174 રનમાં 6 વિકેટ ઝડપી હતી. હવે આ મેચ જીતીને ઓસ્ટ્રેલિયન ટીમે ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. હવે ફાઈનલ મેચ 19મી નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ ફાઇનલમાં કાંગારૂનો મુકાબલો ભારતીય ટીમ સાથે થશે. ઓસ્ટ્રેલિયા 8મી વખત ફાઈનલ રમશે. જ્યારે વર્લ્ડ કપમાં ભારતીય ટીમની આ ચોથી ટાઈટલ મેચ હશે.


ભારતીય ટીમ ચોથી વખત ફાઇનલમાં પહોંચી


ભારતીય ટીમ ચોથી વખત ફાઇનલમાં પહોંચી છે. આ પહેલા વનડે વર્લ્ડ કપમાં ભારતીય ટીમ ત્રણ વખત ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી હતી. વર્ષ 1983માં ભારતે કપિલ દેવની કપ્તાનીમાં પ્રથમ વખત વર્લ્ડ કપ જીત્યો હતો. વર્ષ 2003માં સૌરવ ગાંગુલીની કપ્તાનીમાં ભારતીય ટીમ જીત નોંધાવવામાં નિષ્ફળ રહી હતી. પરંતુ વર્ષ 2011માં મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ભારતે ફરી એકવાર ટ્રોફી પર કબજો કર્યો હતો. 


ટીમ ઈન્ડિયા પહોંચી અમદાવાદ


વર્લ્ડકપની ફાઇનલ મેચ 19 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, તેથી ભારતીય ક્રિકેટ ટીમ આજે અમદાવાદ પહોંચી હતી. ટીમ ઇન્ડિયા ITC નર્મદા હોટલમાં રોકાઇ છે. એરપોર્ટથી હોટલ સુધી કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.



ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?