ISROની મુલાકાતે PM Modi, ગગનયાન મિશનના ચારેય એસ્ટ્રૉનૉટ્સના નામ આવ્યા સામે, ભારતીયો માટે પીએમ મોદીએ કહી આ વાત...


  • Published By :
  • Published Date : 2024-02-27 16:26:16

ભારત વિજ્ઞાન ક્ષેત્રમાં પણ સતત આગળ વધી રહ્યો છે. છેલ્લા થોડા સમયની અંદર ભારત દ્વારા એવા અનેક પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યા જેને કારણે ભારતના વખાણ દુનિયામાં થવા લાગ્યા.! આ બધા વચ્ચે આજે પીએમ મોદી કેરળના તિરૂવનંતપુરમ પહોંચ્યા હતા.પીએમ મોદીએ ગગનયાનના ચાર અવકાશયાત્રીઓને અવકાશયાત્રીની પાંખો એટલે કે એસ્ટ્રૉનૉટ્સ વિંગ્સ પહેરાવ્યા હતા. જે ચાર અવકાશયાત્રીઓના નામની જાહેરાત કરવામાં આવી છે. કેપ્ટન પ્રશાંત નાયર, અંગદ પ્રતાપ, અજીત કૃષ્ણન અને વિંગ કમાન્ડર શુભાંશુ શુક્લા છે. પીએમ મોદીએ દુનિયા સામે ભારતના અંતરિક્ષયાનીઓનો પરિચય કરાવ્યો. 

ગગનયાન માટે અવકાશયાત્રીના નામ જાહેર કરાયા! 

પીએમ મોદીએ આજે તિરૂવનંતપુરમ સ્થિત ઈસરોના સૌથી મોટા તેમજ મહત્વપૂર્ણ કેન્દ્ર વીએસએસસી એટલે કે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરની મુલાકાત લીધી હતી. પીએમ મોદીની સાથે સાથે મુખ્યમંત્રી, રાજ્યમંત્રી પણ હાજર રહ્યા હતા. પીએમની સાથે ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથ પણ હાજર હતા. પોતાની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ નામોની જાહેરાત કરી જે અંતરિક્ષમાં જવાના છે. ઈસરોના ગગનયાન મિશન માટે ચાર એસ્ટ્રોનટના નામની જાહેરાત કરવામાં આવી છે. કેપ્ટન પ્રશાંત નાયર, અંગદ પ્રતાપ, અજીત કૃષ્ણન અને વિંગ કમાન્ડર શુભાંશુ શુક્લા છે. જેમને અંતરિક્ષમાં મોકલવામાં  આવી રહ્યા છે તે ચારેય અવકાશી તમામ પ્રકારના ફાઈટર જેટ ઉડાવવામાં માહેર છે.  


40 વર્ષ બાદ કોઈ ભારતીય સ્પેસમાં જવાના છે - પીએમ મોદી 

ઈસરોની મુલાકાતે ગયેલા પીએમ મોદીએ કહ્યું કે આજે આપણે સૌ એક ઐતિહાસિક સફરના સાક્ષી બની રહ્યા છીએ. દેશને પહેલીવાર પોતાના ચાર ગગનયાન યાત્રીઓથી પરિચય થયો. આ માત્ર ચાર નામ અને ચાર લોકો નથી, આ 140 કરોડ આકાંક્ષાઓને સ્પેસમાં લઈ જનારી ચાર શક્તિઓ છે. 40 વર્ષ બાદ કોઈ ભારતીય સ્પેસમાં જવાના છે. પરંતુ આ વખતે ટાઈમ પણ આપણો છે, કાઉન્ટડાઉન પણ આપણું છે અને રોકેટ પણ આપણા છે.



રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .