ISROની મુલાકાતે PM Modi, ગગનયાન મિશનના ચારેય એસ્ટ્રૉનૉટ્સના નામ આવ્યા સામે, ભારતીયો માટે પીએમ મોદીએ કહી આ વાત...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-27 16:26:16

ભારત વિજ્ઞાન ક્ષેત્રમાં પણ સતત આગળ વધી રહ્યો છે. છેલ્લા થોડા સમયની અંદર ભારત દ્વારા એવા અનેક પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યા જેને કારણે ભારતના વખાણ દુનિયામાં થવા લાગ્યા.! આ બધા વચ્ચે આજે પીએમ મોદી કેરળના તિરૂવનંતપુરમ પહોંચ્યા હતા.પીએમ મોદીએ ગગનયાનના ચાર અવકાશયાત્રીઓને અવકાશયાત્રીની પાંખો એટલે કે એસ્ટ્રૉનૉટ્સ વિંગ્સ પહેરાવ્યા હતા. જે ચાર અવકાશયાત્રીઓના નામની જાહેરાત કરવામાં આવી છે. કેપ્ટન પ્રશાંત નાયર, અંગદ પ્રતાપ, અજીત કૃષ્ણન અને વિંગ કમાન્ડર શુભાંશુ શુક્લા છે. પીએમ મોદીએ દુનિયા સામે ભારતના અંતરિક્ષયાનીઓનો પરિચય કરાવ્યો. 

ગગનયાન માટે અવકાશયાત્રીના નામ જાહેર કરાયા! 

પીએમ મોદીએ આજે તિરૂવનંતપુરમ સ્થિત ઈસરોના સૌથી મોટા તેમજ મહત્વપૂર્ણ કેન્દ્ર વીએસએસસી એટલે કે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરની મુલાકાત લીધી હતી. પીએમ મોદીની સાથે સાથે મુખ્યમંત્રી, રાજ્યમંત્રી પણ હાજર રહ્યા હતા. પીએમની સાથે ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથ પણ હાજર હતા. પોતાની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ નામોની જાહેરાત કરી જે અંતરિક્ષમાં જવાના છે. ઈસરોના ગગનયાન મિશન માટે ચાર એસ્ટ્રોનટના નામની જાહેરાત કરવામાં આવી છે. કેપ્ટન પ્રશાંત નાયર, અંગદ પ્રતાપ, અજીત કૃષ્ણન અને વિંગ કમાન્ડર શુભાંશુ શુક્લા છે. જેમને અંતરિક્ષમાં મોકલવામાં  આવી રહ્યા છે તે ચારેય અવકાશી તમામ પ્રકારના ફાઈટર જેટ ઉડાવવામાં માહેર છે.  


40 વર્ષ બાદ કોઈ ભારતીય સ્પેસમાં જવાના છે - પીએમ મોદી 

ઈસરોની મુલાકાતે ગયેલા પીએમ મોદીએ કહ્યું કે આજે આપણે સૌ એક ઐતિહાસિક સફરના સાક્ષી બની રહ્યા છીએ. દેશને પહેલીવાર પોતાના ચાર ગગનયાન યાત્રીઓથી પરિચય થયો. આ માત્ર ચાર નામ અને ચાર લોકો નથી, આ 140 કરોડ આકાંક્ષાઓને સ્પેસમાં લઈ જનારી ચાર શક્તિઓ છે. 40 વર્ષ બાદ કોઈ ભારતીય સ્પેસમાં જવાના છે. પરંતુ આ વખતે ટાઈમ પણ આપણો છે, કાઉન્ટડાઉન પણ આપણું છે અને રોકેટ પણ આપણા છે.



ગુજરાતમાં થોડા વર્ષો પહેલા પાટીદાર અનામત આંદોલન થયું હતું. સરકાર સામે આંદોલન શરૂ કરવા વાળા અનેક નેતાઓ રાજકીય પાર્ટીમાં જોડાઈ ગયા છે.. કોઈ ભાજપમાં તો કોઈ બીજી અન્ય પાર્ટીમાં જોડાઈ ગયા છે...

વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.