Rajasthanના પ્રવાસે પીએમ મોદી, પેપર લીક કરનારાઓ માટે પીએમે કહી આ વાત, સાંભળો...


  • Published By :
  • Published Date : 2023-10-02 13:29:29

આગામી સમયમાં રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી રાજકીય પાર્ટીઓ દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. પીએમ મોદી પોતે ચૂંટણી પ્રચાર કરવા મેદાનમાં આવ્યા છે. અલગ અલગ વાતોને ધ્યાનમાં રાખી ચૂંટણી લડાતી હોય છે ત્યારે રાજસ્થાનમાં મુખ્ય મુદ્દો જાણે પેપર લીકનો બની ગયો હોય તેવું લાગે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ રાજસ્થાનના પ્રવાસે છે. જનસંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે "પેપર લીક કરનારાને પાતાળથી પણ શોધી લાવીશું" આની પહેલા પણ જ્યારે પીએમ મોદી રાજસ્થાન ગયા હતા ત્યારે તેમણે તે વખતે પણ પેપર લીકનો મુદ્દો ઉઠાવ્યો હતો.    


રાજસ્થાનના યુવાનોને પીએમ મોદીએ આપી ગેરંટી!

2024માં લોકસભા ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટીઓ દ્વારા ચૂંટણી પ્રચારનો પ્રારંભ શરૂ થઈ ગયો છે. રાજસ્થાનમાં પીએમ મોદી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે જેમાં રાજસ્થાનની કોંગ્રેસ સરકાર પર તેઓ આક્રામક બન્યા છે. અલગ અલગ મુદ્દાઓને લઈ ગેહલોત સરકાર પર પ્રહાર કર્યા છે. આની પહેલા જ્યારે રાજસ્થાનના પ્રવાસે પીએમ મોદી ગયા હતા ત્યારે તેમણે પેપર લીકને લઈ સરકાર પર નિશાન સાધ્યું હતું. પેપર લીક કરનાર માટે તેમણે કડક સંદેશો આપ્યો હોય તેવું લાગે છે. આજે ચિત્તૌડગઢમાં પીએમ મોદી જનસભાને સંબોધી રહ્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે "પેપર લીક કરનારાને પાતાળથી પણ શોધી લાવીશું". રાજસ્થાનના યુવાનોને તેમણે ગેરંટી આપી છે.     



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.