Rajasthanના પ્રવાસે પીએમ મોદી, પેપર લીક કરનારાઓ માટે પીએમે કહી આ વાત, સાંભળો...


  • Published By :
  • Published Date : 2023-10-02 13:29:29

આગામી સમયમાં રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી રાજકીય પાર્ટીઓ દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. પીએમ મોદી પોતે ચૂંટણી પ્રચાર કરવા મેદાનમાં આવ્યા છે. અલગ અલગ વાતોને ધ્યાનમાં રાખી ચૂંટણી લડાતી હોય છે ત્યારે રાજસ્થાનમાં મુખ્ય મુદ્દો જાણે પેપર લીકનો બની ગયો હોય તેવું લાગે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ રાજસ્થાનના પ્રવાસે છે. જનસંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે "પેપર લીક કરનારાને પાતાળથી પણ શોધી લાવીશું" આની પહેલા પણ જ્યારે પીએમ મોદી રાજસ્થાન ગયા હતા ત્યારે તેમણે તે વખતે પણ પેપર લીકનો મુદ્દો ઉઠાવ્યો હતો.    


રાજસ્થાનના યુવાનોને પીએમ મોદીએ આપી ગેરંટી!

2024માં લોકસભા ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટીઓ દ્વારા ચૂંટણી પ્રચારનો પ્રારંભ શરૂ થઈ ગયો છે. રાજસ્થાનમાં પીએમ મોદી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે જેમાં રાજસ્થાનની કોંગ્રેસ સરકાર પર તેઓ આક્રામક બન્યા છે. અલગ અલગ મુદ્દાઓને લઈ ગેહલોત સરકાર પર પ્રહાર કર્યા છે. આની પહેલા જ્યારે રાજસ્થાનના પ્રવાસે પીએમ મોદી ગયા હતા ત્યારે તેમણે પેપર લીકને લઈ સરકાર પર નિશાન સાધ્યું હતું. પેપર લીક કરનાર માટે તેમણે કડક સંદેશો આપ્યો હોય તેવું લાગે છે. આજે ચિત્તૌડગઢમાં પીએમ મોદી જનસભાને સંબોધી રહ્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે "પેપર લીક કરનારાને પાતાળથી પણ શોધી લાવીશું". રાજસ્થાનના યુવાનોને તેમણે ગેરંટી આપી છે.     



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .