Rajasthanના પ્રવાસે પીએમ મોદી, પેપર લીક કરનારાઓ માટે પીએમે કહી આ વાત, સાંભળો...


  • Published By :
  • Published Date : 2023-10-02 13:29:29

આગામી સમયમાં રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી રાજકીય પાર્ટીઓ દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. પીએમ મોદી પોતે ચૂંટણી પ્રચાર કરવા મેદાનમાં આવ્યા છે. અલગ અલગ વાતોને ધ્યાનમાં રાખી ચૂંટણી લડાતી હોય છે ત્યારે રાજસ્થાનમાં મુખ્ય મુદ્દો જાણે પેપર લીકનો બની ગયો હોય તેવું લાગે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ રાજસ્થાનના પ્રવાસે છે. જનસંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે "પેપર લીક કરનારાને પાતાળથી પણ શોધી લાવીશું" આની પહેલા પણ જ્યારે પીએમ મોદી રાજસ્થાન ગયા હતા ત્યારે તેમણે તે વખતે પણ પેપર લીકનો મુદ્દો ઉઠાવ્યો હતો.    


રાજસ્થાનના યુવાનોને પીએમ મોદીએ આપી ગેરંટી!

2024માં લોકસભા ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટીઓ દ્વારા ચૂંટણી પ્રચારનો પ્રારંભ શરૂ થઈ ગયો છે. રાજસ્થાનમાં પીએમ મોદી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે જેમાં રાજસ્થાનની કોંગ્રેસ સરકાર પર તેઓ આક્રામક બન્યા છે. અલગ અલગ મુદ્દાઓને લઈ ગેહલોત સરકાર પર પ્રહાર કર્યા છે. આની પહેલા જ્યારે રાજસ્થાનના પ્રવાસે પીએમ મોદી ગયા હતા ત્યારે તેમણે પેપર લીકને લઈ સરકાર પર નિશાન સાધ્યું હતું. પેપર લીક કરનાર માટે તેમણે કડક સંદેશો આપ્યો હોય તેવું લાગે છે. આજે ચિત્તૌડગઢમાં પીએમ મોદી જનસભાને સંબોધી રહ્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે "પેપર લીક કરનારાને પાતાળથી પણ શોધી લાવીશું". રાજસ્થાનના યુવાનોને તેમણે ગેરંટી આપી છે.     



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે