Rajasthanના પ્રવાસે પીએમ મોદી, પેપર લીક કરનારાઓ માટે પીએમે કહી આ વાત, સાંભળો...


  • Published By :
  • Published Date : 2023-10-02 13:29:29

આગામી સમયમાં રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી રાજકીય પાર્ટીઓ દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. પીએમ મોદી પોતે ચૂંટણી પ્રચાર કરવા મેદાનમાં આવ્યા છે. અલગ અલગ વાતોને ધ્યાનમાં રાખી ચૂંટણી લડાતી હોય છે ત્યારે રાજસ્થાનમાં મુખ્ય મુદ્દો જાણે પેપર લીકનો બની ગયો હોય તેવું લાગે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ રાજસ્થાનના પ્રવાસે છે. જનસંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે "પેપર લીક કરનારાને પાતાળથી પણ શોધી લાવીશું" આની પહેલા પણ જ્યારે પીએમ મોદી રાજસ્થાન ગયા હતા ત્યારે તેમણે તે વખતે પણ પેપર લીકનો મુદ્દો ઉઠાવ્યો હતો.    


રાજસ્થાનના યુવાનોને પીએમ મોદીએ આપી ગેરંટી!

2024માં લોકસભા ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટીઓ દ્વારા ચૂંટણી પ્રચારનો પ્રારંભ શરૂ થઈ ગયો છે. રાજસ્થાનમાં પીએમ મોદી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે જેમાં રાજસ્થાનની કોંગ્રેસ સરકાર પર તેઓ આક્રામક બન્યા છે. અલગ અલગ મુદ્દાઓને લઈ ગેહલોત સરકાર પર પ્રહાર કર્યા છે. આની પહેલા જ્યારે રાજસ્થાનના પ્રવાસે પીએમ મોદી ગયા હતા ત્યારે તેમણે પેપર લીકને લઈ સરકાર પર નિશાન સાધ્યું હતું. પેપર લીક કરનાર માટે તેમણે કડક સંદેશો આપ્યો હોય તેવું લાગે છે. આજે ચિત્તૌડગઢમાં પીએમ મોદી જનસભાને સંબોધી રહ્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે "પેપર લીક કરનારાને પાતાળથી પણ શોધી લાવીશું". રાજસ્થાનના યુવાનોને તેમણે ગેરંટી આપી છે.     



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.