PM મોદી ગુજરાત આવવા પહેલા મધ્યપ્રદેશથી રાજસ્થાનની સફરમાં કૉંગ્રસ પર કર્યા આકરા પ્રહારો


  • Published By :
  • Published Date : 2023-09-25 22:34:46

દેશમાં ચોમાસુ વિદાઈ લઇ રહ્યું છે, અને કડાકાભડાકા સાથે ચૂંટણીનું આગમન થઇ રહ્યું છે, અને આ ચૂંટણીની મોસમ આજે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આવી પહોચી હોવાનું અનુમાન રાજનીતીની અગાહી કરતા તજજ્ઞોએ જણાવી દીધું છે, દિલ્હીમાં રહેતા પ્રધાનમંત્રી આવતીકાલે 26 સપ્ટેમ્બરે ગુજરાત આવવાના છે. તે પહેલા આજે સવારથી PM નરેન્દ્ર મોદીએ રસ્તામાં આવતા મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કૉંગ્રેસને આડે હાથ લીઘી હતી. 


શું કહ્યું આ બે રાજ્યોની મુલાકાત દરમ્યાન?


આ બે રાજ્યોમાં સભા ગર્જાવી તે પહેલા રવિવારે એમણે દેશમાં 9 જેટલી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાડી પ્રજાની સેવામાં મૂકી હતી, અને આજે સવારે તેમણે ભોપાલમાં કાર્યકર્તા મહાકુંભમાં ભાજપના કાર્યકર્તાઓને સંબોધતા કૉંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.   


''મધ્યપ્રદેશમાં BJPને 20 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે એટલે જે  યુવાનો પહેલી વાર વોટ કરશે, તેઓ ભાગ્યશાળી છે. તેમણે કૉંગ્રેસની કુનીતી, કુશાસન, કરપશન વાળી સરકાર નથી જોઈ, આઝાદી બાદ કોંગ્રેસે મધ્યપ્રદેશને બિમારૂ બનાવી દીધું''


''

વિકાસની ગાડી MPના રસ્તાપરથી  ઉતરે નહિ, અટકે નહિ ભટકે નહિ તે જોવાનું છે, રાજસ્થાનમાં કોંગ્રેસે કઈ રીતે બરબાદ કર્યું, મહારાષ્ટ્રને ગઠબંધનમાં લુંટ્યું. આજે પુરી દુનિયા નિવેશ કરે છે, આ સમય MP- ભારતને વિકસિત કરવાનો છે,કોંગ્રેસ જેવી પાર્ટી, હજારો કરોડોનું કૌભાંડ કરતી, તુષ્ટિકરણ કરતી, પરિવાર વાળી પાર્ટીને જો થોડો પણ મોકો મળશે તો ખુબ મોટું નુકસાન થશે'' 


' 'કોંગ્રેસ પાસે ભવિષ્ય માટે વિચાર નથી બચ્યા, વરસાદમાં કટાઈ ગયેલું લોખંડ છે. વિકસિત ભારત સાથે જોડાયેલી તમામ યોજનાનો વિરોધ કરે છે.'' 

''કોંગ્રેસ પહેલા બરબાદ થઇ, પછી બેન્કકર્પટ થઇ અને હવે એવી બની છે જે નારા અને નીતિ આઉટસોર્સ કરાવે છે, અને આનો કોન્ટ્રાકટ અમુક અર્બન નક્સલીઓ પાસે છે''  

આવા નિવેદનોની ચર્ચા હજી ચાલી જ રહી હતી, ત્યાં પ્રધાનમંત્રી રાજસ્થાનમાં પરિવર્તન સંકલ્પ મહાસભામાં પહોંચ્યા. જ્યાં તેમણે ફરી કૉંગ્રેસના શાસન પર સવાલ ઉઠાવ્યા અને ચૂંટણીનો પ્રારંભ થઈ ચુક્યો છે તેની યાદ અપાવી.

અહીં નવા કારખાનાઓ લાગે, ફેક્ટરી લાગે, એ ખુબ જૂરૂરી છે, પણ જ્યાં પગલે પગલે કરપશન  હોય, સરકાર કટ અને કમિશનમાં વ્યસ્ત હોય. ત્યાં કોણ પૈસા લગાવે, જ્યાં સરેઆમ ગાળું કાપવાની ઘટના બને અને સરકાર મજબૂર હોય તેવા વાતાવરણમાં નિવેશ કઈ રીતે થાય? પણ આ સાધારણ અપરાધ નથી આ કોંગ્રેસની તુષ્ટિકરણની નીતિ છે, આંતકીઓને ખુલ્લી છૂટ આપે ત્યારે કાનૂનનો ડર કઈ રીતે રહે?

' 'જે કૉંગ્રેસીઓ મહિલા આરક્ષણની વાતો કરે છે, આ કામ તેઓ 30 વર્ષ પહેલા કરી શક્યા હોત, પણ કોંગ્રેસીઓ ક્યારેય નહોતા માંગતા કે મહિલાઓને 33% આરક્ષણ મળે, અને આજે પણ તેઓ સમર્થનમાં આવ્યા છે તે મનથી નથી આવ્યા પણ મહિલાઓના દબાવને કારણે આવ્યા છે, અને એટલે આ તમામ મહિલાઓએ યાદ રાખવાનું છે કે કોંગ્રસ અને તેમના સાથીઓ મહિલા આરક્ષણના ઘોર વિરોધી છે, અને આ ફેંસલાને પણ ભટકવાની કોશિશમાં છે, અને રાજસ્થાનના એન દેશની બહેનોએ ખુબ સતર્ક રહેવાની જરૂર છે''

આજે PMમાંથી BJP કાર્યકર્તાના અંદાજમાં જોવા મળ્યા


આજે જે પ્રકારના નિવેદનો આવ્યા તે સાંભળી લોકો એટલું તો જાણી જ ગયા કે પ્રધાનમંત્રીજી હવે BJP કાર્યકર્તા બની બન્ને રાજ્યમાં જે વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે તેમાં BJPએ પોતાનું સૌથી મોટુ પત્તુ ઉતારી દીધું છે, આ પહેલા જે ચૂંટણીઓ થઇ હતી તેમાં બહુમતી કોંગ્રેસ પાયે જ હતી, અને રાજસ્થાનમાં અત્યારે કોંગ્રેસની સરકાર છે તો બીજી તરફ શિવરાજસિંહ ચૌહાણ ઘણા વર્ષથી BJP તરફથી મુખ્યમંત્રી બની મધ્યપ્રદેશમાં શાસન કરી રહ્યા છે. હજી તો આ શરૂઆત થઇ છે, ઘણી બધી યોજનાઓ અને નિવેદનો પ્રજાના ભાગે આવવાના બાકી છે.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.