લોકસભા 2024 પહેલા PM મોદીની ગેરંટી-" મારા ત્રીજા કાર્યકાળમાં ભારત વિશ્વની ત્રીજી આર્થિક તાકાત બનશે"


  • Published By :
  • Published Date : 2023-07-26 22:46:52

દેશના રાજકીય પક્ષો આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે. કોંગ્રેસ સહિતના પક્ષોએ ભાજપનો મુકાબલો કરવા માટે 'INDIA'ગઠબંધન બનાવ્યું છે. પીએમ મોદીએ પણ વર્ષ 2024ની ચૂંટણી પહેલા મોટો દાવો કર્યો છે. દિલ્હીના પ્રગતિ મેદાનમાં ITPO કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરવા પહોંચેલા વડાપ્રધાન મોદીએ તેમના સંબોધનમાં કહ્યું હતું કે ભારત તેમના ત્રીજા કાર્યકાળમાં વિશ્વની ત્રીજી મોટી આર્થિક તાકાત બનશે. 


કાર્યક્રમમાં PM મોદીએ શું કહ્યું?


100 વર્ષ પહેલા જ્યારે ભારત આઝાદીની લડાઈ લડી રહ્યું હતું ત્યારે ત્રીજો દાયકો ખૂબ જ મહત્વપૂર્ણ હતો. એ જ રીતે આ સદીનો ત્રીજો દાયકો પણ એટલો જ મહત્વનો છે.


હું ભારતીયોને કહેવા માંગુ છું કે, 2024 પછી દેશની પ્રગતિની ગતિ વધુ ઝડપી થશે. તમે તમારા બધા સપના સાકાર થતા જોશો.


મારા ત્રીજા કાર્યકાળમાં ભારત ટોચની ત્રણ અર્થવ્યવસ્થાઓમાં ઊભું રહેશે, અને આ મોદીની ગેરંટી છે.


મારા પ્રથમ કાર્યકાળમાં ભારત અર્થતંત્રની દૃષ્ટિએ 10માં સ્થાને હતું. મારા બીજા કાર્યકાળમાં, તે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. આ ટ્રેક રેકોર્ડના આધારે, હું સુનિશ્ચિત કરું છું કે મારી ત્રીજી ટર્મમાં ભારતની અર્થવ્યવસ્થા વિશ્વના ટોચના ત્રણ દેશોમાં હશે.


દરેક ભારતીયને ભારત મંડપમ પર ગર્વ છે. તે ભારતની ઈચ્છાનું પ્રતિક છે અને નવા ભારતનું પ્રતિબિંબ છે.


ભારત ગરીબી દૂર કરી શકે છે અને તેની પાછળનો ખ્યાલ એ છે કે નીતિ આયોગના આંકડા દર્શાવે છે કે પાંચ વર્ષમાં 13.5 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. આંતરરાષ્ટ્રીય એજન્સીઓનું કહેવું છે કે ભારતમાં ગરીબી ખતમ થવાના આરે છે.


સૌથી મોટું કન્વેન્શન સેન્ટર દેશને સમર્પિત


વડાપ્રધાન મોદીએ સૌથી મોટું કન્વેન્શન સેન્ટર દેશને સમર્પિત કર્યું. આ સેન્ટરનું નામ ભારત મંડપમ રાખવામાં આવ્યું છે. 2700 કરોડ રુપિયના ખર્ચે આ પરિસર તૈયાર કરાયું છે. વડાપ્રધાને ઉદ્ઘાટન પહેલા પ્રગતિ મેદાન પહોંચ્યા અને ત્યાં ડ્રોન ઉડાવીને કન્વેન્શન સેન્ટરનું નામ દેખાડ્યું. સપ્ટેમ્બરમાં ભારતના નેતૃત્વમાં જી-20 નેતાઓની બેઠક મળશે, ત્યારે તેમની યજમાની માટે ભારત સંપૂર્ણપણે તૈયાર છે. IECC ભારત મંડપમના ઉદ્ઘાટના કાર્યક્રમમાં રાજનેતાઓઓથી લઈને ફિલ્મી સિતારાઓ પણ પહોંચ્યા. કાર્યક્રમમાં રાજનાથ સિંહ, નીતિન ગડકરી, પીયૂષ ગોયલ, અભિનેતા આમિર ખાન ઉપસ્થિત રહ્યાં. વડાપ્રધાન મોદીએ દિલ્હીના પ્રગતિ મેદાનમાં IECC કોમ્પ્લેક્સના ઉદ્ઘાટન દરમિયાન સ્મારક ટિકિટ અને સિક્કા પણ બહાર પાડ્યા.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.