લોકસભા 2024 પહેલા PM મોદીની ગેરંટી-" મારા ત્રીજા કાર્યકાળમાં ભારત વિશ્વની ત્રીજી આર્થિક તાકાત બનશે"


  • Published By :
  • Published Date : 2023-07-26 22:46:52

દેશના રાજકીય પક્ષો આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે. કોંગ્રેસ સહિતના પક્ષોએ ભાજપનો મુકાબલો કરવા માટે 'INDIA'ગઠબંધન બનાવ્યું છે. પીએમ મોદીએ પણ વર્ષ 2024ની ચૂંટણી પહેલા મોટો દાવો કર્યો છે. દિલ્હીના પ્રગતિ મેદાનમાં ITPO કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરવા પહોંચેલા વડાપ્રધાન મોદીએ તેમના સંબોધનમાં કહ્યું હતું કે ભારત તેમના ત્રીજા કાર્યકાળમાં વિશ્વની ત્રીજી મોટી આર્થિક તાકાત બનશે. 


કાર્યક્રમમાં PM મોદીએ શું કહ્યું?


100 વર્ષ પહેલા જ્યારે ભારત આઝાદીની લડાઈ લડી રહ્યું હતું ત્યારે ત્રીજો દાયકો ખૂબ જ મહત્વપૂર્ણ હતો. એ જ રીતે આ સદીનો ત્રીજો દાયકો પણ એટલો જ મહત્વનો છે.


હું ભારતીયોને કહેવા માંગુ છું કે, 2024 પછી દેશની પ્રગતિની ગતિ વધુ ઝડપી થશે. તમે તમારા બધા સપના સાકાર થતા જોશો.


મારા ત્રીજા કાર્યકાળમાં ભારત ટોચની ત્રણ અર્થવ્યવસ્થાઓમાં ઊભું રહેશે, અને આ મોદીની ગેરંટી છે.


મારા પ્રથમ કાર્યકાળમાં ભારત અર્થતંત્રની દૃષ્ટિએ 10માં સ્થાને હતું. મારા બીજા કાર્યકાળમાં, તે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. આ ટ્રેક રેકોર્ડના આધારે, હું સુનિશ્ચિત કરું છું કે મારી ત્રીજી ટર્મમાં ભારતની અર્થવ્યવસ્થા વિશ્વના ટોચના ત્રણ દેશોમાં હશે.


દરેક ભારતીયને ભારત મંડપમ પર ગર્વ છે. તે ભારતની ઈચ્છાનું પ્રતિક છે અને નવા ભારતનું પ્રતિબિંબ છે.


ભારત ગરીબી દૂર કરી શકે છે અને તેની પાછળનો ખ્યાલ એ છે કે નીતિ આયોગના આંકડા દર્શાવે છે કે પાંચ વર્ષમાં 13.5 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. આંતરરાષ્ટ્રીય એજન્સીઓનું કહેવું છે કે ભારતમાં ગરીબી ખતમ થવાના આરે છે.


સૌથી મોટું કન્વેન્શન સેન્ટર દેશને સમર્પિત


વડાપ્રધાન મોદીએ સૌથી મોટું કન્વેન્શન સેન્ટર દેશને સમર્પિત કર્યું. આ સેન્ટરનું નામ ભારત મંડપમ રાખવામાં આવ્યું છે. 2700 કરોડ રુપિયના ખર્ચે આ પરિસર તૈયાર કરાયું છે. વડાપ્રધાને ઉદ્ઘાટન પહેલા પ્રગતિ મેદાન પહોંચ્યા અને ત્યાં ડ્રોન ઉડાવીને કન્વેન્શન સેન્ટરનું નામ દેખાડ્યું. સપ્ટેમ્બરમાં ભારતના નેતૃત્વમાં જી-20 નેતાઓની બેઠક મળશે, ત્યારે તેમની યજમાની માટે ભારત સંપૂર્ણપણે તૈયાર છે. IECC ભારત મંડપમના ઉદ્ઘાટના કાર્યક્રમમાં રાજનેતાઓઓથી લઈને ફિલ્મી સિતારાઓ પણ પહોંચ્યા. કાર્યક્રમમાં રાજનાથ સિંહ, નીતિન ગડકરી, પીયૂષ ગોયલ, અભિનેતા આમિર ખાન ઉપસ્થિત રહ્યાં. વડાપ્રધાન મોદીએ દિલ્હીના પ્રગતિ મેદાનમાં IECC કોમ્પ્લેક્સના ઉદ્ઘાટન દરમિયાન સ્મારક ટિકિટ અને સિક્કા પણ બહાર પાડ્યા.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.