PM મોદીની બહેન વસંતી બેને CM યોગીની બહેન શશી દેવી સાથે કરી મુલાકાત, Video થયો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-08-04 22:25:25

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની બહેન આજે ઉત્તરાખંડમાં મળી હતી. આ બંનેને જોઈને કોઈ એમ ન કહી શકે કે તેઓ દેશના બે મોટા નેતાઓની બહેનો છે. બંનેની આ મુલાકાતની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બહેન વસંતી બેન સુપ્રસિદ્ધ નીલકંઠ મહાદેવ મંદિરના દર્શન કરવા પહોંચ્યા હતા.


ઋષિકેશના નીલકંઠ ધામમાં થઈ મુલાકાત


PM નરેન્દ્ર મોદીની બહેન વસંતી બેન તેમના પતિ હસમુખ સાથે ભગવાન ભોલેનાથના દર્શન કરવા અને પૂજા કરવા માટે ઋષિકેશના નીલકંઠ ધામ પહોંચ્યા હતાં. જ્યાં તેમણે મંદિરમાં ભગવાન શિવના શિવલિંગ પર જળાભિષેક કરી પરિવાર અને દેશની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. વસંતી બેન ત્યાર બાદ પાર્વતી મંદિરના દર્શન કરવા કોઠાર ગામ ગયા હતાં, અહીં તેઓ યુપીના સીએમ યોગી આદિત્યનાથની બહેન શશી દેવીને પણ મંદિર પરિસરમાં ચાલતી દુકાનમાં મળ્યા હતા. જ્યાં તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની બહેન શશી દેવી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંનેએ એકબીજાને ગળે લગાવ્યા અને બંનેએ પરિવાર સાથે વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી.


વીડિયો ખૂબ શેર થઈ રહ્યો છે


PM નરેન્દ્ર મોદીની બહેન વસંતી બેન અને CM યોગી આદિત્યનાથની બહેન શશી દેવીની આ ઉષ્માભરી મુલાકાત થઈ, આલિંગન થયું અને પરિવારની સુખાકારી પણ જાણી હતી. પીએમ મોદીની બહેન અને સીએમ યોગીની બહેન વચ્ચેની મુલાકાતની તસવીર લોકો સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરી રહ્યાં છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.