PM મોદીની બહેન વસંતી બેને CM યોગીની બહેન શશી દેવી સાથે કરી મુલાકાત, Video થયો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-08-04 22:25:25

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની બહેન આજે ઉત્તરાખંડમાં મળી હતી. આ બંનેને જોઈને કોઈ એમ ન કહી શકે કે તેઓ દેશના બે મોટા નેતાઓની બહેનો છે. બંનેની આ મુલાકાતની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બહેન વસંતી બેન સુપ્રસિદ્ધ નીલકંઠ મહાદેવ મંદિરના દર્શન કરવા પહોંચ્યા હતા.


ઋષિકેશના નીલકંઠ ધામમાં થઈ મુલાકાત


PM નરેન્દ્ર મોદીની બહેન વસંતી બેન તેમના પતિ હસમુખ સાથે ભગવાન ભોલેનાથના દર્શન કરવા અને પૂજા કરવા માટે ઋષિકેશના નીલકંઠ ધામ પહોંચ્યા હતાં. જ્યાં તેમણે મંદિરમાં ભગવાન શિવના શિવલિંગ પર જળાભિષેક કરી પરિવાર અને દેશની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. વસંતી બેન ત્યાર બાદ પાર્વતી મંદિરના દર્શન કરવા કોઠાર ગામ ગયા હતાં, અહીં તેઓ યુપીના સીએમ યોગી આદિત્યનાથની બહેન શશી દેવીને પણ મંદિર પરિસરમાં ચાલતી દુકાનમાં મળ્યા હતા. જ્યાં તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની બહેન શશી દેવી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંનેએ એકબીજાને ગળે લગાવ્યા અને બંનેએ પરિવાર સાથે વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી.


વીડિયો ખૂબ શેર થઈ રહ્યો છે


PM નરેન્દ્ર મોદીની બહેન વસંતી બેન અને CM યોગી આદિત્યનાથની બહેન શશી દેવીની આ ઉષ્માભરી મુલાકાત થઈ, આલિંગન થયું અને પરિવારની સુખાકારી પણ જાણી હતી. પીએમ મોદીની બહેન અને સીએમ યોગીની બહેન વચ્ચેની મુલાકાતની તસવીર લોકો સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરી રહ્યાં છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .