PM મોદીની બહેન વસંતી બેને CM યોગીની બહેન શશી દેવી સાથે કરી મુલાકાત, Video થયો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-08-04 22:25:25

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની બહેન આજે ઉત્તરાખંડમાં મળી હતી. આ બંનેને જોઈને કોઈ એમ ન કહી શકે કે તેઓ દેશના બે મોટા નેતાઓની બહેનો છે. બંનેની આ મુલાકાતની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બહેન વસંતી બેન સુપ્રસિદ્ધ નીલકંઠ મહાદેવ મંદિરના દર્શન કરવા પહોંચ્યા હતા.


ઋષિકેશના નીલકંઠ ધામમાં થઈ મુલાકાત


PM નરેન્દ્ર મોદીની બહેન વસંતી બેન તેમના પતિ હસમુખ સાથે ભગવાન ભોલેનાથના દર્શન કરવા અને પૂજા કરવા માટે ઋષિકેશના નીલકંઠ ધામ પહોંચ્યા હતાં. જ્યાં તેમણે મંદિરમાં ભગવાન શિવના શિવલિંગ પર જળાભિષેક કરી પરિવાર અને દેશની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. વસંતી બેન ત્યાર બાદ પાર્વતી મંદિરના દર્શન કરવા કોઠાર ગામ ગયા હતાં, અહીં તેઓ યુપીના સીએમ યોગી આદિત્યનાથની બહેન શશી દેવીને પણ મંદિર પરિસરમાં ચાલતી દુકાનમાં મળ્યા હતા. જ્યાં તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની બહેન શશી દેવી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંનેએ એકબીજાને ગળે લગાવ્યા અને બંનેએ પરિવાર સાથે વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી.


વીડિયો ખૂબ શેર થઈ રહ્યો છે


PM નરેન્દ્ર મોદીની બહેન વસંતી બેન અને CM યોગી આદિત્યનાથની બહેન શશી દેવીની આ ઉષ્માભરી મુલાકાત થઈ, આલિંગન થયું અને પરિવારની સુખાકારી પણ જાણી હતી. પીએમ મોદીની બહેન અને સીએમ યોગીની બહેન વચ્ચેની મુલાકાતની તસવીર લોકો સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરી રહ્યાં છે.



લોકસભા બેઠકના ઉમેદવારોને જમાવટની ટીમ દ્વારા ફોન કરવામાં આવી રહ્યા છે. તેમના વિઝનને જાણવાની કોશિશ કરી રહ્યા છીએ. ત્યારે મહેસાણાના ઉમેદવારોને ફોન કર્યો હતો.

મતદાતાઓને મિજાજ જાણવા જમાવટની ટીમ ઈલેક્શન યાત્રા કરી રહી છે.. અલગ અલગ લોકસભા બેઠકોના મતદાતાઓ શું વિચારે છે તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ત્યારે જમાવટ પહોંચ્યું સુરેન્દ્રનગર જ્યાં આજે પીએમ મોદીની સભા છે..

લોકસભા ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ભાજપ પર અનેક વખત કોંગ્રેસના નેતાઓ દ્વારા પ્રહાર કરવામાં આવતા હોય છે પરંતુ આ વખતે પોલીસ પર પણ પ્રહારો કરવામાં આવે છે... ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે જેને કારણે રાજનીતિ ગરમાઈ રહી છે..

પરષોત્તમ રૂપાલાના નિવેદનનો વિરોધ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. ભાજપના અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડ્યો છે. ત્યારે જામનગરમાં પૂનમબેન માડમે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી.