PM મોદીની બહેન વસંતી બેને CM યોગીની બહેન શશી દેવી સાથે કરી મુલાકાત, Video થયો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-08-04 22:25:25

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની બહેન આજે ઉત્તરાખંડમાં મળી હતી. આ બંનેને જોઈને કોઈ એમ ન કહી શકે કે તેઓ દેશના બે મોટા નેતાઓની બહેનો છે. બંનેની આ મુલાકાતની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બહેન વસંતી બેન સુપ્રસિદ્ધ નીલકંઠ મહાદેવ મંદિરના દર્શન કરવા પહોંચ્યા હતા.


ઋષિકેશના નીલકંઠ ધામમાં થઈ મુલાકાત


PM નરેન્દ્ર મોદીની બહેન વસંતી બેન તેમના પતિ હસમુખ સાથે ભગવાન ભોલેનાથના દર્શન કરવા અને પૂજા કરવા માટે ઋષિકેશના નીલકંઠ ધામ પહોંચ્યા હતાં. જ્યાં તેમણે મંદિરમાં ભગવાન શિવના શિવલિંગ પર જળાભિષેક કરી પરિવાર અને દેશની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. વસંતી બેન ત્યાર બાદ પાર્વતી મંદિરના દર્શન કરવા કોઠાર ગામ ગયા હતાં, અહીં તેઓ યુપીના સીએમ યોગી આદિત્યનાથની બહેન શશી દેવીને પણ મંદિર પરિસરમાં ચાલતી દુકાનમાં મળ્યા હતા. જ્યાં તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની બહેન શશી દેવી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંનેએ એકબીજાને ગળે લગાવ્યા અને બંનેએ પરિવાર સાથે વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી.


વીડિયો ખૂબ શેર થઈ રહ્યો છે


PM નરેન્દ્ર મોદીની બહેન વસંતી બેન અને CM યોગી આદિત્યનાથની બહેન શશી દેવીની આ ઉષ્માભરી મુલાકાત થઈ, આલિંગન થયું અને પરિવારની સુખાકારી પણ જાણી હતી. પીએમ મોદીની બહેન અને સીએમ યોગીની બહેન વચ્ચેની મુલાકાતની તસવીર લોકો સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરી રહ્યાં છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.