PM Modiએ સોશિયલ મીડિયા પર રાખ્યો તિરંગાનો DP, લખ્યું દેશ સાથે ગાઢ સંબંધ બનાવવામાં આ પ્રયાસ મદદ કરશે, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-13 11:58:45

બે દિવસ પછી 15મી ઓગસ્ટ આવી રહી છે. 15મી ઓગસ્ટ એટલે એ દિવસ કે જ્યારે ભારતને સ્વતંત્રતા મળી હતી. ગુલામીથી ભારત આઝાદ થયો હતો. આઝાદી માટે અનેક વીર સપૂતોએ, વીરાંગનાઓએ, શહીદોએ પોતાના જીવની આહુતિ આપી હતી. તેમને આ દિવસો દરમિયાન યાદ કરવામાં આવે છે. ત્યારે ગયા વર્ષે પણ હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ વર્ષે પણ હર ઘર તિરંગાનું આયોજન કરવામાં આવ્યું છે. હર ઘર તિરંગા અંતર્ગત 15 ઓગસ્ટ સુધી ઘરમાં લોકો તિરંગા રાખે. લોકોમાં દેશભક્તિ જાગે તે માટે આનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે હર ઘર તિરંગા અંતર્ગત પીએમ મોદીએ પોતાના સોશિયલ મીડિયા પર રાખવામાં આવતા ડીપીને ચેન્જ કર્યું છે. પીએમ મોદીએ તિરંગાનો ફોટો પ્રોફાઈલ પિક્ચર તરીકે રાખ્યો છે અને આહ્વાન કર્યું છે બને તેટલા લોકો તિરંગાનું પ્રોફાઈલ પિક્ચર રાખે. દેશ સાથે આપણો સંબંધ ગાઢ થાય તેવા પ્રયત્નો કરીએ.           

બે દિવસ પૂરતી થઈ ગઈ છે આપણી દેશભક્તિ!   

સામાન્ય રીતે જેમ જેમ 15મી ઓગસ્ટ નજીક આવતી હોય છે તેમ તેમ આપણી અંદર રહેલી દેશભક્તિ જાગૃત થતી હોય છે. 15મી ઓગસ્ટ તેમજ 26 જાન્યુઆરીના રોજ આપણી અંદર રહેલી દેશભક્તિ પોતાની ચરમસીમાએ પહોંચી જતી હોય છે. જે બે દિવસો દરમિયાન આપણામાં અચાનક એવી દેશભક્તિ જાગી જાય કે આપણને વિરોના બલિદાનો અચાનક યાદ આવી જાય. દેશભક્તિના ગીતો આપણા હોઠો પર ચાલતા હોય. વ્હોટએપના ડીપી બદલાઈ જાય, સ્ટેટસમાં દેશભક્તિના ગીતો મૂકવામાં આવે. દેશ ભક્તિની ફિલિંગ આપણી અંદર ચરમસીમાએ પહોંચી જાય. 


જો આપણે આપણી ફરજ સારી રીતે નિભાવીએ એ પણ દેશભક્તિ છે..

ત્યારે પ્રશ્ન એ થાય કે શું સોશિયલ મીડિયા પર પ્રોફાઈલ પિક્ચર બદલવાથી દેશ ભક્તિ જાગશે? બે દિવસ સુધી આપણી અંદર દેશભક્તિ જાગે પરંતુ દિવસ પૂર્ણ થતાં આપણી અંદર જાગેલી દેશભક્તિ ક્યાંય ખોવાઈ જાય છે. જરૂર છે એક દિવસ માટે જાગેલી દેશભક્તિને હંમેશા માટે જાગૃત રાખવાની. આ દેશ આપણો છે અને આપણે આ દેશના નાગરિક છીએ એવું આપણે વિચારીએ છીએ પરંતુ જ્યારે આપણી ફરજ નિભાવવાની વાત આવે ત્યારે ચૂકી જઈએ છીએ. સવાલ કરવો સારો છે પરંતુ ત્યારે જ્યારે આપણે બધી જવાબદારી સારી રીતે નિભાવી હોય. માત્ર બે દિવસની દેશભક્તિથી કંઈ બદલાવ નહીં આવે, જ્યાં સુધી આપણી અંદર રહેલી દેશભક્તિ સ્થાયી નહીં થાય. ખોટું થતું હોય ત્યારે આપણે ભલે અવાજ ન ઉઠાવીએ, પરંતુ જો આપણે પોતાને ખોટું કરતા અટકાવીએ એ પણ એક જાતની દેશભક્તિ છે. આપણી ફરજો સારી રીતે, ઈમાનદારીથી નિભાવીએ તો પણ એક પ્રકારનો દેશપ્રેમ જ છે.    



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.