PM Modiએ સોશિયલ મીડિયા પર રાખ્યો તિરંગાનો DP, લખ્યું દેશ સાથે ગાઢ સંબંધ બનાવવામાં આ પ્રયાસ મદદ કરશે, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-13 11:58:45

બે દિવસ પછી 15મી ઓગસ્ટ આવી રહી છે. 15મી ઓગસ્ટ એટલે એ દિવસ કે જ્યારે ભારતને સ્વતંત્રતા મળી હતી. ગુલામીથી ભારત આઝાદ થયો હતો. આઝાદી માટે અનેક વીર સપૂતોએ, વીરાંગનાઓએ, શહીદોએ પોતાના જીવની આહુતિ આપી હતી. તેમને આ દિવસો દરમિયાન યાદ કરવામાં આવે છે. ત્યારે ગયા વર્ષે પણ હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ વર્ષે પણ હર ઘર તિરંગાનું આયોજન કરવામાં આવ્યું છે. હર ઘર તિરંગા અંતર્ગત 15 ઓગસ્ટ સુધી ઘરમાં લોકો તિરંગા રાખે. લોકોમાં દેશભક્તિ જાગે તે માટે આનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે હર ઘર તિરંગા અંતર્ગત પીએમ મોદીએ પોતાના સોશિયલ મીડિયા પર રાખવામાં આવતા ડીપીને ચેન્જ કર્યું છે. પીએમ મોદીએ તિરંગાનો ફોટો પ્રોફાઈલ પિક્ચર તરીકે રાખ્યો છે અને આહ્વાન કર્યું છે બને તેટલા લોકો તિરંગાનું પ્રોફાઈલ પિક્ચર રાખે. દેશ સાથે આપણો સંબંધ ગાઢ થાય તેવા પ્રયત્નો કરીએ.           

બે દિવસ પૂરતી થઈ ગઈ છે આપણી દેશભક્તિ!   

સામાન્ય રીતે જેમ જેમ 15મી ઓગસ્ટ નજીક આવતી હોય છે તેમ તેમ આપણી અંદર રહેલી દેશભક્તિ જાગૃત થતી હોય છે. 15મી ઓગસ્ટ તેમજ 26 જાન્યુઆરીના રોજ આપણી અંદર રહેલી દેશભક્તિ પોતાની ચરમસીમાએ પહોંચી જતી હોય છે. જે બે દિવસો દરમિયાન આપણામાં અચાનક એવી દેશભક્તિ જાગી જાય કે આપણને વિરોના બલિદાનો અચાનક યાદ આવી જાય. દેશભક્તિના ગીતો આપણા હોઠો પર ચાલતા હોય. વ્હોટએપના ડીપી બદલાઈ જાય, સ્ટેટસમાં દેશભક્તિના ગીતો મૂકવામાં આવે. દેશ ભક્તિની ફિલિંગ આપણી અંદર ચરમસીમાએ પહોંચી જાય. 


જો આપણે આપણી ફરજ સારી રીતે નિભાવીએ એ પણ દેશભક્તિ છે..

ત્યારે પ્રશ્ન એ થાય કે શું સોશિયલ મીડિયા પર પ્રોફાઈલ પિક્ચર બદલવાથી દેશ ભક્તિ જાગશે? બે દિવસ સુધી આપણી અંદર દેશભક્તિ જાગે પરંતુ દિવસ પૂર્ણ થતાં આપણી અંદર જાગેલી દેશભક્તિ ક્યાંય ખોવાઈ જાય છે. જરૂર છે એક દિવસ માટે જાગેલી દેશભક્તિને હંમેશા માટે જાગૃત રાખવાની. આ દેશ આપણો છે અને આપણે આ દેશના નાગરિક છીએ એવું આપણે વિચારીએ છીએ પરંતુ જ્યારે આપણી ફરજ નિભાવવાની વાત આવે ત્યારે ચૂકી જઈએ છીએ. સવાલ કરવો સારો છે પરંતુ ત્યારે જ્યારે આપણે બધી જવાબદારી સારી રીતે નિભાવી હોય. માત્ર બે દિવસની દેશભક્તિથી કંઈ બદલાવ નહીં આવે, જ્યાં સુધી આપણી અંદર રહેલી દેશભક્તિ સ્થાયી નહીં થાય. ખોટું થતું હોય ત્યારે આપણે ભલે અવાજ ન ઉઠાવીએ, પરંતુ જો આપણે પોતાને ખોટું કરતા અટકાવીએ એ પણ એક જાતની દેશભક્તિ છે. આપણી ફરજો સારી રીતે, ઈમાનદારીથી નિભાવીએ તો પણ એક પ્રકારનો દેશપ્રેમ જ છે.    



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .