PM Modiએ સોશિયલ મીડિયા પર રાખ્યો તિરંગાનો DP, લખ્યું દેશ સાથે ગાઢ સંબંધ બનાવવામાં આ પ્રયાસ મદદ કરશે, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-13 11:58:45

બે દિવસ પછી 15મી ઓગસ્ટ આવી રહી છે. 15મી ઓગસ્ટ એટલે એ દિવસ કે જ્યારે ભારતને સ્વતંત્રતા મળી હતી. ગુલામીથી ભારત આઝાદ થયો હતો. આઝાદી માટે અનેક વીર સપૂતોએ, વીરાંગનાઓએ, શહીદોએ પોતાના જીવની આહુતિ આપી હતી. તેમને આ દિવસો દરમિયાન યાદ કરવામાં આવે છે. ત્યારે ગયા વર્ષે પણ હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ વર્ષે પણ હર ઘર તિરંગાનું આયોજન કરવામાં આવ્યું છે. હર ઘર તિરંગા અંતર્ગત 15 ઓગસ્ટ સુધી ઘરમાં લોકો તિરંગા રાખે. લોકોમાં દેશભક્તિ જાગે તે માટે આનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે હર ઘર તિરંગા અંતર્ગત પીએમ મોદીએ પોતાના સોશિયલ મીડિયા પર રાખવામાં આવતા ડીપીને ચેન્જ કર્યું છે. પીએમ મોદીએ તિરંગાનો ફોટો પ્રોફાઈલ પિક્ચર તરીકે રાખ્યો છે અને આહ્વાન કર્યું છે બને તેટલા લોકો તિરંગાનું પ્રોફાઈલ પિક્ચર રાખે. દેશ સાથે આપણો સંબંધ ગાઢ થાય તેવા પ્રયત્નો કરીએ.           

બે દિવસ પૂરતી થઈ ગઈ છે આપણી દેશભક્તિ!   

સામાન્ય રીતે જેમ જેમ 15મી ઓગસ્ટ નજીક આવતી હોય છે તેમ તેમ આપણી અંદર રહેલી દેશભક્તિ જાગૃત થતી હોય છે. 15મી ઓગસ્ટ તેમજ 26 જાન્યુઆરીના રોજ આપણી અંદર રહેલી દેશભક્તિ પોતાની ચરમસીમાએ પહોંચી જતી હોય છે. જે બે દિવસો દરમિયાન આપણામાં અચાનક એવી દેશભક્તિ જાગી જાય કે આપણને વિરોના બલિદાનો અચાનક યાદ આવી જાય. દેશભક્તિના ગીતો આપણા હોઠો પર ચાલતા હોય. વ્હોટએપના ડીપી બદલાઈ જાય, સ્ટેટસમાં દેશભક્તિના ગીતો મૂકવામાં આવે. દેશ ભક્તિની ફિલિંગ આપણી અંદર ચરમસીમાએ પહોંચી જાય. 


જો આપણે આપણી ફરજ સારી રીતે નિભાવીએ એ પણ દેશભક્તિ છે..

ત્યારે પ્રશ્ન એ થાય કે શું સોશિયલ મીડિયા પર પ્રોફાઈલ પિક્ચર બદલવાથી દેશ ભક્તિ જાગશે? બે દિવસ સુધી આપણી અંદર દેશભક્તિ જાગે પરંતુ દિવસ પૂર્ણ થતાં આપણી અંદર જાગેલી દેશભક્તિ ક્યાંય ખોવાઈ જાય છે. જરૂર છે એક દિવસ માટે જાગેલી દેશભક્તિને હંમેશા માટે જાગૃત રાખવાની. આ દેશ આપણો છે અને આપણે આ દેશના નાગરિક છીએ એવું આપણે વિચારીએ છીએ પરંતુ જ્યારે આપણી ફરજ નિભાવવાની વાત આવે ત્યારે ચૂકી જઈએ છીએ. સવાલ કરવો સારો છે પરંતુ ત્યારે જ્યારે આપણે બધી જવાબદારી સારી રીતે નિભાવી હોય. માત્ર બે દિવસની દેશભક્તિથી કંઈ બદલાવ નહીં આવે, જ્યાં સુધી આપણી અંદર રહેલી દેશભક્તિ સ્થાયી નહીં થાય. ખોટું થતું હોય ત્યારે આપણે ભલે અવાજ ન ઉઠાવીએ, પરંતુ જો આપણે પોતાને ખોટું કરતા અટકાવીએ એ પણ એક જાતની દેશભક્તિ છે. આપણી ફરજો સારી રીતે, ઈમાનદારીથી નિભાવીએ તો પણ એક પ્રકારનો દેશપ્રેમ જ છે.    



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.