પુણેના લવાસામાં બનશે PM મોદીની દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા, જાણો શું છે પ્રતિમાની વિશેષતા


  • Published By :
  • Published Date : 2023-08-02 18:27:38

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા પુણેના લવાસામાં બનાવવામાં આવશે. આ પ્રતિમા 190-200 મીટરની ઉંચાઈ પર વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા હશે. પુણેના લવાસા વિસ્તારને પ્રવાસીઓની પહેલી પસંદ માનવામાં આવે છે. મોદીની પ્રતિમાનું અનાવરણ 31 ડિસેમ્બર 2023ના રોજ અથવા તે પહેલા કરવામાં આવે તેવી શક્યતા છે. ડાર્વિન પ્લેટફોર્મ ગ્રુપ ઓફ કંપનીઝ(DPGC)ના વડા અજય હરિનાથ સિંહના જણાવ્યા અનુસાર, આ કાર્યક્રમમાં ઈઝરાયેલ, જર્મની, ફ્રાન્સ, સંયુક્ત આરબ અમીરાત, સાઉદી અરેબિયા અને યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના વાણિજ્ય દૂતાવાસના પ્રતિનિધિઓ પણ હાજરી આપશે.


PM મોદીના પ્રયાસોને સમર્પિત કરાશે પ્રતિમા


હરિનાથ સિંહે કહ્યું કે આ પ્રતિમા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ અને રાષ્ટ્રની અખંડ એકતા માટે કરવામાં આવી રહેલા પ્રયાસોને સમર્પિત કરવામાં આવશે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) એ લવાસા સ્માર્ટ સિટી માટેના રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપતાં, આ ભવ્ય પ્રતિમાનું વિઝન હવે વાસ્તવિકતા બનવાની નજીક છે.


મ્યૂઝિયમ, સ્મારક બગીચો પણ બનશે


DPGCના પ્રવક્તાએ જણાવ્યું હતું કે લવાસા, જ્યાં પ્રતિમા સ્થાપિત થવાની છે, ત્યાં એક મ્યૂઝિયમ, એક સ્મારક બગીચો, મનોરંજન કેન્દ્ર અને એક એક્ઝિબિશન હોલ હશે જે દેશના વારસા અને નવા ભારતની આકાંક્ષાઓને પ્રદર્શિત કરશે. એક્ઝિબિશન હોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન અને સિદ્ધિઓનું પ્રદર્શન હશે. આ સાથે, તે નવા ભારતના નિર્માણમાં તેમના દ્વારા આપેલા યોગદાનને પણ પ્રદર્શિત કરશે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .