PM Modiએ વિપક્ષ પર પ્રહાર કરવા ઉઠાવ્યો મણિપુરનો મુદ્દો, તો આ તરફ અધિર રંજન ચૌધરીએ પણ કરી અવિશ્વાસ પ્રસ્તાવ અંગે વાત, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-08-12 17:18:40

સંસદમાં ચોમાસા સત્રનો અંત થઈ ગયો છે. સત્રની કાર્યવાહી દરમિયાન મણિપુર અંગે જ્યારે જ્યારે ચર્ચા થઈ ત્યારે ભારે હોબાળો થયો અને કાર્યવાહી સ્થગિત થઈ. ત્યારે વિપક્ષ દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચા દરમિયાન વિપક્ષોએ સત્તા પક્ષ પર જ્યારે સત્તા પક્ષે વિપક્ષો પર પ્રહાર કર્યા હતા. ચર્ચાના અંતિમ દિવસે પીએમ મોદી જવાબ આપવા સંસદમાં આવ્યા હતા. 2 કલાકથી વધુ તેઓ બોલ્યા પરંતુ મણિપુર વિશે તેઓ માત્ર મિનીટો બોલ્યા હતા. સંસદની કાર્યવાહી ભલે પૂરી થઈ ગઈ હતી પરંતુ મણિપુરનો મુદ્દો ઉઠ્યો હતો. 

સંસદ સિવાય પણ ઉઠ્યો મણિપુરનો મુદ્દો 

https://twitter.com/BJP4India/status/1690252359451254784?s=20 કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું હતું કે સંસદમાં વિપક્ષમાં અવાજ ઉઠાવતા રહ્યા કે મણિપુરની હાલત ગંભીર થઈ રહી છે, પીએમ મોદી સંસદમાં આવીને પોતાની વાત રાખે. પીએમ મોદી સતત અમારી વાતને નકારતા રહ્યા અને અમારે છેલ્લે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવો પડ્યો. અવિશ્વાસ પ્રસ્તાવને લઈ પીએમ મોદી સદનમાં આવે અને પોતાની વાત રજૂ કરે. તો આ તરફ પીએમ મોદીએ પણ એક કાર્યક્રમમાં મણિપુરનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેમ વિપક્ષે પીએમ મોદી પર આરોપ લગાવ્યો તેમ પીએમ મોદીએ વિપક્ષ પર આરોપ લગાવ્યો. પીએમ મોદીએ કહ્યું કે વિપક્ષના લોકો સદનમાંથી ભાગી ગયા, એ આખા દેશે જોયું. પરંતુ તે દુ:ખદ છે કે આ લોકોએ મણિપુરના લોકો સાથે આટલો મોટો વિશ્વાસઘાત કર્યો. 


જો મણિપુર વિશે સંસદમાં આટલી ચર્ચા કરવામાં આવી હોત!

મહત્વનું છે કે બંને પક્ષો દ્વારા મણિપુરનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. પરંતુ જ્યારે ખરેખર ઉઠાવવાનો હતો ત્યારે તેની પર ચર્ચા કરવાનું બંને ચૂકી ગયા. પીએમ મોદીએ પણ સંસદમાં આ મામલે જવાબ આપવો જોઈતો હતો. પોતાના સંબોધનમાં તેમણે વિપક્ષ પર પ્રહાર કર્યા હતા પરંતુ મણિપુર વિષય પર ચર્ચા કરવામાં તેમણે ઘણી વારી કરી દીધી હતી. તો રાહુલ ગાંધીએ પણ જ્યારે સંસદમાં ભાષણ આપ્યું ત્યારે તેમણે પણ પોતાના સંબોધનમાં ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કર્યો હતો. પરંતુ મણિપુર વિશે વાત કરવાનું સત્તાપાર્ટી તેમજ વિપક્ષ બંને ચૂકી છે. જેટલા પ્રહાર પાર્ટીઓ એકબીજા પર કરી રહ્યા છે તેટલી ચર્ચાઓ મણિપુર વિશે કરવામાં આવી હોત તો પરિસ્થિતિ કદાચ કંઈક અલગ હોત...  



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.