PM Modiએ વિપક્ષ પર પ્રહાર કરવા ઉઠાવ્યો મણિપુરનો મુદ્દો, તો આ તરફ અધિર રંજન ચૌધરીએ પણ કરી અવિશ્વાસ પ્રસ્તાવ અંગે વાત, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-08-12 17:18:40

સંસદમાં ચોમાસા સત્રનો અંત થઈ ગયો છે. સત્રની કાર્યવાહી દરમિયાન મણિપુર અંગે જ્યારે જ્યારે ચર્ચા થઈ ત્યારે ભારે હોબાળો થયો અને કાર્યવાહી સ્થગિત થઈ. ત્યારે વિપક્ષ દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચા દરમિયાન વિપક્ષોએ સત્તા પક્ષ પર જ્યારે સત્તા પક્ષે વિપક્ષો પર પ્રહાર કર્યા હતા. ચર્ચાના અંતિમ દિવસે પીએમ મોદી જવાબ આપવા સંસદમાં આવ્યા હતા. 2 કલાકથી વધુ તેઓ બોલ્યા પરંતુ મણિપુર વિશે તેઓ માત્ર મિનીટો બોલ્યા હતા. સંસદની કાર્યવાહી ભલે પૂરી થઈ ગઈ હતી પરંતુ મણિપુરનો મુદ્દો ઉઠ્યો હતો. 

સંસદ સિવાય પણ ઉઠ્યો મણિપુરનો મુદ્દો 

https://twitter.com/BJP4India/status/1690252359451254784?s=20 કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું હતું કે સંસદમાં વિપક્ષમાં અવાજ ઉઠાવતા રહ્યા કે મણિપુરની હાલત ગંભીર થઈ રહી છે, પીએમ મોદી સંસદમાં આવીને પોતાની વાત રાખે. પીએમ મોદી સતત અમારી વાતને નકારતા રહ્યા અને અમારે છેલ્લે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવો પડ્યો. અવિશ્વાસ પ્રસ્તાવને લઈ પીએમ મોદી સદનમાં આવે અને પોતાની વાત રજૂ કરે. તો આ તરફ પીએમ મોદીએ પણ એક કાર્યક્રમમાં મણિપુરનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેમ વિપક્ષે પીએમ મોદી પર આરોપ લગાવ્યો તેમ પીએમ મોદીએ વિપક્ષ પર આરોપ લગાવ્યો. પીએમ મોદીએ કહ્યું કે વિપક્ષના લોકો સદનમાંથી ભાગી ગયા, એ આખા દેશે જોયું. પરંતુ તે દુ:ખદ છે કે આ લોકોએ મણિપુરના લોકો સાથે આટલો મોટો વિશ્વાસઘાત કર્યો. 


જો મણિપુર વિશે સંસદમાં આટલી ચર્ચા કરવામાં આવી હોત!

મહત્વનું છે કે બંને પક્ષો દ્વારા મણિપુરનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. પરંતુ જ્યારે ખરેખર ઉઠાવવાનો હતો ત્યારે તેની પર ચર્ચા કરવાનું બંને ચૂકી ગયા. પીએમ મોદીએ પણ સંસદમાં આ મામલે જવાબ આપવો જોઈતો હતો. પોતાના સંબોધનમાં તેમણે વિપક્ષ પર પ્રહાર કર્યા હતા પરંતુ મણિપુર વિષય પર ચર્ચા કરવામાં તેમણે ઘણી વારી કરી દીધી હતી. તો રાહુલ ગાંધીએ પણ જ્યારે સંસદમાં ભાષણ આપ્યું ત્યારે તેમણે પણ પોતાના સંબોધનમાં ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કર્યો હતો. પરંતુ મણિપુર વિશે વાત કરવાનું સત્તાપાર્ટી તેમજ વિપક્ષ બંને ચૂકી છે. જેટલા પ્રહાર પાર્ટીઓ એકબીજા પર કરી રહ્યા છે તેટલી ચર્ચાઓ મણિપુર વિશે કરવામાં આવી હોત તો પરિસ્થિતિ કદાચ કંઈક અલગ હોત...  



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .