PM Modiએ વિપક્ષ પર પ્રહાર કરવા ઉઠાવ્યો મણિપુરનો મુદ્દો, તો આ તરફ અધિર રંજન ચૌધરીએ પણ કરી અવિશ્વાસ પ્રસ્તાવ અંગે વાત, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-08-12 17:18:40

સંસદમાં ચોમાસા સત્રનો અંત થઈ ગયો છે. સત્રની કાર્યવાહી દરમિયાન મણિપુર અંગે જ્યારે જ્યારે ચર્ચા થઈ ત્યારે ભારે હોબાળો થયો અને કાર્યવાહી સ્થગિત થઈ. ત્યારે વિપક્ષ દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચા દરમિયાન વિપક્ષોએ સત્તા પક્ષ પર જ્યારે સત્તા પક્ષે વિપક્ષો પર પ્રહાર કર્યા હતા. ચર્ચાના અંતિમ દિવસે પીએમ મોદી જવાબ આપવા સંસદમાં આવ્યા હતા. 2 કલાકથી વધુ તેઓ બોલ્યા પરંતુ મણિપુર વિશે તેઓ માત્ર મિનીટો બોલ્યા હતા. સંસદની કાર્યવાહી ભલે પૂરી થઈ ગઈ હતી પરંતુ મણિપુરનો મુદ્દો ઉઠ્યો હતો. 

સંસદ સિવાય પણ ઉઠ્યો મણિપુરનો મુદ્દો 

https://twitter.com/BJP4India/status/1690252359451254784?s=20 કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું હતું કે સંસદમાં વિપક્ષમાં અવાજ ઉઠાવતા રહ્યા કે મણિપુરની હાલત ગંભીર થઈ રહી છે, પીએમ મોદી સંસદમાં આવીને પોતાની વાત રાખે. પીએમ મોદી સતત અમારી વાતને નકારતા રહ્યા અને અમારે છેલ્લે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવો પડ્યો. અવિશ્વાસ પ્રસ્તાવને લઈ પીએમ મોદી સદનમાં આવે અને પોતાની વાત રજૂ કરે. તો આ તરફ પીએમ મોદીએ પણ એક કાર્યક્રમમાં મણિપુરનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેમ વિપક્ષે પીએમ મોદી પર આરોપ લગાવ્યો તેમ પીએમ મોદીએ વિપક્ષ પર આરોપ લગાવ્યો. પીએમ મોદીએ કહ્યું કે વિપક્ષના લોકો સદનમાંથી ભાગી ગયા, એ આખા દેશે જોયું. પરંતુ તે દુ:ખદ છે કે આ લોકોએ મણિપુરના લોકો સાથે આટલો મોટો વિશ્વાસઘાત કર્યો. 


જો મણિપુર વિશે સંસદમાં આટલી ચર્ચા કરવામાં આવી હોત!

મહત્વનું છે કે બંને પક્ષો દ્વારા મણિપુરનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. પરંતુ જ્યારે ખરેખર ઉઠાવવાનો હતો ત્યારે તેની પર ચર્ચા કરવાનું બંને ચૂકી ગયા. પીએમ મોદીએ પણ સંસદમાં આ મામલે જવાબ આપવો જોઈતો હતો. પોતાના સંબોધનમાં તેમણે વિપક્ષ પર પ્રહાર કર્યા હતા પરંતુ મણિપુર વિષય પર ચર્ચા કરવામાં તેમણે ઘણી વારી કરી દીધી હતી. તો રાહુલ ગાંધીએ પણ જ્યારે સંસદમાં ભાષણ આપ્યું ત્યારે તેમણે પણ પોતાના સંબોધનમાં ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કર્યો હતો. પરંતુ મણિપુર વિશે વાત કરવાનું સત્તાપાર્ટી તેમજ વિપક્ષ બંને ચૂકી છે. જેટલા પ્રહાર પાર્ટીઓ એકબીજા પર કરી રહ્યા છે તેટલી ચર્ચાઓ મણિપુર વિશે કરવામાં આવી હોત તો પરિસ્થિતિ કદાચ કંઈક અલગ હોત...  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે