PM Modiએ વિપક્ષ પર પ્રહાર કરવા ઉઠાવ્યો મણિપુરનો મુદ્દો, તો આ તરફ અધિર રંજન ચૌધરીએ પણ કરી અવિશ્વાસ પ્રસ્તાવ અંગે વાત, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-08-12 17:18:40

સંસદમાં ચોમાસા સત્રનો અંત થઈ ગયો છે. સત્રની કાર્યવાહી દરમિયાન મણિપુર અંગે જ્યારે જ્યારે ચર્ચા થઈ ત્યારે ભારે હોબાળો થયો અને કાર્યવાહી સ્થગિત થઈ. ત્યારે વિપક્ષ દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચા દરમિયાન વિપક્ષોએ સત્તા પક્ષ પર જ્યારે સત્તા પક્ષે વિપક્ષો પર પ્રહાર કર્યા હતા. ચર્ચાના અંતિમ દિવસે પીએમ મોદી જવાબ આપવા સંસદમાં આવ્યા હતા. 2 કલાકથી વધુ તેઓ બોલ્યા પરંતુ મણિપુર વિશે તેઓ માત્ર મિનીટો બોલ્યા હતા. સંસદની કાર્યવાહી ભલે પૂરી થઈ ગઈ હતી પરંતુ મણિપુરનો મુદ્દો ઉઠ્યો હતો. 

સંસદ સિવાય પણ ઉઠ્યો મણિપુરનો મુદ્દો 

https://twitter.com/BJP4India/status/1690252359451254784?s=20 કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું હતું કે સંસદમાં વિપક્ષમાં અવાજ ઉઠાવતા રહ્યા કે મણિપુરની હાલત ગંભીર થઈ રહી છે, પીએમ મોદી સંસદમાં આવીને પોતાની વાત રાખે. પીએમ મોદી સતત અમારી વાતને નકારતા રહ્યા અને અમારે છેલ્લે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવો પડ્યો. અવિશ્વાસ પ્રસ્તાવને લઈ પીએમ મોદી સદનમાં આવે અને પોતાની વાત રજૂ કરે. તો આ તરફ પીએમ મોદીએ પણ એક કાર્યક્રમમાં મણિપુરનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેમ વિપક્ષે પીએમ મોદી પર આરોપ લગાવ્યો તેમ પીએમ મોદીએ વિપક્ષ પર આરોપ લગાવ્યો. પીએમ મોદીએ કહ્યું કે વિપક્ષના લોકો સદનમાંથી ભાગી ગયા, એ આખા દેશે જોયું. પરંતુ તે દુ:ખદ છે કે આ લોકોએ મણિપુરના લોકો સાથે આટલો મોટો વિશ્વાસઘાત કર્યો. 


જો મણિપુર વિશે સંસદમાં આટલી ચર્ચા કરવામાં આવી હોત!

મહત્વનું છે કે બંને પક્ષો દ્વારા મણિપુરનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. પરંતુ જ્યારે ખરેખર ઉઠાવવાનો હતો ત્યારે તેની પર ચર્ચા કરવાનું બંને ચૂકી ગયા. પીએમ મોદીએ પણ સંસદમાં આ મામલે જવાબ આપવો જોઈતો હતો. પોતાના સંબોધનમાં તેમણે વિપક્ષ પર પ્રહાર કર્યા હતા પરંતુ મણિપુર વિષય પર ચર્ચા કરવામાં તેમણે ઘણી વારી કરી દીધી હતી. તો રાહુલ ગાંધીએ પણ જ્યારે સંસદમાં ભાષણ આપ્યું ત્યારે તેમણે પણ પોતાના સંબોધનમાં ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કર્યો હતો. પરંતુ મણિપુર વિશે વાત કરવાનું સત્તાપાર્ટી તેમજ વિપક્ષ બંને ચૂકી છે. જેટલા પ્રહાર પાર્ટીઓ એકબીજા પર કરી રહ્યા છે તેટલી ચર્ચાઓ મણિપુર વિશે કરવામાં આવી હોત તો પરિસ્થિતિ કદાચ કંઈક અલગ હોત...  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.