Andhra Pradeshના તિરુપતિ બાલાજી મંદિર પહોંચ્યા PM Modi! પરંપરાગત પોષાકમાં કરી પૂજા-અર્ચના, PM Modiએ લખ્યું...


  • Published By :
  • Published Date : 2023-11-27 13:25:57

આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા પાંચ રાજ્યો માટે વિધાનસભા ચૂંટણી યોજાઈ. પાંચમાંથી ચાર રાજ્યોમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લીધો છે. તેલંગાણામાં 30 નવેમ્બરે ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટી દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. રવિવારે તેલંગાણામાં અનેક જનસભાને સંબોધિત કર્યા બાદ પીએમ મોદી આજે સવારે વેંકટેશ્વર મંદિર પહોંચ્યા હતા. પારંપરિક પોષાકમાં પીએમ મોદીએ વિશેષ પૂજા કરી હતી. ત્યાં દેશવાસીઓની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.  

વેંકટેશ્વર મંદિરના પીએમ મોદીએ કર્યા દર્શન 

તેલંગાણમાં થોડા દિવસો બાદ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટી દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. તેલંગાણામાં જનસભાને સંબોધિત કર્યા બાદ રવિવારે પીએમ મોદી આંધ્રપ્રદેશ પહોંચ્યા હતા. તિરૂપતિ નજીક આવેલા એરપોર્ટ પર તે ઉતર્યા હતા જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સોમવાર સવારે પીએમ મોદી તિરુમાલામાં આવેલા વેંકટેશ્વર મંદિર પહોંચ્યા હતા અને ત્યાં વિશેષ પૂજા અર્ચના કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ અંગોનો વીડિયો શેર કરાયો છે.  



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .