Andhra Pradeshના તિરુપતિ બાલાજી મંદિર પહોંચ્યા PM Modi! પરંપરાગત પોષાકમાં કરી પૂજા-અર્ચના, PM Modiએ લખ્યું...


  • Published By :
  • Published Date : 2023-11-27 13:25:57

આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા પાંચ રાજ્યો માટે વિધાનસભા ચૂંટણી યોજાઈ. પાંચમાંથી ચાર રાજ્યોમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લીધો છે. તેલંગાણામાં 30 નવેમ્બરે ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટી દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. રવિવારે તેલંગાણામાં અનેક જનસભાને સંબોધિત કર્યા બાદ પીએમ મોદી આજે સવારે વેંકટેશ્વર મંદિર પહોંચ્યા હતા. પારંપરિક પોષાકમાં પીએમ મોદીએ વિશેષ પૂજા કરી હતી. ત્યાં દેશવાસીઓની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.  

વેંકટેશ્વર મંદિરના પીએમ મોદીએ કર્યા દર્શન 

તેલંગાણમાં થોડા દિવસો બાદ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટી દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. તેલંગાણામાં જનસભાને સંબોધિત કર્યા બાદ રવિવારે પીએમ મોદી આંધ્રપ્રદેશ પહોંચ્યા હતા. તિરૂપતિ નજીક આવેલા એરપોર્ટ પર તે ઉતર્યા હતા જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સોમવાર સવારે પીએમ મોદી તિરુમાલામાં આવેલા વેંકટેશ્વર મંદિર પહોંચ્યા હતા અને ત્યાં વિશેષ પૂજા અર્ચના કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ અંગોનો વીડિયો શેર કરાયો છે.  



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.