Andhra Pradeshના તિરુપતિ બાલાજી મંદિર પહોંચ્યા PM Modi! પરંપરાગત પોષાકમાં કરી પૂજા-અર્ચના, PM Modiએ લખ્યું...


  • Published By :
  • Published Date : 2023-11-27 13:25:57

આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા પાંચ રાજ્યો માટે વિધાનસભા ચૂંટણી યોજાઈ. પાંચમાંથી ચાર રાજ્યોમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લીધો છે. તેલંગાણામાં 30 નવેમ્બરે ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટી દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. રવિવારે તેલંગાણામાં અનેક જનસભાને સંબોધિત કર્યા બાદ પીએમ મોદી આજે સવારે વેંકટેશ્વર મંદિર પહોંચ્યા હતા. પારંપરિક પોષાકમાં પીએમ મોદીએ વિશેષ પૂજા કરી હતી. ત્યાં દેશવાસીઓની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.  

વેંકટેશ્વર મંદિરના પીએમ મોદીએ કર્યા દર્શન 

તેલંગાણમાં થોડા દિવસો બાદ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટી દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. તેલંગાણામાં જનસભાને સંબોધિત કર્યા બાદ રવિવારે પીએમ મોદી આંધ્રપ્રદેશ પહોંચ્યા હતા. તિરૂપતિ નજીક આવેલા એરપોર્ટ પર તે ઉતર્યા હતા જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સોમવાર સવારે પીએમ મોદી તિરુમાલામાં આવેલા વેંકટેશ્વર મંદિર પહોંચ્યા હતા અને ત્યાં વિશેષ પૂજા અર્ચના કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ અંગોનો વીડિયો શેર કરાયો છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.