ત્રણ દેશોનો પ્રવાસ કરી ભારત પરત ફર્યા પીએમ મોદી! ઓસ્ટ્રેલિયાનું ઉદાહરણ લઈ પીએમ મોદીએ સાધ્યું વિપક્ષ પર નિશાન! સાંભળો શું કહ્યું પીએમ મોદીએ


  • Published By :
  • Published Date : 2023-05-25 10:29:22

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશ યાત્રા કરી ભારત પરત ફર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાન, પાપુઆ ન્યુ ગિની અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસે હતા. ભારત પરત ફરતા પીએમ મોદીનું સ્વાગત પાલમ એરપોર્ટ પર કરવામાં આવ્યું હતું. આવતાની સાથે જ પીએમ મોદીએ વિપક્ષો પર પ્રહાર કર્યા હતા. 28મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ધાટન થવાનું છે. 19 જેટલી રાજકીય પાર્ટીઓ દ્વારા આ કાર્યક્રમનો બહિષ્કાર કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ વાતને લઈ પીએમ મોદીએ વિપક્ષો પર આડકતરી રીતે નિશાન સાધ્યું હતું. ઓસ્ટ્રેલિયામાં યોજાયેલ કાર્યક્રમનં ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાય વચ્ચે યોજાયેલા આ સમારોહમાં ઓસ્ટ્રેલિયાના પીએમ, પૂર્વ પીએમ, શાસક પક્ષના સાંસદો અને સમગ્ર વિપક્ષોએ હાજરી આપી હતી. આ ત્યાંની લોકશાહી છે. આ કાર્યક્રમમાં શાસક અને વિપક્ષ બંનેએ ભારતના પ્રતિનિધિનું સન્માન કર્યું હતું.


વિદેશ પ્રવાસથી ભારત પરત ફર્યા પીએમ મોદી!

જાપાન, ઓસ્ટ્રેલિયા અને પાપુઆના પ્રવાસે ગયેલા પીએમ મોદી વિદેશ યાત્રા કરી ભારત પરત ફર્યા છે. જાપાનમાં તેમણે જી20 અને ક્વાર્ડ બેઠકમાં હાજરી આપી હતી. પાપુઆ ન્યુ ગિનીની પણ મુલાકાત લીધી હતી. ત્યારે રાષ્ટ્રપતિએ તેમના પગ સ્પર્શ કર્યા હતા. તે બાદ પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાની મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીયોને સંબોઘિત કર્યા હતા. ત્યારે વિદેશ પ્રવાસથી પીએમ મોદી ભારત પરત ફર્યા છે અને એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 

ઓસ્ટ્રેલિયા પ્રવાસનું ઉદાહરણ આપી વિપક્ષ પર સાધ્યું નિશાન!

ગુરૂવાર સવારે દિલ્હીના પાલમ એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમના સ્વાગતમાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર હતા. જે.પી નડ્ડા પણ ઉપસ્થિત હતા. પીએમ મોદીએ બીજેપી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા જેમાં તેમણે પોતાના વિદેશ પ્રવાસને લઈ વાતો કરી હતી. ઓસ્ટ્રેલિયાનું ઉદાહરણ લઈ ભારતની વિપક્ષી પાર્ટીઓ પર પીએમ મોદીએ નિશાન સાધ્યું હતું. સિડનીમાં યોજાયેલ કાર્યક્રમનો સંદર્ભ લઈ તેમણે કહ્યું કે ભારતના પ્રતિનિધિને, ભારતના સેવકનો બંને પક્ષ આદર અને સત્કાર કરે છે. સાથિયો આ યશ મોદીનો નહીં પરંતુ હિંદુસ્તાનની મહેનતનો છે. 140 કરોડ દેશવાસિયોનો જસ્બો છે. 


સંસદ ભવનના ઉદ્ધાટનનો વિરોધ કરતી પાર્ટીઓને આપ્યો જવાબ!

મહત્વનું છે કે પીએમ મોદીએ આ વાત ત્યારે કહી છે જ્યારે નવા સંસદ ભવનના ઉદ્ધાટનને લઈ રાજકારણ ગરમાયું છે. 19 જેટલી પાર્ટીઓએ ઉદ્ધાટન કાર્યક્રમમાં સામેલ થવાનો બહિષ્કાર કર્યો છે. કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે જૂથ વાળી શિવસેના, આમ આદમી પાર્ટી સહિત 19 જેટલી પાર્ટીઓએ ઉદ્ધાટન સમારોહમાં આવવાનો બહિષ્કાર કર્યો છે. ત્યારે પીએમ મોદી દ્વારા આપવામાં આવેલું ઉદાહરણ સંસદના ઉદ્ધાટનનો બહિષ્કાર કરવા બદલ વિપક્ષને આપવામાં આવેલો જવાબ હોય તેવું નિષ્ણાંતોનું માનવું છે.      



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.