ત્રણ દેશોનો પ્રવાસ કરી ભારત પરત ફર્યા પીએમ મોદી! ઓસ્ટ્રેલિયાનું ઉદાહરણ લઈ પીએમ મોદીએ સાધ્યું વિપક્ષ પર નિશાન! સાંભળો શું કહ્યું પીએમ મોદીએ


  • Published By :
  • Published Date : 2023-05-25 10:29:22

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશ યાત્રા કરી ભારત પરત ફર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાન, પાપુઆ ન્યુ ગિની અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસે હતા. ભારત પરત ફરતા પીએમ મોદીનું સ્વાગત પાલમ એરપોર્ટ પર કરવામાં આવ્યું હતું. આવતાની સાથે જ પીએમ મોદીએ વિપક્ષો પર પ્રહાર કર્યા હતા. 28મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ધાટન થવાનું છે. 19 જેટલી રાજકીય પાર્ટીઓ દ્વારા આ કાર્યક્રમનો બહિષ્કાર કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ વાતને લઈ પીએમ મોદીએ વિપક્ષો પર આડકતરી રીતે નિશાન સાધ્યું હતું. ઓસ્ટ્રેલિયામાં યોજાયેલ કાર્યક્રમનં ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાય વચ્ચે યોજાયેલા આ સમારોહમાં ઓસ્ટ્રેલિયાના પીએમ, પૂર્વ પીએમ, શાસક પક્ષના સાંસદો અને સમગ્ર વિપક્ષોએ હાજરી આપી હતી. આ ત્યાંની લોકશાહી છે. આ કાર્યક્રમમાં શાસક અને વિપક્ષ બંનેએ ભારતના પ્રતિનિધિનું સન્માન કર્યું હતું.


વિદેશ પ્રવાસથી ભારત પરત ફર્યા પીએમ મોદી!

જાપાન, ઓસ્ટ્રેલિયા અને પાપુઆના પ્રવાસે ગયેલા પીએમ મોદી વિદેશ યાત્રા કરી ભારત પરત ફર્યા છે. જાપાનમાં તેમણે જી20 અને ક્વાર્ડ બેઠકમાં હાજરી આપી હતી. પાપુઆ ન્યુ ગિનીની પણ મુલાકાત લીધી હતી. ત્યારે રાષ્ટ્રપતિએ તેમના પગ સ્પર્શ કર્યા હતા. તે બાદ પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાની મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીયોને સંબોઘિત કર્યા હતા. ત્યારે વિદેશ પ્રવાસથી પીએમ મોદી ભારત પરત ફર્યા છે અને એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 

ઓસ્ટ્રેલિયા પ્રવાસનું ઉદાહરણ આપી વિપક્ષ પર સાધ્યું નિશાન!

ગુરૂવાર સવારે દિલ્હીના પાલમ એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમના સ્વાગતમાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર હતા. જે.પી નડ્ડા પણ ઉપસ્થિત હતા. પીએમ મોદીએ બીજેપી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા જેમાં તેમણે પોતાના વિદેશ પ્રવાસને લઈ વાતો કરી હતી. ઓસ્ટ્રેલિયાનું ઉદાહરણ લઈ ભારતની વિપક્ષી પાર્ટીઓ પર પીએમ મોદીએ નિશાન સાધ્યું હતું. સિડનીમાં યોજાયેલ કાર્યક્રમનો સંદર્ભ લઈ તેમણે કહ્યું કે ભારતના પ્રતિનિધિને, ભારતના સેવકનો બંને પક્ષ આદર અને સત્કાર કરે છે. સાથિયો આ યશ મોદીનો નહીં પરંતુ હિંદુસ્તાનની મહેનતનો છે. 140 કરોડ દેશવાસિયોનો જસ્બો છે. 


સંસદ ભવનના ઉદ્ધાટનનો વિરોધ કરતી પાર્ટીઓને આપ્યો જવાબ!

મહત્વનું છે કે પીએમ મોદીએ આ વાત ત્યારે કહી છે જ્યારે નવા સંસદ ભવનના ઉદ્ધાટનને લઈ રાજકારણ ગરમાયું છે. 19 જેટલી પાર્ટીઓએ ઉદ્ધાટન કાર્યક્રમમાં સામેલ થવાનો બહિષ્કાર કર્યો છે. કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે જૂથ વાળી શિવસેના, આમ આદમી પાર્ટી સહિત 19 જેટલી પાર્ટીઓએ ઉદ્ધાટન સમારોહમાં આવવાનો બહિષ્કાર કર્યો છે. ત્યારે પીએમ મોદી દ્વારા આપવામાં આવેલું ઉદાહરણ સંસદના ઉદ્ધાટનનો બહિષ્કાર કરવા બદલ વિપક્ષને આપવામાં આવેલો જવાબ હોય તેવું નિષ્ણાંતોનું માનવું છે.      



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.