ત્રણ દેશોનો પ્રવાસ કરી ભારત પરત ફર્યા પીએમ મોદી! ઓસ્ટ્રેલિયાનું ઉદાહરણ લઈ પીએમ મોદીએ સાધ્યું વિપક્ષ પર નિશાન! સાંભળો શું કહ્યું પીએમ મોદીએ


  • Published By :
  • Published Date : 2023-05-25 10:29:22

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશ યાત્રા કરી ભારત પરત ફર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાન, પાપુઆ ન્યુ ગિની અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસે હતા. ભારત પરત ફરતા પીએમ મોદીનું સ્વાગત પાલમ એરપોર્ટ પર કરવામાં આવ્યું હતું. આવતાની સાથે જ પીએમ મોદીએ વિપક્ષો પર પ્રહાર કર્યા હતા. 28મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ધાટન થવાનું છે. 19 જેટલી રાજકીય પાર્ટીઓ દ્વારા આ કાર્યક્રમનો બહિષ્કાર કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ વાતને લઈ પીએમ મોદીએ વિપક્ષો પર આડકતરી રીતે નિશાન સાધ્યું હતું. ઓસ્ટ્રેલિયામાં યોજાયેલ કાર્યક્રમનં ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાય વચ્ચે યોજાયેલા આ સમારોહમાં ઓસ્ટ્રેલિયાના પીએમ, પૂર્વ પીએમ, શાસક પક્ષના સાંસદો અને સમગ્ર વિપક્ષોએ હાજરી આપી હતી. આ ત્યાંની લોકશાહી છે. આ કાર્યક્રમમાં શાસક અને વિપક્ષ બંનેએ ભારતના પ્રતિનિધિનું સન્માન કર્યું હતું.


વિદેશ પ્રવાસથી ભારત પરત ફર્યા પીએમ મોદી!

જાપાન, ઓસ્ટ્રેલિયા અને પાપુઆના પ્રવાસે ગયેલા પીએમ મોદી વિદેશ યાત્રા કરી ભારત પરત ફર્યા છે. જાપાનમાં તેમણે જી20 અને ક્વાર્ડ બેઠકમાં હાજરી આપી હતી. પાપુઆ ન્યુ ગિનીની પણ મુલાકાત લીધી હતી. ત્યારે રાષ્ટ્રપતિએ તેમના પગ સ્પર્શ કર્યા હતા. તે બાદ પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાની મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીયોને સંબોઘિત કર્યા હતા. ત્યારે વિદેશ પ્રવાસથી પીએમ મોદી ભારત પરત ફર્યા છે અને એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 

ઓસ્ટ્રેલિયા પ્રવાસનું ઉદાહરણ આપી વિપક્ષ પર સાધ્યું નિશાન!

ગુરૂવાર સવારે દિલ્હીના પાલમ એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમના સ્વાગતમાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર હતા. જે.પી નડ્ડા પણ ઉપસ્થિત હતા. પીએમ મોદીએ બીજેપી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા જેમાં તેમણે પોતાના વિદેશ પ્રવાસને લઈ વાતો કરી હતી. ઓસ્ટ્રેલિયાનું ઉદાહરણ લઈ ભારતની વિપક્ષી પાર્ટીઓ પર પીએમ મોદીએ નિશાન સાધ્યું હતું. સિડનીમાં યોજાયેલ કાર્યક્રમનો સંદર્ભ લઈ તેમણે કહ્યું કે ભારતના પ્રતિનિધિને, ભારતના સેવકનો બંને પક્ષ આદર અને સત્કાર કરે છે. સાથિયો આ યશ મોદીનો નહીં પરંતુ હિંદુસ્તાનની મહેનતનો છે. 140 કરોડ દેશવાસિયોનો જસ્બો છે. 


સંસદ ભવનના ઉદ્ધાટનનો વિરોધ કરતી પાર્ટીઓને આપ્યો જવાબ!

મહત્વનું છે કે પીએમ મોદીએ આ વાત ત્યારે કહી છે જ્યારે નવા સંસદ ભવનના ઉદ્ધાટનને લઈ રાજકારણ ગરમાયું છે. 19 જેટલી પાર્ટીઓએ ઉદ્ધાટન કાર્યક્રમમાં સામેલ થવાનો બહિષ્કાર કર્યો છે. કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે જૂથ વાળી શિવસેના, આમ આદમી પાર્ટી સહિત 19 જેટલી પાર્ટીઓએ ઉદ્ધાટન સમારોહમાં આવવાનો બહિષ્કાર કર્યો છે. ત્યારે પીએમ મોદી દ્વારા આપવામાં આવેલું ઉદાહરણ સંસદના ઉદ્ધાટનનો બહિષ્કાર કરવા બદલ વિપક્ષને આપવામાં આવેલો જવાબ હોય તેવું નિષ્ણાંતોનું માનવું છે.      



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.