ત્રણ દેશોનો પ્રવાસ કરી ભારત પરત ફર્યા પીએમ મોદી! ઓસ્ટ્રેલિયાનું ઉદાહરણ લઈ પીએમ મોદીએ સાધ્યું વિપક્ષ પર નિશાન! સાંભળો શું કહ્યું પીએમ મોદીએ


  • Published By :
  • Published Date : 2023-05-25 10:29:22

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશ યાત્રા કરી ભારત પરત ફર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાન, પાપુઆ ન્યુ ગિની અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસે હતા. ભારત પરત ફરતા પીએમ મોદીનું સ્વાગત પાલમ એરપોર્ટ પર કરવામાં આવ્યું હતું. આવતાની સાથે જ પીએમ મોદીએ વિપક્ષો પર પ્રહાર કર્યા હતા. 28મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ધાટન થવાનું છે. 19 જેટલી રાજકીય પાર્ટીઓ દ્વારા આ કાર્યક્રમનો બહિષ્કાર કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ વાતને લઈ પીએમ મોદીએ વિપક્ષો પર આડકતરી રીતે નિશાન સાધ્યું હતું. ઓસ્ટ્રેલિયામાં યોજાયેલ કાર્યક્રમનં ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાય વચ્ચે યોજાયેલા આ સમારોહમાં ઓસ્ટ્રેલિયાના પીએમ, પૂર્વ પીએમ, શાસક પક્ષના સાંસદો અને સમગ્ર વિપક્ષોએ હાજરી આપી હતી. આ ત્યાંની લોકશાહી છે. આ કાર્યક્રમમાં શાસક અને વિપક્ષ બંનેએ ભારતના પ્રતિનિધિનું સન્માન કર્યું હતું.


વિદેશ પ્રવાસથી ભારત પરત ફર્યા પીએમ મોદી!

જાપાન, ઓસ્ટ્રેલિયા અને પાપુઆના પ્રવાસે ગયેલા પીએમ મોદી વિદેશ યાત્રા કરી ભારત પરત ફર્યા છે. જાપાનમાં તેમણે જી20 અને ક્વાર્ડ બેઠકમાં હાજરી આપી હતી. પાપુઆ ન્યુ ગિનીની પણ મુલાકાત લીધી હતી. ત્યારે રાષ્ટ્રપતિએ તેમના પગ સ્પર્શ કર્યા હતા. તે બાદ પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાની મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીયોને સંબોઘિત કર્યા હતા. ત્યારે વિદેશ પ્રવાસથી પીએમ મોદી ભારત પરત ફર્યા છે અને એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 

ઓસ્ટ્રેલિયા પ્રવાસનું ઉદાહરણ આપી વિપક્ષ પર સાધ્યું નિશાન!

ગુરૂવાર સવારે દિલ્હીના પાલમ એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમના સ્વાગતમાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર હતા. જે.પી નડ્ડા પણ ઉપસ્થિત હતા. પીએમ મોદીએ બીજેપી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા જેમાં તેમણે પોતાના વિદેશ પ્રવાસને લઈ વાતો કરી હતી. ઓસ્ટ્રેલિયાનું ઉદાહરણ લઈ ભારતની વિપક્ષી પાર્ટીઓ પર પીએમ મોદીએ નિશાન સાધ્યું હતું. સિડનીમાં યોજાયેલ કાર્યક્રમનો સંદર્ભ લઈ તેમણે કહ્યું કે ભારતના પ્રતિનિધિને, ભારતના સેવકનો બંને પક્ષ આદર અને સત્કાર કરે છે. સાથિયો આ યશ મોદીનો નહીં પરંતુ હિંદુસ્તાનની મહેનતનો છે. 140 કરોડ દેશવાસિયોનો જસ્બો છે. 


સંસદ ભવનના ઉદ્ધાટનનો વિરોધ કરતી પાર્ટીઓને આપ્યો જવાબ!

મહત્વનું છે કે પીએમ મોદીએ આ વાત ત્યારે કહી છે જ્યારે નવા સંસદ ભવનના ઉદ્ધાટનને લઈ રાજકારણ ગરમાયું છે. 19 જેટલી પાર્ટીઓએ ઉદ્ધાટન કાર્યક્રમમાં સામેલ થવાનો બહિષ્કાર કર્યો છે. કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે જૂથ વાળી શિવસેના, આમ આદમી પાર્ટી સહિત 19 જેટલી પાર્ટીઓએ ઉદ્ધાટન સમારોહમાં આવવાનો બહિષ્કાર કર્યો છે. ત્યારે પીએમ મોદી દ્વારા આપવામાં આવેલું ઉદાહરણ સંસદના ઉદ્ધાટનનો બહિષ્કાર કરવા બદલ વિપક્ષને આપવામાં આવેલો જવાબ હોય તેવું નિષ્ણાંતોનું માનવું છે.      



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.