મતદાન કર્યા પછી PM Modiએ મતદાતાઓને આપ્યો સંદેશ, મતદાતાઓને અપીલ કરતા શું કહ્યું સાંભળો?


  • Published By :
  • Published Date : 2024-05-07 08:41:03

દેશમાં લોકશાહીના મહાપર્વની ઉજવણી થઈ રહી છે.. મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.. ત્યારે પીએમ મોદીએ અમદાવાદના રાણીપમાં મતદાન કર્યું છે. મતદાન કર્યા પછી પીએમ મોદીએ મતદાતાને અપીલ કરી છે. મતદાન આપ્યા બાદ તેમણે કહ્યું કે "ભારતની ચૂંટણી પ્રક્રિયા, ચૂંટણી વ્યવસ્થાપન એ વિશ્વની લોકશાહીઓ પાસેથી શીખવા જેવું ઉદાહરણ છે. વિશ્વની સૌથી મોટી યુનિવર્સિટીઓએ કેસ સ્ટડી કરવી જોઈએ. લોકશાહીની ઉજવણી થઈ રહી છે... હું ફરીથી દેશવાસીઓને કહું છું કે મોટી સંખ્યામાં મતદાન કરો અને લોકશાહીના તહેવારની ઉજવણી કરો..

ક્યાં થઈ રહ્યું છે મતદાન? 

મહત્વનું છે કે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પીએમ મોદી, અમિત શાહ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ તેમજ મધ્યપ્રદેશના ગવર્નર મંગુભાઈ પટેલ ગુજરાત આવ્યા છે.. ગુજરાતના કરોડો મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ આજે કરવાના છે.. દેશની 93 બેઠકો માટે મતદાન પ્રક્રિયા શરૂ છે..  ગુજરાતની તમામ 25, મહારાષ્ટ્રની 11, ઉત્તર પ્રદેશની 10, કર્ણાટકની 28 માંથી બાકી રહેલી 14 બેઠકો પર મતદાન થવાનું છે... છત્તીસગઢની 7, બિહારની 5, બંગાળ તેમજ આસામની 4-4 અને ગોવાની 2 બેઠકો પર મતદાન શરુ થઈ ગયું છે. આ ઉપરાંત દમણ-દીવ અને દાદરા નગર હવેલીની બન્ને બેઠકો પર તેમજ મધ્ય પ્રદેશની 9 બેઠકો પર પણ ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. 


કેન્દ્રીય મંત્રીઓનું ભાવિ આજે નક્કી થશે

મહત્વનું છે કે આ ચૂંટણીમાં અનેક કેન્દ્રીય મંત્રીઓનું ભાવિ નક્કી થવાનું છે... અમિત શાહ તે ગાંધીનગરથી ચૂંટણી લડી રહ્યા છે, તે સિવાય જ્યોતિરાદિત્ય સિંધિયા ગુના સીટથી લડી રહ્યા છે. મનસુખ માંડવિયા ગુજરાતની પોરબંદર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તે સિવાય નારાયણ રાણે રત્નાગિરી સિંધુ દુર્ગ બેઠકથી ચૂંટણી લડી રહ્યા છે. એસપી સિંહ બેઘલ આગરા સીટથી લડી રહ્યા છે. તે સિવાય પરષોત્તમ રૂપાલા રાજકોટ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તે સિવાય દેવુસિંહ ચૌહાણ ખેડા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તે સિવાય ભગવંત ખુબા બિદર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તે ઉપરાંત પ્રહલાદ જોષી ધારવાડ બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.