મતદાન કર્યા પછી PM Modiએ મતદાતાઓને આપ્યો સંદેશ, મતદાતાઓને અપીલ કરતા શું કહ્યું સાંભળો?


  • Published By :
  • Published Date : 2024-05-07 08:41:03

દેશમાં લોકશાહીના મહાપર્વની ઉજવણી થઈ રહી છે.. મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.. ત્યારે પીએમ મોદીએ અમદાવાદના રાણીપમાં મતદાન કર્યું છે. મતદાન કર્યા પછી પીએમ મોદીએ મતદાતાને અપીલ કરી છે. મતદાન આપ્યા બાદ તેમણે કહ્યું કે "ભારતની ચૂંટણી પ્રક્રિયા, ચૂંટણી વ્યવસ્થાપન એ વિશ્વની લોકશાહીઓ પાસેથી શીખવા જેવું ઉદાહરણ છે. વિશ્વની સૌથી મોટી યુનિવર્સિટીઓએ કેસ સ્ટડી કરવી જોઈએ. લોકશાહીની ઉજવણી થઈ રહી છે... હું ફરીથી દેશવાસીઓને કહું છું કે મોટી સંખ્યામાં મતદાન કરો અને લોકશાહીના તહેવારની ઉજવણી કરો..

ક્યાં થઈ રહ્યું છે મતદાન? 

મહત્વનું છે કે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પીએમ મોદી, અમિત શાહ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ તેમજ મધ્યપ્રદેશના ગવર્નર મંગુભાઈ પટેલ ગુજરાત આવ્યા છે.. ગુજરાતના કરોડો મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ આજે કરવાના છે.. દેશની 93 બેઠકો માટે મતદાન પ્રક્રિયા શરૂ છે..  ગુજરાતની તમામ 25, મહારાષ્ટ્રની 11, ઉત્તર પ્રદેશની 10, કર્ણાટકની 28 માંથી બાકી રહેલી 14 બેઠકો પર મતદાન થવાનું છે... છત્તીસગઢની 7, બિહારની 5, બંગાળ તેમજ આસામની 4-4 અને ગોવાની 2 બેઠકો પર મતદાન શરુ થઈ ગયું છે. આ ઉપરાંત દમણ-દીવ અને દાદરા નગર હવેલીની બન્ને બેઠકો પર તેમજ મધ્ય પ્રદેશની 9 બેઠકો પર પણ ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. 


કેન્દ્રીય મંત્રીઓનું ભાવિ આજે નક્કી થશે

મહત્વનું છે કે આ ચૂંટણીમાં અનેક કેન્દ્રીય મંત્રીઓનું ભાવિ નક્કી થવાનું છે... અમિત શાહ તે ગાંધીનગરથી ચૂંટણી લડી રહ્યા છે, તે સિવાય જ્યોતિરાદિત્ય સિંધિયા ગુના સીટથી લડી રહ્યા છે. મનસુખ માંડવિયા ગુજરાતની પોરબંદર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તે સિવાય નારાયણ રાણે રત્નાગિરી સિંધુ દુર્ગ બેઠકથી ચૂંટણી લડી રહ્યા છે. એસપી સિંહ બેઘલ આગરા સીટથી લડી રહ્યા છે. તે સિવાય પરષોત્તમ રૂપાલા રાજકોટ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તે સિવાય દેવુસિંહ ચૌહાણ ખેડા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તે સિવાય ભગવંત ખુબા બિદર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તે ઉપરાંત પ્રહલાદ જોષી ધારવાડ બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.