અમેરિકાના પ્રવાસે પીએમ મોદી, મુલાકાત દરમિયાન પીએમ મોદીએ ઉદ્યોગપતિઓ અને બુદ્ધિજીવીઓ સાથે કરી વાત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-21 10:04:09

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચાર દિવસના અમેરિકા પ્રવાસે છે. ભારત અને અમેરિકાના સંબંધો વિકસે તેના માટે આ વિદેશ સફર છે. ભારતના પ્રધાનમંત્રી અમેરિકાના રાષ્ટ્રપતિ અને અમેરિકાના પ્રથમ મહિલા નાગરિક જીલ બાઈડનને મળવાના છે. આ સિવાય અનેક ઉદ્યોગપતિઓ અને બુદ્ધિજીવીઓની પણ મુલાકાત લેવાના છે. જે દરમિયાન તેમણે ઈલોન મસ્ક જેવા અનેક લોકો સા થે મુલાકાત કરી હતી, તે દરમિયાન અમેરિકાના લોકોએ ભારતમાં નિવેશ કરવા વગેરે વિષયો પર વાત કરી હતી.

  

ટ્વિટરના સીઈઓ સાથે કરી મુલાકાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટેસ્લાના ઈલોન મસ્ક સાથે વાત કરી હતી ત્યારે ઈલોન મસ્કે કહ્યું હતું કે, હું મોદીનો ચાહક છું. હું ભારતના ભવિષ્યને લઈને અતિ ઉત્સાહિત છું. વિશ્વના કોઈ પણ દેશ કરતાં ભારત પાસે વધુ વચનો છે. PM ખરેખર ભારતની ચિંતા કરે છે કારણ કે તેઓ ભારતમાં નોંધપાત્ર રોકાણ કરવા માટે અમારી સાથે વાતચીત કરી રહ્યા છે. સૌર ઊર્જા રોકાણ માટે ભારત શ્રેષ્ઠ છે. હું આવતા વર્ષે ભારતની મુલાકાત લેવાનું કામચલાઉ આયોજન કરું છું. 

પીએમને મળ્યા પોલ રોમર 

નોબેલ પુરસ્કાર વિજેતા પોલ રોમર પીએમને મળ્યા ત્યારે તેમણે  કહ્યું હતું કે, એક સારો દિવસ એ છે જ્યારે હું કંઈક શીખું છું અને ભારત શું કરી રહ્યું છે તે મને ઘણું શીખવા મળે છે. આધાર કાર્ડ જેવા કાર્યક્રમો દ્વારા ઓથેન્ટીકેશનના મોરચે ભારત વિશ્વને રસ્તો બતાવી શકે છે, PM એ ખૂબ જ સારી રીતે રજૂ કર્યું. તે શહેરીકરણ કોઈ સમસ્યા નથી. તે એક તક છે. હું આને સૂત્ર તરીકે લઉં છું.


નિકોલસ નસીમ તાલેબને પણ મળ્યા મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના લેખક અને જાણીતા ચિંતક નિકોલસ નસીમ તાલેબને પણ મળ્યા હતા. ત્યારે તાલેબે પ્રધાનમંત્રીને કહ્યું હતું કે, કોવિડ પ્રત્યેના પ્રતિભાવ અને ભારતે તેની સાથે કેવી રીતે ખૂબ જ અસરકારક રીતે વ્યવહાર કર્યો છે તે બદલ હું ભારતની પ્રશંસા કરું છું. પીએમ સાથે જોખમ લેવા અને વિરોધી નાજુકતા અંગે ચર્ચા કરી. 

નીલ ડિગ્રાસ ટાયસન સાથે પીએમ મોદીએ કરી મુલાકાત 

લોકપ્રિય એસ્ટ્રો ફિઝિસિસ્ટ નીલ ડિગ્રાસ ટાયસન સાથે પણ પ્રધાનમંત્રી મોદીએ મુલાકાત કરી હતી. ભારતના પ્રધાનમંત્રી સાથે મુલાકાત બાદ ટાયસને કહ્યું હતું કે, પીએમ મોદી માટે આકાશ પણ સીમા નથી, વૈજ્ઞાનિક રીતે વિચારશીલ એવા નેતા સાથે સમય પસાર કરીને મને આનંદ થયો, વિશ્વના ઘણા નેતાઓ માટે પ્રાથમિકતાઓ સંતુલિત હોઈ શકે છે પરંતુ વડા પ્રધાન મોદી ઉકેલો સહિત ઘણી બાબતોની કાળજી રાખે છે.


પ્રખ્યાત રોકાણકાર અને વિશ્લેષક રે ડાલિયો પણ પીએમને મળ્યા હતા. તેમણે કહ્યું હતું. ભારતની ક્ષમતા પ્રચંડ છે અને તમારી પાસે હવે એક સુધારક છે જે પરિવર્તન કરવાની ક્ષમતા ધરાવે છે. ભારત અને વડાપ્રધાન મોદી એવા સ્થાન પર છે જ્યાં ઘણી તકો ઊભી થશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.