અમેરિકાના પ્રવાસે પીએમ મોદી, મુલાકાત દરમિયાન પીએમ મોદીએ ઉદ્યોગપતિઓ અને બુદ્ધિજીવીઓ સાથે કરી વાત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-21 10:04:09

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચાર દિવસના અમેરિકા પ્રવાસે છે. ભારત અને અમેરિકાના સંબંધો વિકસે તેના માટે આ વિદેશ સફર છે. ભારતના પ્રધાનમંત્રી અમેરિકાના રાષ્ટ્રપતિ અને અમેરિકાના પ્રથમ મહિલા નાગરિક જીલ બાઈડનને મળવાના છે. આ સિવાય અનેક ઉદ્યોગપતિઓ અને બુદ્ધિજીવીઓની પણ મુલાકાત લેવાના છે. જે દરમિયાન તેમણે ઈલોન મસ્ક જેવા અનેક લોકો સા થે મુલાકાત કરી હતી, તે દરમિયાન અમેરિકાના લોકોએ ભારતમાં નિવેશ કરવા વગેરે વિષયો પર વાત કરી હતી.

  

ટ્વિટરના સીઈઓ સાથે કરી મુલાકાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટેસ્લાના ઈલોન મસ્ક સાથે વાત કરી હતી ત્યારે ઈલોન મસ્કે કહ્યું હતું કે, હું મોદીનો ચાહક છું. હું ભારતના ભવિષ્યને લઈને અતિ ઉત્સાહિત છું. વિશ્વના કોઈ પણ દેશ કરતાં ભારત પાસે વધુ વચનો છે. PM ખરેખર ભારતની ચિંતા કરે છે કારણ કે તેઓ ભારતમાં નોંધપાત્ર રોકાણ કરવા માટે અમારી સાથે વાતચીત કરી રહ્યા છે. સૌર ઊર્જા રોકાણ માટે ભારત શ્રેષ્ઠ છે. હું આવતા વર્ષે ભારતની મુલાકાત લેવાનું કામચલાઉ આયોજન કરું છું. 

પીએમને મળ્યા પોલ રોમર 

નોબેલ પુરસ્કાર વિજેતા પોલ રોમર પીએમને મળ્યા ત્યારે તેમણે  કહ્યું હતું કે, એક સારો દિવસ એ છે જ્યારે હું કંઈક શીખું છું અને ભારત શું કરી રહ્યું છે તે મને ઘણું શીખવા મળે છે. આધાર કાર્ડ જેવા કાર્યક્રમો દ્વારા ઓથેન્ટીકેશનના મોરચે ભારત વિશ્વને રસ્તો બતાવી શકે છે, PM એ ખૂબ જ સારી રીતે રજૂ કર્યું. તે શહેરીકરણ કોઈ સમસ્યા નથી. તે એક તક છે. હું આને સૂત્ર તરીકે લઉં છું.


નિકોલસ નસીમ તાલેબને પણ મળ્યા મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના લેખક અને જાણીતા ચિંતક નિકોલસ નસીમ તાલેબને પણ મળ્યા હતા. ત્યારે તાલેબે પ્રધાનમંત્રીને કહ્યું હતું કે, કોવિડ પ્રત્યેના પ્રતિભાવ અને ભારતે તેની સાથે કેવી રીતે ખૂબ જ અસરકારક રીતે વ્યવહાર કર્યો છે તે બદલ હું ભારતની પ્રશંસા કરું છું. પીએમ સાથે જોખમ લેવા અને વિરોધી નાજુકતા અંગે ચર્ચા કરી. 

નીલ ડિગ્રાસ ટાયસન સાથે પીએમ મોદીએ કરી મુલાકાત 

લોકપ્રિય એસ્ટ્રો ફિઝિસિસ્ટ નીલ ડિગ્રાસ ટાયસન સાથે પણ પ્રધાનમંત્રી મોદીએ મુલાકાત કરી હતી. ભારતના પ્રધાનમંત્રી સાથે મુલાકાત બાદ ટાયસને કહ્યું હતું કે, પીએમ મોદી માટે આકાશ પણ સીમા નથી, વૈજ્ઞાનિક રીતે વિચારશીલ એવા નેતા સાથે સમય પસાર કરીને મને આનંદ થયો, વિશ્વના ઘણા નેતાઓ માટે પ્રાથમિકતાઓ સંતુલિત હોઈ શકે છે પરંતુ વડા પ્રધાન મોદી ઉકેલો સહિત ઘણી બાબતોની કાળજી રાખે છે.


પ્રખ્યાત રોકાણકાર અને વિશ્લેષક રે ડાલિયો પણ પીએમને મળ્યા હતા. તેમણે કહ્યું હતું. ભારતની ક્ષમતા પ્રચંડ છે અને તમારી પાસે હવે એક સુધારક છે જે પરિવર્તન કરવાની ક્ષમતા ધરાવે છે. ભારત અને વડાપ્રધાન મોદી એવા સ્થાન પર છે જ્યાં ઘણી તકો ઊભી થશે.



ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?