અમેરિકાના પ્રવાસે પીએમ મોદી, મુલાકાત દરમિયાન પીએમ મોદીએ ઉદ્યોગપતિઓ અને બુદ્ધિજીવીઓ સાથે કરી વાત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-21 10:04:09

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચાર દિવસના અમેરિકા પ્રવાસે છે. ભારત અને અમેરિકાના સંબંધો વિકસે તેના માટે આ વિદેશ સફર છે. ભારતના પ્રધાનમંત્રી અમેરિકાના રાષ્ટ્રપતિ અને અમેરિકાના પ્રથમ મહિલા નાગરિક જીલ બાઈડનને મળવાના છે. આ સિવાય અનેક ઉદ્યોગપતિઓ અને બુદ્ધિજીવીઓની પણ મુલાકાત લેવાના છે. જે દરમિયાન તેમણે ઈલોન મસ્ક જેવા અનેક લોકો સા થે મુલાકાત કરી હતી, તે દરમિયાન અમેરિકાના લોકોએ ભારતમાં નિવેશ કરવા વગેરે વિષયો પર વાત કરી હતી.

  

ટ્વિટરના સીઈઓ સાથે કરી મુલાકાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટેસ્લાના ઈલોન મસ્ક સાથે વાત કરી હતી ત્યારે ઈલોન મસ્કે કહ્યું હતું કે, હું મોદીનો ચાહક છું. હું ભારતના ભવિષ્યને લઈને અતિ ઉત્સાહિત છું. વિશ્વના કોઈ પણ દેશ કરતાં ભારત પાસે વધુ વચનો છે. PM ખરેખર ભારતની ચિંતા કરે છે કારણ કે તેઓ ભારતમાં નોંધપાત્ર રોકાણ કરવા માટે અમારી સાથે વાતચીત કરી રહ્યા છે. સૌર ઊર્જા રોકાણ માટે ભારત શ્રેષ્ઠ છે. હું આવતા વર્ષે ભારતની મુલાકાત લેવાનું કામચલાઉ આયોજન કરું છું. 

પીએમને મળ્યા પોલ રોમર 

નોબેલ પુરસ્કાર વિજેતા પોલ રોમર પીએમને મળ્યા ત્યારે તેમણે  કહ્યું હતું કે, એક સારો દિવસ એ છે જ્યારે હું કંઈક શીખું છું અને ભારત શું કરી રહ્યું છે તે મને ઘણું શીખવા મળે છે. આધાર કાર્ડ જેવા કાર્યક્રમો દ્વારા ઓથેન્ટીકેશનના મોરચે ભારત વિશ્વને રસ્તો બતાવી શકે છે, PM એ ખૂબ જ સારી રીતે રજૂ કર્યું. તે શહેરીકરણ કોઈ સમસ્યા નથી. તે એક તક છે. હું આને સૂત્ર તરીકે લઉં છું.


નિકોલસ નસીમ તાલેબને પણ મળ્યા મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના લેખક અને જાણીતા ચિંતક નિકોલસ નસીમ તાલેબને પણ મળ્યા હતા. ત્યારે તાલેબે પ્રધાનમંત્રીને કહ્યું હતું કે, કોવિડ પ્રત્યેના પ્રતિભાવ અને ભારતે તેની સાથે કેવી રીતે ખૂબ જ અસરકારક રીતે વ્યવહાર કર્યો છે તે બદલ હું ભારતની પ્રશંસા કરું છું. પીએમ સાથે જોખમ લેવા અને વિરોધી નાજુકતા અંગે ચર્ચા કરી. 

નીલ ડિગ્રાસ ટાયસન સાથે પીએમ મોદીએ કરી મુલાકાત 

લોકપ્રિય એસ્ટ્રો ફિઝિસિસ્ટ નીલ ડિગ્રાસ ટાયસન સાથે પણ પ્રધાનમંત્રી મોદીએ મુલાકાત કરી હતી. ભારતના પ્રધાનમંત્રી સાથે મુલાકાત બાદ ટાયસને કહ્યું હતું કે, પીએમ મોદી માટે આકાશ પણ સીમા નથી, વૈજ્ઞાનિક રીતે વિચારશીલ એવા નેતા સાથે સમય પસાર કરીને મને આનંદ થયો, વિશ્વના ઘણા નેતાઓ માટે પ્રાથમિકતાઓ સંતુલિત હોઈ શકે છે પરંતુ વડા પ્રધાન મોદી ઉકેલો સહિત ઘણી બાબતોની કાળજી રાખે છે.


પ્રખ્યાત રોકાણકાર અને વિશ્લેષક રે ડાલિયો પણ પીએમને મળ્યા હતા. તેમણે કહ્યું હતું. ભારતની ક્ષમતા પ્રચંડ છે અને તમારી પાસે હવે એક સુધારક છે જે પરિવર્તન કરવાની ક્ષમતા ધરાવે છે. ભારત અને વડાપ્રધાન મોદી એવા સ્થાન પર છે જ્યાં ઘણી તકો ઊભી થશે.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.