અમેરિકાના પ્રવાસે પીએમ મોદી, મુલાકાત દરમિયાન પીએમ મોદીએ ઉદ્યોગપતિઓ અને બુદ્ધિજીવીઓ સાથે કરી વાત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-21 10:04:09

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચાર દિવસના અમેરિકા પ્રવાસે છે. ભારત અને અમેરિકાના સંબંધો વિકસે તેના માટે આ વિદેશ સફર છે. ભારતના પ્રધાનમંત્રી અમેરિકાના રાષ્ટ્રપતિ અને અમેરિકાના પ્રથમ મહિલા નાગરિક જીલ બાઈડનને મળવાના છે. આ સિવાય અનેક ઉદ્યોગપતિઓ અને બુદ્ધિજીવીઓની પણ મુલાકાત લેવાના છે. જે દરમિયાન તેમણે ઈલોન મસ્ક જેવા અનેક લોકો સા થે મુલાકાત કરી હતી, તે દરમિયાન અમેરિકાના લોકોએ ભારતમાં નિવેશ કરવા વગેરે વિષયો પર વાત કરી હતી.

  

ટ્વિટરના સીઈઓ સાથે કરી મુલાકાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટેસ્લાના ઈલોન મસ્ક સાથે વાત કરી હતી ત્યારે ઈલોન મસ્કે કહ્યું હતું કે, હું મોદીનો ચાહક છું. હું ભારતના ભવિષ્યને લઈને અતિ ઉત્સાહિત છું. વિશ્વના કોઈ પણ દેશ કરતાં ભારત પાસે વધુ વચનો છે. PM ખરેખર ભારતની ચિંતા કરે છે કારણ કે તેઓ ભારતમાં નોંધપાત્ર રોકાણ કરવા માટે અમારી સાથે વાતચીત કરી રહ્યા છે. સૌર ઊર્જા રોકાણ માટે ભારત શ્રેષ્ઠ છે. હું આવતા વર્ષે ભારતની મુલાકાત લેવાનું કામચલાઉ આયોજન કરું છું. 

પીએમને મળ્યા પોલ રોમર 

નોબેલ પુરસ્કાર વિજેતા પોલ રોમર પીએમને મળ્યા ત્યારે તેમણે  કહ્યું હતું કે, એક સારો દિવસ એ છે જ્યારે હું કંઈક શીખું છું અને ભારત શું કરી રહ્યું છે તે મને ઘણું શીખવા મળે છે. આધાર કાર્ડ જેવા કાર્યક્રમો દ્વારા ઓથેન્ટીકેશનના મોરચે ભારત વિશ્વને રસ્તો બતાવી શકે છે, PM એ ખૂબ જ સારી રીતે રજૂ કર્યું. તે શહેરીકરણ કોઈ સમસ્યા નથી. તે એક તક છે. હું આને સૂત્ર તરીકે લઉં છું.


નિકોલસ નસીમ તાલેબને પણ મળ્યા મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના લેખક અને જાણીતા ચિંતક નિકોલસ નસીમ તાલેબને પણ મળ્યા હતા. ત્યારે તાલેબે પ્રધાનમંત્રીને કહ્યું હતું કે, કોવિડ પ્રત્યેના પ્રતિભાવ અને ભારતે તેની સાથે કેવી રીતે ખૂબ જ અસરકારક રીતે વ્યવહાર કર્યો છે તે બદલ હું ભારતની પ્રશંસા કરું છું. પીએમ સાથે જોખમ લેવા અને વિરોધી નાજુકતા અંગે ચર્ચા કરી. 

નીલ ડિગ્રાસ ટાયસન સાથે પીએમ મોદીએ કરી મુલાકાત 

લોકપ્રિય એસ્ટ્રો ફિઝિસિસ્ટ નીલ ડિગ્રાસ ટાયસન સાથે પણ પ્રધાનમંત્રી મોદીએ મુલાકાત કરી હતી. ભારતના પ્રધાનમંત્રી સાથે મુલાકાત બાદ ટાયસને કહ્યું હતું કે, પીએમ મોદી માટે આકાશ પણ સીમા નથી, વૈજ્ઞાનિક રીતે વિચારશીલ એવા નેતા સાથે સમય પસાર કરીને મને આનંદ થયો, વિશ્વના ઘણા નેતાઓ માટે પ્રાથમિકતાઓ સંતુલિત હોઈ શકે છે પરંતુ વડા પ્રધાન મોદી ઉકેલો સહિત ઘણી બાબતોની કાળજી રાખે છે.


પ્રખ્યાત રોકાણકાર અને વિશ્લેષક રે ડાલિયો પણ પીએમને મળ્યા હતા. તેમણે કહ્યું હતું. ભારતની ક્ષમતા પ્રચંડ છે અને તમારી પાસે હવે એક સુધારક છે જે પરિવર્તન કરવાની ક્ષમતા ધરાવે છે. ભારત અને વડાપ્રધાન મોદી એવા સ્થાન પર છે જ્યાં ઘણી તકો ઊભી થશે.



પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?

ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.