PM મોદીએ MPના ઝાબુઆમાં કહ્યું, '2023માં કોંગ્રેસની છુટ્ટી થઈ હતી, 2024ની ચૂંટણીમાં તેનો સફાયો થવો નક્કી છે'


  • Published By :
  • Published Date : 2024-02-11 15:28:44

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મધ્ય પ્રદેશના ઝાબુઆમાં રૂ. 7,550 કરોડના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન તેમણે રાજ્યની 'ફૂડ સબસિડી સ્કીમ' હેઠળ લગભગ બે લાખ મહિલા લાભાર્થીઓને માસિક હપ્તાનું વિતરણ પણ કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ જનસભાને સંબોધતા કહ્યું કે 2023ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય થયો હતો, 2024ની લોકસભા ચૂંટણીમાં તેનો સફાયો થવો નિશ્ચિત છે.


કોંગ્રેસ પર આકરા પ્રહાર

કોંગ્રેસ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું, 'મધ્યપ્રદેશે પાછલા વર્ષોમાં બે અલગ-અલગ તબક્કા જોયા છે. એક ડબલ એન્જિન સરકારનો યુગ અને બીજો કોંગ્રેસ યુગનો અંધકાર યુગ! યુવાનોને કદાચ યાદ પણ નહીં હોય કે આજે વિકાસના પંથે ઝડપથી દોડી રહેલા મધ્યપ્રદેશની ગણતરી ભાજપ સરકાર પહેલા દેશના સૌથી બિમારૂ રાજ્યોમાં થતી હતી. અમારા માટે આદિવાસી સમાજ મતબેંક નથી પરંતુ દેશના ગૌરવ સમાન છે. તમારું.. સન્માન પણ અને તમારો વિકાસ પણ... આ મોદીની ગેરંટી છે. તમારા સપના, તમારા બાળકોના સપના, યુવાનોના સપના... આ મોદીનો સંકલ્પ છે.



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .