PM મોદીએ MPના ઝાબુઆમાં કહ્યું, '2023માં કોંગ્રેસની છુટ્ટી થઈ હતી, 2024ની ચૂંટણીમાં તેનો સફાયો થવો નક્કી છે'


  • Published By :
  • Published Date : 2024-02-11 15:28:44

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મધ્ય પ્રદેશના ઝાબુઆમાં રૂ. 7,550 કરોડના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન તેમણે રાજ્યની 'ફૂડ સબસિડી સ્કીમ' હેઠળ લગભગ બે લાખ મહિલા લાભાર્થીઓને માસિક હપ્તાનું વિતરણ પણ કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ જનસભાને સંબોધતા કહ્યું કે 2023ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય થયો હતો, 2024ની લોકસભા ચૂંટણીમાં તેનો સફાયો થવો નિશ્ચિત છે.


કોંગ્રેસ પર આકરા પ્રહાર

કોંગ્રેસ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું, 'મધ્યપ્રદેશે પાછલા વર્ષોમાં બે અલગ-અલગ તબક્કા જોયા છે. એક ડબલ એન્જિન સરકારનો યુગ અને બીજો કોંગ્રેસ યુગનો અંધકાર યુગ! યુવાનોને કદાચ યાદ પણ નહીં હોય કે આજે વિકાસના પંથે ઝડપથી દોડી રહેલા મધ્યપ્રદેશની ગણતરી ભાજપ સરકાર પહેલા દેશના સૌથી બિમારૂ રાજ્યોમાં થતી હતી. અમારા માટે આદિવાસી સમાજ મતબેંક નથી પરંતુ દેશના ગૌરવ સમાન છે. તમારું.. સન્માન પણ અને તમારો વિકાસ પણ... આ મોદીની ગેરંટી છે. તમારા સપના, તમારા બાળકોના સપના, યુવાનોના સપના... આ મોદીનો સંકલ્પ છે.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .