PM મોદી એ સભામાં કહ્યું "મારી તો એબીસીડીની શરૂઆત જ A ફોર આદિવાસીથી થાય છે."


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-06 16:27:41

"ચૂંટણી ભાજપ નથી લડતું, આ ચૂંટણી નરેન્દ્ર કે ભૂપેન્દ્ર પણ નથી લડતું, પરંતુ ગુજરાતની જનતા લડે છે"

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસ પર છે ત્યારે આજે કપરાડામાં જનસભા સંબોધતા કહ્યું  " મારી તો એબીસીડીની શરૂઆત જ A ફોર આદિવાસીથી થાય છે. હું આ વખતે મારા જ રેકોર્ડ તોડવા માંગુ છું. નરેન્દ્રના રેકોર્ડ ભુપેન્દ્ર તોડવા માંગુ છું. જેમાં તમે બધા મારો સાથ આપશો. આ વખતે પણ ગુજરાતમાં અનેક પરિવર્તનો આવી રહ્યા છે. આ વખતે પણ જનતા જનાર્દન ચૂંટણીનો વાવટો લઇને નિકળી પડ્યાં છે. આ ચૂંટણી ન તો નરેન્દ્ર લડે છે કે ન તો નરેન્દ્ર લડે છે. આ ચૂંટણી તો 6 કરોડ ગુજરાતીઓ લડી રહ્યા છે."


" ભૂકંપ પછી બધાને લાગતું હતું કે આ મોતની ચાદર ઓઢીને સુતેલું છે પરંતુ આપણે હાથ ફેલાવીને ઉભા રહીએ તેવા નથી હાથ હલાવીને પ્રાપ્ત કરનારા લોકો છીએ. આપણા ગુજરાતમાં ધોમધખતો તાપ હોય અને વિજળી ના વલખા હોય તે સમયે અમે ભીક્ષા માંગતા હતા અને કહેતા તે તમારી દિકરીને ભણાવવાનું વચન આપો. દરેક વિસ્તારની બહેનો ભણે તે માટેનું બીડુ ઉઠાવ્યું. આજે એ દિકરીએ ગુજરાતનું નામ રોશન કરી રહી છે."


આદિવાસી વિકાસની વાત કરતાં કહ્યું ....

 "આદિવાસી ક્ષેત્રમાં આટલો મોટો બદલાવ આજે પરિવર્તન આવ્યું છે. આ પ્રગતીના નવા નવા સોપાન સર થઇ રહ્યા છે. એટલા માટે મારા આદિવાસી ભાઇઓ બહેનો પુરી તાકાતથી બોલી રહ્યા છે કે આ ગુજરાત ગરવી ગુજરાત છે. મોદીનું ગુજરાત છે. ભાઇઓ બહેનો યાદ કરો વિજળી પાણીની શું સ્થિતિ હતી. લોકો 6 વાગ્યા પહેલા જમવા માટે મજબુર હતા પરંતુ આજે 24 કલાક વિજળી ઘરે ઘરે છે. આદિવાસી દિકરા દિકરીઓ મોડી રાત્રે પણ ભણે છે"


"વડાપ્રધાન મોદીએ નવો નારો આપ્યો- “આ ગુજરાત મેં બનાવ્યું છે.”

આ જનસભામાં PM નરેન્દ્ર મોદીએ નવો નારો આપ્યો "આ ગુજરાત મે બનવ્યું છે " અને સૌથી વધુ વાર બોલાયું છે .. અને કહ્યું કે આ ચૂંટણીમાં ગુજરાત અને ભાજપને મારો જેટલો સમય જોતો હોય એટલો સમય હું આપીશ ......



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.