PM મોદી એ સભામાં કહ્યું "મારી તો એબીસીડીની શરૂઆત જ A ફોર આદિવાસીથી થાય છે."


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-06 16:27:41

"ચૂંટણી ભાજપ નથી લડતું, આ ચૂંટણી નરેન્દ્ર કે ભૂપેન્દ્ર પણ નથી લડતું, પરંતુ ગુજરાતની જનતા લડે છે"

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસ પર છે ત્યારે આજે કપરાડામાં જનસભા સંબોધતા કહ્યું  " મારી તો એબીસીડીની શરૂઆત જ A ફોર આદિવાસીથી થાય છે. હું આ વખતે મારા જ રેકોર્ડ તોડવા માંગુ છું. નરેન્દ્રના રેકોર્ડ ભુપેન્દ્ર તોડવા માંગુ છું. જેમાં તમે બધા મારો સાથ આપશો. આ વખતે પણ ગુજરાતમાં અનેક પરિવર્તનો આવી રહ્યા છે. આ વખતે પણ જનતા જનાર્દન ચૂંટણીનો વાવટો લઇને નિકળી પડ્યાં છે. આ ચૂંટણી ન તો નરેન્દ્ર લડે છે કે ન તો નરેન્દ્ર લડે છે. આ ચૂંટણી તો 6 કરોડ ગુજરાતીઓ લડી રહ્યા છે."


" ભૂકંપ પછી બધાને લાગતું હતું કે આ મોતની ચાદર ઓઢીને સુતેલું છે પરંતુ આપણે હાથ ફેલાવીને ઉભા રહીએ તેવા નથી હાથ હલાવીને પ્રાપ્ત કરનારા લોકો છીએ. આપણા ગુજરાતમાં ધોમધખતો તાપ હોય અને વિજળી ના વલખા હોય તે સમયે અમે ભીક્ષા માંગતા હતા અને કહેતા તે તમારી દિકરીને ભણાવવાનું વચન આપો. દરેક વિસ્તારની બહેનો ભણે તે માટેનું બીડુ ઉઠાવ્યું. આજે એ દિકરીએ ગુજરાતનું નામ રોશન કરી રહી છે."


આદિવાસી વિકાસની વાત કરતાં કહ્યું ....

 "આદિવાસી ક્ષેત્રમાં આટલો મોટો બદલાવ આજે પરિવર્તન આવ્યું છે. આ પ્રગતીના નવા નવા સોપાન સર થઇ રહ્યા છે. એટલા માટે મારા આદિવાસી ભાઇઓ બહેનો પુરી તાકાતથી બોલી રહ્યા છે કે આ ગુજરાત ગરવી ગુજરાત છે. મોદીનું ગુજરાત છે. ભાઇઓ બહેનો યાદ કરો વિજળી પાણીની શું સ્થિતિ હતી. લોકો 6 વાગ્યા પહેલા જમવા માટે મજબુર હતા પરંતુ આજે 24 કલાક વિજળી ઘરે ઘરે છે. આદિવાસી દિકરા દિકરીઓ મોડી રાત્રે પણ ભણે છે"


"વડાપ્રધાન મોદીએ નવો નારો આપ્યો- “આ ગુજરાત મેં બનાવ્યું છે.”

આ જનસભામાં PM નરેન્દ્ર મોદીએ નવો નારો આપ્યો "આ ગુજરાત મે બનવ્યું છે " અને સૌથી વધુ વાર બોલાયું છે .. અને કહ્યું કે આ ચૂંટણીમાં ગુજરાત અને ભાજપને મારો જેટલો સમય જોતો હોય એટલો સમય હું આપીશ ......



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.