Ram Mandir Pran Prathistha પહેલા PM Modiએ શેર કર્યો ઓડિયો મેસેજ, કહ્યું પ્રાણ પ્રતિષ્ઠાનો સાક્ષી બનવું સૌભાગ્ય છે.. સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-01-12 11:31:11

22 જાન્યુઆરીના દિવસે ભગવાન રામના મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. અનેક મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યું. ભક્તોમાં આને લઈ વિશેષ ઉત્સાહ છે. પીએમ મોદીએ પ્રાણ પ્રતિષ્ઠા પહેલા એક ઓડિયો જાહેર કર્યો છે. જેમાં તેમણે કહ્યું કે તે 11 દિવસનું અનુષ્ઠાન કરી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે આ શુભ અવસરના સાક્ષી બનવા માટે તેઓ ભાગ્યશાળી છે. અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરનો અભિષેક 22 જાન્યુઆરીએ થવા જઈ રહ્યો છે. હવે આમાં માત્ર 11 દિવસ બાકી છે. 

પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા

ભગવાન રામ સાથે અનેક ભક્તોની આસ્થા જોડાયેલી છે. લાખો ભક્તોએ ક્ષણની રાહ જોઈ રહ્યા છે જ્યારે મંદિરમાં રામ લલ્લાની મૂર્તિની પ્રતિષ્ઠા થશે. અયોધ્યામાં આ ભવ્ય કાર્યક્રમને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પીએમ મોદીએ મહોત્સવ પહેલા એક ઓડિયો ક્લીપ બહાર પાડી છે. વડાપ્રધાને જણાવ્યું કે 11 દિવસનો વિશેષ અનુષ્ઠાનની  શરૂઆત તે  કરી રહ્યા છે. પીએમએ કહ્યું કે આ શુભ અવસરના સાક્ષી બનવા માટે તેઓ ભાગ્યશાળી છે. અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરનો અભિષેક 22 જાન્યુઆરીએ થવા જઈ રહ્યો છે. હવે આમાં માત્ર 11 દિવસ બાકી છે. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તૈયારીઓ ચાલી રહી છે.   


11 દિવસ માટે પીએમ મોદી કરવાના છે અનુષ્ઠાન 

વધુમાં તેમણે કહ્યું કે 'એ સપનું જે ઘણી પેઢીઓએ વર્ષોથી તેમના હૃદયમાં રાખ્યું છે. તેની સિદ્ધિ સમયે મને હાજર રહેવાનો મોકો મળી રહ્યો છે. જેમ કે આપણા શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે ભગવાનની ઉપાસના કરવા માટે આપણે પોતાની અંદર દૈવી ભાવના જાગૃત કરવી પડશે. આ માટે શાસ્ત્રોમાં ઉપવાસ અને કડક નિયમો જણાવવામાં આવ્યા છે. તે મુજબ હું આજથી 11 દિવસની વિશેષ વિધિ શરૂ કરી રહ્યો છું. આ પવિત્ર અવસર પર હું ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું.




૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.