Ram Mandir Pran Prathistha પહેલા PM Modiએ શેર કર્યો ઓડિયો મેસેજ, કહ્યું પ્રાણ પ્રતિષ્ઠાનો સાક્ષી બનવું સૌભાગ્ય છે.. સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-01-12 11:31:11

22 જાન્યુઆરીના દિવસે ભગવાન રામના મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. અનેક મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યું. ભક્તોમાં આને લઈ વિશેષ ઉત્સાહ છે. પીએમ મોદીએ પ્રાણ પ્રતિષ્ઠા પહેલા એક ઓડિયો જાહેર કર્યો છે. જેમાં તેમણે કહ્યું કે તે 11 દિવસનું અનુષ્ઠાન કરી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે આ શુભ અવસરના સાક્ષી બનવા માટે તેઓ ભાગ્યશાળી છે. અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરનો અભિષેક 22 જાન્યુઆરીએ થવા જઈ રહ્યો છે. હવે આમાં માત્ર 11 દિવસ બાકી છે. 

પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા

ભગવાન રામ સાથે અનેક ભક્તોની આસ્થા જોડાયેલી છે. લાખો ભક્તોએ ક્ષણની રાહ જોઈ રહ્યા છે જ્યારે મંદિરમાં રામ લલ્લાની મૂર્તિની પ્રતિષ્ઠા થશે. અયોધ્યામાં આ ભવ્ય કાર્યક્રમને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પીએમ મોદીએ મહોત્સવ પહેલા એક ઓડિયો ક્લીપ બહાર પાડી છે. વડાપ્રધાને જણાવ્યું કે 11 દિવસનો વિશેષ અનુષ્ઠાનની  શરૂઆત તે  કરી રહ્યા છે. પીએમએ કહ્યું કે આ શુભ અવસરના સાક્ષી બનવા માટે તેઓ ભાગ્યશાળી છે. અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરનો અભિષેક 22 જાન્યુઆરીએ થવા જઈ રહ્યો છે. હવે આમાં માત્ર 11 દિવસ બાકી છે. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તૈયારીઓ ચાલી રહી છે.   


11 દિવસ માટે પીએમ મોદી કરવાના છે અનુષ્ઠાન 

વધુમાં તેમણે કહ્યું કે 'એ સપનું જે ઘણી પેઢીઓએ વર્ષોથી તેમના હૃદયમાં રાખ્યું છે. તેની સિદ્ધિ સમયે મને હાજર રહેવાનો મોકો મળી રહ્યો છે. જેમ કે આપણા શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે ભગવાનની ઉપાસના કરવા માટે આપણે પોતાની અંદર દૈવી ભાવના જાગૃત કરવી પડશે. આ માટે શાસ્ત્રોમાં ઉપવાસ અને કડક નિયમો જણાવવામાં આવ્યા છે. તે મુજબ હું આજથી 11 દિવસની વિશેષ વિધિ શરૂ કરી રહ્યો છું. આ પવિત્ર અવસર પર હું ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું.




રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.