Tunnelમાંથી બહાર આવેલા શ્રમિકો સાથે PM Modiએ કરી વાત, પીએમને જણાવ્યો કેવો હતો અનુભવ?


  • Published By :
  • Published Date : 2023-11-29 13:12:52

ઉત્તરાખંડના સિલક્યારા ટનલમાંથી બહાર નિકળેલા શ્રમિકો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન પર વાતચીત કરી હતી. ફોન પર તેમના સ્વાસ્થ્યની જાણકારી લીધી અને તેમને પ્રોત્સાહન આપ્યું. શ્રમિકો સાથે પીએમએ વાતચીત કરી તેની પહેલા તેમણે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે પણ વાત કરી હતી. શ્રમિકોને ટનલમાંથી કાઢ્યા બાદ તેમના માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓ અંગે પણ જાણકારી મેળવી  હતી. આ ઘટનાને લઈ વડાપ્રધાન મોદી સતત આ અપડેટ લઈ રહ્યા હતા.   મુખ્યમંત્રી પાસેથી આની અપડેટ સતત લેતા હતા.  

પીએમ મોદીએ ટનલમાં ફસાયેલા શ્રમિકો સાથે કરી વાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટનલમાંથી બહાર આવેલા 41 મજૂરો સાથે ફોન પર વાત કરી હતી. બચાવ અભિયાનને સફળ બનાવનાર સૈનિકોની પ્રશંસા કરતા પીએમ મોદીએ કહ્યું કે તેમની બહાદુરી અને નિશ્ચયથી આપણા શ્રમિક ભાઈઓને નવું જીવન મળ્યું છે. આ મિશનમાં સામેલ દરેક વ્યક્તિએ માનવતા અને ટીમ વર્કનું અદભૂત ઉદાહરણ સ્થાપિત કર્યું છે. 17 દિવસ શ્રમિકોએ ટનલમાં કેવી રીતે કાઢ્યા તે અંગે પણ પીએમ મોદીએ પૂછ્યું હતું.  


માનવી શક્તિનો કરાયો ઉપયોગ!

હવે આખી ઘટના અને ઓપરેશન જિંદગી પર નજર કરીએ તો ગઈકાલે સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. અમેરિકાથી આવેલું ઓગર મશીન તૂટી ગયા બાદ રેટ માઈનર્સે બાકીનો કાટમાળ ખોદી કાઢ્યો હતો અને મંગળવારે મોડી સાંજે તમામ કામદારોને પાઇપ વડે સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આ રેસ્ક્યુ ઓપરેશનની દુનિયાભરના મીડિયામાં ચર્ચા થઈ રહી છે. જ્યાં મશીનો નહીં પણ માણસોએ જીત મેળવી છે. અહીં સુરંગ તોડવામાં યાંત્રિક શક્તિ ખલાસ થઈ ગઈ પછી માનવની હિંમત કામમાં આવી. મહત્વનું છે કે બહાર આવ્યા બાદ શ્રમિકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યાં શ્રમિકોને રાખવામાં આવ્યા છે ત્યાંની મુલાકાત મુખ્યમંત્રીએ લીધી હતી.  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે