PM Modiએ ફાઈટર પ્લેન Tejasમાં ભરી ઉડાન, PMએ શેર કર્યો અનુભવ, લખ્યું...


  • Published By :
  • Published Date : 2023-11-25 15:05:41

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના બેંગલુરૂમાં તેજસ વિમાનમાં ઉડાન ભરી છે. કર્ણાટકના પ્રવાસે ગયેલા પીએમ મોદીએ યેલાહંકા એરબેઝની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે સ્વદેશી ફાઈટર એરક્રાફ્ટ તેજસમાં સવારી કરી. જે તેજસ વિમાનમાં તેમણે સવારી કરી હતી તે ભારત દ્વારા વિકસિત કરવામાં આવી રહેલું જેટ ફાઈટર એરક્રાફ્ટ છે. આ એરક્રાફ્ટની ઉડાન ભર્યા બાદ પીએમ મોદીએ કહ્યું આ ગજબનો અનુભવ હતો.

 

સોશિયલ મીડિયા પર પીએમ મોદીએ શેર કરી તસવીર 

તેજસની સફર કર્યા બાદ પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર આના ફોટા શેર કર્યો હતા. અને ઉડાનનો અનુભવ કેવો લાગ્યો તે જણાવ્યું હતું. પીએમ મોદીએ લખ્યું, 'તેજસ પર સફળતાપૂર્વક ફ્લાઇટ પૂર્ણ કરી. આ અનુભવ અકલ્પનીય હતો. આ અનુભવે આપણા દેશની સ્વદેશી ક્ષમતાઓમાં મારો વિશ્વાસ ઘણો વધાર્યો છે. તેનાથી મારામાં આપણી રાષ્ટ્રીય ક્ષમતા વિશે નવેસરથી ગૌરવ અને આશાવાદની ભાવના જાગી છે.

Rajnath Singh becomes 1st defence minister to fly in Tejas | India News -  Times of India

રાજનાથસિંહ પણ ભરી ચૂક્યા છે તેજસની ઉડાન 

વડાપ્રધાન મોદી પહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહે 2019માં બેંગલુરુના HAL એરપોર્ટ પરથી તેજસ ફાઈટર એરક્રાફ્ટમાં ઉડાન ભરી હતી. તેઓ સ્વદેશી લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA)માં ઉડાન ભરનાર પ્રથમ સંરક્ષણ પ્રધાન બન્યા.




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે