PM તરીકેનો કાર્યભાર સંભાળતા જ ખેડૂતોના હિતમાં લીધો પીએમ મોદીએ આ નિર્ણય, આટલા ખેડૂતોને આ નિર્ણયથી થઈ શકે છે ફાયદો


  • Published By :
  • Published Date : 2024-06-10 14:51:01

ગઈકાલે ત્રીજી વખત પીએમ તરીકેના નરેન્દ્ર મોદીએ શપથ લીધા.. આજથી નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે.. કાર્.ભાર સંભાળતાની સાથે જ તેમણે એક મોટો નિર્ણય લીધો છે જે ખેડૂતોના હિતમાં છે.. પીએમના નિર્ણયથી ખેડૂતોને ફાયદો થશે.. PM મોદીએ કિસાન સન્માન નિધિનો હપ્તો બહાર પાડવાની ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે. આ નિર્ણયથી 9.3 કરોડ ખેડૂતોને ફાયદો થશે અને અંદાજે 20 હજાર કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવશે.

ખેડૂત સન્માન નિધિનો 17 હપ્તો જારી કર્યો..!

ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ સારી થાય તે માટે અનેક પ્રયત્નો કરવામાં આવે છે.. અનેક યોજનાઓ લાવવામાં આવે છે. ખેડૂતો માટે એક મોટો નિર્ણય પીએમ મોદી દ્વારા કાર્યકાળના પ્રથમ દિવસે લેવામાં આવ્યો છે. આજે જ પીએમ તરીકેનો કાર્યભાર ત્રીજી વખત નરેન્દ્ર મોદીએ સંભાળ્યો છે અને ચાર્જ સંભળાતાની સાથે જે તેમણે સૌ પ્રથમ નિર્ણય ખેડૂતોને કિસાન નિધિ હેઠળ આપવામાં આવતા નાણાં અંગે લીધો છે.. વડાપ્રધાન ખેડૂત સન્માન નિધિનો 17 હપ્તો જારી કરવાની ફાઈલ પર પીએમે સાઈન કરી છે. જ્યારે PM પીએમો પહોંચ્યા ત્યારે કર્મચારીઓએ પીએમ મોદીનું સ્વાગત કર્યું 

આજે થઈ શકે છે ખાતાની ફાળવણી..

ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 71 મંત્રીઓ સાથે શપથ લીધાજેમાંથી 11 સાથી પક્ષોના મંત્રીઓ છે અને નવા કેબિનેટની પ્રથમ બેઠક આજે સાંજે 5 વાગે  પીએમ આવાસ પર મળવાની છે.. એવી સંભાવનાઓ છે કે આ મિટિંગમાં મંત્રીઓને તેમના મંત્રાલયની ફાળવણી કરવામાં આવી શકે છે.. સાથે જ સરકારના પ્રથમ 100 દિવસના રોડ મેપ પર પણ ચર્ચા કરવામાં આવશે અત્યારે બધાની નજર ગઠબંધનમાં સામેલ ટીડીપી અને જેડીયુના મંત્રીઓને આપવામાં આવેલા મંત્રાલય પર રહેશે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કોમેન્ટમાં જણાવજો.. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.