PM તરીકેનો કાર્યભાર સંભાળતા જ ખેડૂતોના હિતમાં લીધો પીએમ મોદીએ આ નિર્ણય, આટલા ખેડૂતોને આ નિર્ણયથી થઈ શકે છે ફાયદો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-10 14:51:01

ગઈકાલે ત્રીજી વખત પીએમ તરીકેના નરેન્દ્ર મોદીએ શપથ લીધા.. આજથી નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે.. કાર્.ભાર સંભાળતાની સાથે જ તેમણે એક મોટો નિર્ણય લીધો છે જે ખેડૂતોના હિતમાં છે.. પીએમના નિર્ણયથી ખેડૂતોને ફાયદો થશે.. PM મોદીએ કિસાન સન્માન નિધિનો હપ્તો બહાર પાડવાની ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે. આ નિર્ણયથી 9.3 કરોડ ખેડૂતોને ફાયદો થશે અને અંદાજે 20 હજાર કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવશે.

ખેડૂત સન્માન નિધિનો 17 હપ્તો જારી કર્યો..!

ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ સારી થાય તે માટે અનેક પ્રયત્નો કરવામાં આવે છે.. અનેક યોજનાઓ લાવવામાં આવે છે. ખેડૂતો માટે એક મોટો નિર્ણય પીએમ મોદી દ્વારા કાર્યકાળના પ્રથમ દિવસે લેવામાં આવ્યો છે. આજે જ પીએમ તરીકેનો કાર્યભાર ત્રીજી વખત નરેન્દ્ર મોદીએ સંભાળ્યો છે અને ચાર્જ સંભળાતાની સાથે જે તેમણે સૌ પ્રથમ નિર્ણય ખેડૂતોને કિસાન નિધિ હેઠળ આપવામાં આવતા નાણાં અંગે લીધો છે.. વડાપ્રધાન ખેડૂત સન્માન નિધિનો 17 હપ્તો જારી કરવાની ફાઈલ પર પીએમે સાઈન કરી છે. જ્યારે PM પીએમો પહોંચ્યા ત્યારે કર્મચારીઓએ પીએમ મોદીનું સ્વાગત કર્યું 

આજે થઈ શકે છે ખાતાની ફાળવણી..

ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 71 મંત્રીઓ સાથે શપથ લીધાજેમાંથી 11 સાથી પક્ષોના મંત્રીઓ છે અને નવા કેબિનેટની પ્રથમ બેઠક આજે સાંજે 5 વાગે  પીએમ આવાસ પર મળવાની છે.. એવી સંભાવનાઓ છે કે આ મિટિંગમાં મંત્રીઓને તેમના મંત્રાલયની ફાળવણી કરવામાં આવી શકે છે.. સાથે જ સરકારના પ્રથમ 100 દિવસના રોડ મેપ પર પણ ચર્ચા કરવામાં આવશે અત્યારે બધાની નજર ગઠબંધનમાં સામેલ ટીડીપી અને જેડીયુના મંત્રીઓને આપવામાં આવેલા મંત્રાલય પર રહેશે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કોમેન્ટમાં જણાવજો.. 



આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

જ્ઞાન સહાયક જે માટે વિદ્યાર્થીઓ આટલું લડ્યા ગાંધીનગરના રસ્તાઓ પર ઢસડાયા અને અંતે સરકારે ભરતી તો બહાર પડી પણ હવે એ લટકતી તલવાર જેવી સ્થિતી છે કારણ કે હવે સરકારે જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત કરી છે એટલે હવે કાયમી શિક્ષકોની ભરતીનું શું? કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું....