PM Modiએ Election Result બાદ કર્યું ટ્વિટ, જનતા જનાર્દનનો માન્યો આભાર


  • Published By :
  • Published Date : 2023-12-03 17:43:04

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. લોકસભાની ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ થઈ જશે તે પહેલા પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા તેમજ મિઝોરમમાં ચૂંટણી માટે મતદાન થયું, ચાર રાજ્યો માટે મતગણતરી હાથ ધરવામાં આવી. તેલંગાણામાં કોંગ્રેસની જીત દેખાઈ રહી છે. પરંતુ બાકીના ત્રણ રાજ્યોમાં મોદી ઈફેક્ટ જોવા મળી છે. ચાર રાજ્યોના પરિણામને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી છે. પીએમએ મતદાતાઓનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે જનતા જનાર્દનને નમન! મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના ચૂંટણી પરિણામો દર્શાવે છે કે ભારતની જનતાને માત્ર સુશાસન અને વિકાસની રાજનીતિમાં વિશ્વાસ છે, તેમનો વિશ્વાસ ભાજપમાં છે.   

મુખ્યમંત્રીની નથી કરવામાં આવી જાહેરાત 

રાજસ્થાનમાં પાંચ વર્ષ બાદ ફરી એક વખત સત્તા પરિવર્તન થઈ રહ્યું છે. કોંગ્રેસને હાર મળી છે જ્યારે ભાજપ સત્તા પર છે. તો છત્તીસગઢમાં પણ બીજેપીને જીત મળી છે. છત્તીસગઢમાં પણ ભાજપની સરકાર બનશે. ત્રણ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. જીત તરફ આગળ વધી ગઈ છે. એક સમય હતો કે મુખ્યમંત્રીના ચહેરા પર લોકો મત આપતા હતા પરંતુ હવે પાર્ટી દ્વારા સીએમ ફેસ ડિક્લેર નથી કરવામાં આવતો. 


પીએમ મોદીએ મતદાતાઓનો માન્યો આભાર!

પીએમ મોદીના ચહેરા પર ચૂંટણી લડવામાં આવે છે. ચૂંટણી પરિણામને લઈ પીએમ મોદીએ ટ્વિટ કરી છે. પીએમ મોદીએ કહ્યું હતું કે હું આ તમામ રાજ્યોના પરિવારના સભ્યો, ખાસ કરીને માતાઓ, બહેનો, પુત્રીઓ અને અમારા યુવા મતદારોનો ભાજપ પર પ્રેમ, વિશ્વાસ અને આશીર્વાદ આપવા બદલ હૃદયપૂર્વક આભાર માનું છું. હું તેમને ખાતરી આપું છું કે અમે તમારા કલ્યાણ માટે નિરંતર કામ કરવાનું ચાલુ રાખીશું. વધુમાં તેમણે લખ્યું કે આ પ્રસંગે, પાર્ટીના તમામ મહેનતુ કાર્યકરોનો વિશેષ આભાર! તમે બધાએ એક અદભૂત દાખલો બેસાડ્યો છે. તમે જે રીતે ભાજપની વિકાસ અને ગરીબ કલ્યાણની નીતિઓને લોકો વચ્ચે પહોંચાડી છે તેની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે.


તેલંગાણા માટે પણ પીએમ મોદીએ કરી ટ્વિટ 

ત્રણ રાજ્યોમાં પીએમને જીત હાંસલ થઈ રહી છે. તેલંગાણામાં ભાજપને બહુમતી મળે તેટલી સીટો નથી મળી. તેલંગણા માટે પણ તેમણે ટ્વિટ કરી છે. તેમણે લખ્યું કે ભાજપને સમર્થન કરવા બદલ તેલંગણાની મારી પ્રિય બહેનો અને ભાઈઓનો આભાર. , છેલ્લા કેટલાક વર્ષોમાં આ સમર્થન વધી રહ્યું છે અને આવનારા સમયમાં યથાવત રહેશે.  તેલંગણા સાથે અમારો સંબંધ અતૂટ છે અને અમે લોકો માટે કામ કરવાનું ચાલુ રાખીશું. હું ભાજપના દરેક કાર્યકર્તાની મહેનતની પ્રશંસા કરું છું.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે