PM Modiએ Election Result બાદ કર્યું ટ્વિટ, જનતા જનાર્દનનો માન્યો આભાર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-03 17:43:04

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. લોકસભાની ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ થઈ જશે તે પહેલા પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા તેમજ મિઝોરમમાં ચૂંટણી માટે મતદાન થયું, ચાર રાજ્યો માટે મતગણતરી હાથ ધરવામાં આવી. તેલંગાણામાં કોંગ્રેસની જીત દેખાઈ રહી છે. પરંતુ બાકીના ત્રણ રાજ્યોમાં મોદી ઈફેક્ટ જોવા મળી છે. ચાર રાજ્યોના પરિણામને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી છે. પીએમએ મતદાતાઓનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે જનતા જનાર્દનને નમન! મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના ચૂંટણી પરિણામો દર્શાવે છે કે ભારતની જનતાને માત્ર સુશાસન અને વિકાસની રાજનીતિમાં વિશ્વાસ છે, તેમનો વિશ્વાસ ભાજપમાં છે.   

મુખ્યમંત્રીની નથી કરવામાં આવી જાહેરાત 

રાજસ્થાનમાં પાંચ વર્ષ બાદ ફરી એક વખત સત્તા પરિવર્તન થઈ રહ્યું છે. કોંગ્રેસને હાર મળી છે જ્યારે ભાજપ સત્તા પર છે. તો છત્તીસગઢમાં પણ બીજેપીને જીત મળી છે. છત્તીસગઢમાં પણ ભાજપની સરકાર બનશે. ત્રણ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. જીત તરફ આગળ વધી ગઈ છે. એક સમય હતો કે મુખ્યમંત્રીના ચહેરા પર લોકો મત આપતા હતા પરંતુ હવે પાર્ટી દ્વારા સીએમ ફેસ ડિક્લેર નથી કરવામાં આવતો. 


પીએમ મોદીએ મતદાતાઓનો માન્યો આભાર!

પીએમ મોદીના ચહેરા પર ચૂંટણી લડવામાં આવે છે. ચૂંટણી પરિણામને લઈ પીએમ મોદીએ ટ્વિટ કરી છે. પીએમ મોદીએ કહ્યું હતું કે હું આ તમામ રાજ્યોના પરિવારના સભ્યો, ખાસ કરીને માતાઓ, બહેનો, પુત્રીઓ અને અમારા યુવા મતદારોનો ભાજપ પર પ્રેમ, વિશ્વાસ અને આશીર્વાદ આપવા બદલ હૃદયપૂર્વક આભાર માનું છું. હું તેમને ખાતરી આપું છું કે અમે તમારા કલ્યાણ માટે નિરંતર કામ કરવાનું ચાલુ રાખીશું. વધુમાં તેમણે લખ્યું કે આ પ્રસંગે, પાર્ટીના તમામ મહેનતુ કાર્યકરોનો વિશેષ આભાર! તમે બધાએ એક અદભૂત દાખલો બેસાડ્યો છે. તમે જે રીતે ભાજપની વિકાસ અને ગરીબ કલ્યાણની નીતિઓને લોકો વચ્ચે પહોંચાડી છે તેની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે.


તેલંગાણા માટે પણ પીએમ મોદીએ કરી ટ્વિટ 

ત્રણ રાજ્યોમાં પીએમને જીત હાંસલ થઈ રહી છે. તેલંગાણામાં ભાજપને બહુમતી મળે તેટલી સીટો નથી મળી. તેલંગણા માટે પણ તેમણે ટ્વિટ કરી છે. તેમણે લખ્યું કે ભાજપને સમર્થન કરવા બદલ તેલંગણાની મારી પ્રિય બહેનો અને ભાઈઓનો આભાર. , છેલ્લા કેટલાક વર્ષોમાં આ સમર્થન વધી રહ્યું છે અને આવનારા સમયમાં યથાવત રહેશે.  તેલંગણા સાથે અમારો સંબંધ અતૂટ છે અને અમે લોકો માટે કામ કરવાનું ચાલુ રાખીશું. હું ભાજપના દરેક કાર્યકર્તાની મહેનતની પ્રશંસા કરું છું.



ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક કેરીનો રસ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે..