PM Modiએ Election Result બાદ કર્યું ટ્વિટ, જનતા જનાર્દનનો માન્યો આભાર


  • Published By :
  • Published Date : 2023-12-03 17:43:04

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. લોકસભાની ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ થઈ જશે તે પહેલા પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા તેમજ મિઝોરમમાં ચૂંટણી માટે મતદાન થયું, ચાર રાજ્યો માટે મતગણતરી હાથ ધરવામાં આવી. તેલંગાણામાં કોંગ્રેસની જીત દેખાઈ રહી છે. પરંતુ બાકીના ત્રણ રાજ્યોમાં મોદી ઈફેક્ટ જોવા મળી છે. ચાર રાજ્યોના પરિણામને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી છે. પીએમએ મતદાતાઓનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે જનતા જનાર્દનને નમન! મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના ચૂંટણી પરિણામો દર્શાવે છે કે ભારતની જનતાને માત્ર સુશાસન અને વિકાસની રાજનીતિમાં વિશ્વાસ છે, તેમનો વિશ્વાસ ભાજપમાં છે.   

મુખ્યમંત્રીની નથી કરવામાં આવી જાહેરાત 

રાજસ્થાનમાં પાંચ વર્ષ બાદ ફરી એક વખત સત્તા પરિવર્તન થઈ રહ્યું છે. કોંગ્રેસને હાર મળી છે જ્યારે ભાજપ સત્તા પર છે. તો છત્તીસગઢમાં પણ બીજેપીને જીત મળી છે. છત્તીસગઢમાં પણ ભાજપની સરકાર બનશે. ત્રણ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. જીત તરફ આગળ વધી ગઈ છે. એક સમય હતો કે મુખ્યમંત્રીના ચહેરા પર લોકો મત આપતા હતા પરંતુ હવે પાર્ટી દ્વારા સીએમ ફેસ ડિક્લેર નથી કરવામાં આવતો. 


પીએમ મોદીએ મતદાતાઓનો માન્યો આભાર!

પીએમ મોદીના ચહેરા પર ચૂંટણી લડવામાં આવે છે. ચૂંટણી પરિણામને લઈ પીએમ મોદીએ ટ્વિટ કરી છે. પીએમ મોદીએ કહ્યું હતું કે હું આ તમામ રાજ્યોના પરિવારના સભ્યો, ખાસ કરીને માતાઓ, બહેનો, પુત્રીઓ અને અમારા યુવા મતદારોનો ભાજપ પર પ્રેમ, વિશ્વાસ અને આશીર્વાદ આપવા બદલ હૃદયપૂર્વક આભાર માનું છું. હું તેમને ખાતરી આપું છું કે અમે તમારા કલ્યાણ માટે નિરંતર કામ કરવાનું ચાલુ રાખીશું. વધુમાં તેમણે લખ્યું કે આ પ્રસંગે, પાર્ટીના તમામ મહેનતુ કાર્યકરોનો વિશેષ આભાર! તમે બધાએ એક અદભૂત દાખલો બેસાડ્યો છે. તમે જે રીતે ભાજપની વિકાસ અને ગરીબ કલ્યાણની નીતિઓને લોકો વચ્ચે પહોંચાડી છે તેની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે.


તેલંગાણા માટે પણ પીએમ મોદીએ કરી ટ્વિટ 

ત્રણ રાજ્યોમાં પીએમને જીત હાંસલ થઈ રહી છે. તેલંગાણામાં ભાજપને બહુમતી મળે તેટલી સીટો નથી મળી. તેલંગણા માટે પણ તેમણે ટ્વિટ કરી છે. તેમણે લખ્યું કે ભાજપને સમર્થન કરવા બદલ તેલંગણાની મારી પ્રિય બહેનો અને ભાઈઓનો આભાર. , છેલ્લા કેટલાક વર્ષોમાં આ સમર્થન વધી રહ્યું છે અને આવનારા સમયમાં યથાવત રહેશે.  તેલંગણા સાથે અમારો સંબંધ અતૂટ છે અને અમે લોકો માટે કામ કરવાનું ચાલુ રાખીશું. હું ભાજપના દરેક કાર્યકર્તાની મહેનતની પ્રશંસા કરું છું.



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.