PM Modiએ Election Result બાદ કર્યું ટ્વિટ, જનતા જનાર્દનનો માન્યો આભાર


  • Published By :
  • Published Date : 2023-12-03 17:43:04

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. લોકસભાની ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ થઈ જશે તે પહેલા પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા તેમજ મિઝોરમમાં ચૂંટણી માટે મતદાન થયું, ચાર રાજ્યો માટે મતગણતરી હાથ ધરવામાં આવી. તેલંગાણામાં કોંગ્રેસની જીત દેખાઈ રહી છે. પરંતુ બાકીના ત્રણ રાજ્યોમાં મોદી ઈફેક્ટ જોવા મળી છે. ચાર રાજ્યોના પરિણામને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી છે. પીએમએ મતદાતાઓનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે જનતા જનાર્દનને નમન! મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના ચૂંટણી પરિણામો દર્શાવે છે કે ભારતની જનતાને માત્ર સુશાસન અને વિકાસની રાજનીતિમાં વિશ્વાસ છે, તેમનો વિશ્વાસ ભાજપમાં છે.   

મુખ્યમંત્રીની નથી કરવામાં આવી જાહેરાત 

રાજસ્થાનમાં પાંચ વર્ષ બાદ ફરી એક વખત સત્તા પરિવર્તન થઈ રહ્યું છે. કોંગ્રેસને હાર મળી છે જ્યારે ભાજપ સત્તા પર છે. તો છત્તીસગઢમાં પણ બીજેપીને જીત મળી છે. છત્તીસગઢમાં પણ ભાજપની સરકાર બનશે. ત્રણ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. જીત તરફ આગળ વધી ગઈ છે. એક સમય હતો કે મુખ્યમંત્રીના ચહેરા પર લોકો મત આપતા હતા પરંતુ હવે પાર્ટી દ્વારા સીએમ ફેસ ડિક્લેર નથી કરવામાં આવતો. 


પીએમ મોદીએ મતદાતાઓનો માન્યો આભાર!

પીએમ મોદીના ચહેરા પર ચૂંટણી લડવામાં આવે છે. ચૂંટણી પરિણામને લઈ પીએમ મોદીએ ટ્વિટ કરી છે. પીએમ મોદીએ કહ્યું હતું કે હું આ તમામ રાજ્યોના પરિવારના સભ્યો, ખાસ કરીને માતાઓ, બહેનો, પુત્રીઓ અને અમારા યુવા મતદારોનો ભાજપ પર પ્રેમ, વિશ્વાસ અને આશીર્વાદ આપવા બદલ હૃદયપૂર્વક આભાર માનું છું. હું તેમને ખાતરી આપું છું કે અમે તમારા કલ્યાણ માટે નિરંતર કામ કરવાનું ચાલુ રાખીશું. વધુમાં તેમણે લખ્યું કે આ પ્રસંગે, પાર્ટીના તમામ મહેનતુ કાર્યકરોનો વિશેષ આભાર! તમે બધાએ એક અદભૂત દાખલો બેસાડ્યો છે. તમે જે રીતે ભાજપની વિકાસ અને ગરીબ કલ્યાણની નીતિઓને લોકો વચ્ચે પહોંચાડી છે તેની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે.


તેલંગાણા માટે પણ પીએમ મોદીએ કરી ટ્વિટ 

ત્રણ રાજ્યોમાં પીએમને જીત હાંસલ થઈ રહી છે. તેલંગાણામાં ભાજપને બહુમતી મળે તેટલી સીટો નથી મળી. તેલંગણા માટે પણ તેમણે ટ્વિટ કરી છે. તેમણે લખ્યું કે ભાજપને સમર્થન કરવા બદલ તેલંગણાની મારી પ્રિય બહેનો અને ભાઈઓનો આભાર. , છેલ્લા કેટલાક વર્ષોમાં આ સમર્થન વધી રહ્યું છે અને આવનારા સમયમાં યથાવત રહેશે.  તેલંગણા સાથે અમારો સંબંધ અતૂટ છે અને અમે લોકો માટે કામ કરવાનું ચાલુ રાખીશું. હું ભાજપના દરેક કાર્યકર્તાની મહેનતની પ્રશંસા કરું છું.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.