આજ સાંજે શું થશે, PM મોદીએ અચાનક જ શા માટે બોલાવી કેબિનેટની બેઠક? જાણો


  • Published By :
  • Published Date : 2023-09-18 18:20:36

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​સાંજે 6.30 કલાકે કેન્દ્રીય કેબિનેટની બેઠક બોલાવી છે. સંસદના વિશેષ સત્ર દરમિયાન આ બેઠક બોલાવવાને કારણે સસ્પેન્સ વધી ગયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠક સંસદ ભવનનાં એનેક્સી બિલ્ડિંગમાં યોજાશે. એવું કહેવાય છે કે આ બેઠકમાં 'INDIA' અને 'ભારત' નામ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. નવી સંસદમાં જતા પહેલા આ બેઠક બોલાવવામાં આવી છે. આવી સ્થિતિમાં, એવી અટકળો છે કે નવી સંસદમાં જવાની પ્રક્રિયા અંગે કોઈ નિર્ણય લેવામાં આવશે નહીં. જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે આવી કોઈ ખાસ પ્રક્રિયાની જરૂર નથી. જો કે હજુ સુધી કેન્દ્રીય કેબિનેટના એજન્ડા વિશે કંઈ જણાવવામાં આવ્યું નથી. માનવામાં આવે છે કે વડાપ્રધાન મોદી મહિલા અનામત બિલને પસાર કરાવીને ચૂંટણીમાં નવા માસ્ટરસ્ટ્રોક સાથે ઉતરવા માગે છે. મહિલા અનામતનું ભાજપ અને કોંગ્રેસ બંને સમર્થનનો દાવો કરે છે પરંતુ પસાર કરાવી શક્યા નથી. 


PM મોદી આપ્યો હતો સંકેત


આજે સાંજે યોજાનારી બેઠકમાં અનેક બિલોને મંજુરી આપી શકાય છે. આજ સવારથી જ બેઠકોનો સીલસીલો ચાલું જ છે. સંસદમાં પ્રધાનમંત્રી મોદીના ભાષણ બાદ બેઠક યોજાઈ હતી. જેમાં ગૃહમંત્રી અમિત શાહ પણ સામેલ રહ્યા હતા. પ્રધાનમંત્રીએ સંસદમાં પોતાના ભાષણ દરમિયાન આ અંગે ઈસારો કર્યો હતો કે કાંઈક મોટું કરવાની છે. તેમણે કહ્યું  હતું કે સંસદનું આ સત્ર ઐતિહાસિક થવાનું છે.


મહિલા અનામત બિલ પર થશે ચર્ચા


આ દરમિયાન રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા થઈ રહી છે કે આ બેઠકમાં મહિલા અનામત બિલ અંગે પણ ચર્ચા થઈ શકે છે. સ્પષ્ટ તો કાંઈ કહેવામાં આવ્યું નથી. જો કે અનુમાન લગાવવામાં આવ્યું છે કે સંસદના વિશેષ સત્રમાં સરકાર કાંઈક ચોંકાવી દેનારો નિર્ણય લઈ શકે છે. આ જ કારણ છે કે કોંગ્રેસ સહિત તમામ વિપક્ષ પણ એ તૈયારીમાં લાગ્યા છે. તે પણ આ અંગે આશંકા વ્યક્ત કરી ચુક્યા છે કે સરકાર ચોક્કસ કાંઈક મોટો નિર્ણય લઈ શકે છે. માનવામાં આવે છે કે 27 વર્ષથી અટકેલા મહિલા અનામત ખરડાને મંજૂરી આપીને મોદી સરકાર ચૂંટણીમાં ઉતરવા માગશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.