આજ સાંજે શું થશે, PM મોદીએ અચાનક જ શા માટે બોલાવી કેબિનેટની બેઠક? જાણો


  • Published By :
  • Published Date : 2023-09-18 18:20:36

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​સાંજે 6.30 કલાકે કેન્દ્રીય કેબિનેટની બેઠક બોલાવી છે. સંસદના વિશેષ સત્ર દરમિયાન આ બેઠક બોલાવવાને કારણે સસ્પેન્સ વધી ગયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠક સંસદ ભવનનાં એનેક્સી બિલ્ડિંગમાં યોજાશે. એવું કહેવાય છે કે આ બેઠકમાં 'INDIA' અને 'ભારત' નામ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. નવી સંસદમાં જતા પહેલા આ બેઠક બોલાવવામાં આવી છે. આવી સ્થિતિમાં, એવી અટકળો છે કે નવી સંસદમાં જવાની પ્રક્રિયા અંગે કોઈ નિર્ણય લેવામાં આવશે નહીં. જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે આવી કોઈ ખાસ પ્રક્રિયાની જરૂર નથી. જો કે હજુ સુધી કેન્દ્રીય કેબિનેટના એજન્ડા વિશે કંઈ જણાવવામાં આવ્યું નથી. માનવામાં આવે છે કે વડાપ્રધાન મોદી મહિલા અનામત બિલને પસાર કરાવીને ચૂંટણીમાં નવા માસ્ટરસ્ટ્રોક સાથે ઉતરવા માગે છે. મહિલા અનામતનું ભાજપ અને કોંગ્રેસ બંને સમર્થનનો દાવો કરે છે પરંતુ પસાર કરાવી શક્યા નથી. 


PM મોદી આપ્યો હતો સંકેત


આજે સાંજે યોજાનારી બેઠકમાં અનેક બિલોને મંજુરી આપી શકાય છે. આજ સવારથી જ બેઠકોનો સીલસીલો ચાલું જ છે. સંસદમાં પ્રધાનમંત્રી મોદીના ભાષણ બાદ બેઠક યોજાઈ હતી. જેમાં ગૃહમંત્રી અમિત શાહ પણ સામેલ રહ્યા હતા. પ્રધાનમંત્રીએ સંસદમાં પોતાના ભાષણ દરમિયાન આ અંગે ઈસારો કર્યો હતો કે કાંઈક મોટું કરવાની છે. તેમણે કહ્યું  હતું કે સંસદનું આ સત્ર ઐતિહાસિક થવાનું છે.


મહિલા અનામત બિલ પર થશે ચર્ચા


આ દરમિયાન રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા થઈ રહી છે કે આ બેઠકમાં મહિલા અનામત બિલ અંગે પણ ચર્ચા થઈ શકે છે. સ્પષ્ટ તો કાંઈ કહેવામાં આવ્યું નથી. જો કે અનુમાન લગાવવામાં આવ્યું છે કે સંસદના વિશેષ સત્રમાં સરકાર કાંઈક ચોંકાવી દેનારો નિર્ણય લઈ શકે છે. આ જ કારણ છે કે કોંગ્રેસ સહિત તમામ વિપક્ષ પણ એ તૈયારીમાં લાગ્યા છે. તે પણ આ અંગે આશંકા વ્યક્ત કરી ચુક્યા છે કે સરકાર ચોક્કસ કાંઈક મોટો નિર્ણય લઈ શકે છે. માનવામાં આવે છે કે 27 વર્ષથી અટકેલા મહિલા અનામત ખરડાને મંજૂરી આપીને મોદી સરકાર ચૂંટણીમાં ઉતરવા માગશે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.