આજ સાંજે શું થશે, PM મોદીએ અચાનક જ શા માટે બોલાવી કેબિનેટની બેઠક? જાણો


  • Published By :
  • Published Date : 2023-09-18 18:20:36

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​સાંજે 6.30 કલાકે કેન્દ્રીય કેબિનેટની બેઠક બોલાવી છે. સંસદના વિશેષ સત્ર દરમિયાન આ બેઠક બોલાવવાને કારણે સસ્પેન્સ વધી ગયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠક સંસદ ભવનનાં એનેક્સી બિલ્ડિંગમાં યોજાશે. એવું કહેવાય છે કે આ બેઠકમાં 'INDIA' અને 'ભારત' નામ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. નવી સંસદમાં જતા પહેલા આ બેઠક બોલાવવામાં આવી છે. આવી સ્થિતિમાં, એવી અટકળો છે કે નવી સંસદમાં જવાની પ્રક્રિયા અંગે કોઈ નિર્ણય લેવામાં આવશે નહીં. જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે આવી કોઈ ખાસ પ્રક્રિયાની જરૂર નથી. જો કે હજુ સુધી કેન્દ્રીય કેબિનેટના એજન્ડા વિશે કંઈ જણાવવામાં આવ્યું નથી. માનવામાં આવે છે કે વડાપ્રધાન મોદી મહિલા અનામત બિલને પસાર કરાવીને ચૂંટણીમાં નવા માસ્ટરસ્ટ્રોક સાથે ઉતરવા માગે છે. મહિલા અનામતનું ભાજપ અને કોંગ્રેસ બંને સમર્થનનો દાવો કરે છે પરંતુ પસાર કરાવી શક્યા નથી. 


PM મોદી આપ્યો હતો સંકેત


આજે સાંજે યોજાનારી બેઠકમાં અનેક બિલોને મંજુરી આપી શકાય છે. આજ સવારથી જ બેઠકોનો સીલસીલો ચાલું જ છે. સંસદમાં પ્રધાનમંત્રી મોદીના ભાષણ બાદ બેઠક યોજાઈ હતી. જેમાં ગૃહમંત્રી અમિત શાહ પણ સામેલ રહ્યા હતા. પ્રધાનમંત્રીએ સંસદમાં પોતાના ભાષણ દરમિયાન આ અંગે ઈસારો કર્યો હતો કે કાંઈક મોટું કરવાની છે. તેમણે કહ્યું  હતું કે સંસદનું આ સત્ર ઐતિહાસિક થવાનું છે.


મહિલા અનામત બિલ પર થશે ચર્ચા


આ દરમિયાન રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા થઈ રહી છે કે આ બેઠકમાં મહિલા અનામત બિલ અંગે પણ ચર્ચા થઈ શકે છે. સ્પષ્ટ તો કાંઈ કહેવામાં આવ્યું નથી. જો કે અનુમાન લગાવવામાં આવ્યું છે કે સંસદના વિશેષ સત્રમાં સરકાર કાંઈક ચોંકાવી દેનારો નિર્ણય લઈ શકે છે. આ જ કારણ છે કે કોંગ્રેસ સહિત તમામ વિપક્ષ પણ એ તૈયારીમાં લાગ્યા છે. તે પણ આ અંગે આશંકા વ્યક્ત કરી ચુક્યા છે કે સરકાર ચોક્કસ કાંઈક મોટો નિર્ણય લઈ શકે છે. માનવામાં આવે છે કે 27 વર્ષથી અટકેલા મહિલા અનામત ખરડાને મંજૂરી આપીને મોદી સરકાર ચૂંટણીમાં ઉતરવા માગશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.