અમેરિકાના વિઝા હવે ઘર આંગણે મળશે, અમદાવાદમાં ખુલશે નવું US કોન્સ્યુલેટ


  • Published By :
  • Published Date : 2023-06-22 19:23:03

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ અમેરિકાના પ્રવાસે છે. PM મોદી અમેરિકાના પ્રમુખ જો બિડેન સાથે આજે વ્હાઈટ હાઉસમાં બેઠક કરશે. આ મિટિંગ દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે મહત્વના કરારો થવાના છે. જો કે આ દરમિયાન અમેરિકા જવા માગતા ગુજરાતીઓ માટે અમેરિકાના વિદેશ વિભાગ દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. વિદેશ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ ગુરુવારે જણાવ્યું કે અમેરિકા બેંગ્લુરુ, અને અમદાવાદમાં બે નવા કોન્સ્યુલેટ (વાણિજ્ય દૂતાવાસ) ખોલશે. તે જ રીતે અમેરિકાના લોકો સાથે સંબંધો વધારવા માટે ભારત પણ સિએટલમાં એક મિશન સ્થાપિત કરશે. અત્રે ઉલ્લેખનિય છે કે અમેરિકામાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ વસે છે અને દર વર્ષે મોટી સંખ્યામાં અમેરિકા જવા માટે ગુજરાતીઓ અરજી કરે છે.


વિદ્યાર્થીઓને થશે લાભ


અમેરિકાએ ગત વર્ષ ભારતીય વિદ્યાર્થીઓને 12,5000 વિઝા ઈશ્યુ કર્યા હતા. અમેરિકા જવા ઈચ્છુક ભારતીય વિદ્યાર્થીઓએ ગત વર્ષે 20 ટકા વૃદ્ધિની સાથે નવો રેકોર્ડ બનાવ્યો હતો. અમેરિકાના વિદેશ વિભાગના અધિકારીએ કહ્યું કે અમેરિકા બેંગ્લુરુ અને અમદાવાદમાં નવા વાણિજ્ય દૂતાવાસ ખોલવાનો ઈરાદો ધરાવે છે. આ ઉપરાંત અમેરિકામાં વધુ એક નવું કોન્સ્યુલેટની જાહેરાત કરવા માટે ઉત્સુક છે. અધિકારીએ એમ પણ કહ્યું કે અમેરિકી વિદેશ વિભાગ આ વર્ષના અંતમાં કેટલીક અરજી આધિરિત અસ્થાયી વર્ક વિઝાના ઘરેલૂ રિન્યુઅલ પર નિર્ણય લેવા માટે એક પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહ્યું છે. ભારતના હાલ પાંચ કોન્સ્યુલેટ છે. આ દૂતાવાસ ન્યૂયોર્ક, સાન ફ્રાન્સિસ્કો, શિકાગો, હ્યુસ્ટન અને એટલાન્ટામાં છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.