અમેરિકાના વિઝા હવે ઘર આંગણે મળશે, અમદાવાદમાં ખુલશે નવું US કોન્સ્યુલેટ


  • Published By :
  • Published Date : 2023-06-22 19:23:03

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ અમેરિકાના પ્રવાસે છે. PM મોદી અમેરિકાના પ્રમુખ જો બિડેન સાથે આજે વ્હાઈટ હાઉસમાં બેઠક કરશે. આ મિટિંગ દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે મહત્વના કરારો થવાના છે. જો કે આ દરમિયાન અમેરિકા જવા માગતા ગુજરાતીઓ માટે અમેરિકાના વિદેશ વિભાગ દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. વિદેશ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ ગુરુવારે જણાવ્યું કે અમેરિકા બેંગ્લુરુ, અને અમદાવાદમાં બે નવા કોન્સ્યુલેટ (વાણિજ્ય દૂતાવાસ) ખોલશે. તે જ રીતે અમેરિકાના લોકો સાથે સંબંધો વધારવા માટે ભારત પણ સિએટલમાં એક મિશન સ્થાપિત કરશે. અત્રે ઉલ્લેખનિય છે કે અમેરિકામાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ વસે છે અને દર વર્ષે મોટી સંખ્યામાં અમેરિકા જવા માટે ગુજરાતીઓ અરજી કરે છે.


વિદ્યાર્થીઓને થશે લાભ


અમેરિકાએ ગત વર્ષ ભારતીય વિદ્યાર્થીઓને 12,5000 વિઝા ઈશ્યુ કર્યા હતા. અમેરિકા જવા ઈચ્છુક ભારતીય વિદ્યાર્થીઓએ ગત વર્ષે 20 ટકા વૃદ્ધિની સાથે નવો રેકોર્ડ બનાવ્યો હતો. અમેરિકાના વિદેશ વિભાગના અધિકારીએ કહ્યું કે અમેરિકા બેંગ્લુરુ અને અમદાવાદમાં નવા વાણિજ્ય દૂતાવાસ ખોલવાનો ઈરાદો ધરાવે છે. આ ઉપરાંત અમેરિકામાં વધુ એક નવું કોન્સ્યુલેટની જાહેરાત કરવા માટે ઉત્સુક છે. અધિકારીએ એમ પણ કહ્યું કે અમેરિકી વિદેશ વિભાગ આ વર્ષના અંતમાં કેટલીક અરજી આધિરિત અસ્થાયી વર્ક વિઝાના ઘરેલૂ રિન્યુઅલ પર નિર્ણય લેવા માટે એક પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહ્યું છે. ભારતના હાલ પાંચ કોન્સ્યુલેટ છે. આ દૂતાવાસ ન્યૂયોર્ક, સાન ફ્રાન્સિસ્કો, શિકાગો, હ્યુસ્ટન અને એટલાન્ટામાં છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.