PM મોદીએ 9 વંદે ભારત ટ્રેનને આપી લીલી ઝંડી, જામનગરથી અમદાવાદ વચ્ચે દોડશે ટ્રેન, જાણો કેટલું છે ભાડું


  • Published By :
  • Published Date : 2023-09-24 14:28:50

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 24 સપ્ટેમ્બરે એક સાથે 9 વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી હતી.  PM મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નવી ટ્રેનોના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ 9 નવી વંદે ભારત ટ્રેનોની ભેટ સાથે દેશના 11 રાજ્યો વચ્ચેની કનેક્ટિવિટી વધુ સુધરશે. આ તમામ ટ્રેનો અલગ-અલગ રૂટ પર દોડશે. નવી વંદે ભારત ટ્રેનોના સંચાલનથી પુરી, મદુરાઈ અને તિરુપતિ જેવા મહત્વના ધાર્મિક સ્થળોને કનેક્ટિવિટી મળશે. આ તમામ વંદે ભારત ટ્રેનો રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, બિહાર, પશ્ચિમ બંગાળ, કેરળ, ઓડિશા, ઝારખંડ અને ગુજરાત દોડશે. આ 9 ટ્રેન શરૂ થતા ભારતમાં વંદે ભારત ટ્રેનની સંખ્યા 33 થઈ છે. 


PMએ આ 9 ટ્રેનને આપી લીલીઝંડી


વડાપ્રધાન મોદી આજે 9 વંદે ભારતને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ 9 ટ્રેન શરૂ થતા ભારતમાં વંદે ભારત ટ્રેનની સંખ્યા 33 થશે. ત્યારે આજે જામનગર- અમદાવાદ, હૈદરાબાદ-બેંગલુર, કાસરગોડ-તિરૂવનંતપુરમ, જયપુર-ઉદયપુર, પટના-હાવડા, રાંચી-હાવડા, ચેન્નઈ-તિરૂનેલવેલી, પુરી-રાઉરકેલા, વિજયવાડા-ચેન્નઈ વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ થઈ હતી. આ ટ્રેનો 11 રાજ્યોના ધાર્મિક અને પર્યટન સ્થળોને જોડશે, જેમાં રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, બિહાર, પશ્ચિમ બંગાળ, કેરળ, ઓડિશા, ઝારખંડ અને ગુજરાતનો સમાવેશ થાય છે.


ગુજરાતને ત્રીજી વંદે ભારત ટ્રેનની ભેટ


આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને ત્રીજી વંદે ભારત ટ્રેનની ભેટ આપી છે. આ નવી વંદે ભારત ટ્રેન જામનગરથી (jamnagar) અમદાવાદ (Ahmedabad) વચ્ચે દોડશે  આ વંદે ભારત ટ્રેન વહેલી સવારે 5:30 વાગ્યે જામનગરથી ઉપડશે અને રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામથી સાબરમતિ રેલવે સ્ટેશને 10:10 કલાકે પહોંચશે. તેમજ સાંજે 6 વાગ્યે અમદાવાદ સાબરમતીથી ઉપડશે અને રાત્રે 10:30 કલાકે જામનગર પહોંચી જશે. આ ટ્રેન શરુ થવાથી મુસાફરોના સમયમાં બચત થશે, માત્ર ચાર કલાકમાં જામનગરથી અમદાવાદ પહોંચી જવાશે. અમદાવાદ- જામનગર વંદે ભારત ટ્રેન સપ્તાહમાં છ દિવસ દોડશે, જેમાં જામનગરથી બુધવાર સિવાય અને અમદાવાદથી મંગળવાર સિવાય 6 દિવસ નિર્ધારિત સમય પર દોડશે. આ વંદે ભારત ટ્રેનમાં કુલ 8 કોચ હશે.


કેટલું છે ભાડું?


નવી વંદે ભારત ટ્રેન જામનગરથી (jamnagar) અમદાવાદ (Ahmedabad) વચ્ચે દોડશે. તેના ભાડાના દર પર એક નજર કરીએ તો ચેર કલાસ અને એક્ઝિક્યુટિવ કલાસના ભાડાનો દર આ પ્રમાણે છે.


જામનગરથી અમદાવાદ માટે રૂ. 955થી રૂ.1790

રાજકોટથી અમદાવાદ માટે રૂ.810થી રૂ.1510

વાંકાનેરથી અમદાવાદ માટે રૂ.740થી રૂ.1370

સુરેન્દ્રનગરથી અમદાવાદ માટે રૂ.610થી રૂ.1110

વિરમગામથી અમદાવાદ માટે રૂ.440થી રૂ.825



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી