PM મોદીએ 9 વંદે ભારત ટ્રેનને આપી લીલી ઝંડી, જામનગરથી અમદાવાદ વચ્ચે દોડશે ટ્રેન, જાણો કેટલું છે ભાડું


  • Published By :
  • Published Date : 2023-09-24 14:28:50

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 24 સપ્ટેમ્બરે એક સાથે 9 વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી હતી.  PM મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નવી ટ્રેનોના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ 9 નવી વંદે ભારત ટ્રેનોની ભેટ સાથે દેશના 11 રાજ્યો વચ્ચેની કનેક્ટિવિટી વધુ સુધરશે. આ તમામ ટ્રેનો અલગ-અલગ રૂટ પર દોડશે. નવી વંદે ભારત ટ્રેનોના સંચાલનથી પુરી, મદુરાઈ અને તિરુપતિ જેવા મહત્વના ધાર્મિક સ્થળોને કનેક્ટિવિટી મળશે. આ તમામ વંદે ભારત ટ્રેનો રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, બિહાર, પશ્ચિમ બંગાળ, કેરળ, ઓડિશા, ઝારખંડ અને ગુજરાત દોડશે. આ 9 ટ્રેન શરૂ થતા ભારતમાં વંદે ભારત ટ્રેનની સંખ્યા 33 થઈ છે. 


PMએ આ 9 ટ્રેનને આપી લીલીઝંડી


વડાપ્રધાન મોદી આજે 9 વંદે ભારતને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ 9 ટ્રેન શરૂ થતા ભારતમાં વંદે ભારત ટ્રેનની સંખ્યા 33 થશે. ત્યારે આજે જામનગર- અમદાવાદ, હૈદરાબાદ-બેંગલુર, કાસરગોડ-તિરૂવનંતપુરમ, જયપુર-ઉદયપુર, પટના-હાવડા, રાંચી-હાવડા, ચેન્નઈ-તિરૂનેલવેલી, પુરી-રાઉરકેલા, વિજયવાડા-ચેન્નઈ વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ થઈ હતી. આ ટ્રેનો 11 રાજ્યોના ધાર્મિક અને પર્યટન સ્થળોને જોડશે, જેમાં રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, બિહાર, પશ્ચિમ બંગાળ, કેરળ, ઓડિશા, ઝારખંડ અને ગુજરાતનો સમાવેશ થાય છે.


ગુજરાતને ત્રીજી વંદે ભારત ટ્રેનની ભેટ


આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને ત્રીજી વંદે ભારત ટ્રેનની ભેટ આપી છે. આ નવી વંદે ભારત ટ્રેન જામનગરથી (jamnagar) અમદાવાદ (Ahmedabad) વચ્ચે દોડશે  આ વંદે ભારત ટ્રેન વહેલી સવારે 5:30 વાગ્યે જામનગરથી ઉપડશે અને રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામથી સાબરમતિ રેલવે સ્ટેશને 10:10 કલાકે પહોંચશે. તેમજ સાંજે 6 વાગ્યે અમદાવાદ સાબરમતીથી ઉપડશે અને રાત્રે 10:30 કલાકે જામનગર પહોંચી જશે. આ ટ્રેન શરુ થવાથી મુસાફરોના સમયમાં બચત થશે, માત્ર ચાર કલાકમાં જામનગરથી અમદાવાદ પહોંચી જવાશે. અમદાવાદ- જામનગર વંદે ભારત ટ્રેન સપ્તાહમાં છ દિવસ દોડશે, જેમાં જામનગરથી બુધવાર સિવાય અને અમદાવાદથી મંગળવાર સિવાય 6 દિવસ નિર્ધારિત સમય પર દોડશે. આ વંદે ભારત ટ્રેનમાં કુલ 8 કોચ હશે.


કેટલું છે ભાડું?


નવી વંદે ભારત ટ્રેન જામનગરથી (jamnagar) અમદાવાદ (Ahmedabad) વચ્ચે દોડશે. તેના ભાડાના દર પર એક નજર કરીએ તો ચેર કલાસ અને એક્ઝિક્યુટિવ કલાસના ભાડાનો દર આ પ્રમાણે છે.


જામનગરથી અમદાવાદ માટે રૂ. 955થી રૂ.1790

રાજકોટથી અમદાવાદ માટે રૂ.810થી રૂ.1510

વાંકાનેરથી અમદાવાદ માટે રૂ.740થી રૂ.1370

સુરેન્દ્રનગરથી અમદાવાદ માટે રૂ.610થી રૂ.1110

વિરમગામથી અમદાવાદ માટે રૂ.440થી રૂ.825



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.