PM મોદીએ અમદાવાદ ફ્લાવર શોની લીધી મુલાકાત, સુરક્ષા કારણોથી લોકોને બહાર કાઢવામાં આવતા હાલાકી


  • Published By :
  • Published Date : 2024-01-10 22:04:00

શાસક પક્ષના નેતાજી રાજ્યમાં આવે એટલે રસ્તાઓ બંધ થઇ જતા હોય છે અને ટ્રાફિક જામ પણ થઇ જતો હોય છે. કારણ કે નેતાઓની સુરક્ષા જરૂરી હોય છે આવું જ કંઈક આજે અમદાવાદમાં થયું કે જ્યાં PM મોદી નહોતા જવાના પણ પછી રૂટ બદલાયો અને  ફ્લાવર શોની ટિકિટ લીધેલા લોકોને બહાર નીકળવું પડ્યું હતું. PM નરેન્દ્ર મોદીએ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલા ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. જોકે, રાત્રે આઠ વાગ્યે તેઓ દિલ્હી પરત ફરવાના હતા, પરંતુ અચાનક તેમનો રૂટ બદલાતા પોલીસ કામે લાગી હતી. પીએમ મોદી રિવરફ્રન્ટના રસ્તે ફ્લાવર શો ખાતે પહોંચ્યા હતા, ત્યારે બ્રિજ પર અને ફ્લાવર શોના એન્ટ્રી ગેટ પાસે લોકોનો જમાવડો જોવા મળ્યો હતો PM નરેન્દ્ર મોદી રિવરફ્રન્ટ પહોંચ્યા હતા જેને લઈને ફ્લાવર શો જાહેર જનતા માટે બંધ કરાયો હતો. તેના કારણે કેટલાય લોકો પરત ફરતા નજરે પડ્યા હતા, તો બીજી તરફ જેમને ટિકિટ લીધી હતી એમને પણ બહાર નીકળવાનો વારો આવ્યો હતો.


સુરક્ષાના પગલે રિવરફ્રન્ટ ખાલી કરાવાયો


વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફ્લાવર શો જવાના નિર્ણયથી રિવરફ્રન્ટનો રોડ બંધ કરવામાં આવ્યો હતો. જેના કારણે નોકરી પરથી પરત ઘરે ફરતા આશ્રમ રોડ ઉપર ભારે ટ્રાફિક પણ જોવા મળ્યો હતો. અચાનક પ્રધાનમંત્રીનો રૂટ બદલાયો હતો જેના કારણે સાબરમતી રિવરફ્રન્ટ સુરક્ષાના પગલે ખાલી કરવામાં આવ્યો હતો. કેટલાય લોકોએ ટિકિટ લીધી હતી પંરતુ તેમને આ રિવરફ્રન્ટ ખાલી કરવો પડ્યો હતો. ફ્લાવર શોમાં હજારો મુલાકાતીઓને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા કારણ કે નેતાજી એ રિવરફ્રન્ટની મુલાકાત લેવાનું નક્કી કર્યું હતું. PMની મુલાકાતને લઈને ફ્લાવર શોમાં રહેલી પબ્લિકને બહાર કાઢવામાં આવી હતી. સિક્યુરિટી વ્યવસ્થાના ભાગરૂપે ફ્લાવર શો ખાલી કરાવાયો હતો. સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર પર ફ્લાવર શો પરિસર ખાલી કરાવવા આવ્યો હતો ત્યારે માત્ર સુરક્ષા કર્મચારીઓ, મેયર પ્રતિભા જૈન, શાસક પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી સહિતના મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ તેમજ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના ચેરમેન કેશવ કુમાર ફ્લાવર શોમાં હાજર રહ્યા હતા. 


બીજા દિવસે નિકાળી શકાશે ફ્લાવર શો


અમદાવાદ ફ્લાવર શો જોવા માટે લોકોએ ટિકિટ લીધી હતી, પરંતુ વડાપ્રધાનની મુલાકાતને પગલે ફ્લાવર શો બંધ કરતા હવે બીજા દિવસે પણ લોકો આ ટિકિટના આધારે મુલાકાતીઓ ફ્લાવર શો નિહાળી શકશે. 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે