PM મોદીએ અમદાવાદ ફ્લાવર શોની લીધી મુલાકાત, સુરક્ષા કારણોથી લોકોને બહાર કાઢવામાં આવતા હાલાકી


  • Published By :
  • Published Date : 2024-01-10 22:04:00

શાસક પક્ષના નેતાજી રાજ્યમાં આવે એટલે રસ્તાઓ બંધ થઇ જતા હોય છે અને ટ્રાફિક જામ પણ થઇ જતો હોય છે. કારણ કે નેતાઓની સુરક્ષા જરૂરી હોય છે આવું જ કંઈક આજે અમદાવાદમાં થયું કે જ્યાં PM મોદી નહોતા જવાના પણ પછી રૂટ બદલાયો અને  ફ્લાવર શોની ટિકિટ લીધેલા લોકોને બહાર નીકળવું પડ્યું હતું. PM નરેન્દ્ર મોદીએ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલા ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. જોકે, રાત્રે આઠ વાગ્યે તેઓ દિલ્હી પરત ફરવાના હતા, પરંતુ અચાનક તેમનો રૂટ બદલાતા પોલીસ કામે લાગી હતી. પીએમ મોદી રિવરફ્રન્ટના રસ્તે ફ્લાવર શો ખાતે પહોંચ્યા હતા, ત્યારે બ્રિજ પર અને ફ્લાવર શોના એન્ટ્રી ગેટ પાસે લોકોનો જમાવડો જોવા મળ્યો હતો PM નરેન્દ્ર મોદી રિવરફ્રન્ટ પહોંચ્યા હતા જેને લઈને ફ્લાવર શો જાહેર જનતા માટે બંધ કરાયો હતો. તેના કારણે કેટલાય લોકો પરત ફરતા નજરે પડ્યા હતા, તો બીજી તરફ જેમને ટિકિટ લીધી હતી એમને પણ બહાર નીકળવાનો વારો આવ્યો હતો.


સુરક્ષાના પગલે રિવરફ્રન્ટ ખાલી કરાવાયો


વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફ્લાવર શો જવાના નિર્ણયથી રિવરફ્રન્ટનો રોડ બંધ કરવામાં આવ્યો હતો. જેના કારણે નોકરી પરથી પરત ઘરે ફરતા આશ્રમ રોડ ઉપર ભારે ટ્રાફિક પણ જોવા મળ્યો હતો. અચાનક પ્રધાનમંત્રીનો રૂટ બદલાયો હતો જેના કારણે સાબરમતી રિવરફ્રન્ટ સુરક્ષાના પગલે ખાલી કરવામાં આવ્યો હતો. કેટલાય લોકોએ ટિકિટ લીધી હતી પંરતુ તેમને આ રિવરફ્રન્ટ ખાલી કરવો પડ્યો હતો. ફ્લાવર શોમાં હજારો મુલાકાતીઓને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા કારણ કે નેતાજી એ રિવરફ્રન્ટની મુલાકાત લેવાનું નક્કી કર્યું હતું. PMની મુલાકાતને લઈને ફ્લાવર શોમાં રહેલી પબ્લિકને બહાર કાઢવામાં આવી હતી. સિક્યુરિટી વ્યવસ્થાના ભાગરૂપે ફ્લાવર શો ખાલી કરાવાયો હતો. સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર પર ફ્લાવર શો પરિસર ખાલી કરાવવા આવ્યો હતો ત્યારે માત્ર સુરક્ષા કર્મચારીઓ, મેયર પ્રતિભા જૈન, શાસક પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી સહિતના મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ તેમજ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના ચેરમેન કેશવ કુમાર ફ્લાવર શોમાં હાજર રહ્યા હતા. 


બીજા દિવસે નિકાળી શકાશે ફ્લાવર શો


અમદાવાદ ફ્લાવર શો જોવા માટે લોકોએ ટિકિટ લીધી હતી, પરંતુ વડાપ્રધાનની મુલાકાતને પગલે ફ્લાવર શો બંધ કરતા હવે બીજા દિવસે પણ લોકો આ ટિકિટના આધારે મુલાકાતીઓ ફ્લાવર શો નિહાળી શકશે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.