Gujaratના પ્રવાસે આવ્યા PM Modi, મા અંબાના દર્શન કરી પ્રવાસની કરી શરૂઆત! અનેક વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ અને શિલાન્યાસ


  • Published By :
  • Published Date : 2023-10-30 13:14:31

પીએમ મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસ પર છે. ગુજરાતની મુલાકાત દરમિયાન કરોડોની ભેટ ગુજરાતને આપવાના છે. અનેક કાર્યોનું ઉદ્ધાટન તેમજ શિલાન્યાસ કરવાના છે. જનસંબોધન પણ કરવાના છે. આવતી કાલે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનારી પરેડમાં તેઓ ભાગ લેવાના છે. આ બધું કરે તે પહેલા પીએમ રેન્દ્ર મોદી માં અંબાના શરણે પહોંચ્યા છે. નરેન્દ્ર મોદી માતાજીના ઉપાસક છે. ત્યારે આજે ગુજરાતમાં આવી પહેલા તેઓ શક્તિ પીઠ અંબાજી પહોંચ્યા અને માતાજી સમક્ષ શીશ ઝુકાવ્યું છે. શક્તિપીઠ અંબાજીમાં દિવાળી પહેલા દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે. એરપોર્ટ પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદી જ્યારે અંબાજી તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમનું અભિવાદન ઝીલવા મોટી સંખ્યામાં લોકો હાજર હતા. 

   

શક્તિપીઠ અંબાજીથી પીએમ મોદીએ પ્રવાસની કરી શરૂઆત 

ગુજરાતના પ્રવાસે પીએમ મોદી આવ્યા છે. બે દિવસ તેઓ ગુજરાતમાં રહેવાના છે. આ સમય દરમિયાન ગુજરાતને અનેક વિકાસ કાર્યોની ભેટ મળવાની છે. રાજ્યને અંદાજીત 6 હજાર કરોડના વિકાસકામોની સોગાદ મળવાની છે. ગુજરાતમાં રૂપિયા 5,941 કરોડના વિવિધ કાર્યોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરાશે. પીએમ મોદીએ પોતાના પ્રવાસની શરૂઆત શક્તિપીઠ અંબાજીથી કરી છે. 


પીએમના હસ્તે થશે અનેક કાર્યોનું શિલાન્યાસ તેમજ લોકાર્પણ

પીએમ મોદી જ્યારે જ્યારે ગુજરાતના પ્રવાસે આવે છે ત્યારે ત્યારે તેઓ હીરા બાને મળવા જતા હતા. પરંતુ હીરાબા હવે આપણી વચ્ચે નથી. ત્યારે પીએમ મોદી જગત જનની મા અંબાને મળવા પહોંચ્યા છે. પીએમ મોદી શક્તિના ઉપાસક છે. માં અંબાની સમક્ષ શીશ ઝુકાવી તેઓ પોતાનો આગળના કાર્યક્રમ તરફ અગ્રેસર થશે. આ કાર્યક્રમ મહેસાણા જિલ્લાના ડાભોડા ગામમાં યોજાશે. ભારતીય રેલવે, ગુજરાત રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન, જળ સંશધાન વિભાગ, પાણી પુરવઠા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તેમજ શહેરી વિકાસ વિભાગના વિકાસકાર્યો સામેલ છે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી