Gujaratના પ્રવાસે આવ્યા PM Modi, મા અંબાના દર્શન કરી પ્રવાસની કરી શરૂઆત! અનેક વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ અને શિલાન્યાસ


  • Published By :
  • Published Date : 2023-10-30 13:14:31

પીએમ મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસ પર છે. ગુજરાતની મુલાકાત દરમિયાન કરોડોની ભેટ ગુજરાતને આપવાના છે. અનેક કાર્યોનું ઉદ્ધાટન તેમજ શિલાન્યાસ કરવાના છે. જનસંબોધન પણ કરવાના છે. આવતી કાલે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનારી પરેડમાં તેઓ ભાગ લેવાના છે. આ બધું કરે તે પહેલા પીએમ રેન્દ્ર મોદી માં અંબાના શરણે પહોંચ્યા છે. નરેન્દ્ર મોદી માતાજીના ઉપાસક છે. ત્યારે આજે ગુજરાતમાં આવી પહેલા તેઓ શક્તિ પીઠ અંબાજી પહોંચ્યા અને માતાજી સમક્ષ શીશ ઝુકાવ્યું છે. શક્તિપીઠ અંબાજીમાં દિવાળી પહેલા દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે. એરપોર્ટ પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદી જ્યારે અંબાજી તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમનું અભિવાદન ઝીલવા મોટી સંખ્યામાં લોકો હાજર હતા. 

   

શક્તિપીઠ અંબાજીથી પીએમ મોદીએ પ્રવાસની કરી શરૂઆત 

ગુજરાતના પ્રવાસે પીએમ મોદી આવ્યા છે. બે દિવસ તેઓ ગુજરાતમાં રહેવાના છે. આ સમય દરમિયાન ગુજરાતને અનેક વિકાસ કાર્યોની ભેટ મળવાની છે. રાજ્યને અંદાજીત 6 હજાર કરોડના વિકાસકામોની સોગાદ મળવાની છે. ગુજરાતમાં રૂપિયા 5,941 કરોડના વિવિધ કાર્યોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરાશે. પીએમ મોદીએ પોતાના પ્રવાસની શરૂઆત શક્તિપીઠ અંબાજીથી કરી છે. 


પીએમના હસ્તે થશે અનેક કાર્યોનું શિલાન્યાસ તેમજ લોકાર્પણ

પીએમ મોદી જ્યારે જ્યારે ગુજરાતના પ્રવાસે આવે છે ત્યારે ત્યારે તેઓ હીરા બાને મળવા જતા હતા. પરંતુ હીરાબા હવે આપણી વચ્ચે નથી. ત્યારે પીએમ મોદી જગત જનની મા અંબાને મળવા પહોંચ્યા છે. પીએમ મોદી શક્તિના ઉપાસક છે. માં અંબાની સમક્ષ શીશ ઝુકાવી તેઓ પોતાનો આગળના કાર્યક્રમ તરફ અગ્રેસર થશે. આ કાર્યક્રમ મહેસાણા જિલ્લાના ડાભોડા ગામમાં યોજાશે. ભારતીય રેલવે, ગુજરાત રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન, જળ સંશધાન વિભાગ, પાણી પુરવઠા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તેમજ શહેરી વિકાસ વિભાગના વિકાસકાર્યો સામેલ છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.