Gujaratના પ્રવાસે આવ્યા PM Modi, મા અંબાના દર્શન કરી પ્રવાસની કરી શરૂઆત! અનેક વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ અને શિલાન્યાસ


  • Published By :
  • Published Date : 2023-10-30 13:14:31

પીએમ મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસ પર છે. ગુજરાતની મુલાકાત દરમિયાન કરોડોની ભેટ ગુજરાતને આપવાના છે. અનેક કાર્યોનું ઉદ્ધાટન તેમજ શિલાન્યાસ કરવાના છે. જનસંબોધન પણ કરવાના છે. આવતી કાલે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનારી પરેડમાં તેઓ ભાગ લેવાના છે. આ બધું કરે તે પહેલા પીએમ રેન્દ્ર મોદી માં અંબાના શરણે પહોંચ્યા છે. નરેન્દ્ર મોદી માતાજીના ઉપાસક છે. ત્યારે આજે ગુજરાતમાં આવી પહેલા તેઓ શક્તિ પીઠ અંબાજી પહોંચ્યા અને માતાજી સમક્ષ શીશ ઝુકાવ્યું છે. શક્તિપીઠ અંબાજીમાં દિવાળી પહેલા દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે. એરપોર્ટ પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદી જ્યારે અંબાજી તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમનું અભિવાદન ઝીલવા મોટી સંખ્યામાં લોકો હાજર હતા. 

   

શક્તિપીઠ અંબાજીથી પીએમ મોદીએ પ્રવાસની કરી શરૂઆત 

ગુજરાતના પ્રવાસે પીએમ મોદી આવ્યા છે. બે દિવસ તેઓ ગુજરાતમાં રહેવાના છે. આ સમય દરમિયાન ગુજરાતને અનેક વિકાસ કાર્યોની ભેટ મળવાની છે. રાજ્યને અંદાજીત 6 હજાર કરોડના વિકાસકામોની સોગાદ મળવાની છે. ગુજરાતમાં રૂપિયા 5,941 કરોડના વિવિધ કાર્યોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરાશે. પીએમ મોદીએ પોતાના પ્રવાસની શરૂઆત શક્તિપીઠ અંબાજીથી કરી છે. 


પીએમના હસ્તે થશે અનેક કાર્યોનું શિલાન્યાસ તેમજ લોકાર્પણ

પીએમ મોદી જ્યારે જ્યારે ગુજરાતના પ્રવાસે આવે છે ત્યારે ત્યારે તેઓ હીરા બાને મળવા જતા હતા. પરંતુ હીરાબા હવે આપણી વચ્ચે નથી. ત્યારે પીએમ મોદી જગત જનની મા અંબાને મળવા પહોંચ્યા છે. પીએમ મોદી શક્તિના ઉપાસક છે. માં અંબાની સમક્ષ શીશ ઝુકાવી તેઓ પોતાનો આગળના કાર્યક્રમ તરફ અગ્રેસર થશે. આ કાર્યક્રમ મહેસાણા જિલ્લાના ડાભોડા ગામમાં યોજાશે. ભારતીય રેલવે, ગુજરાત રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન, જળ સંશધાન વિભાગ, પાણી પુરવઠા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તેમજ શહેરી વિકાસ વિભાગના વિકાસકાર્યો સામેલ છે.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.