Make in Indiaની જેમ PM Modi આ અભિયાન શરૂ કરવા ઈચ્છે છે! લગ્નને લઈ કરોડપતિઓને PMએ કરી અપીલ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-09 09:59:59

પહેલા આપણે મેક ઈન ઈન્ડિયા અભિયાનની વાતો સાંભળતા હતા. દેશમાં બનેલી વસ્તુઓનો ઉપયોગ કરીએ તેવી અપીલ કરવામાં આવી. મેડ ઈન ઈન્ડિયા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે પીએમ મોદીએ વધુ એક અભિયાનની શરૂઆત કરવા અપીલ કરી છે. ડેસ્ટિનેશન વેડિંગ કરવાને પગલે ઈન્ડિયામાં લગ્ન કરવામાં આવે તેવી તેમણે અપીલ કરી છે. પોતાની ઈચ્છા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે એ ઈચ્છે છે કે મેક ઈન ઈન્ડિયાની જેમ વેડ ઈન ઈન્ડિયા અભિયાન ચલાવવામાં આવે.

પીએમ મોદીએ આ અભિયાન શરૂ કરવા અપીલ કરી!

મોદી સરકાર જ્યારથી સત્તામાં આવી છે ત્યારથી અનેક એવા અભિયાનની શરૂઆત કરવામાં આવી રહી છે જે લોકોને વિચારવા મજબૂર કરે છે! સ્થાનિકોને રોજગાર મળે તે માટે તેમણે મેડ ઈન ઈન્ડિયા અભિયાનની શરૂઆત કરી. દેશનો પૈસો દેશમાં જ રહે અને દેશના લોકોને રોજગારી મળે તે માટે આ અભિયાનની શરૂ કરવામાં આવી. પોતપોતાની રીતે લોકો આ અભિયાનમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. વોકલ ફોર લોકલને પણ લોકો પ્રોત્સાહન આપી રહ્યા છે. ત્યારે પીએમ મોદીએ વેડ ઈન ઈન્ડિયા અભિયાન શરૂ કરવામાં આવે તેવી ઈચ્છતા વ્યક્ત કરી છે. 

PM Modi pitches for 'Wed in India' moment just like 'Make in India' at  Uttarakhand Global Investors Summit | India News – India TV

આ છે પીએમ મોદીની ઈચ્છા!

ધીમે ધીમે આપણે ત્યાં ડેસ્ટિનેશન વેડિંગનો ક્રેઝ વધી રહ્યો છે. અનેક બોલિવુડ સેલિબ્રિટિયો સહિત અમીર લોકો ડેસ્ટિનેશન વેડિંગ માટે બીજા દેશમાં જતા હોય છે. કરોડપતિ અને અરબોપતિ લોકોને તેમણે અપીલ કરી છે કે તે તેમના પરિવારમાંથી એક લગ્ન ડેસ્ટિનેશન વેડિંગ તરીકે ઉત્તરાખંડમાં કરાવે. તેમણે કહ્યું કે જો ઉત્તરાખંડમાં એક વર્ષમાં પાંચ હજાર જેટલા ડેસ્ટિનેશન વેડિંગ થવા લાગ્યા તો રાજ્ય બહુ મોટો વેડિંગ ડેસ્ટિનેશન પોઈન્ટ બની જશે. આવી અપીલ તેમણે 8 ડિસેમ્બરે ઉત્તરાખંડમાં કરી હતી. 

કરોડપતિ તેમજ અરબોપતિને પીએમ મોદીએ કરી આ અપીલ 

પીએમ મોદીએ કહ્યું કે આજકાલ વિદેશમાં લગ્ન કરવાની ફેશન બની ગઈ છે. તમે કેટલાક રોકાણો કરી શકશો, જો નહીં, તો તેને છોડી દો. કદાચ દરેક નથી કરતું. ઓછામાં ઓછા આગામી 5 વર્ષમાં ઉત્તરાખંડમાં તમારા પરિવાર માટે ડેસ્ટિનેશન વેડિંગ કરો. જો અહીં એક વર્ષમાં 5 હજાર લગ્નો પણ થવા લાગે તો નવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થશે. આ વિશ્વ માટે એક વિશાળ વેડિંગ ડેસ્ટિનેશન બની જશે." હવે જોવું રહ્યું કે પીએમ મોદીની આ અપીલને કેટલો રિસ્પોન્સ મળે છે!

  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.