Make in Indiaની જેમ PM Modi આ અભિયાન શરૂ કરવા ઈચ્છે છે! લગ્નને લઈ કરોડપતિઓને PMએ કરી અપીલ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-09 09:59:59

પહેલા આપણે મેક ઈન ઈન્ડિયા અભિયાનની વાતો સાંભળતા હતા. દેશમાં બનેલી વસ્તુઓનો ઉપયોગ કરીએ તેવી અપીલ કરવામાં આવી. મેડ ઈન ઈન્ડિયા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે પીએમ મોદીએ વધુ એક અભિયાનની શરૂઆત કરવા અપીલ કરી છે. ડેસ્ટિનેશન વેડિંગ કરવાને પગલે ઈન્ડિયામાં લગ્ન કરવામાં આવે તેવી તેમણે અપીલ કરી છે. પોતાની ઈચ્છા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે એ ઈચ્છે છે કે મેક ઈન ઈન્ડિયાની જેમ વેડ ઈન ઈન્ડિયા અભિયાન ચલાવવામાં આવે.

પીએમ મોદીએ આ અભિયાન શરૂ કરવા અપીલ કરી!

મોદી સરકાર જ્યારથી સત્તામાં આવી છે ત્યારથી અનેક એવા અભિયાનની શરૂઆત કરવામાં આવી રહી છે જે લોકોને વિચારવા મજબૂર કરે છે! સ્થાનિકોને રોજગાર મળે તે માટે તેમણે મેડ ઈન ઈન્ડિયા અભિયાનની શરૂઆત કરી. દેશનો પૈસો દેશમાં જ રહે અને દેશના લોકોને રોજગારી મળે તે માટે આ અભિયાનની શરૂ કરવામાં આવી. પોતપોતાની રીતે લોકો આ અભિયાનમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. વોકલ ફોર લોકલને પણ લોકો પ્રોત્સાહન આપી રહ્યા છે. ત્યારે પીએમ મોદીએ વેડ ઈન ઈન્ડિયા અભિયાન શરૂ કરવામાં આવે તેવી ઈચ્છતા વ્યક્ત કરી છે. 

PM Modi pitches for 'Wed in India' moment just like 'Make in India' at  Uttarakhand Global Investors Summit | India News – India TV

આ છે પીએમ મોદીની ઈચ્છા!

ધીમે ધીમે આપણે ત્યાં ડેસ્ટિનેશન વેડિંગનો ક્રેઝ વધી રહ્યો છે. અનેક બોલિવુડ સેલિબ્રિટિયો સહિત અમીર લોકો ડેસ્ટિનેશન વેડિંગ માટે બીજા દેશમાં જતા હોય છે. કરોડપતિ અને અરબોપતિ લોકોને તેમણે અપીલ કરી છે કે તે તેમના પરિવારમાંથી એક લગ્ન ડેસ્ટિનેશન વેડિંગ તરીકે ઉત્તરાખંડમાં કરાવે. તેમણે કહ્યું કે જો ઉત્તરાખંડમાં એક વર્ષમાં પાંચ હજાર જેટલા ડેસ્ટિનેશન વેડિંગ થવા લાગ્યા તો રાજ્ય બહુ મોટો વેડિંગ ડેસ્ટિનેશન પોઈન્ટ બની જશે. આવી અપીલ તેમણે 8 ડિસેમ્બરે ઉત્તરાખંડમાં કરી હતી. 

કરોડપતિ તેમજ અરબોપતિને પીએમ મોદીએ કરી આ અપીલ 

પીએમ મોદીએ કહ્યું કે આજકાલ વિદેશમાં લગ્ન કરવાની ફેશન બની ગઈ છે. તમે કેટલાક રોકાણો કરી શકશો, જો નહીં, તો તેને છોડી દો. કદાચ દરેક નથી કરતું. ઓછામાં ઓછા આગામી 5 વર્ષમાં ઉત્તરાખંડમાં તમારા પરિવાર માટે ડેસ્ટિનેશન વેડિંગ કરો. જો અહીં એક વર્ષમાં 5 હજાર લગ્નો પણ થવા લાગે તો નવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થશે. આ વિશ્વ માટે એક વિશાળ વેડિંગ ડેસ્ટિનેશન બની જશે." હવે જોવું રહ્યું કે પીએમ મોદીની આ અપીલને કેટલો રિસ્પોન્સ મળે છે!

  



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.