ગુજરાતના પ્રવાસે આવેલા પીએમ મોદીએ મોંઘવારીને લઈ આપ્યું નિવેદન, કહ્યું જો તેમની સરકાર ન હોત તો...


  • Published By :
  • Published Date : 2023-07-28 13:54:19

મોંઘવારીનું સ્તર દિવસેને દિવસે વધતો જઈ રહ્યું છે. અનેક જીવન જરૂરી વસ્તુઓના ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. જ્યારે કોઈ જીવન જરૂરી ચીજ વસ્તુના ભાવમાં વધારો થાય છે ત્યારે તે સમાચારોમાં હેડલાઈન્સ બની જતું હોય છે. આજે પેટ્રોલમાં ભાવમાં આટલા રૂપિયાનો વધારો, ખાદ્યતેલના ભાવમાં આટલા ભાવનો વધારો વગેરે વગેરે... આપણા માટે મોંઘવારી સતત વધતી જઈ રહી છે ત્યારે પીએમ મોદીનું નિવેદન હાલ ચર્ચામાં છે. જેમાં તે ગણાવી રહ્યા છે કે જો તેમની સરકાર કેન્દ્રમાં ન હોત તો દૂધ આટલા રૂપિયે લીટરે મળત, લોટ આટલા રૂપિયે કિલોએ મળે વગેરે વગેરે...

જો તેમની સરકાર ન હોત તો... 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે. ગઈકાલે તેઓ રાજકોટમાં સંબોધન કરી રહ્યા હતા. પોતાની સરકાર દ્વારા કરવામાં આવેલા કામોને તેમણે ગણાવ્યા, રાજકોટવાસીઓના વખાણ તેમણે કર્યા. પરંતુ પોતાના સંબોધન દરમિયાન તેમણે કહ્યું કે જો કે અમારી સરકારે મોંઘવારી ઘટાડી ન હોત તો દૂઘ 300 રુપિયા અને દાળ 500 રુપિયે કિલો મળત, પરંતુ મિત્રો.. આ અમારી સરકાર છે. જેણે મોંઘવારી કંટ્રોલમાં રાખી છે. આજે દરેક ભારતીય દર મહિને 20 જીબી ડેટા ઉપયોગ કરે છે. 2014માં એક જીબી ડેટા ઉપયોગ કરતો હતો.  


પોતાના સંબોધનમાં તેમણે INDIAની પણ કરી વાત 

મહત્વનું છે કે આવનાર વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આ કાર્યક્રમમાં જાણે પીએમ મોદી ચૂંટણી પ્રચાર કરતા હોય તેવું લાગી રહ્યું હતું. પોતાના સંબોધનમાં તેમણે INDIA તેમજ NDAનો ઉલ્લેખ કર્યો હતો. દરેક ચૂંટણી આપણને એક સ્તરથી નીચે લઈ જતી હોઈએ. મહત્વનું છે કે શું વડાપ્રધાન મોદી સુધી મધ્યમ પરિવારનો અવાજ નથી પહોંચતો? એક તરફ લોકો મોંઘવારીથી ત્રસ્ત છે તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનથી બળતાં ઘી હોમાયું હોય તેવું લાગી રહ્યું છે.   



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .