ગુજરાતના પ્રવાસે આવેલા પીએમ મોદીએ મોંઘવારીને લઈ આપ્યું નિવેદન, કહ્યું જો તેમની સરકાર ન હોત તો...


  • Published By :
  • Published Date : 2023-07-28 13:54:19

મોંઘવારીનું સ્તર દિવસેને દિવસે વધતો જઈ રહ્યું છે. અનેક જીવન જરૂરી વસ્તુઓના ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. જ્યારે કોઈ જીવન જરૂરી ચીજ વસ્તુના ભાવમાં વધારો થાય છે ત્યારે તે સમાચારોમાં હેડલાઈન્સ બની જતું હોય છે. આજે પેટ્રોલમાં ભાવમાં આટલા રૂપિયાનો વધારો, ખાદ્યતેલના ભાવમાં આટલા ભાવનો વધારો વગેરે વગેરે... આપણા માટે મોંઘવારી સતત વધતી જઈ રહી છે ત્યારે પીએમ મોદીનું નિવેદન હાલ ચર્ચામાં છે. જેમાં તે ગણાવી રહ્યા છે કે જો તેમની સરકાર કેન્દ્રમાં ન હોત તો દૂધ આટલા રૂપિયે લીટરે મળત, લોટ આટલા રૂપિયે કિલોએ મળે વગેરે વગેરે...

જો તેમની સરકાર ન હોત તો... 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે. ગઈકાલે તેઓ રાજકોટમાં સંબોધન કરી રહ્યા હતા. પોતાની સરકાર દ્વારા કરવામાં આવેલા કામોને તેમણે ગણાવ્યા, રાજકોટવાસીઓના વખાણ તેમણે કર્યા. પરંતુ પોતાના સંબોધન દરમિયાન તેમણે કહ્યું કે જો કે અમારી સરકારે મોંઘવારી ઘટાડી ન હોત તો દૂઘ 300 રુપિયા અને દાળ 500 રુપિયે કિલો મળત, પરંતુ મિત્રો.. આ અમારી સરકાર છે. જેણે મોંઘવારી કંટ્રોલમાં રાખી છે. આજે દરેક ભારતીય દર મહિને 20 જીબી ડેટા ઉપયોગ કરે છે. 2014માં એક જીબી ડેટા ઉપયોગ કરતો હતો.  


પોતાના સંબોધનમાં તેમણે INDIAની પણ કરી વાત 

મહત્વનું છે કે આવનાર વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આ કાર્યક્રમમાં જાણે પીએમ મોદી ચૂંટણી પ્રચાર કરતા હોય તેવું લાગી રહ્યું હતું. પોતાના સંબોધનમાં તેમણે INDIA તેમજ NDAનો ઉલ્લેખ કર્યો હતો. દરેક ચૂંટણી આપણને એક સ્તરથી નીચે લઈ જતી હોઈએ. મહત્વનું છે કે શું વડાપ્રધાન મોદી સુધી મધ્યમ પરિવારનો અવાજ નથી પહોંચતો? એક તરફ લોકો મોંઘવારીથી ત્રસ્ત છે તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનથી બળતાં ઘી હોમાયું હોય તેવું લાગી રહ્યું છે.   



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.