ગુજરાતના પ્રવાસે આવેલા પીએમ મોદીએ મોંઘવારીને લઈ આપ્યું નિવેદન, કહ્યું જો તેમની સરકાર ન હોત તો...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-28 13:54:19

મોંઘવારીનું સ્તર દિવસેને દિવસે વધતો જઈ રહ્યું છે. અનેક જીવન જરૂરી વસ્તુઓના ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. જ્યારે કોઈ જીવન જરૂરી ચીજ વસ્તુના ભાવમાં વધારો થાય છે ત્યારે તે સમાચારોમાં હેડલાઈન્સ બની જતું હોય છે. આજે પેટ્રોલમાં ભાવમાં આટલા રૂપિયાનો વધારો, ખાદ્યતેલના ભાવમાં આટલા ભાવનો વધારો વગેરે વગેરે... આપણા માટે મોંઘવારી સતત વધતી જઈ રહી છે ત્યારે પીએમ મોદીનું નિવેદન હાલ ચર્ચામાં છે. જેમાં તે ગણાવી રહ્યા છે કે જો તેમની સરકાર કેન્દ્રમાં ન હોત તો દૂધ આટલા રૂપિયે લીટરે મળત, લોટ આટલા રૂપિયે કિલોએ મળે વગેરે વગેરે...

જો તેમની સરકાર ન હોત તો... 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે. ગઈકાલે તેઓ રાજકોટમાં સંબોધન કરી રહ્યા હતા. પોતાની સરકાર દ્વારા કરવામાં આવેલા કામોને તેમણે ગણાવ્યા, રાજકોટવાસીઓના વખાણ તેમણે કર્યા. પરંતુ પોતાના સંબોધન દરમિયાન તેમણે કહ્યું કે જો કે અમારી સરકારે મોંઘવારી ઘટાડી ન હોત તો દૂઘ 300 રુપિયા અને દાળ 500 રુપિયે કિલો મળત, પરંતુ મિત્રો.. આ અમારી સરકાર છે. જેણે મોંઘવારી કંટ્રોલમાં રાખી છે. આજે દરેક ભારતીય દર મહિને 20 જીબી ડેટા ઉપયોગ કરે છે. 2014માં એક જીબી ડેટા ઉપયોગ કરતો હતો.  


પોતાના સંબોધનમાં તેમણે INDIAની પણ કરી વાત 

મહત્વનું છે કે આવનાર વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આ કાર્યક્રમમાં જાણે પીએમ મોદી ચૂંટણી પ્રચાર કરતા હોય તેવું લાગી રહ્યું હતું. પોતાના સંબોધનમાં તેમણે INDIA તેમજ NDAનો ઉલ્લેખ કર્યો હતો. દરેક ચૂંટણી આપણને એક સ્તરથી નીચે લઈ જતી હોઈએ. મહત્વનું છે કે શું વડાપ્રધાન મોદી સુધી મધ્યમ પરિવારનો અવાજ નથી પહોંચતો? એક તરફ લોકો મોંઘવારીથી ત્રસ્ત છે તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનથી બળતાં ઘી હોમાયું હોય તેવું લાગી રહ્યું છે.   



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે