ગુજરાતના પ્રવાસે આવેલા પીએમ મોદીએ મોંઘવારીને લઈ આપ્યું નિવેદન, કહ્યું જો તેમની સરકાર ન હોત તો...


  • Published By :
  • Published Date : 2023-07-28 13:54:19

મોંઘવારીનું સ્તર દિવસેને દિવસે વધતો જઈ રહ્યું છે. અનેક જીવન જરૂરી વસ્તુઓના ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. જ્યારે કોઈ જીવન જરૂરી ચીજ વસ્તુના ભાવમાં વધારો થાય છે ત્યારે તે સમાચારોમાં હેડલાઈન્સ બની જતું હોય છે. આજે પેટ્રોલમાં ભાવમાં આટલા રૂપિયાનો વધારો, ખાદ્યતેલના ભાવમાં આટલા ભાવનો વધારો વગેરે વગેરે... આપણા માટે મોંઘવારી સતત વધતી જઈ રહી છે ત્યારે પીએમ મોદીનું નિવેદન હાલ ચર્ચામાં છે. જેમાં તે ગણાવી રહ્યા છે કે જો તેમની સરકાર કેન્દ્રમાં ન હોત તો દૂધ આટલા રૂપિયે લીટરે મળત, લોટ આટલા રૂપિયે કિલોએ મળે વગેરે વગેરે...

જો તેમની સરકાર ન હોત તો... 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે. ગઈકાલે તેઓ રાજકોટમાં સંબોધન કરી રહ્યા હતા. પોતાની સરકાર દ્વારા કરવામાં આવેલા કામોને તેમણે ગણાવ્યા, રાજકોટવાસીઓના વખાણ તેમણે કર્યા. પરંતુ પોતાના સંબોધન દરમિયાન તેમણે કહ્યું કે જો કે અમારી સરકારે મોંઘવારી ઘટાડી ન હોત તો દૂઘ 300 રુપિયા અને દાળ 500 રુપિયે કિલો મળત, પરંતુ મિત્રો.. આ અમારી સરકાર છે. જેણે મોંઘવારી કંટ્રોલમાં રાખી છે. આજે દરેક ભારતીય દર મહિને 20 જીબી ડેટા ઉપયોગ કરે છે. 2014માં એક જીબી ડેટા ઉપયોગ કરતો હતો.  


પોતાના સંબોધનમાં તેમણે INDIAની પણ કરી વાત 

મહત્વનું છે કે આવનાર વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આ કાર્યક્રમમાં જાણે પીએમ મોદી ચૂંટણી પ્રચાર કરતા હોય તેવું લાગી રહ્યું હતું. પોતાના સંબોધનમાં તેમણે INDIA તેમજ NDAનો ઉલ્લેખ કર્યો હતો. દરેક ચૂંટણી આપણને એક સ્તરથી નીચે લઈ જતી હોઈએ. મહત્વનું છે કે શું વડાપ્રધાન મોદી સુધી મધ્યમ પરિવારનો અવાજ નથી પહોંચતો? એક તરફ લોકો મોંઘવારીથી ત્રસ્ત છે તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનથી બળતાં ઘી હોમાયું હોય તેવું લાગી રહ્યું છે.   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.