No Confidence Motion પર PM Modi આજે સંસદમાં આપશે જવાબ, જાણો સંસદમાં કેટલા વાગ્યે મણિપુર મુદ્દે બોલશે પીએમ?


  • Published By :
  • Published Date : 2023-08-10 10:05:28

છેલ્લા બે દિવસથી સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવને લઈ ચર્ચા ચાલી રહી છે. બે દિવસમાં વિપક્ષી સાંસદોએ કેન્દ્ર સરકારને અનેક રીતે ઘેરવાનો પ્રયત્ન કર્યો છે. પ્રથમ દિવસની ચર્ચામાં કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ પીએમ મોદીને ત્રણ સવાલો પૂછ્યા હતા. ત્યારે ગઈકાલે રાહુલ ગાંધી પણ એકદમ આક્રામક દેખાયા હતા. તેમણે પણ પીએમ મોદી પર આકરા કટાક્ષ કર્યા હતા. ત્યારે આજે પીએમ મોદી સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર જવાબ આપવાના છે. મળતી માહિતી અનુસાર સાંજે ચાર વાગ્યે પીએમ મોદી સંસદમાં જવાબ આપી શકે છે. મહત્વનું છે મોદી સરકાર સામે આ બીજો અવિશ્વાસ પ્રસ્તાવ છે. પહેલો અવિશ્વાસ પ્રસ્તાવ 20  જુલાઈ 2018માં તેલુગું દેશમ પાર્ટી લાવી હતી. 

મણિપુરની ચર્ચા થાય ત્યારે હોબાળો થવો નિશ્ચિત છે!

સંસદમાં હાલ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા ચાલી રહી છે. મણિપુરમાં ચાલી રહેલી હિંસા અને પીએમ મોદીના મૌનને લઈ વિપક્ષી સાંસદો અનેક પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. સંસદની કાર્યવાહી દરમિયાન મણિપુર મુદ્દે ચર્ચા થાય તે માટે અનેક પ્રયત્નો થયા હશે પરંતુ અંતે આ તો સંસદ છે. સંસદમાં ચાલતી ચર્ચા, જે પ્રકારે હંગામા થાય છે તેને જોતા લાગે કે આની આગળ તો સિરિયલોના ડાયલોગ પણ ફિક્કા પડે છે. સંસદમાં હોબાળાની તસવીરો જે સામે આવતી હોય છે તેને જોઈને સવાલ થાય કે કેટલી સહજતાથી સાંસદો એવા વાક્યો બોલી જાય છે જેને બોલતા સામાન્ય માણસ અનેક વખત વિચાર કરે. 

સાંસદોના નિવેદનો સાંભળી વિચાર આવે કે....  

સંસદમાં જ્યારે ચર્ચા ચાલી રહી હોય ત્યારે સાંસદો દ્વારા જે નિવેદનો સામે આવતા હોય છે તેને સાંભળીને આપણને લાગે કે શું લોકશાહીના મંદિરમાં આવી ચર્ચાઓ શોભે છે? થોડા સમય પહેલા એક મહિલા સાંસદ મીનાક્ષી લેખીએ પોતાના ભાષણમાં એવું કીધું હતું કે ચૂપ રહો! ક્યાંક તમારા ઘરે ઈડીના દરોડા ના પડી જાય. આ નિવેદન સાંભળીએ કીધું કે સાંસદ હસતા હસતા સત્ય બોલી ગયા. ત્યારે એક-બે દિવસ પહેલા નારાયણ રાણેએ સંસદમાં એવી ભાષાનો ઉપયોગ કર્યો કે જે ભાષા ગલીમાં ફરતા ગુંડા કરતા હોય. લોકશાહીનું મંદિર ગણાતા સંસદમાં તેમણે ઓકાત બતાવવાની વાત કરી હતી.


પીએમ મોદી મણિપુર વિશે કેટલું બોલશે તેની પર સૌની નજર!

આજે સંસદમાં પીએમ મોદી જવાબ આપવાના છે તેની પર સૌ કોઈની નજર રહેલી છે. એ જોવું રહ્યું કે પીએમ મોદી મણિપુર વિશે કેટલી મિનીટ વાત કરે છે અને ભાજપ સિવાય જ્યાં બીજી પાર્ટીની સરકાર છે મુખ્યત્વે કોંગ્રેસની તે રાજ્ય અંગે કેટલી વાત કરે છે.. કારણ કે જ્યારે મહિલાઓનો વીડિયો સામે આવ્યો હતો ત્યારે પીએમ મોદી બોલ્યા હતા પરંતુ તે માત્ર સેકેન્ડોમાં પૂર્ણ થઈ ગયું હતું અને પોતાના નિવેદનમાં બીજા રાજ્યોની વાત કરતા હતા. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી