Boardના વિદ્યાર્થીઓ સાથે PM Modi કરશે સંવાદ! પરીક્ષા પે ચર્ચા-2024 કાર્યક્રમનું કરાયું આયોજન, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-29 14:11:22

વિદ્યાર્થીના જીવનમાં ભણતરનું વિશેષ મહત્વ રહેલું હોય છે. શાળામાં આપવામાં આવતું શિક્ષણ બાળકના ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે. બોર્ડની પરીક્ષાને લઈ બાળકોમાં તેમજ વાલીઓમાં વધારે ચિંતા રહેલી હોય છે. બોર્ડના માર્ક્સ પર વિદ્યાર્થીનું આગળનું જીવન નિર્ભર રહેલું હોય છે. આગળ કઈ લાઈન લેવી તે નક્કી કરવામાં આવતું હોય છે. પરીક્ષાને લઈ વિદ્યાર્થીને ટેન્શન ન રહે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. પીએમ મોદી આજે ફરી એક વખત પરીક્ષા પે ચર્ચા કરવા જઈ રહ્યા છે. 

2 કરોડથી વધારે વિદ્યાર્થીઓએ કર્યું છે રજીસ્ટ્રેશન   

પીએમ મોદી આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા અંગે ચર્ચા કરશે. મળતી માહિતી અનુસાર 2 કરોડથી વધુ વિદ્યાર્થીઓ, વાલીએ તેમજ શિક્ષકો આ ચર્ચામાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. પરિક્ષા પે ચર્ચા 2024 કાર્યક્રમનું આયોજન ભારત મંડપમ, ITPO, પ્રગતિ મેદાન, નવી દિલ્હી ખાતે સવારે 11 વાગ્યાથી કરવામાં આવશે. ઓનલાઈન પ્રસારણ પણ કરવામાં આવશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી છે. ડેટા શેર કરતા તેમણે કહ્યું કે  2.26 કરોડ વિદ્યાર્થીઓએ પીએમ મોદીના કાર્યક્રમ PPC 2024 માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.  


ભૂપેન્દ્ર પટેલ આ શાળામાં આપી શકે છે હાજરી!

મહત્વનું છે કે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની સાથે પીએમ મોદી શિક્ષકોને તેમજ વાલીઓને પણ સંબોધિત કરવાના છે. પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓ પર વધારે પ્રેશર મા-બાપ તેમજ શિક્ષકો દ્વારા આપવામાં આવતું હોય છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઘાટલોડિયામાં આવેલી નૂતન વિદ્યાવિહાર હાયર સેકેન્ડરી સ્કૂલમાં આ કાર્યક્રમ વખતે હાજરી આપી શકે છે તેવી માહિતી સામે આવી છે. 



૧૮મી જૂન આજના દિવસે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. આ માટે વ્હાઇટહાઉસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો એક કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આ માટે ૧૮મી જૂનના દિવસે આખો કાર્ય્રક્રમ જાહેર કર્યો છે .

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.