Boardના વિદ્યાર્થીઓ સાથે PM Modi કરશે સંવાદ! પરીક્ષા પે ચર્ચા-2024 કાર્યક્રમનું કરાયું આયોજન, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-29 14:11:22

વિદ્યાર્થીના જીવનમાં ભણતરનું વિશેષ મહત્વ રહેલું હોય છે. શાળામાં આપવામાં આવતું શિક્ષણ બાળકના ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે. બોર્ડની પરીક્ષાને લઈ બાળકોમાં તેમજ વાલીઓમાં વધારે ચિંતા રહેલી હોય છે. બોર્ડના માર્ક્સ પર વિદ્યાર્થીનું આગળનું જીવન નિર્ભર રહેલું હોય છે. આગળ કઈ લાઈન લેવી તે નક્કી કરવામાં આવતું હોય છે. પરીક્ષાને લઈ વિદ્યાર્થીને ટેન્શન ન રહે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. પીએમ મોદી આજે ફરી એક વખત પરીક્ષા પે ચર્ચા કરવા જઈ રહ્યા છે. 

2 કરોડથી વધારે વિદ્યાર્થીઓએ કર્યું છે રજીસ્ટ્રેશન   

પીએમ મોદી આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા અંગે ચર્ચા કરશે. મળતી માહિતી અનુસાર 2 કરોડથી વધુ વિદ્યાર્થીઓ, વાલીએ તેમજ શિક્ષકો આ ચર્ચામાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. પરિક્ષા પે ચર્ચા 2024 કાર્યક્રમનું આયોજન ભારત મંડપમ, ITPO, પ્રગતિ મેદાન, નવી દિલ્હી ખાતે સવારે 11 વાગ્યાથી કરવામાં આવશે. ઓનલાઈન પ્રસારણ પણ કરવામાં આવશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી છે. ડેટા શેર કરતા તેમણે કહ્યું કે  2.26 કરોડ વિદ્યાર્થીઓએ પીએમ મોદીના કાર્યક્રમ PPC 2024 માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.  


ભૂપેન્દ્ર પટેલ આ શાળામાં આપી શકે છે હાજરી!

મહત્વનું છે કે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની સાથે પીએમ મોદી શિક્ષકોને તેમજ વાલીઓને પણ સંબોધિત કરવાના છે. પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓ પર વધારે પ્રેશર મા-બાપ તેમજ શિક્ષકો દ્વારા આપવામાં આવતું હોય છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઘાટલોડિયામાં આવેલી નૂતન વિદ્યાવિહાર હાયર સેકેન્ડરી સ્કૂલમાં આ કાર્યક્રમ વખતે હાજરી આપી શકે છે તેવી માહિતી સામે આવી છે. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .