Boardના વિદ્યાર્થીઓ સાથે PM Modi કરશે સંવાદ! પરીક્ષા પે ચર્ચા-2024 કાર્યક્રમનું કરાયું આયોજન, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-29 14:11:22

વિદ્યાર્થીના જીવનમાં ભણતરનું વિશેષ મહત્વ રહેલું હોય છે. શાળામાં આપવામાં આવતું શિક્ષણ બાળકના ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે. બોર્ડની પરીક્ષાને લઈ બાળકોમાં તેમજ વાલીઓમાં વધારે ચિંતા રહેલી હોય છે. બોર્ડના માર્ક્સ પર વિદ્યાર્થીનું આગળનું જીવન નિર્ભર રહેલું હોય છે. આગળ કઈ લાઈન લેવી તે નક્કી કરવામાં આવતું હોય છે. પરીક્ષાને લઈ વિદ્યાર્થીને ટેન્શન ન રહે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. પીએમ મોદી આજે ફરી એક વખત પરીક્ષા પે ચર્ચા કરવા જઈ રહ્યા છે. 

2 કરોડથી વધારે વિદ્યાર્થીઓએ કર્યું છે રજીસ્ટ્રેશન   

પીએમ મોદી આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા અંગે ચર્ચા કરશે. મળતી માહિતી અનુસાર 2 કરોડથી વધુ વિદ્યાર્થીઓ, વાલીએ તેમજ શિક્ષકો આ ચર્ચામાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. પરિક્ષા પે ચર્ચા 2024 કાર્યક્રમનું આયોજન ભારત મંડપમ, ITPO, પ્રગતિ મેદાન, નવી દિલ્હી ખાતે સવારે 11 વાગ્યાથી કરવામાં આવશે. ઓનલાઈન પ્રસારણ પણ કરવામાં આવશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી છે. ડેટા શેર કરતા તેમણે કહ્યું કે  2.26 કરોડ વિદ્યાર્થીઓએ પીએમ મોદીના કાર્યક્રમ PPC 2024 માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.  


ભૂપેન્દ્ર પટેલ આ શાળામાં આપી શકે છે હાજરી!

મહત્વનું છે કે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની સાથે પીએમ મોદી શિક્ષકોને તેમજ વાલીઓને પણ સંબોધિત કરવાના છે. પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓ પર વધારે પ્રેશર મા-બાપ તેમજ શિક્ષકો દ્વારા આપવામાં આવતું હોય છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઘાટલોડિયામાં આવેલી નૂતન વિદ્યાવિહાર હાયર સેકેન્ડરી સ્કૂલમાં આ કાર્યક્રમ વખતે હાજરી આપી શકે છે તેવી માહિતી સામે આવી છે. 



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.