Gujaratના પ્રવાસે આવશે PM Modi, આટલા કરોડના વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ તેમજ શિલાન્યાસ, જાણો પીએમનો સંપૂર્ણ કાર્યક્રમ


  • Published By :
  • Published Date : 2023-09-26 13:57:01

ગુજરાતના પ્રવાસે પીએમ મોદી આજે આવવાના છે. બે દિવસના પ્રવાસ માટે આવી રહ્યા છે. 26 અને 27 સપ્ટેમ્બરના દિવસે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. આજે એટલે 26 સપ્ટેમ્બરે અમદાવાદના એરર્પોટ પર તેમનું આગમન થશે. માહિતી અનુસાર બે હજાર મહિલાઓ દ્વારા PMનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. અમદાવાદ ખાતે નારી શક્તિ વંદના કાર્યક્રમમાં પીએમ મોદી હાજરી આપવાના છે. તે બાદ  27 સપ્ટેમ્બર પીએમ બોડેલી ખાતે લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે. વાઈબ્રન્ટ સમિટની 20 વર્ષની ઉજવણીમાં ભાગ લેશે. તે ઉપરાંત બોડેલીમાં 5200 કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. રાજભવન ખાતે વડાપ્રધાન મોદી રાત્રી રોકાણ કરવાના છે. 


નદી પર બનાવવામાં આવેલા પુલનું કરશે લોકાર્પણ 

વડોદરા જિલ્લાના તાલુકા સિનોરમાં ઓદરા-  ડભોઇ સિનોર-માલસર આસા રોડપર નર્મદા નદી પર બાંધવામાં આવેલા નવા પુલનું લોકાર્પણ કરશે ઉપરાંત દાહોદમાં પાણી પુરવઠા પ્રોજેક્ટ, વડોદરામાં આર્થિક નબળા વર્ગ માટે 400 મકાનોનું લોકાર્પણ કરશે. ગુજરાતના 7500 ગામોમાં વિલેજ વાઇ-ફાઇ પ્રોજેક્ટ તેમજ દાહોદ ખાતે નવનિર્મિત જવાહર નવોદય વિદ્યાલય રાષ્ટ્રને સમર્પિત કરશે. 


4500 કરોડના વિવિધ પ્રોજેક્ટનું પીએમ મોદી શિલાન્યાસ કરશે 

તે ઉપરાંત છોટા ઉદેપુરના બોડેલી ખાતે આયોજીત એક કાર્યક્રમમાં તેઓ હાજરી આપવાના છે. આ સમારોહમાં સ્કૂલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ મળે તે માટે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ કાર્યક્રમ હેઠળ 4500 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ હેઠળ નવા ક્લાસરૂમ, સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ, સ્ટીમ લેબનું લોકાર્પણ કરશે. પીએમ મોદી છોટા ઉદેપુરમાં પાણી પુરવઠા યોજનાનો શિલાન્યાસ પણ કરશે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.