Gujaratના પ્રવાસે આવશે PM Modi, આટલા કરોડના વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ તેમજ શિલાન્યાસ, જાણો પીએમનો સંપૂર્ણ કાર્યક્રમ


  • Published By :
  • Published Date : 2023-09-26 13:57:01

ગુજરાતના પ્રવાસે પીએમ મોદી આજે આવવાના છે. બે દિવસના પ્રવાસ માટે આવી રહ્યા છે. 26 અને 27 સપ્ટેમ્બરના દિવસે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. આજે એટલે 26 સપ્ટેમ્બરે અમદાવાદના એરર્પોટ પર તેમનું આગમન થશે. માહિતી અનુસાર બે હજાર મહિલાઓ દ્વારા PMનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. અમદાવાદ ખાતે નારી શક્તિ વંદના કાર્યક્રમમાં પીએમ મોદી હાજરી આપવાના છે. તે બાદ  27 સપ્ટેમ્બર પીએમ બોડેલી ખાતે લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે. વાઈબ્રન્ટ સમિટની 20 વર્ષની ઉજવણીમાં ભાગ લેશે. તે ઉપરાંત બોડેલીમાં 5200 કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. રાજભવન ખાતે વડાપ્રધાન મોદી રાત્રી રોકાણ કરવાના છે. 


નદી પર બનાવવામાં આવેલા પુલનું કરશે લોકાર્પણ 

વડોદરા જિલ્લાના તાલુકા સિનોરમાં ઓદરા-  ડભોઇ સિનોર-માલસર આસા રોડપર નર્મદા નદી પર બાંધવામાં આવેલા નવા પુલનું લોકાર્પણ કરશે ઉપરાંત દાહોદમાં પાણી પુરવઠા પ્રોજેક્ટ, વડોદરામાં આર્થિક નબળા વર્ગ માટે 400 મકાનોનું લોકાર્પણ કરશે. ગુજરાતના 7500 ગામોમાં વિલેજ વાઇ-ફાઇ પ્રોજેક્ટ તેમજ દાહોદ ખાતે નવનિર્મિત જવાહર નવોદય વિદ્યાલય રાષ્ટ્રને સમર્પિત કરશે. 


4500 કરોડના વિવિધ પ્રોજેક્ટનું પીએમ મોદી શિલાન્યાસ કરશે 

તે ઉપરાંત છોટા ઉદેપુરના બોડેલી ખાતે આયોજીત એક કાર્યક્રમમાં તેઓ હાજરી આપવાના છે. આ સમારોહમાં સ્કૂલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ મળે તે માટે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ કાર્યક્રમ હેઠળ 4500 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ હેઠળ નવા ક્લાસરૂમ, સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ, સ્ટીમ લેબનું લોકાર્પણ કરશે. પીએમ મોદી છોટા ઉદેપુરમાં પાણી પુરવઠા યોજનાનો શિલાન્યાસ પણ કરશે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી