PM મોદીએ મીરા માંઝીને પત્ર લખી ચા માટે આભાર માન્યો, ચાના સેટ સહિત આ વસ્તુઓની આપી ભેટ


  • Published By :
  • Published Date : 2024-01-03 21:27:57

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યાની મીરા માંઝીને પત્ર લખ્યો છે અને તેમના પરિવારને ભેટ પણ મોકલી છે. પીએમ મોદીએ ચાનો સેટ, રંગોવાળી ડ્રોઇંગ બુક સહિત અનેક વસ્તુઓ ભેટ તરીકે મોકલી હતી. તેમણે પોતાના પત્રમાં લખ્યું છે કે અયોધ્યામાં તમારા પરિવારના સભ્યોને મળીને તમારા દ્વારા તૈયાર કરાયેલી ચા પીને આનંદ થયો. ઉલ્લેખનિય છે કે અયોધ્યાની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ 30 ડિસેમ્બરે ઉજ્જવલા યોજનાના લાભાર્થી મીરા માંઝીના ઘરની મુલાકાત લીધી હતી અને તેમના પરિવારને મળ્યા હતા. આ દરમિયાન પીએમએ ત્યાં ચાની ચુસ્કીનો આનંદ માણ્યો હતો.



PM મોદી ચા માટે આભાર માન્યો


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મીરા માંઝીને પત્ર લખીને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી અને ચા પીને તેમનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે તમે ઉજ્જવલા યોજનાના 10 કરોડમાં લાભાર્થી બનવું એ માત્ર એક આંકડો નથી, પરંતુ હું તેને કરોડો દેશવાસીઓના મોટા સપના અને સંકલ્પોની પૂર્તિની કડી તરીકે જોઉં છું.


PM મોદીએ પત્રમાં શું લખ્યું?


PM મોદીએ પત્રમાં લખ્યું છે કે, તમને અને તમારા પરિવારના તમામ સભ્યોને નવા વર્ષ 2024ની હાર્દિક શુભકામનાઓ. ભગવાન શ્રી રામની પવિત્ર નગરી અયોધ્યામાં તમને અને તમારા પરિવારના સભ્યોને મળીને અને તમારા દ્વારા તૈયાર કરાયેલી ચા પીને મને ખૂબ આનંદ થયો હતો. અયોધ્યાથી આવ્યા પછી મેં ઘણી ટીવી ચેનલો પર તમારો ઈન્ટરવ્યુ જોયો હતો. તમારા અને પરિવારના અન્ય સભ્યોનો તેમનામાં વિશ્વાસ અને તમે જે સરસ અને સરળ રીતે તમારા અનુભવો શેર કર્યા તે જોઈને મને સારું લાગ્યું. PMએ કહ્યું, "તમારા જેવા મારા પરિવારના કરોડો લોકોના ચહેરા પરનું સ્મિત એ જ મારી મૂડી છે. "તે સૌથી મોટો સંતોષ છે, જે મને દેશ માટે પૂરા દિલથી કામ કરવાની નવી ઉર્જા આપે છે. મને પૂરો વિશ્વાસ છે કે અમૃત કાલમાં, તમારા જેવા આકાંક્ષાઓથી ભરેલા કરોડો દેશવાસીઓનો જોમ અને ઉત્સાહ એક ભવ્ય અને વિકસિત ભારતના નિર્માણના અમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. બાળકો માટે પ્રેમ અને સારા સ્વાસ્થ્ય અને પરિવારના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ સાથે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.