Navratriને લઈ PM Modiએ લખ્યો ગરબો! આ સિંગરે ગરબાને કર્યો સ્વરબદ્ધ, સાંભળો પીએમ મોદીએ લખેલા ગરબાને...


  • Published By :
  • Published Date : 2023-10-14 13:54:22

નવરાત્રી એટલે શક્તિની આરાધના કરવાનો પર્વ. આવતીકાલથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થવાનો છે. આ નવરાત્રી દરમિયાન ગરબા કરવા માટે ખેલૈયાઓ ઉત્સુક હોય છે. ગરબાને લઈ વિશેષ આયોજનો કરવામાં આવે છે. અલગ અલગ ગરબાઓ પર ખેલૈયાઓ રમતા હોય છે. ત્યારે પીએમ મોદી દ્વારા લખાયેલો ગરબો પણ આ નવરાત્રીમાં સાંભળવા મળી શકે છે. પીએમ મોદીએ વર્ષો પહેલા ગરબો લખ્યો હતો જેને અવાજ સિંગર ધ્વની ભાનુશાલીએ આપ્યો છે. નવરાત્રીના અવસરે પીએમ મોદીએ એક ગરબો લખ્યો છે. પીએમ મોદીએ ટ્વિટ કરી ગરબાનો વીડિયો શેર કર્યો છે. 

પીએમ મોદીએ લખેલા ગરબાને સ્વર આપ્યો ધ્વની ભાનુશાળીએ!

પીએમ મોદીમાં અનેક પ્રતિભાઓ છૂપાયેલી છે. અનેક વખત પીએમ મોદીનો અલગ અંદાજ જોવા મળતો હોય છે. ત્યારે પીએમ મોદીએ નવરાત્રીને ધ્યાનમાં રાખી એક ગરબો લખ્યો છે જેનો વીડિયો તેમણે શેર કર્યો છે. ગુજરાતમાં નવરાત્રીને લઈ ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. ત્યારે પીએમ મોદીએ નવરાત્રીના પર્વને ધ્યાનમાં રાખી એક ગરબો લખ્યો હતો. આ ગરબામાં અવાજ ધ્વની ભાનુશાલીએ આપ્યો છે જ્યારે મ્યુઝિક તનિષ્ક બાહચીએ આપ્યું છે. પીએમ મોદીએ લખેલો ગરબાનો વીડિયો શેર કર્યો છે અને તેમનો આભાર માન્યો છે. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .