Navratriને લઈ PM Modiએ લખ્યો ગરબો! આ સિંગરે ગરબાને કર્યો સ્વરબદ્ધ, સાંભળો પીએમ મોદીએ લખેલા ગરબાને...


  • Published By :
  • Published Date : 2023-10-14 13:54:22

નવરાત્રી એટલે શક્તિની આરાધના કરવાનો પર્વ. આવતીકાલથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થવાનો છે. આ નવરાત્રી દરમિયાન ગરબા કરવા માટે ખેલૈયાઓ ઉત્સુક હોય છે. ગરબાને લઈ વિશેષ આયોજનો કરવામાં આવે છે. અલગ અલગ ગરબાઓ પર ખેલૈયાઓ રમતા હોય છે. ત્યારે પીએમ મોદી દ્વારા લખાયેલો ગરબો પણ આ નવરાત્રીમાં સાંભળવા મળી શકે છે. પીએમ મોદીએ વર્ષો પહેલા ગરબો લખ્યો હતો જેને અવાજ સિંગર ધ્વની ભાનુશાલીએ આપ્યો છે. નવરાત્રીના અવસરે પીએમ મોદીએ એક ગરબો લખ્યો છે. પીએમ મોદીએ ટ્વિટ કરી ગરબાનો વીડિયો શેર કર્યો છે. 

પીએમ મોદીએ લખેલા ગરબાને સ્વર આપ્યો ધ્વની ભાનુશાળીએ!

પીએમ મોદીમાં અનેક પ્રતિભાઓ છૂપાયેલી છે. અનેક વખત પીએમ મોદીનો અલગ અંદાજ જોવા મળતો હોય છે. ત્યારે પીએમ મોદીએ નવરાત્રીને ધ્યાનમાં રાખી એક ગરબો લખ્યો છે જેનો વીડિયો તેમણે શેર કર્યો છે. ગુજરાતમાં નવરાત્રીને લઈ ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. ત્યારે પીએમ મોદીએ નવરાત્રીના પર્વને ધ્યાનમાં રાખી એક ગરબો લખ્યો હતો. આ ગરબામાં અવાજ ધ્વની ભાનુશાલીએ આપ્યો છે જ્યારે મ્યુઝિક તનિષ્ક બાહચીએ આપ્યું છે. પીએમ મોદીએ લખેલો ગરબાનો વીડિયો શેર કર્યો છે અને તેમનો આભાર માન્યો છે. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.