Navratriને લઈ PM Modiએ લખ્યો ગરબો! આ સિંગરે ગરબાને કર્યો સ્વરબદ્ધ, સાંભળો પીએમ મોદીએ લખેલા ગરબાને...


  • Published By :
  • Published Date : 2023-10-14 13:54:22

નવરાત્રી એટલે શક્તિની આરાધના કરવાનો પર્વ. આવતીકાલથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થવાનો છે. આ નવરાત્રી દરમિયાન ગરબા કરવા માટે ખેલૈયાઓ ઉત્સુક હોય છે. ગરબાને લઈ વિશેષ આયોજનો કરવામાં આવે છે. અલગ અલગ ગરબાઓ પર ખેલૈયાઓ રમતા હોય છે. ત્યારે પીએમ મોદી દ્વારા લખાયેલો ગરબો પણ આ નવરાત્રીમાં સાંભળવા મળી શકે છે. પીએમ મોદીએ વર્ષો પહેલા ગરબો લખ્યો હતો જેને અવાજ સિંગર ધ્વની ભાનુશાલીએ આપ્યો છે. નવરાત્રીના અવસરે પીએમ મોદીએ એક ગરબો લખ્યો છે. પીએમ મોદીએ ટ્વિટ કરી ગરબાનો વીડિયો શેર કર્યો છે. 

પીએમ મોદીએ લખેલા ગરબાને સ્વર આપ્યો ધ્વની ભાનુશાળીએ!

પીએમ મોદીમાં અનેક પ્રતિભાઓ છૂપાયેલી છે. અનેક વખત પીએમ મોદીનો અલગ અંદાજ જોવા મળતો હોય છે. ત્યારે પીએમ મોદીએ નવરાત્રીને ધ્યાનમાં રાખી એક ગરબો લખ્યો છે જેનો વીડિયો તેમણે શેર કર્યો છે. ગુજરાતમાં નવરાત્રીને લઈ ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. ત્યારે પીએમ મોદીએ નવરાત્રીના પર્વને ધ્યાનમાં રાખી એક ગરબો લખ્યો હતો. આ ગરબામાં અવાજ ધ્વની ભાનુશાલીએ આપ્યો છે જ્યારે મ્યુઝિક તનિષ્ક બાહચીએ આપ્યું છે. પીએમ મોદીએ લખેલો ગરબાનો વીડિયો શેર કર્યો છે અને તેમનો આભાર માન્યો છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે