Navratriને લઈ PM Modiએ લખ્યો ગરબો! આ સિંગરે ગરબાને કર્યો સ્વરબદ્ધ, સાંભળો પીએમ મોદીએ લખેલા ગરબાને...


  • Published By :
  • Published Date : 2023-10-14 13:54:22

નવરાત્રી એટલે શક્તિની આરાધના કરવાનો પર્વ. આવતીકાલથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થવાનો છે. આ નવરાત્રી દરમિયાન ગરબા કરવા માટે ખેલૈયાઓ ઉત્સુક હોય છે. ગરબાને લઈ વિશેષ આયોજનો કરવામાં આવે છે. અલગ અલગ ગરબાઓ પર ખેલૈયાઓ રમતા હોય છે. ત્યારે પીએમ મોદી દ્વારા લખાયેલો ગરબો પણ આ નવરાત્રીમાં સાંભળવા મળી શકે છે. પીએમ મોદીએ વર્ષો પહેલા ગરબો લખ્યો હતો જેને અવાજ સિંગર ધ્વની ભાનુશાલીએ આપ્યો છે. નવરાત્રીના અવસરે પીએમ મોદીએ એક ગરબો લખ્યો છે. પીએમ મોદીએ ટ્વિટ કરી ગરબાનો વીડિયો શેર કર્યો છે. 

પીએમ મોદીએ લખેલા ગરબાને સ્વર આપ્યો ધ્વની ભાનુશાળીએ!

પીએમ મોદીમાં અનેક પ્રતિભાઓ છૂપાયેલી છે. અનેક વખત પીએમ મોદીનો અલગ અંદાજ જોવા મળતો હોય છે. ત્યારે પીએમ મોદીએ નવરાત્રીને ધ્યાનમાં રાખી એક ગરબો લખ્યો છે જેનો વીડિયો તેમણે શેર કર્યો છે. ગુજરાતમાં નવરાત્રીને લઈ ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. ત્યારે પીએમ મોદીએ નવરાત્રીના પર્વને ધ્યાનમાં રાખી એક ગરબો લખ્યો હતો. આ ગરબામાં અવાજ ધ્વની ભાનુશાલીએ આપ્યો છે જ્યારે મ્યુઝિક તનિષ્ક બાહચીએ આપ્યું છે. પીએમ મોદીએ લખેલો ગરબાનો વીડિયો શેર કર્યો છે અને તેમનો આભાર માન્યો છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.