દેશભરની પોલીસ માટે હોય એક જ યુનિફોર્મ: PM મોદી


  • Published By :
  • Published Date : 2022-10-28 15:39:32

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં પોલીસ માટે એક જ યુનિફોર્મની હિમાયત કરી છે, PM મોદી આજે શુક્રવારે દેશના તમામ રાજ્યોના ગૃહમંત્રીઓ માટે યોજાયેલી 2 દિવસની ચિંતન શિબિરને વીડિયો કોન્ફ્રેંન્સના માધ્યમથી સંબોધી હતી.આ પ્રસંગે તેમણે કહ્યું  કે એક દેશ, એક વરદી હોવી જોઈએ. તે ઉપરાંત તેમણે પોલીસને સલાહ આપી હતી કે લોકોના મનમાં પોલીસ માટે સારી ધારણા બની રહે તે જરૂરી છે.     


પોલીસની ઓળખ છે એક જ યુનિફોર્મ


પીએમ મોદીએ તમામ ગૃહમંત્રીઓને સંબોધતા કહ્યું કે "પોલીસ માટે એક રાષ્ટ્ર, એક વરદી એ માત્ર વિચાર છે. હું આ વિચાર તમારા પર થોપવાનો પ્રયાસ નથી કરતો પણ આ અંગે વિચારો, આ 5, 50 કે 100 વર્ષમાં પણ થઈ શકે છે. પરંતું આપણે આ અંગે ચોક્કસ વિચારવું પડશે. તેમણે વધુમાં કહ્યું કે મારૂ માનવું છે કે દેશભરમાં પોલીસની ઓળખ એક જેવી જ હોવી જોઈએ".


રાજ્યોને સાથે મળીને કામ કરવાની સલાહ


પ્રધાનમંત્રીએ દેશની આંતરિક સુરક્ષા માટે તમામ રાજ્યોને સાથે મળી કામ કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે કાયદો અને વ્યવસ્થાનો સીધો સંબંધ વિકાસ છે. તેથી શાંતિ જાળવી રાખવાની જવાબદારી તમામ રાજ્યોની છે. દરેક રાજ્યએ એકબીજામાંથી શિખવું  જોઈએ અને પ્રેરણા લેવી જોઈએ તથા આંતરિક સુરક્ષા માટે તમામ રાજ્યોએ સાથે મળીને કામ કરવું જોઈએ. 




ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.