દેશભરની પોલીસ માટે હોય એક જ યુનિફોર્મ: PM મોદી


  • Published By :
  • Published Date : 2022-10-28 15:39:32

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં પોલીસ માટે એક જ યુનિફોર્મની હિમાયત કરી છે, PM મોદી આજે શુક્રવારે દેશના તમામ રાજ્યોના ગૃહમંત્રીઓ માટે યોજાયેલી 2 દિવસની ચિંતન શિબિરને વીડિયો કોન્ફ્રેંન્સના માધ્યમથી સંબોધી હતી.આ પ્રસંગે તેમણે કહ્યું  કે એક દેશ, એક વરદી હોવી જોઈએ. તે ઉપરાંત તેમણે પોલીસને સલાહ આપી હતી કે લોકોના મનમાં પોલીસ માટે સારી ધારણા બની રહે તે જરૂરી છે.     


પોલીસની ઓળખ છે એક જ યુનિફોર્મ


પીએમ મોદીએ તમામ ગૃહમંત્રીઓને સંબોધતા કહ્યું કે "પોલીસ માટે એક રાષ્ટ્ર, એક વરદી એ માત્ર વિચાર છે. હું આ વિચાર તમારા પર થોપવાનો પ્રયાસ નથી કરતો પણ આ અંગે વિચારો, આ 5, 50 કે 100 વર્ષમાં પણ થઈ શકે છે. પરંતું આપણે આ અંગે ચોક્કસ વિચારવું પડશે. તેમણે વધુમાં કહ્યું કે મારૂ માનવું છે કે દેશભરમાં પોલીસની ઓળખ એક જેવી જ હોવી જોઈએ".


રાજ્યોને સાથે મળીને કામ કરવાની સલાહ


પ્રધાનમંત્રીએ દેશની આંતરિક સુરક્ષા માટે તમામ રાજ્યોને સાથે મળી કામ કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે કાયદો અને વ્યવસ્થાનો સીધો સંબંધ વિકાસ છે. તેથી શાંતિ જાળવી રાખવાની જવાબદારી તમામ રાજ્યોની છે. દરેક રાજ્યએ એકબીજામાંથી શિખવું  જોઈએ અને પ્રેરણા લેવી જોઈએ તથા આંતરિક સુરક્ષા માટે તમામ રાજ્યોએ સાથે મળીને કામ કરવું જોઈએ. 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.