દેશભરની પોલીસ માટે હોય એક જ યુનિફોર્મ: PM મોદી


  • Published By :
  • Published Date : 2022-10-28 15:39:32

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં પોલીસ માટે એક જ યુનિફોર્મની હિમાયત કરી છે, PM મોદી આજે શુક્રવારે દેશના તમામ રાજ્યોના ગૃહમંત્રીઓ માટે યોજાયેલી 2 દિવસની ચિંતન શિબિરને વીડિયો કોન્ફ્રેંન્સના માધ્યમથી સંબોધી હતી.આ પ્રસંગે તેમણે કહ્યું  કે એક દેશ, એક વરદી હોવી જોઈએ. તે ઉપરાંત તેમણે પોલીસને સલાહ આપી હતી કે લોકોના મનમાં પોલીસ માટે સારી ધારણા બની રહે તે જરૂરી છે.     


પોલીસની ઓળખ છે એક જ યુનિફોર્મ


પીએમ મોદીએ તમામ ગૃહમંત્રીઓને સંબોધતા કહ્યું કે "પોલીસ માટે એક રાષ્ટ્ર, એક વરદી એ માત્ર વિચાર છે. હું આ વિચાર તમારા પર થોપવાનો પ્રયાસ નથી કરતો પણ આ અંગે વિચારો, આ 5, 50 કે 100 વર્ષમાં પણ થઈ શકે છે. પરંતું આપણે આ અંગે ચોક્કસ વિચારવું પડશે. તેમણે વધુમાં કહ્યું કે મારૂ માનવું છે કે દેશભરમાં પોલીસની ઓળખ એક જેવી જ હોવી જોઈએ".


રાજ્યોને સાથે મળીને કામ કરવાની સલાહ


પ્રધાનમંત્રીએ દેશની આંતરિક સુરક્ષા માટે તમામ રાજ્યોને સાથે મળી કામ કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે કાયદો અને વ્યવસ્થાનો સીધો સંબંધ વિકાસ છે. તેથી શાંતિ જાળવી રાખવાની જવાબદારી તમામ રાજ્યોની છે. દરેક રાજ્યએ એકબીજામાંથી શિખવું  જોઈએ અને પ્રેરણા લેવી જોઈએ તથા આંતરિક સુરક્ષા માટે તમામ રાજ્યોએ સાથે મળીને કામ કરવું જોઈએ. 




IMF એટલેકે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કે જેણે પાકિસ્તાનને $ 1 બિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. આ માટે થોડાક સમય અગાઉ IMFની બોર્ડની મિટિંગ મળી હતી . ભારતે IMFની બોર્ડ મિટિંગમાં આ સહાયની સામે ખુબ મજબૂત રીતે વિરોધ નોંધાવ્યો છે સાથે જ નિર્ણયની સામે મજબૂત રીતે ડિસેન્ટ એટલેકે , અસંતોષ નોંધાવ્યો છે. આ ઉપરાંત આપણે જાણીશું કે , દુનિયાના આતંકવાદ તેમાં પણ ખાસ કરીને પશ્ચિમી દેશો એટલે કે યુરોપ અને અમેરિકાના શું ડબલ સ્ટાન્ડર્ડ્સ છે?

થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે?

સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .