ભાજપે રમઝાનમાં જાહેર કર્યો "સોગાત-એ-મોદી" કાર્યક્રમ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-26 18:51:19

ભારતીય જનતા પાર્ટીએ હાલમાં એક જાહેરાત કરી છે કે ,આ રમજાન ઈદ પર સોગાત-એ-મોદી નામના અભિયાન અંતર્ગત દેશભરના ગરીબ મુસ્લિમ પરિવારોને અનાજ અને મીઠાઈનું વિતરણ કરવામાં આવશે . ભાજપ એવું કહે છે કે , આ યોજના મુસ્લિમો પ્રત્યે સદભાવના બતાવવા માટે છે. હવે ગુજરાત રાજ્યના ભાજપના એક્મે આ ઈદ પર ગુજરાતના ૨.૫ લાખ મુસ્લિમ પરિવારોમાં અનાજ અને મીઠાઈઓ વેચવાનું જાહેર કર્યું છે .  ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રીય સ્તરે સોગાત-એ-મોદી નામનું અભિયાન શરુ કર્યું છે . આ અભિયાન અંતર્ગત સમગ્ર ભારતમાં ૩૨ લાખ ગરીબ મુસ્લિમોને રમજાનના આ પવિત્ર માસમાં એક કીટ વહેંચવામાં આવશે . આ કીટમાં પુરુષો માટે કુર્તો - પાયજામા સાથે જ ખાવાની સામગ્રીઓનો સમાવેશ થાય છે . આ ભેટ આપવામાં આવી રહી છે "સોગાત-એ-મોદી"ના નામથી . ૨૫ માર્ચથી આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે . આ અભિયાનની શરૂઆત સાઉથઇસ્ટ દિલ્લીના નિઝામુદ્દીનથી રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા કરાવવામાં હતી. 

saugat e modi - लेडी सूट का कपड़ा-सेवइयां, दूध-चीनी, ड्राई फ्रूट... ईद पर  बंट रहे 'सौगात-ए-मोदी' किट में क्या-क्या है? - narendra modi government  what is saugat e modi kit ...

મુસ્લિમ બિરાદરોમાં આ કીટ વહેંચવાની જવાબદારી ભાજપના લઘુમતી મોરચાને સોંપાઈ છે.  વાત કરીએ ગુજરાત રાજ્યની તો , ગુજરાતમાં પણ આ રીતે ઈદના દિવસે ૨.૫ લાખ મુસ્લિમ પરિવારોમાં અનાજ અને મીઠાઈઓ વહેંચવામાં આવશે . આટલુંજ નહિ દર દિવાળી અને ગુજરાતી બેસતા વર્ષે જેમ સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવે છે તેમ આ ઈદ પર પણ સ્નેહમિલન સમારોહ યોજાશે . આ સ્નેહમિલન કાર્યક્રમ બીજેપીના લઘુમતી સમાજના હોદ્દેદારો મહાનગરમાં વોર્ડ તેમજ જિલ્લા અને તાલુકા સ્તરે યોજાશે . આ સ્નેહમિલન સમારોહમાં ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવશે . વાત કરીએ ભારતીય જનતા પાર્ટીની તો થોડાક સમયથી બીજેપી લઘુમતી સમાજમાં પોતાના પ્રભાવને વધારવા કામ કરી રહી છે . જેમ કે , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેથોલિક બિશપ કોન્ફરન્સ ઓફ ઇન્ડિયા દ્વારા ડિસેમ્બર , ૨૦૨૪માં ન્યુ દિલ્હી ખાતે ક્રિસ્મસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ભાગ લીધો હતો .  આ પછી પીએમ મોદી સૂફી મ્યુઝિક ફેસ્ટિવલ જશ્ને ખુસરોમાં ભાગ લેવા ગયા હતા . વાત કરીએ ગુજરાતની તો , થોડા સમય પેહલા જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થઈ હતી તેમાં બીજેપીએ ૧૦૩ મુસ્લિમ ઉમેદવારો ઉભા રાખ્યા હતા તેમાંથી ૨૨ બિનહરીફ સહીત ૭૬ ઉમેદવારો વિજેતા બન્યા હતા . આ પૈકી ૪ મુસ્લિમ નગર સેવકોને ભાજપે પ્રમુખ અને ઉપપ્રમુખ બનાવ્યા છે . હવે એ તો ભવિષ્યના ગર્ભમાં છે કે , ભાજપનું આ મુસ્લિમ તુષ્ટિકરણ તેને કેટલી ચૂંટણીઓ જીતાડી શકે છે .



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.