ભાજપે રમઝાનમાં જાહેર કર્યો "સોગાત-એ-મોદી" કાર્યક્રમ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-26 18:51:19

ભારતીય જનતા પાર્ટીએ હાલમાં એક જાહેરાત કરી છે કે ,આ રમજાન ઈદ પર સોગાત-એ-મોદી નામના અભિયાન અંતર્ગત દેશભરના ગરીબ મુસ્લિમ પરિવારોને અનાજ અને મીઠાઈનું વિતરણ કરવામાં આવશે . ભાજપ એવું કહે છે કે , આ યોજના મુસ્લિમો પ્રત્યે સદભાવના બતાવવા માટે છે. હવે ગુજરાત રાજ્યના ભાજપના એક્મે આ ઈદ પર ગુજરાતના ૨.૫ લાખ મુસ્લિમ પરિવારોમાં અનાજ અને મીઠાઈઓ વેચવાનું જાહેર કર્યું છે .  ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રીય સ્તરે સોગાત-એ-મોદી નામનું અભિયાન શરુ કર્યું છે . આ અભિયાન અંતર્ગત સમગ્ર ભારતમાં ૩૨ લાખ ગરીબ મુસ્લિમોને રમજાનના આ પવિત્ર માસમાં એક કીટ વહેંચવામાં આવશે . આ કીટમાં પુરુષો માટે કુર્તો - પાયજામા સાથે જ ખાવાની સામગ્રીઓનો સમાવેશ થાય છે . આ ભેટ આપવામાં આવી રહી છે "સોગાત-એ-મોદી"ના નામથી . ૨૫ માર્ચથી આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે . આ અભિયાનની શરૂઆત સાઉથઇસ્ટ દિલ્લીના નિઝામુદ્દીનથી રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા કરાવવામાં હતી. 

saugat e modi - लेडी सूट का कपड़ा-सेवइयां, दूध-चीनी, ड्राई फ्रूट... ईद पर  बंट रहे 'सौगात-ए-मोदी' किट में क्या-क्या है? - narendra modi government  what is saugat e modi kit ...

મુસ્લિમ બિરાદરોમાં આ કીટ વહેંચવાની જવાબદારી ભાજપના લઘુમતી મોરચાને સોંપાઈ છે.  વાત કરીએ ગુજરાત રાજ્યની તો , ગુજરાતમાં પણ આ રીતે ઈદના દિવસે ૨.૫ લાખ મુસ્લિમ પરિવારોમાં અનાજ અને મીઠાઈઓ વહેંચવામાં આવશે . આટલુંજ નહિ દર દિવાળી અને ગુજરાતી બેસતા વર્ષે જેમ સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવે છે તેમ આ ઈદ પર પણ સ્નેહમિલન સમારોહ યોજાશે . આ સ્નેહમિલન કાર્યક્રમ બીજેપીના લઘુમતી સમાજના હોદ્દેદારો મહાનગરમાં વોર્ડ તેમજ જિલ્લા અને તાલુકા સ્તરે યોજાશે . આ સ્નેહમિલન સમારોહમાં ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવશે . વાત કરીએ ભારતીય જનતા પાર્ટીની તો થોડાક સમયથી બીજેપી લઘુમતી સમાજમાં પોતાના પ્રભાવને વધારવા કામ કરી રહી છે . જેમ કે , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેથોલિક બિશપ કોન્ફરન્સ ઓફ ઇન્ડિયા દ્વારા ડિસેમ્બર , ૨૦૨૪માં ન્યુ દિલ્હી ખાતે ક્રિસ્મસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ભાગ લીધો હતો .  આ પછી પીએમ મોદી સૂફી મ્યુઝિક ફેસ્ટિવલ જશ્ને ખુસરોમાં ભાગ લેવા ગયા હતા . વાત કરીએ ગુજરાતની તો , થોડા સમય પેહલા જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થઈ હતી તેમાં બીજેપીએ ૧૦૩ મુસ્લિમ ઉમેદવારો ઉભા રાખ્યા હતા તેમાંથી ૨૨ બિનહરીફ સહીત ૭૬ ઉમેદવારો વિજેતા બન્યા હતા . આ પૈકી ૪ મુસ્લિમ નગર સેવકોને ભાજપે પ્રમુખ અને ઉપપ્રમુખ બનાવ્યા છે . હવે એ તો ભવિષ્યના ગર્ભમાં છે કે , ભાજપનું આ મુસ્લિમ તુષ્ટિકરણ તેને કેટલી ચૂંટણીઓ જીતાડી શકે છે .



ઇન્દોરના રાજા રઘુવંશી કેસમાં આરોપીઓનું કબુલનામું સામે આવ્યું છે . ચારેય આરોપીઓએ સોનમ રઘુવંશીને જ માસ્ટમાઈન્ડ ગણાવી છે કેમ કે , સોનમ રાજા રઘુવંશી સાથે લગન કરવા નહોતી માંગતી . આ ખુબ ચોંકાવનારો ખુલાસો છે કેમ કે , સોનમ દ્વારા એવું કેહવામાં આવ્યું હતું કે , તેને ડ્રગ આપીને ગાઝીપુર લાવવામાં આવી હતી . સાથે જ આપણે જાણીશું કે રાજા રઘુવંશીના કેસમાં પોલીસ પાસે ક્યા મહત્વના પુરાવા છે?

કોઈ પણ કંપનીમાં જેમ એક ફાઉન્ડરની સાથે એક કો-ફાઉન્ડર હોય છે તેમ અમેરિકા માટે એવું કહેવાતું હતું કે , પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે એક કો પ્રેસિડન્ટ છે જે છે ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક . પરંતુ જ્યારથી તેમણે ડોનાલ્ડ ટ્રમ્પની સરકારમાંથી રાજીનામુ આપી દીધું ત્યારથી જ બેઉ વચ્ચેના સંબંધોમાં જોરદાર તણાવ જોવા મળી રહ્યો છે. એક બાજુ પ્લેટફોર્મ એક્સ પર ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્ક વચ્ચેની અસેહમતીઓ બહાર આવી ગઈ. હવે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્કના તણાવની અસર અમેરિકાની સિલિકોન વેલી પર પડવા જઈ રહી છે.

ઈંદોરના રાજા રઘુવંશીના હત્યાના કેસમાં હવે નવા ખુલાસા સામે આવ્યા છે . ઈંદોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશી જયારે મેઘાલયની રાજધાની શિલોન્ગ ખાતે તેમની પત્ની સોનમ સાથે હનીમૂન મનાવવા ગયા ત્યારે પત્ની સોનમે જ તેમની હત્યા કરાવડાવી હતી . આ બાબતે મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા અને મેઘાલયના ડીજીપીની પ્રતિક્રિયા સામે આવી છે.

જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠકમાં અત્યારસુધીમાં માત્ર ને માત્ર નેતાઓ નિવેદનબાજીઓ કરતા હતા પરંતુ હવે થયું છે એવું કે , જયારે વિસાવદરના જીવાપરા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જયારે સભા કરી રહ્યા હતા ત્યારે રાત્રી દરમ્યાન ભાજપના સમર્થકો દ્વારા તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો .