ભાજપે રમઝાનમાં જાહેર કર્યો "સોગાત-એ-મોદી" કાર્યક્રમ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-26 18:51:19

ભારતીય જનતા પાર્ટીએ હાલમાં એક જાહેરાત કરી છે કે ,આ રમજાન ઈદ પર સોગાત-એ-મોદી નામના અભિયાન અંતર્ગત દેશભરના ગરીબ મુસ્લિમ પરિવારોને અનાજ અને મીઠાઈનું વિતરણ કરવામાં આવશે . ભાજપ એવું કહે છે કે , આ યોજના મુસ્લિમો પ્રત્યે સદભાવના બતાવવા માટે છે. હવે ગુજરાત રાજ્યના ભાજપના એક્મે આ ઈદ પર ગુજરાતના ૨.૫ લાખ મુસ્લિમ પરિવારોમાં અનાજ અને મીઠાઈઓ વેચવાનું જાહેર કર્યું છે .  ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રીય સ્તરે સોગાત-એ-મોદી નામનું અભિયાન શરુ કર્યું છે . આ અભિયાન અંતર્ગત સમગ્ર ભારતમાં ૩૨ લાખ ગરીબ મુસ્લિમોને રમજાનના આ પવિત્ર માસમાં એક કીટ વહેંચવામાં આવશે . આ કીટમાં પુરુષો માટે કુર્તો - પાયજામા સાથે જ ખાવાની સામગ્રીઓનો સમાવેશ થાય છે . આ ભેટ આપવામાં આવી રહી છે "સોગાત-એ-મોદી"ના નામથી . ૨૫ માર્ચથી આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે . આ અભિયાનની શરૂઆત સાઉથઇસ્ટ દિલ્લીના નિઝામુદ્દીનથી રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા કરાવવામાં હતી. 

saugat e modi - लेडी सूट का कपड़ा-सेवइयां, दूध-चीनी, ड्राई फ्रूट... ईद पर  बंट रहे 'सौगात-ए-मोदी' किट में क्या-क्या है? - narendra modi government  what is saugat e modi kit ...

મુસ્લિમ બિરાદરોમાં આ કીટ વહેંચવાની જવાબદારી ભાજપના લઘુમતી મોરચાને સોંપાઈ છે.  વાત કરીએ ગુજરાત રાજ્યની તો , ગુજરાતમાં પણ આ રીતે ઈદના દિવસે ૨.૫ લાખ મુસ્લિમ પરિવારોમાં અનાજ અને મીઠાઈઓ વહેંચવામાં આવશે . આટલુંજ નહિ દર દિવાળી અને ગુજરાતી બેસતા વર્ષે જેમ સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવે છે તેમ આ ઈદ પર પણ સ્નેહમિલન સમારોહ યોજાશે . આ સ્નેહમિલન કાર્યક્રમ બીજેપીના લઘુમતી સમાજના હોદ્દેદારો મહાનગરમાં વોર્ડ તેમજ જિલ્લા અને તાલુકા સ્તરે યોજાશે . આ સ્નેહમિલન સમારોહમાં ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવશે . વાત કરીએ ભારતીય જનતા પાર્ટીની તો થોડાક સમયથી બીજેપી લઘુમતી સમાજમાં પોતાના પ્રભાવને વધારવા કામ કરી રહી છે . જેમ કે , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેથોલિક બિશપ કોન્ફરન્સ ઓફ ઇન્ડિયા દ્વારા ડિસેમ્બર , ૨૦૨૪માં ન્યુ દિલ્હી ખાતે ક્રિસ્મસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ભાગ લીધો હતો .  આ પછી પીએમ મોદી સૂફી મ્યુઝિક ફેસ્ટિવલ જશ્ને ખુસરોમાં ભાગ લેવા ગયા હતા . વાત કરીએ ગુજરાતની તો , થોડા સમય પેહલા જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થઈ હતી તેમાં બીજેપીએ ૧૦૩ મુસ્લિમ ઉમેદવારો ઉભા રાખ્યા હતા તેમાંથી ૨૨ બિનહરીફ સહીત ૭૬ ઉમેદવારો વિજેતા બન્યા હતા . આ પૈકી ૪ મુસ્લિમ નગર સેવકોને ભાજપે પ્રમુખ અને ઉપપ્રમુખ બનાવ્યા છે . હવે એ તો ભવિષ્યના ગર્ભમાં છે કે , ભાજપનું આ મુસ્લિમ તુષ્ટિકરણ તેને કેટલી ચૂંટણીઓ જીતાડી શકે છે .



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.