રવિન્દ્ર જાડેજા અને રિવાબાએ PM મોદી સાથે કરી મુલાકાત, બેઠક અંગે રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક


  • Published By :
  • Published Date : 2023-05-16 19:28:45

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ તેમની પત્ની રીવાબા જાડેજા સાથે પીએમ મોદી સાથે નવી દિલ્હીમાં મુલાકાત કરી હતી. જામનગર ઉત્તર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજા સાથે દેશના ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પ્રધાનમંત્રી મોદી સાથેની આ મુલાકાત રાજકીય દ્રષ્ટીએ ઘણી સુચક મનાય છે. રવિન્દ્ર જાડેજાએ પીએમ સાથેની તેમની તસવીર પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.


PM મોદી સાથેની મુલાકાતથી અનેક તર્ક-વિતર્ક


રાજધાની નવી દિલ્હીમાં રિવાબા જાડેજા અને રવિન્દ્ર જાડેજાએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. રિવાબા જાડેજાની વડાપ્રધાન મોદી સાથેની અચાનક મુલાકાતથી રાજ્યનું રાજકારણ ગરમાયું છે. રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ થઈ શકે છે.


સોશિયલ મીડિયા પોસ્ટમાં PMના કર્યા વખાણ


વડાપ્રધાન મોદી સાથેની મુલાકાતની તસવીર રિવાબા અને રવિન્દ્ર જાડેજાએ ટ્વિટર પર પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું હતું કે તમે અમારી માતૃભૂમિ માટે સખત મહેનત અને સમર્પણનું શ્રેષ્ઠ ઉદાહરણ છો! મને ખાતરી છે કે તમે દરેકને શક્ય તેટલી શ્રેષ્ઠ રીતે પ્રેરણા આપતા રહેશો. અત્રે ઉલ્લેખનિય છે કે હાલમાં રવિન્દ્ર જાડેજા આઇપીએલમાં ચેન્નઇ સુપર કિંગ્સ તરફથી રમવામાં વ્યસ્ત છે. 


રીવાબા જાડેજાની રાજકારણમાં પ્રભાવશાળી એન્ટ્રી


અત્રે ઉલ્લેખનિય છે કે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજાએ ચૂંટણીના રાજકારણમાં પ્રભાવશાળી શરૂઆત કરી હતી. રિવાબા જાડેજાએ જામનગર ઉત્તર મતવિસ્તારમાં તેમના નજીકના હરીફને 53570 મતોના માર્જિનથી હરાવ્યા હતા. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, ગણતરીના 17 રાઉન્ડ પછી, રીવાબા જાડેજાએ 88110 મતો જીત્યા હતા જ્યારે તેમના નજીકના હરીફ આમ આદમી પાર્ટી (AAP) ના કરસન કરમુરે 34818 મત મેળવ્યા હતા. 





ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે