રવિન્દ્ર જાડેજા અને રિવાબાએ PM મોદી સાથે કરી મુલાકાત, બેઠક અંગે રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક


  • Published By :
  • Published Date : 2023-05-16 19:28:45

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ તેમની પત્ની રીવાબા જાડેજા સાથે પીએમ મોદી સાથે નવી દિલ્હીમાં મુલાકાત કરી હતી. જામનગર ઉત્તર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજા સાથે દેશના ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પ્રધાનમંત્રી મોદી સાથેની આ મુલાકાત રાજકીય દ્રષ્ટીએ ઘણી સુચક મનાય છે. રવિન્દ્ર જાડેજાએ પીએમ સાથેની તેમની તસવીર પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.


PM મોદી સાથેની મુલાકાતથી અનેક તર્ક-વિતર્ક


રાજધાની નવી દિલ્હીમાં રિવાબા જાડેજા અને રવિન્દ્ર જાડેજાએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. રિવાબા જાડેજાની વડાપ્રધાન મોદી સાથેની અચાનક મુલાકાતથી રાજ્યનું રાજકારણ ગરમાયું છે. રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ થઈ શકે છે.


સોશિયલ મીડિયા પોસ્ટમાં PMના કર્યા વખાણ


વડાપ્રધાન મોદી સાથેની મુલાકાતની તસવીર રિવાબા અને રવિન્દ્ર જાડેજાએ ટ્વિટર પર પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું હતું કે તમે અમારી માતૃભૂમિ માટે સખત મહેનત અને સમર્પણનું શ્રેષ્ઠ ઉદાહરણ છો! મને ખાતરી છે કે તમે દરેકને શક્ય તેટલી શ્રેષ્ઠ રીતે પ્રેરણા આપતા રહેશો. અત્રે ઉલ્લેખનિય છે કે હાલમાં રવિન્દ્ર જાડેજા આઇપીએલમાં ચેન્નઇ સુપર કિંગ્સ તરફથી રમવામાં વ્યસ્ત છે. 


રીવાબા જાડેજાની રાજકારણમાં પ્રભાવશાળી એન્ટ્રી


અત્રે ઉલ્લેખનિય છે કે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજાએ ચૂંટણીના રાજકારણમાં પ્રભાવશાળી શરૂઆત કરી હતી. રિવાબા જાડેજાએ જામનગર ઉત્તર મતવિસ્તારમાં તેમના નજીકના હરીફને 53570 મતોના માર્જિનથી હરાવ્યા હતા. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, ગણતરીના 17 રાઉન્ડ પછી, રીવાબા જાડેજાએ 88110 મતો જીત્યા હતા જ્યારે તેમના નજીકના હરીફ આમ આદમી પાર્ટી (AAP) ના કરસન કરમુરે 34818 મત મેળવ્યા હતા. 





ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.