શું PM મોદીએ એક પણ દિવસ રજા નથી લીધી, RTIમાં શું ખુલાસો થયો? જાણો


  • Published By :
  • Published Date : 2023-09-04 18:45:12

PM નરેન્દ્ર મોદી  (PM Narendra Modi) તારીખ 26 મે 2014ના રોજ દેશના પ્રધાનમંત્રી બન્યા હતા. ત્યારથી તેમણે એક પણ દિવસની રજા નથી લીધી. પીએમ તરીકે તેમના 9 વર્ષથી વધુના કાર્યકાળ દરમિયાન તેઓ સતત કામ કરી રહ્યા છે. એક  RTI અરજી દાખલ કરવામાં આવી હતી. જેના જવાબમાં પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)એ આ વાત કહીં છે.


RTIમાં શું સવાલો પુછ્યાં? 


પ્રધાનમંત્રી મોદીની રજાઓ અંગે જાણકારી માગતી અરજી તા. 31 જુલાઈ 2023ના રોજ  RTI કાર્યકર્તા પી શારદા દ્વારા  કરવામાં આવી હતી. જેમાં તેમણે બે સવાલ પુછ્યા હતા. પહેલો સવાલ એ હતો  કે પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદી દિલ્હી સ્થિત PMOમાં કેટલા દિવસ ઉપસ્થિત રહ્યા હતા. બીજો સવાલ એ હતો કે દેશના પ્રધાન મંત્રી બન્યા બાદ અત્યાર સુધી નરેન્દ્ર મોદી વિવિધ કાર્યક્રમોમાં કેટલા દિવસ ઉપસ્થિત રહ્યા હતા? આ RTIના જવાબમાં પ્રધાનમંત્રી કાર્યલય દ્વારા જણાવવામાં આવ્યું કે પીએમ મોદી હંમેશા ડ્યુટી પર જ રહે છે. પ્રધાનમંત્રીનું પદગ્રહણ કર્યું ત્યાર બાદથી તેમણે એક પણ રજા લીધી નથી. બીજા સવાલના જવાબમાં PMO દ્વારા લખવામાં આવ્યું છે કે નરેન્દ્ર મોદીના વિવિધ કાર્યક્રમોની જાણકારી પ્રધાનમંત્રી કાર્યાલયની વેબસાઈટ પર આપેલી છે.


PMOનો આ જવાબ આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ ટ્વિટ કરીને આપ્યો છે. તેમણે આ માહિતી પર હેશટેગ લખ્યું - 'My PM-My Pride (મારા વડાપ્રધાન-મારું ગૌરવ).'


રજા માટેના નિયમો શું છે?


અગાઉ 2016માં પણ RTI દ્વારા PMOને આવો જ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. ત્યારે પણ જવાબ મળ્યો કે PM આખો સમય ફરજ પર હોય છે. ત્યારે આ સવાલની સાથે વડાપ્રધાનની રજાના નિયમો વિશે પણ માહિતી માંગવામાં આવી હતી. RTIમાં પૂછવામાં આવ્યું હતું કે શું PM માટે પણ અમલદારોની જેમ રજાના નિયમો છે? તેના જવાબમાં PMOએ કહ્યું હતું કે PM માટે રજાઓનો કોઈ નિયમ નથી. અને એમ કહી શકાય કે ભારતના વડાપ્રધાન હંમેશા ફરજ પર હોય છે.


તે સમયે  RTI દ્વારા ઘણા પૂર્વ વડાપ્રધાનોની રજા સંબંધિત રેકોર્ડ પણ માંગવામાં આવ્યા હતા. ત્યારે PMOએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી પહેલા વડાપ્રધાન રહી ચૂકેલા નેતાઓની રજાઓનો સંપૂર્ણ રેકોર્ડ તેની પાસે નથી.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .