શું PM મોદીએ એક પણ દિવસ રજા નથી લીધી, RTIમાં શું ખુલાસો થયો? જાણો


  • Published By :
  • Published Date : 2023-09-04 18:45:12

PM નરેન્દ્ર મોદી  (PM Narendra Modi) તારીખ 26 મે 2014ના રોજ દેશના પ્રધાનમંત્રી બન્યા હતા. ત્યારથી તેમણે એક પણ દિવસની રજા નથી લીધી. પીએમ તરીકે તેમના 9 વર્ષથી વધુના કાર્યકાળ દરમિયાન તેઓ સતત કામ કરી રહ્યા છે. એક  RTI અરજી દાખલ કરવામાં આવી હતી. જેના જવાબમાં પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)એ આ વાત કહીં છે.


RTIમાં શું સવાલો પુછ્યાં? 


પ્રધાનમંત્રી મોદીની રજાઓ અંગે જાણકારી માગતી અરજી તા. 31 જુલાઈ 2023ના રોજ  RTI કાર્યકર્તા પી શારદા દ્વારા  કરવામાં આવી હતી. જેમાં તેમણે બે સવાલ પુછ્યા હતા. પહેલો સવાલ એ હતો  કે પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદી દિલ્હી સ્થિત PMOમાં કેટલા દિવસ ઉપસ્થિત રહ્યા હતા. બીજો સવાલ એ હતો કે દેશના પ્રધાન મંત્રી બન્યા બાદ અત્યાર સુધી નરેન્દ્ર મોદી વિવિધ કાર્યક્રમોમાં કેટલા દિવસ ઉપસ્થિત રહ્યા હતા? આ RTIના જવાબમાં પ્રધાનમંત્રી કાર્યલય દ્વારા જણાવવામાં આવ્યું કે પીએમ મોદી હંમેશા ડ્યુટી પર જ રહે છે. પ્રધાનમંત્રીનું પદગ્રહણ કર્યું ત્યાર બાદથી તેમણે એક પણ રજા લીધી નથી. બીજા સવાલના જવાબમાં PMO દ્વારા લખવામાં આવ્યું છે કે નરેન્દ્ર મોદીના વિવિધ કાર્યક્રમોની જાણકારી પ્રધાનમંત્રી કાર્યાલયની વેબસાઈટ પર આપેલી છે.


PMOનો આ જવાબ આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ ટ્વિટ કરીને આપ્યો છે. તેમણે આ માહિતી પર હેશટેગ લખ્યું - 'My PM-My Pride (મારા વડાપ્રધાન-મારું ગૌરવ).'


રજા માટેના નિયમો શું છે?


અગાઉ 2016માં પણ RTI દ્વારા PMOને આવો જ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. ત્યારે પણ જવાબ મળ્યો કે PM આખો સમય ફરજ પર હોય છે. ત્યારે આ સવાલની સાથે વડાપ્રધાનની રજાના નિયમો વિશે પણ માહિતી માંગવામાં આવી હતી. RTIમાં પૂછવામાં આવ્યું હતું કે શું PM માટે પણ અમલદારોની જેમ રજાના નિયમો છે? તેના જવાબમાં PMOએ કહ્યું હતું કે PM માટે રજાઓનો કોઈ નિયમ નથી. અને એમ કહી શકાય કે ભારતના વડાપ્રધાન હંમેશા ફરજ પર હોય છે.


તે સમયે  RTI દ્વારા ઘણા પૂર્વ વડાપ્રધાનોની રજા સંબંધિત રેકોર્ડ પણ માંગવામાં આવ્યા હતા. ત્યારે PMOએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી પહેલા વડાપ્રધાન રહી ચૂકેલા નેતાઓની રજાઓનો સંપૂર્ણ રેકોર્ડ તેની પાસે નથી.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે