શું PM મોદીએ એક પણ દિવસ રજા નથી લીધી, RTIમાં શું ખુલાસો થયો? જાણો


  • Published By :
  • Published Date : 2023-09-04 18:45:12

PM નરેન્દ્ર મોદી  (PM Narendra Modi) તારીખ 26 મે 2014ના રોજ દેશના પ્રધાનમંત્રી બન્યા હતા. ત્યારથી તેમણે એક પણ દિવસની રજા નથી લીધી. પીએમ તરીકે તેમના 9 વર્ષથી વધુના કાર્યકાળ દરમિયાન તેઓ સતત કામ કરી રહ્યા છે. એક  RTI અરજી દાખલ કરવામાં આવી હતી. જેના જવાબમાં પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)એ આ વાત કહીં છે.


RTIમાં શું સવાલો પુછ્યાં? 


પ્રધાનમંત્રી મોદીની રજાઓ અંગે જાણકારી માગતી અરજી તા. 31 જુલાઈ 2023ના રોજ  RTI કાર્યકર્તા પી શારદા દ્વારા  કરવામાં આવી હતી. જેમાં તેમણે બે સવાલ પુછ્યા હતા. પહેલો સવાલ એ હતો  કે પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદી દિલ્હી સ્થિત PMOમાં કેટલા દિવસ ઉપસ્થિત રહ્યા હતા. બીજો સવાલ એ હતો કે દેશના પ્રધાન મંત્રી બન્યા બાદ અત્યાર સુધી નરેન્દ્ર મોદી વિવિધ કાર્યક્રમોમાં કેટલા દિવસ ઉપસ્થિત રહ્યા હતા? આ RTIના જવાબમાં પ્રધાનમંત્રી કાર્યલય દ્વારા જણાવવામાં આવ્યું કે પીએમ મોદી હંમેશા ડ્યુટી પર જ રહે છે. પ્રધાનમંત્રીનું પદગ્રહણ કર્યું ત્યાર બાદથી તેમણે એક પણ રજા લીધી નથી. બીજા સવાલના જવાબમાં PMO દ્વારા લખવામાં આવ્યું છે કે નરેન્દ્ર મોદીના વિવિધ કાર્યક્રમોની જાણકારી પ્રધાનમંત્રી કાર્યાલયની વેબસાઈટ પર આપેલી છે.


PMOનો આ જવાબ આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ ટ્વિટ કરીને આપ્યો છે. તેમણે આ માહિતી પર હેશટેગ લખ્યું - 'My PM-My Pride (મારા વડાપ્રધાન-મારું ગૌરવ).'


રજા માટેના નિયમો શું છે?


અગાઉ 2016માં પણ RTI દ્વારા PMOને આવો જ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. ત્યારે પણ જવાબ મળ્યો કે PM આખો સમય ફરજ પર હોય છે. ત્યારે આ સવાલની સાથે વડાપ્રધાનની રજાના નિયમો વિશે પણ માહિતી માંગવામાં આવી હતી. RTIમાં પૂછવામાં આવ્યું હતું કે શું PM માટે પણ અમલદારોની જેમ રજાના નિયમો છે? તેના જવાબમાં PMOએ કહ્યું હતું કે PM માટે રજાઓનો કોઈ નિયમ નથી. અને એમ કહી શકાય કે ભારતના વડાપ્રધાન હંમેશા ફરજ પર હોય છે.


તે સમયે  RTI દ્વારા ઘણા પૂર્વ વડાપ્રધાનોની રજા સંબંધિત રેકોર્ડ પણ માંગવામાં આવ્યા હતા. ત્યારે PMOએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી પહેલા વડાપ્રધાન રહી ચૂકેલા નેતાઓની રજાઓનો સંપૂર્ણ રેકોર્ડ તેની પાસે નથી.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.